દિવ્ય દરબારને લઈ છેડાયો નવો વિવાદ! બેસવા માટે રાખેલી ખુરશીઓને પ્રસાદ ગણાવી વેચવાનો કરાયો પ્રયાસ! વેચવા માટે લગાવાયા પોસ્ટર!


  • Published By :
  • Published Date : 2023-06-02 11:41:21

ગઈકાલે બાગેશ્વર ધામના ઘીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રાજકોટ ખાતે યોજાયો હતો. મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના રેસકોર્સ મેદાનમાં દિવ્ય દરબાર હતો. વહેલી સવારથી લોકોની ભીડ ત્યાં જોવા મળી હતી. દરબારને લઈ અનેક વિવાદો આપણી સામે આવ્યા છે. ત્યારે રાજકોટથી પણ તદ્દન નવો વિવાદ સામે આવ્યો છે. રાજકોટમાં શાસ્ત્રીના દરબાર બાદ ભક્તોને ખુરશીની પ્રસાદી આપવામાં  આવી હતી. ખુરશીના ભાવતાલ વાળા બેનરો લાગ્યા હતા.  

350 અને 450 રૂપિયામાં ખુરશી પ્રસાદના બેનર લાગ્યા, બાલાજીનો આશીર્વાદ ગણાવ્યો! - Divya Bhaskar


350 અને 450ની વેચવામાં આવી ખુરશી! 

જ્યારે કોઈ પણ કાર્યક્રમ દરમિયાન ખુરશીઓ તેમજ સોફા મૂકવામાં આવતા હોય છે તેને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેને હટાવી લેવામાં  આવતા હોય છે. સામાન્ય રીતે આપણે આવી જ વ્યવસ્થા જોઈ છે. પરંતુ ગઈકાલે જ્યાં બાબાનો દરબાર લાગ્યો હતો ત્યાં અલગ જ વ્યવસ્થા જોવા મળી હતી. ખુરશીને પ્રસાદ તરીકે વેચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મોટા પ્રમાણમાં ખુરશીઓ લાવવામાં આવી હતી. ગેટ નજીક જ બેનરો લગાવવામાં  આવ્યા હતા જેમાં લખવામાં આવ્યપં હતું કે પ્રસાદ અને નીચે રુ. 350 અને રુ. 450 મોટા અક્ષરે લખવામાં આવ્યું હતું. 


પ્રસાદના નામે ખુરશી વેચવાનો પ્રયાસ!

ઉલ્લેખનિય છે કે રાજકારણ સાથે સંકળાયેલા નેતાઓને ખુરશીનો મોહ હોય છે. ખુરશી મેળવવા અનેક પ્રયત્નો કરવામાં આવે છે. પરંતુ હવે તો આસ્થાના નામે ખુરશી વેચવાનું શરૂ કરી દેવાયું હોય તેવું આ ઘટના બાદ લાગી રહ્યું છે. દિવ્ય દરબારમાં પ્રસાદના નામે લોકોને ખુરશી આપવામાં આવી રહી છે. ખુરશી માટે બે ભાવ ફિક્સ કરાયા છે એક 350ની અને એક 450ની. દરબારમાં પ્રસાદના નામે ખુરશી વેચવાનો આયોજકોનો પ્રયાસ હાસ્યાસ્પદ બની રહ્યો છે.   


દિવ્ય દરબારમાં જોવા મળી વિજય રૂપાણીની હાજરી!  

રાજકોટ ખાતે આયોજીત દિવ્ય દરબારમાં લાખો લોકો ઉપસ્થિત હતા. લોકોનો મેળાવડો તો જોવા મળ્યો હતો પરંતુ અનેક રાજનેતાઓ પણ હાજર રહ્યા હતા. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. વિજય રુપાણીએ કહ્યું કે હિન્દુ ધર્મની એકતા માટે દિવ્ય દરબાર મહત્વનો બની રહેશે.   



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?