અમદાવાદમાં ખેલાયો ખૂની ખેલ! જમવા બાબતે ટોકતાં રખાયેલી અદાવતમાં કરાયો તલવાર-છરીના ઘા વડે હુમલો


  • Published By :
  • Published Date : 2023-02-07 11:10:46

અમદાવાદમાં દિવસેને દિવસે કાયદો વ્યવસ્થા કથળી રહી છે. ધોળા દિવસે કાલુપુરમાં હત્યાનો બનાવ બન્યો છે. ભરબજારમાં યુવકને તલવાર - છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો છે. આ ઘટનાની પ્રાથમિક માહિતી અનુસાર લગ્ન પ્રસંગમાં જમવા અંગે બોલાચાલી થઈ હતી. જમવાની બાબતમાં ટોકવામાં આવતા આરોપીએ હુમલો કર્યો હોવાનું માનવામાં આવે છે.     


બોલચાલીએ લીધું ઉગ્ર સ્વરૂપ  

અમદાવાદ શહેરમાં ફરી એક વખત હત્યાનો બનાવ બન્યો છે. લગ્નમાં જમાવાની બાબતને લઈ થયેલા બોલાચાલીની અદાવત રાખીને તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. વટવા સૈયદવાડી વિસ્તારમાં રહેતા સાબાન હુસેન ઉર્ફે સાબાનઅલી મોમીન નામના યુવકને લગ્ન પ્રસંગમાં જમવાની લાઈનમાં આપવાની વાત કરવામાં આવી હતી. આ બાબતે બોલાચાલી થઈ.     


સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે 

રીક્ષામાં ત્રણ શખ્સ જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળ આવી રહેલી રીક્ષાએ તેની ઓવરટેક કરવાની કોશિશ કરી. જેથી રીક્ષામાં બેઠેલા ત્રણેય લોકો ભાગ્યા. તેમનો પીછો આરોપી સાદિક હુસેન સહિત એક વ્યક્તિ પણ ભાગ્યા. અને ભેગા મળી તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો. સબાનઅલીને વીએસ હોસ્પિટલ લઈ જવાયો હતો. સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું. મહત્વની વાતએ છે કે થોડા અંતરમાં જ પોલીસ સ્ટેશન આવેલું છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. આ સમગ્ર હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.