અમદાવાદના વસ્ત્રાપુરમાં બન્યો હત્યાનો બનાવ, ખાટલા પર સૂતા શ્રમિક પર પાવડા વડે અજાણ્યા વ્યક્તિએ કર્યો હુમલો


  • Published By :
  • Published Date : 2023-02-08 14:54:12

ગુજરાતમાં તેમજ અમદાવાદમાં હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં પણ હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. ગઈ કાલે કાલુપુરથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં તલવાર તેમજ ચપ્પુના ઘા થી હુમલો કરી એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારે બીજી એક હત્યાનો બનાવ વસ્ત્રાપુરથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર ખાટલા પર સુતેલા દાહોદના મજૂર પર તીક્ષણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે. મજૂરના માથા પર અને ગળાના ભાગે ઉપરાછાપરી 11 ઘા મારતા ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું.  


11 વખત તીક્ષ્ણ હથિયાર વડે કરાયો હુમલો 

અમદાવાદમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. વધતા હત્યાના બનાવ વચ્ચે વસ્ત્રાપુરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મજૂરીકામ અને ચોકીદારીનું કામ કરતા વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યો છે. આ હુમલો ચપ્પા કે તલવારથી નહીં પરંતુ પાવડાથી કરવામાં આવ્યો હતો. હુમલાવરે  માથા પર અને ગળાના ભાગે ઉપરાછાપરી 11 ઘા માર્યા હતા. જેને કારણે ઘટનાસ્થળે જ યુવકનું મોત થઈ ગયું હતું. 


ઘટનાના સીસીટીવી આવ્યા સામે 

આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. તે મૂજબ વસ્ત્રાપુર તળાવમાં રિટર્નિંગ દીવાલ બનાવાનું કામ ચાલી રહ્યું હતું. 10 લોકો આ કામ કરી રહ્યા હતા. ત્યારે ગઈકાલે રાતના 9 વાગ્યાની આસપાસ તળાવ પાસેથી ખાટલા પરથી મજૂરની લાશ મળી આવી હતી. પોલીસને જાણ કરતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. સીસીટીવીના આધારે પોલીસ તપાસ કરી રહી છે જે મુજબ એક અજાણી વ્યક્તિ ખાટલા પર સૂતેલા મજૂરને બાજુમાં પડેલો પાવડો લઈને ઘા કરી રહ્યો છે. માથા તેમજ ગળાના ભાગમાં 11 ઘા માર્યા હતા. જેને લઈ ઘટનાસ્થળ પર જ મજૂરનું મોત થઈ ગયું હતું. ઘટનાને અંજામ આપી શાંતિથી હત્યારો જતો પણ જોવા પણ મળી રહ્યો છે.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.