દિવ્ય દરબારને લઈ છેડાયો નવો વિવાદ! બેસવા માટે રાખેલી ખુરશીઓને પ્રસાદ ગણાવી વેચવાનો કરાયો પ્રયાસ! વેચવા માટે લગાવાયા પોસ્ટર!


  • Published By :
  • Published Date : 2023-06-02 11:41:21

ગઈકાલે બાગેશ્વર ધામના ઘીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રાજકોટ ખાતે યોજાયો હતો. મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના રેસકોર્સ મેદાનમાં દિવ્ય દરબાર હતો. વહેલી સવારથી લોકોની ભીડ ત્યાં જોવા મળી હતી. દરબારને લઈ અનેક વિવાદો આપણી સામે આવ્યા છે. ત્યારે રાજકોટથી પણ તદ્દન નવો વિવાદ સામે આવ્યો છે. રાજકોટમાં શાસ્ત્રીના દરબાર બાદ ભક્તોને ખુરશીની પ્રસાદી આપવામાં  આવી હતી. ખુરશીના ભાવતાલ વાળા બેનરો લાગ્યા હતા.  

350 અને 450 રૂપિયામાં ખુરશી પ્રસાદના બેનર લાગ્યા, બાલાજીનો આશીર્વાદ ગણાવ્યો! - Divya Bhaskar


350 અને 450ની વેચવામાં આવી ખુરશી! 

જ્યારે કોઈ પણ કાર્યક્રમ દરમિયાન ખુરશીઓ તેમજ સોફા મૂકવામાં આવતા હોય છે તેને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેને હટાવી લેવામાં  આવતા હોય છે. સામાન્ય રીતે આપણે આવી જ વ્યવસ્થા જોઈ છે. પરંતુ ગઈકાલે જ્યાં બાબાનો દરબાર લાગ્યો હતો ત્યાં અલગ જ વ્યવસ્થા જોવા મળી હતી. ખુરશીને પ્રસાદ તરીકે વેચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મોટા પ્રમાણમાં ખુરશીઓ લાવવામાં આવી હતી. ગેટ નજીક જ બેનરો લગાવવામાં  આવ્યા હતા જેમાં લખવામાં આવ્યપં હતું કે પ્રસાદ અને નીચે રુ. 350 અને રુ. 450 મોટા અક્ષરે લખવામાં આવ્યું હતું. 


પ્રસાદના નામે ખુરશી વેચવાનો પ્રયાસ!

ઉલ્લેખનિય છે કે રાજકારણ સાથે સંકળાયેલા નેતાઓને ખુરશીનો મોહ હોય છે. ખુરશી મેળવવા અનેક પ્રયત્નો કરવામાં આવે છે. પરંતુ હવે તો આસ્થાના નામે ખુરશી વેચવાનું શરૂ કરી દેવાયું હોય તેવું આ ઘટના બાદ લાગી રહ્યું છે. દિવ્ય દરબારમાં પ્રસાદના નામે લોકોને ખુરશી આપવામાં આવી રહી છે. ખુરશી માટે બે ભાવ ફિક્સ કરાયા છે એક 350ની અને એક 450ની. દરબારમાં પ્રસાદના નામે ખુરશી વેચવાનો આયોજકોનો પ્રયાસ હાસ્યાસ્પદ બની રહ્યો છે.   


દિવ્ય દરબારમાં જોવા મળી વિજય રૂપાણીની હાજરી!  

રાજકોટ ખાતે આયોજીત દિવ્ય દરબારમાં લાખો લોકો ઉપસ્થિત હતા. લોકોનો મેળાવડો તો જોવા મળ્યો હતો પરંતુ અનેક રાજનેતાઓ પણ હાજર રહ્યા હતા. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. વિજય રુપાણીએ કહ્યું કે હિન્દુ ધર્મની એકતા માટે દિવ્ય દરબાર મહત્વનો બની રહેશે.   



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.