દિવ્ય દરબારને લઈ છેડાયો નવો વિવાદ! બેસવા માટે રાખેલી ખુરશીઓને પ્રસાદ ગણાવી વેચવાનો કરાયો પ્રયાસ! વેચવા માટે લગાવાયા પોસ્ટર!


  • Published By :
  • Published Date : 2023-06-02 11:41:21

ગઈકાલે બાગેશ્વર ધામના ઘીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રાજકોટ ખાતે યોજાયો હતો. મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના રેસકોર્સ મેદાનમાં દિવ્ય દરબાર હતો. વહેલી સવારથી લોકોની ભીડ ત્યાં જોવા મળી હતી. દરબારને લઈ અનેક વિવાદો આપણી સામે આવ્યા છે. ત્યારે રાજકોટથી પણ તદ્દન નવો વિવાદ સામે આવ્યો છે. રાજકોટમાં શાસ્ત્રીના દરબાર બાદ ભક્તોને ખુરશીની પ્રસાદી આપવામાં  આવી હતી. ખુરશીના ભાવતાલ વાળા બેનરો લાગ્યા હતા.  

350 અને 450 રૂપિયામાં ખુરશી પ્રસાદના બેનર લાગ્યા, બાલાજીનો આશીર્વાદ ગણાવ્યો! - Divya Bhaskar


350 અને 450ની વેચવામાં આવી ખુરશી! 

જ્યારે કોઈ પણ કાર્યક્રમ દરમિયાન ખુરશીઓ તેમજ સોફા મૂકવામાં આવતા હોય છે તેને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેને હટાવી લેવામાં  આવતા હોય છે. સામાન્ય રીતે આપણે આવી જ વ્યવસ્થા જોઈ છે. પરંતુ ગઈકાલે જ્યાં બાબાનો દરબાર લાગ્યો હતો ત્યાં અલગ જ વ્યવસ્થા જોવા મળી હતી. ખુરશીને પ્રસાદ તરીકે વેચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મોટા પ્રમાણમાં ખુરશીઓ લાવવામાં આવી હતી. ગેટ નજીક જ બેનરો લગાવવામાં  આવ્યા હતા જેમાં લખવામાં આવ્યપં હતું કે પ્રસાદ અને નીચે રુ. 350 અને રુ. 450 મોટા અક્ષરે લખવામાં આવ્યું હતું. 


પ્રસાદના નામે ખુરશી વેચવાનો પ્રયાસ!

ઉલ્લેખનિય છે કે રાજકારણ સાથે સંકળાયેલા નેતાઓને ખુરશીનો મોહ હોય છે. ખુરશી મેળવવા અનેક પ્રયત્નો કરવામાં આવે છે. પરંતુ હવે તો આસ્થાના નામે ખુરશી વેચવાનું શરૂ કરી દેવાયું હોય તેવું આ ઘટના બાદ લાગી રહ્યું છે. દિવ્ય દરબારમાં પ્રસાદના નામે લોકોને ખુરશી આપવામાં આવી રહી છે. ખુરશી માટે બે ભાવ ફિક્સ કરાયા છે એક 350ની અને એક 450ની. દરબારમાં પ્રસાદના નામે ખુરશી વેચવાનો આયોજકોનો પ્રયાસ હાસ્યાસ્પદ બની રહ્યો છે.   


દિવ્ય દરબારમાં જોવા મળી વિજય રૂપાણીની હાજરી!  

રાજકોટ ખાતે આયોજીત દિવ્ય દરબારમાં લાખો લોકો ઉપસ્થિત હતા. લોકોનો મેળાવડો તો જોવા મળ્યો હતો પરંતુ અનેક રાજનેતાઓ પણ હાજર રહ્યા હતા. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. વિજય રુપાણીએ કહ્યું કે હિન્દુ ધર્મની એકતા માટે દિવ્ય દરબાર મહત્વનો બની રહેશે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.