પુત્ર પ્રેમમાં અંધ બનેલા માતા પિતાને એક પ્રશ્ન, શું દુર્ઘટના પાછળ માત્ર પુત્ર જ જવાબદાર હોય છે?


  • Published By :
  • Published Date : 2023-07-21 14:06:28

પુત્ર માટે માતા પિતાનો પ્રેમ હોવો તે સ્વભાવિક છે. અમીર હોય કે સામાન્ય વર્ગના પરિવારનો દીકરો હોય માતા પિતાની ભાવના પોતાના સંતાન માટે સરખી જ હોય છે. પરંતુ જ્યારે માતા પિતા પોતાની આંખો પર પ્રેમનો પાટો બાંધી દેતા હોય છે તે આંખો હોવા છતાંય ગાંધારી તેમજ ધૃતરાષ્ટ બની જતા હોય છે. પોતાના બાળકને કોઈ અગવડ ન પડે તેનું ધ્યાન રાખવાનો હક દરેક માતા પિતાનો હોય છે પરંતુ તેનો અર્થ એ નથી કે તમે કોઈ બીજાના જીવનને દાવ પર લગાવી શકો.. બીજાનું જીવન છીનવી લેવાનો હક કોઈને નથી. કોઈ માતા પોતાના સંતાનને એટલા માટે જન્મ નથી આપતી કે કોઈ નબીરાની ગાડી નીચે કચડાઈ મોતને ભેટે.    

અમીર મા બાપ પોતાના સંતાનને મોંઘી ગાડીઓ તો આપી દે છે પરંતુ....

બધાનું જીવન એકદમ સામાન્ય રીતે ચાલતું હતું. અચાનકથી એક છોકરો એક અકસ્માત કરે છે અને 9 લોકોને ગાડીની નીચે કચડી નાખે છે.. અને પછી? ઘટના સ્થળ પર તેના પિતા આવે છે અને તેને પોતાની સાથે લઈ જાય છે. ત્યારે એક વાત કરવી છે કે અમીર મા-બાપ પોતાના સંતાનને ગાડી તો આપી દે છે પરંતુ ગાડીને કેવી રીતે ચલાવવી તે નથી સમજાવતા. જે લોકો રસ્તા પર ચાલે છે તે પણ માણસ છે તે પણ તે નથી સમજાવતા. તેમનામાં પણ જીવ રહેલો છે, રસ્તા પર ચાલવાનો, રસ્તા પર ગાડી ચલાવવાનો તેમનો પણ હક છે તે નથી સમજાવતા. અને પરિણામે જે ઘટના ઘટે છે તે આપણી સામે છે... એક નબીરો ફૂલ સ્પીડમાં ગાડી લઈને આવે છે અને 10 લોકોને ઉડાવી દે છે. આ કેસમાં માત્ર તથ્યનો વાંક છે એવું નથી, પરંતુ જે રીતના એનો એટીટ્યુડ છે, જે રીતે તે લોકો સાથે વર્તે છે તે તેના વ્યક્તિત્વ વિશે કહેવા માટે પૂરતું છે.  


નાની ઉંમરે વાલીઓ સંતાનોને ગાડી ચલાવવા આપી દેતા હોય છે...

કાલે જે ઘટના થઈ તેના મૂળમાં જઈને જોઈએ તો થાર એક ડમ્પર સાથે ભટકાઈ. લોકો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને તે પછી એક ગાડી પાછળથી આવે છે અને 9 લોકોને મોતને ઘાટ ઉતારે છે. જે છોકરો થાર ગાડી ચલાવી રહ્યો હતો તે માત્ર 16 વર્ષનો હતો. કોઈ મા બાપ કેવી રીતે નાની ઉંમરના દીકરાને આટલી મોટી ગાડીની ચાવી આપી શકે? કાયદા પ્રમાણે પણ લાઈસન્સ 18 વર્ષે મળે છે તો માત્ર બાળકની જીદને સંતોષવા શા માટે માતા પિતા 16 વર્ષે ગાડીની ચાવી આપી દેતા હોય છે. તમારા બાળકના પ્રત્યેનો પ્રેમ કોઈ બીજી જનેતા પર ભારે ન પડે તેનું ધ્યાન તો માતા પિતાએ જ રાખવું પડશે. 



તથ્ય પટેલના ગુન્હાના મૂળ કારણમાં તેના પિતા જવાબદાર!

તથ્ય પટેલની વાતો થઈ રહી છે પરંતુ તેની આવી કરતૂત પાછળ તેના માતા પિતા દ્વારા આપવા આવેલી જાહોજલાલી છે. એક એવું ઉદાહરણ પ્રજ્ઞેશ પટેલ દ્વારા ઉભું કરવામાં આવ્યું છે કે પૈસાથી સિસ્ટમ ખરીદી શકાય છે. પહેલા ગુન્હો કરો અને પછી પૈસા આપી છૂટા થઈ જાવ! આ સંસ્કારોનું સિંચન તથ્ય પટેલના માતા પિતાએ જ કર્યું હશે. આ કેસમાં તથ્ય પટેલ જ સીધી રીતે આરોપી છે, પણ એના મૂળ અને બેજવાબદારી એનો દુનિયાને જોવાનો અભિગમ બધું જ એના પપ્પા પ્રજ્ઞેશ પટેલના જીવન સુધી કનેક્ટ થાય છે. પ્રજ્ઞેશ પટેલના ભૂતકાળના ગુનાઓના કારણે જ એને અત્યારે વધારે આકરી રીતે લોકો જોઈ રહ્યા છે. બીજી વાત એ પણ છે કે તે પ્રજ્ઞેશ પટેલનો દીકરો છે એટલે બધા એને વધારે દોશી માન્યો અને સમજી લીધું કે વળ એવા ટેટા બાપ એવા બેટા અને જો માં બાપ પોતાના બાળકોને કાબૂમાં રાખવાનું કે સમજવાનું ભૂલી જશે તો આવી ઘટનાઓ બનતી રહેશે. અમે દરેક માતા પિતા પર પ્રશ્ન નથી કરી રહ્યા પરંતુ એ માતા પિતાઓ જે પુત્ર પ્રેમમાં અંધ થઈ બેઠા છે. જેમના દિમાગમાં એવું હોય છે કે તેમના બાળકો કદી ખોટા હોઈ જ ન શકે તે માતા પિતાને છે. તમે જેવો વ્યવહાર કરશો તેવો જ વ્યવહાર તમારા સંતાનો કરશે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.