પુત્ર પ્રેમમાં અંધ બનેલા માતા પિતાને એક પ્રશ્ન, શું દુર્ઘટના પાછળ માત્ર પુત્ર જ જવાબદાર હોય છે?


  • Published By :
  • Published Date : 2023-07-21 14:06:28

પુત્ર માટે માતા પિતાનો પ્રેમ હોવો તે સ્વભાવિક છે. અમીર હોય કે સામાન્ય વર્ગના પરિવારનો દીકરો હોય માતા પિતાની ભાવના પોતાના સંતાન માટે સરખી જ હોય છે. પરંતુ જ્યારે માતા પિતા પોતાની આંખો પર પ્રેમનો પાટો બાંધી દેતા હોય છે તે આંખો હોવા છતાંય ગાંધારી તેમજ ધૃતરાષ્ટ બની જતા હોય છે. પોતાના બાળકને કોઈ અગવડ ન પડે તેનું ધ્યાન રાખવાનો હક દરેક માતા પિતાનો હોય છે પરંતુ તેનો અર્થ એ નથી કે તમે કોઈ બીજાના જીવનને દાવ પર લગાવી શકો.. બીજાનું જીવન છીનવી લેવાનો હક કોઈને નથી. કોઈ માતા પોતાના સંતાનને એટલા માટે જન્મ નથી આપતી કે કોઈ નબીરાની ગાડી નીચે કચડાઈ મોતને ભેટે.    

અમીર મા બાપ પોતાના સંતાનને મોંઘી ગાડીઓ તો આપી દે છે પરંતુ....

બધાનું જીવન એકદમ સામાન્ય રીતે ચાલતું હતું. અચાનકથી એક છોકરો એક અકસ્માત કરે છે અને 9 લોકોને ગાડીની નીચે કચડી નાખે છે.. અને પછી? ઘટના સ્થળ પર તેના પિતા આવે છે અને તેને પોતાની સાથે લઈ જાય છે. ત્યારે એક વાત કરવી છે કે અમીર મા-બાપ પોતાના સંતાનને ગાડી તો આપી દે છે પરંતુ ગાડીને કેવી રીતે ચલાવવી તે નથી સમજાવતા. જે લોકો રસ્તા પર ચાલે છે તે પણ માણસ છે તે પણ તે નથી સમજાવતા. તેમનામાં પણ જીવ રહેલો છે, રસ્તા પર ચાલવાનો, રસ્તા પર ગાડી ચલાવવાનો તેમનો પણ હક છે તે નથી સમજાવતા. અને પરિણામે જે ઘટના ઘટે છે તે આપણી સામે છે... એક નબીરો ફૂલ સ્પીડમાં ગાડી લઈને આવે છે અને 10 લોકોને ઉડાવી દે છે. આ કેસમાં માત્ર તથ્યનો વાંક છે એવું નથી, પરંતુ જે રીતના એનો એટીટ્યુડ છે, જે રીતે તે લોકો સાથે વર્તે છે તે તેના વ્યક્તિત્વ વિશે કહેવા માટે પૂરતું છે.  


નાની ઉંમરે વાલીઓ સંતાનોને ગાડી ચલાવવા આપી દેતા હોય છે...

કાલે જે ઘટના થઈ તેના મૂળમાં જઈને જોઈએ તો થાર એક ડમ્પર સાથે ભટકાઈ. લોકો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને તે પછી એક ગાડી પાછળથી આવે છે અને 9 લોકોને મોતને ઘાટ ઉતારે છે. જે છોકરો થાર ગાડી ચલાવી રહ્યો હતો તે માત્ર 16 વર્ષનો હતો. કોઈ મા બાપ કેવી રીતે નાની ઉંમરના દીકરાને આટલી મોટી ગાડીની ચાવી આપી શકે? કાયદા પ્રમાણે પણ લાઈસન્સ 18 વર્ષે મળે છે તો માત્ર બાળકની જીદને સંતોષવા શા માટે માતા પિતા 16 વર્ષે ગાડીની ચાવી આપી દેતા હોય છે. તમારા બાળકના પ્રત્યેનો પ્રેમ કોઈ બીજી જનેતા પર ભારે ન પડે તેનું ધ્યાન તો માતા પિતાએ જ રાખવું પડશે. 



તથ્ય પટેલના ગુન્હાના મૂળ કારણમાં તેના પિતા જવાબદાર!

તથ્ય પટેલની વાતો થઈ રહી છે પરંતુ તેની આવી કરતૂત પાછળ તેના માતા પિતા દ્વારા આપવા આવેલી જાહોજલાલી છે. એક એવું ઉદાહરણ પ્રજ્ઞેશ પટેલ દ્વારા ઉભું કરવામાં આવ્યું છે કે પૈસાથી સિસ્ટમ ખરીદી શકાય છે. પહેલા ગુન્હો કરો અને પછી પૈસા આપી છૂટા થઈ જાવ! આ સંસ્કારોનું સિંચન તથ્ય પટેલના માતા પિતાએ જ કર્યું હશે. આ કેસમાં તથ્ય પટેલ જ સીધી રીતે આરોપી છે, પણ એના મૂળ અને બેજવાબદારી એનો દુનિયાને જોવાનો અભિગમ બધું જ એના પપ્પા પ્રજ્ઞેશ પટેલના જીવન સુધી કનેક્ટ થાય છે. પ્રજ્ઞેશ પટેલના ભૂતકાળના ગુનાઓના કારણે જ એને અત્યારે વધારે આકરી રીતે લોકો જોઈ રહ્યા છે. બીજી વાત એ પણ છે કે તે પ્રજ્ઞેશ પટેલનો દીકરો છે એટલે બધા એને વધારે દોશી માન્યો અને સમજી લીધું કે વળ એવા ટેટા બાપ એવા બેટા અને જો માં બાપ પોતાના બાળકોને કાબૂમાં રાખવાનું કે સમજવાનું ભૂલી જશે તો આવી ઘટનાઓ બનતી રહેશે. અમે દરેક માતા પિતા પર પ્રશ્ન નથી કરી રહ્યા પરંતુ એ માતા પિતાઓ જે પુત્ર પ્રેમમાં અંધ થઈ બેઠા છે. જેમના દિમાગમાં એવું હોય છે કે તેમના બાળકો કદી ખોટા હોઈ જ ન શકે તે માતા પિતાને છે. તમે જેવો વ્યવહાર કરશો તેવો જ વ્યવહાર તમારા સંતાનો કરશે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે