રાજકોટમાં સનસનાટી ફેલાવી દે એવી લૂંટની ઘટના !!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 15:57:22

કેવી રીતે થઈ લુંટ?

રાજકોટમાં આજે લુંટની ઘટના બની છે જેમાં માતોશ્રી બંગલામાં નેપાળી શખસોએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે ઘરમાં તરુણ સૂતો હતો અને નેપાળી નોકર અનિલ ઉર્ફે રામે તેને ઉઠાડ્યો હતો. બાદમાં 2 લોકોએ મળી ને તરુણને બાંધી દીધો અને ઘરમાં રહેલા સોનાની લુંટને અંજામ આપ્યો. આ લુંટને અંજામ આપવા માં અનિલની પત્ની પણ સામેલ હતી અને જ્યારે આ ઘટના બની ત્યારે તરુણનો પરિવાર અમદાવાદ એરપોર્ટ પર હતા.

 

પોલીસ ઘટના સ્થળે પૂછપરછ હાથ ધરી !!!

ઘટનાની જાણ થતા  DCP ક્રાઇમ, DCP  ઝોન-2 સહિતના અધિકારીયો ઘટના સ્થળે પોહચી ગયા હતા. સોના, ચાંદીના દાગીના સહિત રોકડ મળી લાખો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે . પ્રાથમિક માહિતી મળી છે કે 25 લાખ રોકડ અને સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવાઈ છે.


 

લૂંટારાઓનો પ્લાન !!!

પોલીસએ આસપાસના CCTV તપાસ કર્યા અને કાર્યવાહી હાથ ધરી છે 14 વર્ષનો તરુણ ઘરે એકલો હતો. ઘરમાં કામ કરતા નેપાળી શખસે એકલતાનો લાભ લઈ અન્ય બે નેપાળી શખસને બોલાવી તરુણને ઓશીકું ફાડી એના કપડાથી બાંધી બંધક બનાવ્યો હતો. બંગલો પ્રભાતભાઈ સિંધવનો છે અને તેઓ પરિવાર સાથે અમદાવાદ ગયા હતા. ત્યારે તેમનો 14 વર્ષનો પુત્ર જશ એકલો ઘરે હતો.


 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .