અમદાવાદના વસ્ત્રાપુરમાં બન્યો હત્યાનો બનાવ, ખાટલા પર સૂતા શ્રમિક પર પાવડા વડે અજાણ્યા વ્યક્તિએ કર્યો હુમલો


  • Published By :
  • Published Date : 2023-02-08 14:54:12

ગુજરાતમાં તેમજ અમદાવાદમાં હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં પણ હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. ગઈ કાલે કાલુપુરથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં તલવાર તેમજ ચપ્પુના ઘા થી હુમલો કરી એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારે બીજી એક હત્યાનો બનાવ વસ્ત્રાપુરથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર ખાટલા પર સુતેલા દાહોદના મજૂર પર તીક્ષણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે. મજૂરના માથા પર અને ગળાના ભાગે ઉપરાછાપરી 11 ઘા મારતા ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું.  


11 વખત તીક્ષ્ણ હથિયાર વડે કરાયો હુમલો 

અમદાવાદમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. વધતા હત્યાના બનાવ વચ્ચે વસ્ત્રાપુરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મજૂરીકામ અને ચોકીદારીનું કામ કરતા વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યો છે. આ હુમલો ચપ્પા કે તલવારથી નહીં પરંતુ પાવડાથી કરવામાં આવ્યો હતો. હુમલાવરે  માથા પર અને ગળાના ભાગે ઉપરાછાપરી 11 ઘા માર્યા હતા. જેને કારણે ઘટનાસ્થળે જ યુવકનું મોત થઈ ગયું હતું. 


ઘટનાના સીસીટીવી આવ્યા સામે 

આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. તે મૂજબ વસ્ત્રાપુર તળાવમાં રિટર્નિંગ દીવાલ બનાવાનું કામ ચાલી રહ્યું હતું. 10 લોકો આ કામ કરી રહ્યા હતા. ત્યારે ગઈકાલે રાતના 9 વાગ્યાની આસપાસ તળાવ પાસેથી ખાટલા પરથી મજૂરની લાશ મળી આવી હતી. પોલીસને જાણ કરતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. સીસીટીવીના આધારે પોલીસ તપાસ કરી રહી છે જે મુજબ એક અજાણી વ્યક્તિ ખાટલા પર સૂતેલા મજૂરને બાજુમાં પડેલો પાવડો લઈને ઘા કરી રહ્યો છે. માથા તેમજ ગળાના ભાગમાં 11 ઘા માર્યા હતા. જેને લઈ ઘટનાસ્થળ પર જ મજૂરનું મોત થઈ ગયું હતું. ઘટનાને અંજામ આપી શાંતિથી હત્યારો જતો પણ જોવા પણ મળી રહ્યો છે.   




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.