અમદાવાદના વસ્ત્રાપુરમાં બન્યો હત્યાનો બનાવ, ખાટલા પર સૂતા શ્રમિક પર પાવડા વડે અજાણ્યા વ્યક્તિએ કર્યો હુમલો


  • Published By :
  • Published Date : 2023-02-08 14:54:12

ગુજરાતમાં તેમજ અમદાવાદમાં હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં પણ હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. ગઈ કાલે કાલુપુરથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં તલવાર તેમજ ચપ્પુના ઘા થી હુમલો કરી એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારે બીજી એક હત્યાનો બનાવ વસ્ત્રાપુરથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર ખાટલા પર સુતેલા દાહોદના મજૂર પર તીક્ષણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે. મજૂરના માથા પર અને ગળાના ભાગે ઉપરાછાપરી 11 ઘા મારતા ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું.  


11 વખત તીક્ષ્ણ હથિયાર વડે કરાયો હુમલો 

અમદાવાદમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. વધતા હત્યાના બનાવ વચ્ચે વસ્ત્રાપુરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મજૂરીકામ અને ચોકીદારીનું કામ કરતા વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યો છે. આ હુમલો ચપ્પા કે તલવારથી નહીં પરંતુ પાવડાથી કરવામાં આવ્યો હતો. હુમલાવરે  માથા પર અને ગળાના ભાગે ઉપરાછાપરી 11 ઘા માર્યા હતા. જેને કારણે ઘટનાસ્થળે જ યુવકનું મોત થઈ ગયું હતું. 


ઘટનાના સીસીટીવી આવ્યા સામે 

આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. તે મૂજબ વસ્ત્રાપુર તળાવમાં રિટર્નિંગ દીવાલ બનાવાનું કામ ચાલી રહ્યું હતું. 10 લોકો આ કામ કરી રહ્યા હતા. ત્યારે ગઈકાલે રાતના 9 વાગ્યાની આસપાસ તળાવ પાસેથી ખાટલા પરથી મજૂરની લાશ મળી આવી હતી. પોલીસને જાણ કરતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. સીસીટીવીના આધારે પોલીસ તપાસ કરી રહી છે જે મુજબ એક અજાણી વ્યક્તિ ખાટલા પર સૂતેલા મજૂરને બાજુમાં પડેલો પાવડો લઈને ઘા કરી રહ્યો છે. માથા તેમજ ગળાના ભાગમાં 11 ઘા માર્યા હતા. જેને લઈ ઘટનાસ્થળ પર જ મજૂરનું મોત થઈ ગયું હતું. ઘટનાને અંજામ આપી શાંતિથી હત્યારો જતો પણ જોવા પણ મળી રહ્યો છે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.