અમદાવાદના વસ્ત્રાપુરમાં બન્યો હત્યાનો બનાવ, ખાટલા પર સૂતા શ્રમિક પર પાવડા વડે અજાણ્યા વ્યક્તિએ કર્યો હુમલો


  • Published By :
  • Published Date : 2023-02-08 14:54:12

ગુજરાતમાં તેમજ અમદાવાદમાં હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં પણ હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. ગઈ કાલે કાલુપુરથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં તલવાર તેમજ ચપ્પુના ઘા થી હુમલો કરી એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારે બીજી એક હત્યાનો બનાવ વસ્ત્રાપુરથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર ખાટલા પર સુતેલા દાહોદના મજૂર પર તીક્ષણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે. મજૂરના માથા પર અને ગળાના ભાગે ઉપરાછાપરી 11 ઘા મારતા ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું.  


11 વખત તીક્ષ્ણ હથિયાર વડે કરાયો હુમલો 

અમદાવાદમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. વધતા હત્યાના બનાવ વચ્ચે વસ્ત્રાપુરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મજૂરીકામ અને ચોકીદારીનું કામ કરતા વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યો છે. આ હુમલો ચપ્પા કે તલવારથી નહીં પરંતુ પાવડાથી કરવામાં આવ્યો હતો. હુમલાવરે  માથા પર અને ગળાના ભાગે ઉપરાછાપરી 11 ઘા માર્યા હતા. જેને કારણે ઘટનાસ્થળે જ યુવકનું મોત થઈ ગયું હતું. 


ઘટનાના સીસીટીવી આવ્યા સામે 

આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. તે મૂજબ વસ્ત્રાપુર તળાવમાં રિટર્નિંગ દીવાલ બનાવાનું કામ ચાલી રહ્યું હતું. 10 લોકો આ કામ કરી રહ્યા હતા. ત્યારે ગઈકાલે રાતના 9 વાગ્યાની આસપાસ તળાવ પાસેથી ખાટલા પરથી મજૂરની લાશ મળી આવી હતી. પોલીસને જાણ કરતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. સીસીટીવીના આધારે પોલીસ તપાસ કરી રહી છે જે મુજબ એક અજાણી વ્યક્તિ ખાટલા પર સૂતેલા મજૂરને બાજુમાં પડેલો પાવડો લઈને ઘા કરી રહ્યો છે. માથા તેમજ ગળાના ભાગમાં 11 ઘા માર્યા હતા. જેને લઈ ઘટનાસ્થળ પર જ મજૂરનું મોત થઈ ગયું હતું. ઘટનાને અંજામ આપી શાંતિથી હત્યારો જતો પણ જોવા પણ મળી રહ્યો છે.   




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.