અમદાવાદમાં ખેલાયો ખૂની ખેલ! જમવા બાબતે ટોકતાં રખાયેલી અદાવતમાં કરાયો તલવાર-છરીના ઘા વડે હુમલો


  • Published By :
  • Published Date : 2023-02-07 11:10:46

અમદાવાદમાં દિવસેને દિવસે કાયદો વ્યવસ્થા કથળી રહી છે. ધોળા દિવસે કાલુપુરમાં હત્યાનો બનાવ બન્યો છે. ભરબજારમાં યુવકને તલવાર - છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો છે. આ ઘટનાની પ્રાથમિક માહિતી અનુસાર લગ્ન પ્રસંગમાં જમવા અંગે બોલાચાલી થઈ હતી. જમવાની બાબતમાં ટોકવામાં આવતા આરોપીએ હુમલો કર્યો હોવાનું માનવામાં આવે છે.     


બોલચાલીએ લીધું ઉગ્ર સ્વરૂપ  

અમદાવાદ શહેરમાં ફરી એક વખત હત્યાનો બનાવ બન્યો છે. લગ્નમાં જમાવાની બાબતને લઈ થયેલા બોલાચાલીની અદાવત રાખીને તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. વટવા સૈયદવાડી વિસ્તારમાં રહેતા સાબાન હુસેન ઉર્ફે સાબાનઅલી મોમીન નામના યુવકને લગ્ન પ્રસંગમાં જમવાની લાઈનમાં આપવાની વાત કરવામાં આવી હતી. આ બાબતે બોલાચાલી થઈ.     


સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે 

રીક્ષામાં ત્રણ શખ્સ જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળ આવી રહેલી રીક્ષાએ તેની ઓવરટેક કરવાની કોશિશ કરી. જેથી રીક્ષામાં બેઠેલા ત્રણેય લોકો ભાગ્યા. તેમનો પીછો આરોપી સાદિક હુસેન સહિત એક વ્યક્તિ પણ ભાગ્યા. અને ભેગા મળી તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો. સબાનઅલીને વીએસ હોસ્પિટલ લઈ જવાયો હતો. સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું. મહત્વની વાતએ છે કે થોડા અંતરમાં જ પોલીસ સ્ટેશન આવેલું છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. આ સમગ્ર હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.