MP: Indoreમાં Surat Loksabha Seatની ઘટનાનું પુનરાવર્તન! Congressના ઉમેદવારે પરત ખેંચ્યું ફોર્મ, ભાજપમાં થયા સામેલ!


  • Published By :
  • Published Date : 2024-04-29 15:58:01

સામાન્ય રીતે માનવામાં આવે છે કે ગુજરાત ભાજપ માટે પ્રયોગ શાળા છે..! ગુજરાતમાં જે થાય છે તેને બીજા રાજ્યમાં દહોરાવવામાં આવે છે...! આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે એક સમાચાર મધ્યપ્રદેશથી સામે આવ્યા જે સુરત લોકસભા સીટ પર બનેલી ઘટના જેવા છે... ઈન્દોર લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમે પોતાની ઉમેદવારી પરત લીધી છે..  ઉમેદવારી તો પાછી ખેંચી પરંતુ તે ભાજપમાં જોડાવાના છે તેવી માહિતી સામે આવી છે...


કોંગ્રેસના ઉમેદવારે આપ્યો કોંગ્રેસને ઝટકો 

દેશમાં લોકસભા ચૂંટણી માટે તબક્કાવાઈઝ મતદાન થવાનું છે.. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે અને મતદાન થાય તે પહેલા સુરત લોકસભા બેઠક ભાજપના ખાતામાં આવી ગઈ છે... સુરતમાં જે થયું તે આપણે જાણીએ છીએ.. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું, બાકીના ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત લીધું અને ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થઈ ગયા.. ત્યારે આવો જ ખેલ મધ્યપ્રદેશમાં બન્યો છે. ગુજરાત બાદ મધ્ય પ્રદેશથી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ઈન્દોર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમે પોતાની ઉમેદવારી, પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું છે.   



ભાજપમાં જોડાઈ ગયા અક્ષય કાંતિ!   

ઈન્દોર બેઠક પર ભાજપે શંકર લાલવાનીને ટિકીટ આપી હતી જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે અક્ષય કાંતિ બમને ઉમેદવાર બનાવ્યા હતા. લાગતું હતું કે બંને ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર થશે પરંતુ મતદાન થાય તે પહેલા કોંગ્રેસના ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે.. ઉમેદવારી તો પાછી ખેંચી પરંતુ કોંગ્રેસ સાથેનો છેડો પણ તેમણે ફાડી દીધો છે તેમજ તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે... 

નેતાએ ઉમેદવાર સાથેની સેલ્ફી કરી શેર! 

મધ્યપ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે... તેમણે કોંગ્રેસ ઉમેદવાર સાથેની સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી છે... મહત્વનું છે કે ઈન્દોર લોકસભા બેઠક 25 એપ્રિલ સુધીમાં ઉમેદવારી નામાંકિત કરાવાની હતી, અને આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો... 13મેના રોજ ઈન્દોરમાં મતદાન થવાનું છે...   



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.