2:30 વાગ્યા સુધી ગરબા રમવાની પરવાનગી આપવા હર્ષ સંઘવીને કરાઈ રજૂઆત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 13:14:33

આવતી કાલથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. 2 વર્ષ બાદ ગરબે ઘૂમવા મળતા ખેલૈયાઓ ઉત્સાહીત છે. નવરાત્રીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી આપી છે. ત્યારે વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલે નવરાત્રીના અમુક દિવસો માટે સમય અવધીમાં વધારો કરવાની રજૂઆત કરી છે. અઢી વાગ્યા સુધી ગરબાની પરમિશન આપવામાં આવે તેવી રજૂઆત તેમણે ગૃહ પ્રધાનને કરી છે.  

Navratri 2021 guidelines in Maharashtra: Garba, dandiya banned, maximum 5  people allowed in pandals [Details] | Maharashtra News

હર્ષ સંઘવીને કરી રજૂઆત

કોરોના મહામારીને કારણે 2 વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું ન હતું. ત્યારે આ વખતે કોરોના નિયંત્રણમાં આવતા મોટા પાયે આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે નવરાત્રીને ધ્યાનમાં રાખી 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી આપી છે. ત્યારે વડોદરાના ધારાસભ્ય અઢી વાગ્યા સુધી ગરબા રમવાની પરવાનગી આપવામાં આવે તેવી રજૂઆત હર્ષ સંઘવીને કરી છે. વડોદરાના મોટા ગરબા આયોજકો દ્વારા તેમને રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે તેઓ ગૃહ પ્રધાનને રજૂઆત કરી હતી.  ધારાસભ્ય યોગેશ પટેલે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી જે બાદ સંઘવીએ રજૂઆત સાંભળતા કહ્યું કે યોગ્ય ચકાસણી કરી આ અંગેની મંજૂરી આપવામાં આવશે.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.