પંજાબના મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચે કેમ બન્યો અણબનાવ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 17:24:42

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ હતા ત્યારે તેમને અને મુખ્યમંત્રી મમતા બેનરજીને અનેક બાબતો પર વાંધો હતો. તેવી પરિસ્થિતિ હવે પંજાબમાં થઈ છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને રાજ્યપાલ બીએલ પુરોહિત વચ્ચે અણબનાવના સમાચારો સામે આવી રહ્યા છે. 


ભગવંત માને રાજ્યપાલ પર નિવેદન આપ્યું 

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વિધાનસભા સત્ર પહેલા રાજ્યપાલની મંજૂરી એ માત્ર ઔપચારિકતા હોય છે. ભગવંત માને રાજ્યપાલ પર આરોપ કરતા નિવેદન આપ્યું હતું કે કોઈ રાજ્યપાલે અત્યાર સુધીમાં વિધાનસભા સત્રની વિગતો નથી માગી. પંજાબના રાજ્યપાલ કેમ વિધાનસભા સત્રની વિગતો માગી રહ્યા છે. 


રાજ્યપાલ બીએલ પુરોહિતે શું માગી હતી વિગતો?

પંજાબના રાજ્યપાલ બીએલ પુરોહિતે અગાઉ 22 સપ્ટેમ્બરના વિશેષ વિધાનસભા સત્રની મંજૂરી પાછી ખેંચી લીધી હતી. ત્યાર બાદ આગામી 27 સપ્ટેમ્બરના વિધાનસભા સત્ર પર પણ હવે વિવાદ સર્જાયો છે. 


કેમ અચાનક આવી પરિસ્થિતિ સર્જાઈ?

થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીએ ભાજપ પર આપના ધારાસભ્યો ખરીદવાના આરોપ લગાવ્યા હતા. ત્યારે બહુમતિ સાબિત કરવા માટે સત્ર બોલાવવામાં આવ્યું હતું. રાજ્યપાલે તેની મંજૂરી આપી હતી પછી અચાનક મંજૂરી પરત લઈ લીધી હતી. સમગ્ર ઘટના બાદ હવે આગામી 27 તારીખના સત્ર પર સરકાર અને રાજ્યપાલ વચ્ચે અણબનાવ વધ્યો છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.