Social Media પર વાયરલ થઈ રહી છે Diwali ઉજવણીને લઈ એક કવિતા, અનેક લોકો આ કવિતાથી સહેમત થશે!


  • Published By :
  • Published Date : 2023-11-16 15:48:32

એક સમય હતો જ્યારે તહેવાર મનાવવાની શરૂઆત ઘણા સમય પહેલાથી થઈ જતી હતી. દિવાળીની આતુરતાથી રાહ જોવાતી હતી પરંતુ હવે જમાનો ફાસ્ટ ફોરવોર્ડનો થઈ ગયો. આજની ઉજવણી જોતા પહેલાના જમાનાના લોકો કહી રહ્યા છે કે તહેવારની ઉજવણી એક દિવસ પૂરતી સિમીત થઈ! આ વાતને પૂર્ણ રીતે નકારી પણ ન શાકય કારણ કે કદાચ મનમાંને મનમાં આપણે આ વિચારતા હોઈશું. આપણામાંથી અનેક લોકો એવા હશે જેમણે આ ઉજવણી દરમિયાન પોતાના જુના દિવસોને યાદ કર્યા હશે અને કહ્યું હશે કે અમે તો આવી રીતે દિવાળીની ઉજવણી કરતા હતા. ત્યારે સોશિયલ મીડિયા પર એક કવિતા વાયરલ થઈ રહી છે જેમાં કંઈ આવી જ વાત કરવામાં આવી છે.



દિવાળીની ઉજવણીને લઈ જે એક કવિતા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તે કોની છે તે નથી ખબર પરંતુ તે આજની પરિસ્થિતિને દર્શાવતી છે.કવિતાના શબ્દો આ પ્રમાણે છે-


ના કોઈ ઘરે આવ્યું, 

                  ને ના કોઇને મળવા ગયા;

ટેબલ પર  કાજૂ-બદામ ને પીસ્તા,

               જેમના તેમ જ પડ્યાં રહ્યા...


એ જ ટેબલક્લોથ છે,

            ને હવે ના ચાદરો બદલાય છે;

આમ પણ પહેલાંની માફક,

               ક્યાં હવે કશું યે થાય છે ? ...


ઘૂઘરા, મઠિયાને મોહનથાળ,

                       ના કોઇ હવે ખાય છે;

બસ, થોડી સુગર ફ્રી મીઠાઇ,

                         ડીશમાં પીરસાય   છે. ...


બારણે પ્લાસ્ટિકના તોરણ,

                        ને સ્ટીકરમાં લાભશુભ;

લક્ષ્મી પગલાં ઉંબરે,

                        ક્યાં કંકુથી હવે દોરાય છે ?...


એ નવા કપડાની જોડી , 

                      ને બૂટ પર પાલીશ કરી;

બોણીની આશા લઇને,

                     ક્યાં હવે ઘર ઘર ગણાય છે? ...


તારામંડળ, ભોંય ચકરી, 

                    કોઠી ને રોકેટ;

એ ભીંત ભડાકા ને લૂમ ટેટાની,

                    ક્યાં હવે રસ્તે ઠાઠથી ફોડાય છે?...


સાપની ટીકડીનો એ,

                   શ્વાસમાં જતો કાળો ધૂમાડો;

આજે સ્મરણોની શેરીમાં,

                    ચારેકોર પથરાય છે....


હા, સમયના બદલાવ સાથે,

                  કેટકેટલું બદલાય છે?

તો ય જાણે એવું લાગતું,

                કે ભીતરે કૈંક ગૂંગળાય છે...  



એ વાતને ખોટી પણ ન ગણી શકાય કે તહેવાર માત્ર એક દિવસ પૂરતો સિમીત થઈ ગયો છે. એક સમય એવો હતો કે જ્યારે તહેવારની ઉજવણી અનેક દિવસો પહેલાથી શરૂ કરવામાં આવતી હતી. દિવાળી વેકેશનમાં લોકો નાનીના ઘરે જતા. લોકો એકબીજાના ઘરે જતા હતો પરંતુ હવે તો એ પણ બહુ ઓછું થઈ ગયું છે. પહેલા આનંદથી ફટાકડા ફોડવામાં આવતા હતા પરંતુ હવે જાણે દેખાદેખીમાં ફટાકડા ફોડાતા હોય તેવું લાગે છે! 


સમય બદલાયો અને ઉજવણી કરવાની રીત પણ બદલાઈ!

પહેલા મોહનથાળ અને મગસની મીઠાઈ ઘરે બનાવામાં આવતી હતી પરંતુ ધીમે ધીમે આમાં ફેરફાર આવ્યો છે. બહારની મીઠાઈ આવવા લાગી અને હવે તો સુગરફ્રી મીઠાઈઓ લોકો ખાવા લાગ્યા છે. પહેલા નવા કપડાની ખરીદી કરવામાં આવતી, વડીલો બોણી કરાવશે, પૈસા આપશે તે આશા સાથે નાના બાળકો વડીલોના ઘરે જતા હતા પરંતુ હવે બધુ બદલાઈ ગયું. પ્લાસ્ટિકના તોરણ ઘરના આંગણે લગાવવામાં આવે છે. લાભ-શુભના સ્ટીકરો હવે દરવાજા પર લગાવવામાં આવે છે. આ કવિતા વિશે તમે શું કહેશો તે અમને જણાવો..    



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.