દિવ્ય દરબારને લઈ છેડાયો નવો વિવાદ! બેસવા માટે રાખેલી ખુરશીઓને પ્રસાદ ગણાવી વેચવાનો કરાયો પ્રયાસ! વેચવા માટે લગાવાયા પોસ્ટર!


  • Published By :
  • Published Date : 2023-06-02 11:41:21

ગઈકાલે બાગેશ્વર ધામના ઘીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રાજકોટ ખાતે યોજાયો હતો. મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના રેસકોર્સ મેદાનમાં દિવ્ય દરબાર હતો. વહેલી સવારથી લોકોની ભીડ ત્યાં જોવા મળી હતી. દરબારને લઈ અનેક વિવાદો આપણી સામે આવ્યા છે. ત્યારે રાજકોટથી પણ તદ્દન નવો વિવાદ સામે આવ્યો છે. રાજકોટમાં શાસ્ત્રીના દરબાર બાદ ભક્તોને ખુરશીની પ્રસાદી આપવામાં  આવી હતી. ખુરશીના ભાવતાલ વાળા બેનરો લાગ્યા હતા.  

350 અને 450 રૂપિયામાં ખુરશી પ્રસાદના બેનર લાગ્યા, બાલાજીનો આશીર્વાદ ગણાવ્યો! - Divya Bhaskar


350 અને 450ની વેચવામાં આવી ખુરશી! 

જ્યારે કોઈ પણ કાર્યક્રમ દરમિયાન ખુરશીઓ તેમજ સોફા મૂકવામાં આવતા હોય છે તેને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેને હટાવી લેવામાં  આવતા હોય છે. સામાન્ય રીતે આપણે આવી જ વ્યવસ્થા જોઈ છે. પરંતુ ગઈકાલે જ્યાં બાબાનો દરબાર લાગ્યો હતો ત્યાં અલગ જ વ્યવસ્થા જોવા મળી હતી. ખુરશીને પ્રસાદ તરીકે વેચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મોટા પ્રમાણમાં ખુરશીઓ લાવવામાં આવી હતી. ગેટ નજીક જ બેનરો લગાવવામાં  આવ્યા હતા જેમાં લખવામાં આવ્યપં હતું કે પ્રસાદ અને નીચે રુ. 350 અને રુ. 450 મોટા અક્ષરે લખવામાં આવ્યું હતું. 


પ્રસાદના નામે ખુરશી વેચવાનો પ્રયાસ!

ઉલ્લેખનિય છે કે રાજકારણ સાથે સંકળાયેલા નેતાઓને ખુરશીનો મોહ હોય છે. ખુરશી મેળવવા અનેક પ્રયત્નો કરવામાં આવે છે. પરંતુ હવે તો આસ્થાના નામે ખુરશી વેચવાનું શરૂ કરી દેવાયું હોય તેવું આ ઘટના બાદ લાગી રહ્યું છે. દિવ્ય દરબારમાં પ્રસાદના નામે લોકોને ખુરશી આપવામાં આવી રહી છે. ખુરશી માટે બે ભાવ ફિક્સ કરાયા છે એક 350ની અને એક 450ની. દરબારમાં પ્રસાદના નામે ખુરશી વેચવાનો આયોજકોનો પ્રયાસ હાસ્યાસ્પદ બની રહ્યો છે.   


દિવ્ય દરબારમાં જોવા મળી વિજય રૂપાણીની હાજરી!  

રાજકોટ ખાતે આયોજીત દિવ્ય દરબારમાં લાખો લોકો ઉપસ્થિત હતા. લોકોનો મેળાવડો તો જોવા મળ્યો હતો પરંતુ અનેક રાજનેતાઓ પણ હાજર રહ્યા હતા. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. વિજય રુપાણીએ કહ્યું કે હિન્દુ ધર્મની એકતા માટે દિવ્ય દરબાર મહત્વનો બની રહેશે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.