2:30 વાગ્યા સુધી ગરબા રમવાની પરવાનગી આપવા હર્ષ સંઘવીને કરાઈ રજૂઆત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 13:14:33

આવતી કાલથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. 2 વર્ષ બાદ ગરબે ઘૂમવા મળતા ખેલૈયાઓ ઉત્સાહીત છે. નવરાત્રીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી આપી છે. ત્યારે વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલે નવરાત્રીના અમુક દિવસો માટે સમય અવધીમાં વધારો કરવાની રજૂઆત કરી છે. અઢી વાગ્યા સુધી ગરબાની પરમિશન આપવામાં આવે તેવી રજૂઆત તેમણે ગૃહ પ્રધાનને કરી છે.  

Navratri 2021 guidelines in Maharashtra: Garba, dandiya banned, maximum 5  people allowed in pandals [Details] | Maharashtra News

હર્ષ સંઘવીને કરી રજૂઆત

કોરોના મહામારીને કારણે 2 વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું ન હતું. ત્યારે આ વખતે કોરોના નિયંત્રણમાં આવતા મોટા પાયે આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે નવરાત્રીને ધ્યાનમાં રાખી 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી આપી છે. ત્યારે વડોદરાના ધારાસભ્ય અઢી વાગ્યા સુધી ગરબા રમવાની પરવાનગી આપવામાં આવે તેવી રજૂઆત હર્ષ સંઘવીને કરી છે. વડોદરાના મોટા ગરબા આયોજકો દ્વારા તેમને રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે તેઓ ગૃહ પ્રધાનને રજૂઆત કરી હતી.  ધારાસભ્ય યોગેશ પટેલે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી જે બાદ સંઘવીએ રજૂઆત સાંભળતા કહ્યું કે યોગ્ય ચકાસણી કરી આ અંગેની મંજૂરી આપવામાં આવશે.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.