પંજાબના મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચે કેમ બન્યો અણબનાવ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 17:24:42

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ હતા ત્યારે તેમને અને મુખ્યમંત્રી મમતા બેનરજીને અનેક બાબતો પર વાંધો હતો. તેવી પરિસ્થિતિ હવે પંજાબમાં થઈ છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને રાજ્યપાલ બીએલ પુરોહિત વચ્ચે અણબનાવના સમાચારો સામે આવી રહ્યા છે. 


ભગવંત માને રાજ્યપાલ પર નિવેદન આપ્યું 

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વિધાનસભા સત્ર પહેલા રાજ્યપાલની મંજૂરી એ માત્ર ઔપચારિકતા હોય છે. ભગવંત માને રાજ્યપાલ પર આરોપ કરતા નિવેદન આપ્યું હતું કે કોઈ રાજ્યપાલે અત્યાર સુધીમાં વિધાનસભા સત્રની વિગતો નથી માગી. પંજાબના રાજ્યપાલ કેમ વિધાનસભા સત્રની વિગતો માગી રહ્યા છે. 


રાજ્યપાલ બીએલ પુરોહિતે શું માગી હતી વિગતો?

પંજાબના રાજ્યપાલ બીએલ પુરોહિતે અગાઉ 22 સપ્ટેમ્બરના વિશેષ વિધાનસભા સત્રની મંજૂરી પાછી ખેંચી લીધી હતી. ત્યાર બાદ આગામી 27 સપ્ટેમ્બરના વિધાનસભા સત્ર પર પણ હવે વિવાદ સર્જાયો છે. 


કેમ અચાનક આવી પરિસ્થિતિ સર્જાઈ?

થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીએ ભાજપ પર આપના ધારાસભ્યો ખરીદવાના આરોપ લગાવ્યા હતા. ત્યારે બહુમતિ સાબિત કરવા માટે સત્ર બોલાવવામાં આવ્યું હતું. રાજ્યપાલે તેની મંજૂરી આપી હતી પછી અચાનક મંજૂરી પરત લઈ લીધી હતી. સમગ્ર ઘટના બાદ હવે આગામી 27 તારીખના સત્ર પર સરકાર અને રાજ્યપાલ વચ્ચે અણબનાવ વધ્યો છે.  



એક વીડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાના કાર્યક્રમમાં એક યુવાન સ્ટેજ પર ચઢી જાય છે અને સાંસદને સવાલો કરે છે.. કામ અંગે તેમને સવાલ કરે છે. મનસુખ વસાવાએ પ્રશ્નોના જવાબ તો ના આપ્યા પરંતુ તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા.

રાજકોટમાં 14 વર્ષના બાળકનું મોત અચાનક થઈ ગયું છે. શેરીમાં બાળક ક્રિકેટ રમી રહ્યો હતો, અચાનક તે ઢળી પડ્યો અને મોત થઈ ગયું છે. મોત કયા કારણોસર થયું તેની ખર પોસ્ટ મોર્ટમ બાદ થશે. પરંતુ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે તેનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પોતાની માગ સાથે અડગ છે તો ભાજપ પણ પોતાની વાત મક્કમ દેખાઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી ત્યાં મોટી સંખ્યામાં ક્ષત્રાણીઓ આવ્યા હતા.. આ મીટિંગ દરમિયાન ક્ષત્રિયાણી દ્વારા એવા નિવેદન આપવામાં આવ્યા જે સ્વીકાર્ય ના હોય.!

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અનેક જિલ્લાઓમાં તાપમાન 40ને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બે ત્રણ દિવસો દરમિયાન ગરમી નહીં વધે પરંતુ તે બાદ ગરમીનો પારો સતત વધશે. હવામાન નિષ્ણાત દ્વારા પણ આવી આગાહી કરવામાં આવી છે.