અમદાવાદમાં ખેલાયો ખૂની ખેલ! જમવા બાબતે ટોકતાં રખાયેલી અદાવતમાં કરાયો તલવાર-છરીના ઘા વડે હુમલો


  • Published By :
  • Published Date : 2023-02-07 11:10:46

અમદાવાદમાં દિવસેને દિવસે કાયદો વ્યવસ્થા કથળી રહી છે. ધોળા દિવસે કાલુપુરમાં હત્યાનો બનાવ બન્યો છે. ભરબજારમાં યુવકને તલવાર - છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો છે. આ ઘટનાની પ્રાથમિક માહિતી અનુસાર લગ્ન પ્રસંગમાં જમવા અંગે બોલાચાલી થઈ હતી. જમવાની બાબતમાં ટોકવામાં આવતા આરોપીએ હુમલો કર્યો હોવાનું માનવામાં આવે છે.     


બોલચાલીએ લીધું ઉગ્ર સ્વરૂપ  

અમદાવાદ શહેરમાં ફરી એક વખત હત્યાનો બનાવ બન્યો છે. લગ્નમાં જમાવાની બાબતને લઈ થયેલા બોલાચાલીની અદાવત રાખીને તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. વટવા સૈયદવાડી વિસ્તારમાં રહેતા સાબાન હુસેન ઉર્ફે સાબાનઅલી મોમીન નામના યુવકને લગ્ન પ્રસંગમાં જમવાની લાઈનમાં આપવાની વાત કરવામાં આવી હતી. આ બાબતે બોલાચાલી થઈ.     


સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે 

રીક્ષામાં ત્રણ શખ્સ જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળ આવી રહેલી રીક્ષાએ તેની ઓવરટેક કરવાની કોશિશ કરી. જેથી રીક્ષામાં બેઠેલા ત્રણેય લોકો ભાગ્યા. તેમનો પીછો આરોપી સાદિક હુસેન સહિત એક વ્યક્તિ પણ ભાગ્યા. અને ભેગા મળી તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો. સબાનઅલીને વીએસ હોસ્પિટલ લઈ જવાયો હતો. સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું. મહત્વની વાતએ છે કે થોડા અંતરમાં જ પોલીસ સ્ટેશન આવેલું છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. આ સમગ્ર હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.