Social Media પર વાયરલ થઈ રહી છે Diwali ઉજવણીને લઈ એક કવિતા, અનેક લોકો આ કવિતાથી સહેમત થશે!


  • Published By :
  • Published Date : 2023-11-16 15:48:32

એક સમય હતો જ્યારે તહેવાર મનાવવાની શરૂઆત ઘણા સમય પહેલાથી થઈ જતી હતી. દિવાળીની આતુરતાથી રાહ જોવાતી હતી પરંતુ હવે જમાનો ફાસ્ટ ફોરવોર્ડનો થઈ ગયો. આજની ઉજવણી જોતા પહેલાના જમાનાના લોકો કહી રહ્યા છે કે તહેવારની ઉજવણી એક દિવસ પૂરતી સિમીત થઈ! આ વાતને પૂર્ણ રીતે નકારી પણ ન શાકય કારણ કે કદાચ મનમાંને મનમાં આપણે આ વિચારતા હોઈશું. આપણામાંથી અનેક લોકો એવા હશે જેમણે આ ઉજવણી દરમિયાન પોતાના જુના દિવસોને યાદ કર્યા હશે અને કહ્યું હશે કે અમે તો આવી રીતે દિવાળીની ઉજવણી કરતા હતા. ત્યારે સોશિયલ મીડિયા પર એક કવિતા વાયરલ થઈ રહી છે જેમાં કંઈ આવી જ વાત કરવામાં આવી છે.



દિવાળીની ઉજવણીને લઈ જે એક કવિતા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તે કોની છે તે નથી ખબર પરંતુ તે આજની પરિસ્થિતિને દર્શાવતી છે.કવિતાના શબ્દો આ પ્રમાણે છે-


ના કોઈ ઘરે આવ્યું, 

                  ને ના કોઇને મળવા ગયા;

ટેબલ પર  કાજૂ-બદામ ને પીસ્તા,

               જેમના તેમ જ પડ્યાં રહ્યા...


એ જ ટેબલક્લોથ છે,

            ને હવે ના ચાદરો બદલાય છે;

આમ પણ પહેલાંની માફક,

               ક્યાં હવે કશું યે થાય છે ? ...


ઘૂઘરા, મઠિયાને મોહનથાળ,

                       ના કોઇ હવે ખાય છે;

બસ, થોડી સુગર ફ્રી મીઠાઇ,

                         ડીશમાં પીરસાય   છે. ...


બારણે પ્લાસ્ટિકના તોરણ,

                        ને સ્ટીકરમાં લાભશુભ;

લક્ષ્મી પગલાં ઉંબરે,

                        ક્યાં કંકુથી હવે દોરાય છે ?...


એ નવા કપડાની જોડી , 

                      ને બૂટ પર પાલીશ કરી;

બોણીની આશા લઇને,

                     ક્યાં હવે ઘર ઘર ગણાય છે? ...


તારામંડળ, ભોંય ચકરી, 

                    કોઠી ને રોકેટ;

એ ભીંત ભડાકા ને લૂમ ટેટાની,

                    ક્યાં હવે રસ્તે ઠાઠથી ફોડાય છે?...


સાપની ટીકડીનો એ,

                   શ્વાસમાં જતો કાળો ધૂમાડો;

આજે સ્મરણોની શેરીમાં,

                    ચારેકોર પથરાય છે....


હા, સમયના બદલાવ સાથે,

                  કેટકેટલું બદલાય છે?

તો ય જાણે એવું લાગતું,

                કે ભીતરે કૈંક ગૂંગળાય છે...  



એ વાતને ખોટી પણ ન ગણી શકાય કે તહેવાર માત્ર એક દિવસ પૂરતો સિમીત થઈ ગયો છે. એક સમય એવો હતો કે જ્યારે તહેવારની ઉજવણી અનેક દિવસો પહેલાથી શરૂ કરવામાં આવતી હતી. દિવાળી વેકેશનમાં લોકો નાનીના ઘરે જતા. લોકો એકબીજાના ઘરે જતા હતો પરંતુ હવે તો એ પણ બહુ ઓછું થઈ ગયું છે. પહેલા આનંદથી ફટાકડા ફોડવામાં આવતા હતા પરંતુ હવે જાણે દેખાદેખીમાં ફટાકડા ફોડાતા હોય તેવું લાગે છે! 


સમય બદલાયો અને ઉજવણી કરવાની રીત પણ બદલાઈ!

પહેલા મોહનથાળ અને મગસની મીઠાઈ ઘરે બનાવામાં આવતી હતી પરંતુ ધીમે ધીમે આમાં ફેરફાર આવ્યો છે. બહારની મીઠાઈ આવવા લાગી અને હવે તો સુગરફ્રી મીઠાઈઓ લોકો ખાવા લાગ્યા છે. પહેલા નવા કપડાની ખરીદી કરવામાં આવતી, વડીલો બોણી કરાવશે, પૈસા આપશે તે આશા સાથે નાના બાળકો વડીલોના ઘરે જતા હતા પરંતુ હવે બધુ બદલાઈ ગયું. પ્લાસ્ટિકના તોરણ ઘરના આંગણે લગાવવામાં આવે છે. લાભ-શુભના સ્ટીકરો હવે દરવાજા પર લગાવવામાં આવે છે. આ કવિતા વિશે તમે શું કહેશો તે અમને જણાવો..    



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.