Social Media પર વાયરલ થઈ રહી છે Diwali ઉજવણીને લઈ એક કવિતા, અનેક લોકો આ કવિતાથી સહેમત થશે!


  • Published By :
  • Published Date : 2023-11-16 15:48:32

એક સમય હતો જ્યારે તહેવાર મનાવવાની શરૂઆત ઘણા સમય પહેલાથી થઈ જતી હતી. દિવાળીની આતુરતાથી રાહ જોવાતી હતી પરંતુ હવે જમાનો ફાસ્ટ ફોરવોર્ડનો થઈ ગયો. આજની ઉજવણી જોતા પહેલાના જમાનાના લોકો કહી રહ્યા છે કે તહેવારની ઉજવણી એક દિવસ પૂરતી સિમીત થઈ! આ વાતને પૂર્ણ રીતે નકારી પણ ન શાકય કારણ કે કદાચ મનમાંને મનમાં આપણે આ વિચારતા હોઈશું. આપણામાંથી અનેક લોકો એવા હશે જેમણે આ ઉજવણી દરમિયાન પોતાના જુના દિવસોને યાદ કર્યા હશે અને કહ્યું હશે કે અમે તો આવી રીતે દિવાળીની ઉજવણી કરતા હતા. ત્યારે સોશિયલ મીડિયા પર એક કવિતા વાયરલ થઈ રહી છે જેમાં કંઈ આવી જ વાત કરવામાં આવી છે.



દિવાળીની ઉજવણીને લઈ જે એક કવિતા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તે કોની છે તે નથી ખબર પરંતુ તે આજની પરિસ્થિતિને દર્શાવતી છે.કવિતાના શબ્દો આ પ્રમાણે છે-


ના કોઈ ઘરે આવ્યું, 

                  ને ના કોઇને મળવા ગયા;

ટેબલ પર  કાજૂ-બદામ ને પીસ્તા,

               જેમના તેમ જ પડ્યાં રહ્યા...


એ જ ટેબલક્લોથ છે,

            ને હવે ના ચાદરો બદલાય છે;

આમ પણ પહેલાંની માફક,

               ક્યાં હવે કશું યે થાય છે ? ...


ઘૂઘરા, મઠિયાને મોહનથાળ,

                       ના કોઇ હવે ખાય છે;

બસ, થોડી સુગર ફ્રી મીઠાઇ,

                         ડીશમાં પીરસાય   છે. ...


બારણે પ્લાસ્ટિકના તોરણ,

                        ને સ્ટીકરમાં લાભશુભ;

લક્ષ્મી પગલાં ઉંબરે,

                        ક્યાં કંકુથી હવે દોરાય છે ?...


એ નવા કપડાની જોડી , 

                      ને બૂટ પર પાલીશ કરી;

બોણીની આશા લઇને,

                     ક્યાં હવે ઘર ઘર ગણાય છે? ...


તારામંડળ, ભોંય ચકરી, 

                    કોઠી ને રોકેટ;

એ ભીંત ભડાકા ને લૂમ ટેટાની,

                    ક્યાં હવે રસ્તે ઠાઠથી ફોડાય છે?...


સાપની ટીકડીનો એ,

                   શ્વાસમાં જતો કાળો ધૂમાડો;

આજે સ્મરણોની શેરીમાં,

                    ચારેકોર પથરાય છે....


હા, સમયના બદલાવ સાથે,

                  કેટકેટલું બદલાય છે?

તો ય જાણે એવું લાગતું,

                કે ભીતરે કૈંક ગૂંગળાય છે...  



એ વાતને ખોટી પણ ન ગણી શકાય કે તહેવાર માત્ર એક દિવસ પૂરતો સિમીત થઈ ગયો છે. એક સમય એવો હતો કે જ્યારે તહેવારની ઉજવણી અનેક દિવસો પહેલાથી શરૂ કરવામાં આવતી હતી. દિવાળી વેકેશનમાં લોકો નાનીના ઘરે જતા. લોકો એકબીજાના ઘરે જતા હતો પરંતુ હવે તો એ પણ બહુ ઓછું થઈ ગયું છે. પહેલા આનંદથી ફટાકડા ફોડવામાં આવતા હતા પરંતુ હવે જાણે દેખાદેખીમાં ફટાકડા ફોડાતા હોય તેવું લાગે છે! 


સમય બદલાયો અને ઉજવણી કરવાની રીત પણ બદલાઈ!

પહેલા મોહનથાળ અને મગસની મીઠાઈ ઘરે બનાવામાં આવતી હતી પરંતુ ધીમે ધીમે આમાં ફેરફાર આવ્યો છે. બહારની મીઠાઈ આવવા લાગી અને હવે તો સુગરફ્રી મીઠાઈઓ લોકો ખાવા લાગ્યા છે. પહેલા નવા કપડાની ખરીદી કરવામાં આવતી, વડીલો બોણી કરાવશે, પૈસા આપશે તે આશા સાથે નાના બાળકો વડીલોના ઘરે જતા હતા પરંતુ હવે બધુ બદલાઈ ગયું. પ્લાસ્ટિકના તોરણ ઘરના આંગણે લગાવવામાં આવે છે. લાભ-શુભના સ્ટીકરો હવે દરવાજા પર લગાવવામાં આવે છે. આ કવિતા વિશે તમે શું કહેશો તે અમને જણાવો..    



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.