પંજાબના મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચે કેમ બન્યો અણબનાવ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 17:24:42

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ હતા ત્યારે તેમને અને મુખ્યમંત્રી મમતા બેનરજીને અનેક બાબતો પર વાંધો હતો. તેવી પરિસ્થિતિ હવે પંજાબમાં થઈ છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને રાજ્યપાલ બીએલ પુરોહિત વચ્ચે અણબનાવના સમાચારો સામે આવી રહ્યા છે. 


ભગવંત માને રાજ્યપાલ પર નિવેદન આપ્યું 

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વિધાનસભા સત્ર પહેલા રાજ્યપાલની મંજૂરી એ માત્ર ઔપચારિકતા હોય છે. ભગવંત માને રાજ્યપાલ પર આરોપ કરતા નિવેદન આપ્યું હતું કે કોઈ રાજ્યપાલે અત્યાર સુધીમાં વિધાનસભા સત્રની વિગતો નથી માગી. પંજાબના રાજ્યપાલ કેમ વિધાનસભા સત્રની વિગતો માગી રહ્યા છે. 


રાજ્યપાલ બીએલ પુરોહિતે શું માગી હતી વિગતો?

પંજાબના રાજ્યપાલ બીએલ પુરોહિતે અગાઉ 22 સપ્ટેમ્બરના વિશેષ વિધાનસભા સત્રની મંજૂરી પાછી ખેંચી લીધી હતી. ત્યાર બાદ આગામી 27 સપ્ટેમ્બરના વિધાનસભા સત્ર પર પણ હવે વિવાદ સર્જાયો છે. 


કેમ અચાનક આવી પરિસ્થિતિ સર્જાઈ?

થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીએ ભાજપ પર આપના ધારાસભ્યો ખરીદવાના આરોપ લગાવ્યા હતા. ત્યારે બહુમતિ સાબિત કરવા માટે સત્ર બોલાવવામાં આવ્યું હતું. રાજ્યપાલે તેની મંજૂરી આપી હતી પછી અચાનક મંજૂરી પરત લઈ લીધી હતી. સમગ્ર ઘટના બાદ હવે આગામી 27 તારીખના સત્ર પર સરકાર અને રાજ્યપાલ વચ્ચે અણબનાવ વધ્યો છે.  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.