MP: Indoreમાં Surat Loksabha Seatની ઘટનાનું પુનરાવર્તન! Congressના ઉમેદવારે પરત ખેંચ્યું ફોર્મ, ભાજપમાં થયા સામેલ!


  • Published By :
  • Published Date : 2024-04-29 15:58:01

સામાન્ય રીતે માનવામાં આવે છે કે ગુજરાત ભાજપ માટે પ્રયોગ શાળા છે..! ગુજરાતમાં જે થાય છે તેને બીજા રાજ્યમાં દહોરાવવામાં આવે છે...! આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે એક સમાચાર મધ્યપ્રદેશથી સામે આવ્યા જે સુરત લોકસભા સીટ પર બનેલી ઘટના જેવા છે... ઈન્દોર લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમે પોતાની ઉમેદવારી પરત લીધી છે..  ઉમેદવારી તો પાછી ખેંચી પરંતુ તે ભાજપમાં જોડાવાના છે તેવી માહિતી સામે આવી છે...


કોંગ્રેસના ઉમેદવારે આપ્યો કોંગ્રેસને ઝટકો 

દેશમાં લોકસભા ચૂંટણી માટે તબક્કાવાઈઝ મતદાન થવાનું છે.. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે અને મતદાન થાય તે પહેલા સુરત લોકસભા બેઠક ભાજપના ખાતામાં આવી ગઈ છે... સુરતમાં જે થયું તે આપણે જાણીએ છીએ.. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું, બાકીના ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત લીધું અને ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થઈ ગયા.. ત્યારે આવો જ ખેલ મધ્યપ્રદેશમાં બન્યો છે. ગુજરાત બાદ મધ્ય પ્રદેશથી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ઈન્દોર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમે પોતાની ઉમેદવારી, પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું છે.   



ભાજપમાં જોડાઈ ગયા અક્ષય કાંતિ!   

ઈન્દોર બેઠક પર ભાજપે શંકર લાલવાનીને ટિકીટ આપી હતી જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે અક્ષય કાંતિ બમને ઉમેદવાર બનાવ્યા હતા. લાગતું હતું કે બંને ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર થશે પરંતુ મતદાન થાય તે પહેલા કોંગ્રેસના ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે.. ઉમેદવારી તો પાછી ખેંચી પરંતુ કોંગ્રેસ સાથેનો છેડો પણ તેમણે ફાડી દીધો છે તેમજ તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે... 

નેતાએ ઉમેદવાર સાથેની સેલ્ફી કરી શેર! 

મધ્યપ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે... તેમણે કોંગ્રેસ ઉમેદવાર સાથેની સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી છે... મહત્વનું છે કે ઈન્દોર લોકસભા બેઠક 25 એપ્રિલ સુધીમાં ઉમેદવારી નામાંકિત કરાવાની હતી, અને આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો... 13મેના રોજ ઈન્દોરમાં મતદાન થવાનું છે...   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.