2:30 વાગ્યા સુધી ગરબા રમવાની પરવાનગી આપવા હર્ષ સંઘવીને કરાઈ રજૂઆત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 13:14:33

આવતી કાલથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. 2 વર્ષ બાદ ગરબે ઘૂમવા મળતા ખેલૈયાઓ ઉત્સાહીત છે. નવરાત્રીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી આપી છે. ત્યારે વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલે નવરાત્રીના અમુક દિવસો માટે સમય અવધીમાં વધારો કરવાની રજૂઆત કરી છે. અઢી વાગ્યા સુધી ગરબાની પરમિશન આપવામાં આવે તેવી રજૂઆત તેમણે ગૃહ પ્રધાનને કરી છે.  

Navratri 2021 guidelines in Maharashtra: Garba, dandiya banned, maximum 5  people allowed in pandals [Details] | Maharashtra News

હર્ષ સંઘવીને કરી રજૂઆત

કોરોના મહામારીને કારણે 2 વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું ન હતું. ત્યારે આ વખતે કોરોના નિયંત્રણમાં આવતા મોટા પાયે આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે નવરાત્રીને ધ્યાનમાં રાખી 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી આપી છે. ત્યારે વડોદરાના ધારાસભ્ય અઢી વાગ્યા સુધી ગરબા રમવાની પરવાનગી આપવામાં આવે તેવી રજૂઆત હર્ષ સંઘવીને કરી છે. વડોદરાના મોટા ગરબા આયોજકો દ્વારા તેમને રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે તેઓ ગૃહ પ્રધાનને રજૂઆત કરી હતી.  ધારાસભ્ય યોગેશ પટેલે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી જે બાદ સંઘવીએ રજૂઆત સાંભળતા કહ્યું કે યોગ્ય ચકાસણી કરી આ અંગેની મંજૂરી આપવામાં આવશે.    



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.