MP: Indoreમાં Surat Loksabha Seatની ઘટનાનું પુનરાવર્તન! Congressના ઉમેદવારે પરત ખેંચ્યું ફોર્મ, ભાજપમાં થયા સામેલ!


  • Published By :
  • Published Date : 2024-04-29 15:58:01

સામાન્ય રીતે માનવામાં આવે છે કે ગુજરાત ભાજપ માટે પ્રયોગ શાળા છે..! ગુજરાતમાં જે થાય છે તેને બીજા રાજ્યમાં દહોરાવવામાં આવે છે...! આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે એક સમાચાર મધ્યપ્રદેશથી સામે આવ્યા જે સુરત લોકસભા સીટ પર બનેલી ઘટના જેવા છે... ઈન્દોર લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમે પોતાની ઉમેદવારી પરત લીધી છે..  ઉમેદવારી તો પાછી ખેંચી પરંતુ તે ભાજપમાં જોડાવાના છે તેવી માહિતી સામે આવી છે...


કોંગ્રેસના ઉમેદવારે આપ્યો કોંગ્રેસને ઝટકો 

દેશમાં લોકસભા ચૂંટણી માટે તબક્કાવાઈઝ મતદાન થવાનું છે.. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે અને મતદાન થાય તે પહેલા સુરત લોકસભા બેઠક ભાજપના ખાતામાં આવી ગઈ છે... સુરતમાં જે થયું તે આપણે જાણીએ છીએ.. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું, બાકીના ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત લીધું અને ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થઈ ગયા.. ત્યારે આવો જ ખેલ મધ્યપ્રદેશમાં બન્યો છે. ગુજરાત બાદ મધ્ય પ્રદેશથી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ઈન્દોર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમે પોતાની ઉમેદવારી, પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું છે.   



ભાજપમાં જોડાઈ ગયા અક્ષય કાંતિ!   

ઈન્દોર બેઠક પર ભાજપે શંકર લાલવાનીને ટિકીટ આપી હતી જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે અક્ષય કાંતિ બમને ઉમેદવાર બનાવ્યા હતા. લાગતું હતું કે બંને ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર થશે પરંતુ મતદાન થાય તે પહેલા કોંગ્રેસના ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે.. ઉમેદવારી તો પાછી ખેંચી પરંતુ કોંગ્રેસ સાથેનો છેડો પણ તેમણે ફાડી દીધો છે તેમજ તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે... 

નેતાએ ઉમેદવાર સાથેની સેલ્ફી કરી શેર! 

મધ્યપ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે... તેમણે કોંગ્રેસ ઉમેદવાર સાથેની સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી છે... મહત્વનું છે કે ઈન્દોર લોકસભા બેઠક 25 એપ્રિલ સુધીમાં ઉમેદવારી નામાંકિત કરાવાની હતી, અને આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો... 13મેના રોજ ઈન્દોરમાં મતદાન થવાનું છે...   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી