પુત્ર પ્રેમમાં અંધ બનેલા માતા પિતાને એક પ્રશ્ન, શું દુર્ઘટના પાછળ માત્ર પુત્ર જ જવાબદાર હોય છે?


  • Published By :
  • Published Date : 2023-07-21 14:06:28

પુત્ર માટે માતા પિતાનો પ્રેમ હોવો તે સ્વભાવિક છે. અમીર હોય કે સામાન્ય વર્ગના પરિવારનો દીકરો હોય માતા પિતાની ભાવના પોતાના સંતાન માટે સરખી જ હોય છે. પરંતુ જ્યારે માતા પિતા પોતાની આંખો પર પ્રેમનો પાટો બાંધી દેતા હોય છે તે આંખો હોવા છતાંય ગાંધારી તેમજ ધૃતરાષ્ટ બની જતા હોય છે. પોતાના બાળકને કોઈ અગવડ ન પડે તેનું ધ્યાન રાખવાનો હક દરેક માતા પિતાનો હોય છે પરંતુ તેનો અર્થ એ નથી કે તમે કોઈ બીજાના જીવનને દાવ પર લગાવી શકો.. બીજાનું જીવન છીનવી લેવાનો હક કોઈને નથી. કોઈ માતા પોતાના સંતાનને એટલા માટે જન્મ નથી આપતી કે કોઈ નબીરાની ગાડી નીચે કચડાઈ મોતને ભેટે.    

અમીર મા બાપ પોતાના સંતાનને મોંઘી ગાડીઓ તો આપી દે છે પરંતુ....

બધાનું જીવન એકદમ સામાન્ય રીતે ચાલતું હતું. અચાનકથી એક છોકરો એક અકસ્માત કરે છે અને 9 લોકોને ગાડીની નીચે કચડી નાખે છે.. અને પછી? ઘટના સ્થળ પર તેના પિતા આવે છે અને તેને પોતાની સાથે લઈ જાય છે. ત્યારે એક વાત કરવી છે કે અમીર મા-બાપ પોતાના સંતાનને ગાડી તો આપી દે છે પરંતુ ગાડીને કેવી રીતે ચલાવવી તે નથી સમજાવતા. જે લોકો રસ્તા પર ચાલે છે તે પણ માણસ છે તે પણ તે નથી સમજાવતા. તેમનામાં પણ જીવ રહેલો છે, રસ્તા પર ચાલવાનો, રસ્તા પર ગાડી ચલાવવાનો તેમનો પણ હક છે તે નથી સમજાવતા. અને પરિણામે જે ઘટના ઘટે છે તે આપણી સામે છે... એક નબીરો ફૂલ સ્પીડમાં ગાડી લઈને આવે છે અને 10 લોકોને ઉડાવી દે છે. આ કેસમાં માત્ર તથ્યનો વાંક છે એવું નથી, પરંતુ જે રીતના એનો એટીટ્યુડ છે, જે રીતે તે લોકો સાથે વર્તે છે તે તેના વ્યક્તિત્વ વિશે કહેવા માટે પૂરતું છે.  


નાની ઉંમરે વાલીઓ સંતાનોને ગાડી ચલાવવા આપી દેતા હોય છે...

કાલે જે ઘટના થઈ તેના મૂળમાં જઈને જોઈએ તો થાર એક ડમ્પર સાથે ભટકાઈ. લોકો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને તે પછી એક ગાડી પાછળથી આવે છે અને 9 લોકોને મોતને ઘાટ ઉતારે છે. જે છોકરો થાર ગાડી ચલાવી રહ્યો હતો તે માત્ર 16 વર્ષનો હતો. કોઈ મા બાપ કેવી રીતે નાની ઉંમરના દીકરાને આટલી મોટી ગાડીની ચાવી આપી શકે? કાયદા પ્રમાણે પણ લાઈસન્સ 18 વર્ષે મળે છે તો માત્ર બાળકની જીદને સંતોષવા શા માટે માતા પિતા 16 વર્ષે ગાડીની ચાવી આપી દેતા હોય છે. તમારા બાળકના પ્રત્યેનો પ્રેમ કોઈ બીજી જનેતા પર ભારે ન પડે તેનું ધ્યાન તો માતા પિતાએ જ રાખવું પડશે. 



તથ્ય પટેલના ગુન્હાના મૂળ કારણમાં તેના પિતા જવાબદાર!

તથ્ય પટેલની વાતો થઈ રહી છે પરંતુ તેની આવી કરતૂત પાછળ તેના માતા પિતા દ્વારા આપવા આવેલી જાહોજલાલી છે. એક એવું ઉદાહરણ પ્રજ્ઞેશ પટેલ દ્વારા ઉભું કરવામાં આવ્યું છે કે પૈસાથી સિસ્ટમ ખરીદી શકાય છે. પહેલા ગુન્હો કરો અને પછી પૈસા આપી છૂટા થઈ જાવ! આ સંસ્કારોનું સિંચન તથ્ય પટેલના માતા પિતાએ જ કર્યું હશે. આ કેસમાં તથ્ય પટેલ જ સીધી રીતે આરોપી છે, પણ એના મૂળ અને બેજવાબદારી એનો દુનિયાને જોવાનો અભિગમ બધું જ એના પપ્પા પ્રજ્ઞેશ પટેલના જીવન સુધી કનેક્ટ થાય છે. પ્રજ્ઞેશ પટેલના ભૂતકાળના ગુનાઓના કારણે જ એને અત્યારે વધારે આકરી રીતે લોકો જોઈ રહ્યા છે. બીજી વાત એ પણ છે કે તે પ્રજ્ઞેશ પટેલનો દીકરો છે એટલે બધા એને વધારે દોશી માન્યો અને સમજી લીધું કે વળ એવા ટેટા બાપ એવા બેટા અને જો માં બાપ પોતાના બાળકોને કાબૂમાં રાખવાનું કે સમજવાનું ભૂલી જશે તો આવી ઘટનાઓ બનતી રહેશે. અમે દરેક માતા પિતા પર પ્રશ્ન નથી કરી રહ્યા પરંતુ એ માતા પિતાઓ જે પુત્ર પ્રેમમાં અંધ થઈ બેઠા છે. જેમના દિમાગમાં એવું હોય છે કે તેમના બાળકો કદી ખોટા હોઈ જ ન શકે તે માતા પિતાને છે. તમે જેવો વ્યવહાર કરશો તેવો જ વ્યવહાર તમારા સંતાનો કરશે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.