Social Media પર વાયરલ થઈ રહી છે Diwali ઉજવણીને લઈ એક કવિતા, અનેક લોકો આ કવિતાથી સહેમત થશે!


  • Published By :
  • Published Date : 2023-11-16 15:48:32

એક સમય હતો જ્યારે તહેવાર મનાવવાની શરૂઆત ઘણા સમય પહેલાથી થઈ જતી હતી. દિવાળીની આતુરતાથી રાહ જોવાતી હતી પરંતુ હવે જમાનો ફાસ્ટ ફોરવોર્ડનો થઈ ગયો. આજની ઉજવણી જોતા પહેલાના જમાનાના લોકો કહી રહ્યા છે કે તહેવારની ઉજવણી એક દિવસ પૂરતી સિમીત થઈ! આ વાતને પૂર્ણ રીતે નકારી પણ ન શાકય કારણ કે કદાચ મનમાંને મનમાં આપણે આ વિચારતા હોઈશું. આપણામાંથી અનેક લોકો એવા હશે જેમણે આ ઉજવણી દરમિયાન પોતાના જુના દિવસોને યાદ કર્યા હશે અને કહ્યું હશે કે અમે તો આવી રીતે દિવાળીની ઉજવણી કરતા હતા. ત્યારે સોશિયલ મીડિયા પર એક કવિતા વાયરલ થઈ રહી છે જેમાં કંઈ આવી જ વાત કરવામાં આવી છે.



દિવાળીની ઉજવણીને લઈ જે એક કવિતા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તે કોની છે તે નથી ખબર પરંતુ તે આજની પરિસ્થિતિને દર્શાવતી છે.કવિતાના શબ્દો આ પ્રમાણે છે-


ના કોઈ ઘરે આવ્યું, 

                  ને ના કોઇને મળવા ગયા;

ટેબલ પર  કાજૂ-બદામ ને પીસ્તા,

               જેમના તેમ જ પડ્યાં રહ્યા...


એ જ ટેબલક્લોથ છે,

            ને હવે ના ચાદરો બદલાય છે;

આમ પણ પહેલાંની માફક,

               ક્યાં હવે કશું યે થાય છે ? ...


ઘૂઘરા, મઠિયાને મોહનથાળ,

                       ના કોઇ હવે ખાય છે;

બસ, થોડી સુગર ફ્રી મીઠાઇ,

                         ડીશમાં પીરસાય   છે. ...


બારણે પ્લાસ્ટિકના તોરણ,

                        ને સ્ટીકરમાં લાભશુભ;

લક્ષ્મી પગલાં ઉંબરે,

                        ક્યાં કંકુથી હવે દોરાય છે ?...


એ નવા કપડાની જોડી , 

                      ને બૂટ પર પાલીશ કરી;

બોણીની આશા લઇને,

                     ક્યાં હવે ઘર ઘર ગણાય છે? ...


તારામંડળ, ભોંય ચકરી, 

                    કોઠી ને રોકેટ;

એ ભીંત ભડાકા ને લૂમ ટેટાની,

                    ક્યાં હવે રસ્તે ઠાઠથી ફોડાય છે?...


સાપની ટીકડીનો એ,

                   શ્વાસમાં જતો કાળો ધૂમાડો;

આજે સ્મરણોની શેરીમાં,

                    ચારેકોર પથરાય છે....


હા, સમયના બદલાવ સાથે,

                  કેટકેટલું બદલાય છે?

તો ય જાણે એવું લાગતું,

                કે ભીતરે કૈંક ગૂંગળાય છે...  



એ વાતને ખોટી પણ ન ગણી શકાય કે તહેવાર માત્ર એક દિવસ પૂરતો સિમીત થઈ ગયો છે. એક સમય એવો હતો કે જ્યારે તહેવારની ઉજવણી અનેક દિવસો પહેલાથી શરૂ કરવામાં આવતી હતી. દિવાળી વેકેશનમાં લોકો નાનીના ઘરે જતા. લોકો એકબીજાના ઘરે જતા હતો પરંતુ હવે તો એ પણ બહુ ઓછું થઈ ગયું છે. પહેલા આનંદથી ફટાકડા ફોડવામાં આવતા હતા પરંતુ હવે જાણે દેખાદેખીમાં ફટાકડા ફોડાતા હોય તેવું લાગે છે! 


સમય બદલાયો અને ઉજવણી કરવાની રીત પણ બદલાઈ!

પહેલા મોહનથાળ અને મગસની મીઠાઈ ઘરે બનાવામાં આવતી હતી પરંતુ ધીમે ધીમે આમાં ફેરફાર આવ્યો છે. બહારની મીઠાઈ આવવા લાગી અને હવે તો સુગરફ્રી મીઠાઈઓ લોકો ખાવા લાગ્યા છે. પહેલા નવા કપડાની ખરીદી કરવામાં આવતી, વડીલો બોણી કરાવશે, પૈસા આપશે તે આશા સાથે નાના બાળકો વડીલોના ઘરે જતા હતા પરંતુ હવે બધુ બદલાઈ ગયું. પ્લાસ્ટિકના તોરણ ઘરના આંગણે લગાવવામાં આવે છે. લાભ-શુભના સ્ટીકરો હવે દરવાજા પર લગાવવામાં આવે છે. આ કવિતા વિશે તમે શું કહેશો તે અમને જણાવો..    



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .