અમદાવાદમાં ખેલાયો ખૂની ખેલ! જમવા બાબતે ટોકતાં રખાયેલી અદાવતમાં કરાયો તલવાર-છરીના ઘા વડે હુમલો


  • Published By :
  • Published Date : 2023-02-07 11:10:46

અમદાવાદમાં દિવસેને દિવસે કાયદો વ્યવસ્થા કથળી રહી છે. ધોળા દિવસે કાલુપુરમાં હત્યાનો બનાવ બન્યો છે. ભરબજારમાં યુવકને તલવાર - છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો છે. આ ઘટનાની પ્રાથમિક માહિતી અનુસાર લગ્ન પ્રસંગમાં જમવા અંગે બોલાચાલી થઈ હતી. જમવાની બાબતમાં ટોકવામાં આવતા આરોપીએ હુમલો કર્યો હોવાનું માનવામાં આવે છે.     


બોલચાલીએ લીધું ઉગ્ર સ્વરૂપ  

અમદાવાદ શહેરમાં ફરી એક વખત હત્યાનો બનાવ બન્યો છે. લગ્નમાં જમાવાની બાબતને લઈ થયેલા બોલાચાલીની અદાવત રાખીને તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. વટવા સૈયદવાડી વિસ્તારમાં રહેતા સાબાન હુસેન ઉર્ફે સાબાનઅલી મોમીન નામના યુવકને લગ્ન પ્રસંગમાં જમવાની લાઈનમાં આપવાની વાત કરવામાં આવી હતી. આ બાબતે બોલાચાલી થઈ.     


સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે 

રીક્ષામાં ત્રણ શખ્સ જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળ આવી રહેલી રીક્ષાએ તેની ઓવરટેક કરવાની કોશિશ કરી. જેથી રીક્ષામાં બેઠેલા ત્રણેય લોકો ભાગ્યા. તેમનો પીછો આરોપી સાદિક હુસેન સહિત એક વ્યક્તિ પણ ભાગ્યા. અને ભેગા મળી તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો. સબાનઅલીને વીએસ હોસ્પિટલ લઈ જવાયો હતો. સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું. મહત્વની વાતએ છે કે થોડા અંતરમાં જ પોલીસ સ્ટેશન આવેલું છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. આ સમગ્ર હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.