પુત્ર પ્રેમમાં અંધ બનેલા માતા પિતાને એક પ્રશ્ન, શું દુર્ઘટના પાછળ માત્ર પુત્ર જ જવાબદાર હોય છે?


  • Published By :
  • Published Date : 2023-07-21 14:06:28

પુત્ર માટે માતા પિતાનો પ્રેમ હોવો તે સ્વભાવિક છે. અમીર હોય કે સામાન્ય વર્ગના પરિવારનો દીકરો હોય માતા પિતાની ભાવના પોતાના સંતાન માટે સરખી જ હોય છે. પરંતુ જ્યારે માતા પિતા પોતાની આંખો પર પ્રેમનો પાટો બાંધી દેતા હોય છે તે આંખો હોવા છતાંય ગાંધારી તેમજ ધૃતરાષ્ટ બની જતા હોય છે. પોતાના બાળકને કોઈ અગવડ ન પડે તેનું ધ્યાન રાખવાનો હક દરેક માતા પિતાનો હોય છે પરંતુ તેનો અર્થ એ નથી કે તમે કોઈ બીજાના જીવનને દાવ પર લગાવી શકો.. બીજાનું જીવન છીનવી લેવાનો હક કોઈને નથી. કોઈ માતા પોતાના સંતાનને એટલા માટે જન્મ નથી આપતી કે કોઈ નબીરાની ગાડી નીચે કચડાઈ મોતને ભેટે.    

અમીર મા બાપ પોતાના સંતાનને મોંઘી ગાડીઓ તો આપી દે છે પરંતુ....

બધાનું જીવન એકદમ સામાન્ય રીતે ચાલતું હતું. અચાનકથી એક છોકરો એક અકસ્માત કરે છે અને 9 લોકોને ગાડીની નીચે કચડી નાખે છે.. અને પછી? ઘટના સ્થળ પર તેના પિતા આવે છે અને તેને પોતાની સાથે લઈ જાય છે. ત્યારે એક વાત કરવી છે કે અમીર મા-બાપ પોતાના સંતાનને ગાડી તો આપી દે છે પરંતુ ગાડીને કેવી રીતે ચલાવવી તે નથી સમજાવતા. જે લોકો રસ્તા પર ચાલે છે તે પણ માણસ છે તે પણ તે નથી સમજાવતા. તેમનામાં પણ જીવ રહેલો છે, રસ્તા પર ચાલવાનો, રસ્તા પર ગાડી ચલાવવાનો તેમનો પણ હક છે તે નથી સમજાવતા. અને પરિણામે જે ઘટના ઘટે છે તે આપણી સામે છે... એક નબીરો ફૂલ સ્પીડમાં ગાડી લઈને આવે છે અને 10 લોકોને ઉડાવી દે છે. આ કેસમાં માત્ર તથ્યનો વાંક છે એવું નથી, પરંતુ જે રીતના એનો એટીટ્યુડ છે, જે રીતે તે લોકો સાથે વર્તે છે તે તેના વ્યક્તિત્વ વિશે કહેવા માટે પૂરતું છે.  


નાની ઉંમરે વાલીઓ સંતાનોને ગાડી ચલાવવા આપી દેતા હોય છે...

કાલે જે ઘટના થઈ તેના મૂળમાં જઈને જોઈએ તો થાર એક ડમ્પર સાથે ભટકાઈ. લોકો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને તે પછી એક ગાડી પાછળથી આવે છે અને 9 લોકોને મોતને ઘાટ ઉતારે છે. જે છોકરો થાર ગાડી ચલાવી રહ્યો હતો તે માત્ર 16 વર્ષનો હતો. કોઈ મા બાપ કેવી રીતે નાની ઉંમરના દીકરાને આટલી મોટી ગાડીની ચાવી આપી શકે? કાયદા પ્રમાણે પણ લાઈસન્સ 18 વર્ષે મળે છે તો માત્ર બાળકની જીદને સંતોષવા શા માટે માતા પિતા 16 વર્ષે ગાડીની ચાવી આપી દેતા હોય છે. તમારા બાળકના પ્રત્યેનો પ્રેમ કોઈ બીજી જનેતા પર ભારે ન પડે તેનું ધ્યાન તો માતા પિતાએ જ રાખવું પડશે. 



તથ્ય પટેલના ગુન્હાના મૂળ કારણમાં તેના પિતા જવાબદાર!

તથ્ય પટેલની વાતો થઈ રહી છે પરંતુ તેની આવી કરતૂત પાછળ તેના માતા પિતા દ્વારા આપવા આવેલી જાહોજલાલી છે. એક એવું ઉદાહરણ પ્રજ્ઞેશ પટેલ દ્વારા ઉભું કરવામાં આવ્યું છે કે પૈસાથી સિસ્ટમ ખરીદી શકાય છે. પહેલા ગુન્હો કરો અને પછી પૈસા આપી છૂટા થઈ જાવ! આ સંસ્કારોનું સિંચન તથ્ય પટેલના માતા પિતાએ જ કર્યું હશે. આ કેસમાં તથ્ય પટેલ જ સીધી રીતે આરોપી છે, પણ એના મૂળ અને બેજવાબદારી એનો દુનિયાને જોવાનો અભિગમ બધું જ એના પપ્પા પ્રજ્ઞેશ પટેલના જીવન સુધી કનેક્ટ થાય છે. પ્રજ્ઞેશ પટેલના ભૂતકાળના ગુનાઓના કારણે જ એને અત્યારે વધારે આકરી રીતે લોકો જોઈ રહ્યા છે. બીજી વાત એ પણ છે કે તે પ્રજ્ઞેશ પટેલનો દીકરો છે એટલે બધા એને વધારે દોશી માન્યો અને સમજી લીધું કે વળ એવા ટેટા બાપ એવા બેટા અને જો માં બાપ પોતાના બાળકોને કાબૂમાં રાખવાનું કે સમજવાનું ભૂલી જશે તો આવી ઘટનાઓ બનતી રહેશે. અમે દરેક માતા પિતા પર પ્રશ્ન નથી કરી રહ્યા પરંતુ એ માતા પિતાઓ જે પુત્ર પ્રેમમાં અંધ થઈ બેઠા છે. જેમના દિમાગમાં એવું હોય છે કે તેમના બાળકો કદી ખોટા હોઈ જ ન શકે તે માતા પિતાને છે. તમે જેવો વ્યવહાર કરશો તેવો જ વ્યવહાર તમારા સંતાનો કરશે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.