Hariyanaમાં એક ઓરડો Rajasthanમાં આંગણું. આ ઘરમાં રૂમ બદલતા જ રાજ્ય બદલાઈ જાય છે..!


  • Published By :
  • Published Date : 2023-12-27 15:05:58

સમાચારો તો અનેક વખત તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ. પરંતુ આજે વાત એક એવા ઘરની કરવી છે જેના રૂમ હરિયાણાની સીમામાં આવે છે અને આંગણું રાજસ્થાનની સીમામાં... રાજસ્થાનનો એક જિલ્લો છે અલવર.. અહીંયા બાયપાસ પર એક મહાન આવેલું છે જેનો એક દરવાજો રાજસ્થાનમાં ખુલે છે અને બીજો દરવાજો હરિયાણામાં ખુલે છે. ઘર એક, બે ભાઈ એક હરિયાણી અને બીજો રાજસ્થાની... બંને ભાઈઓ ભલે એક જ ઘરમાં રહે છે પરંતુ એકની પાસે છે રાજસ્થાનના ડોક્યુમેન્ટ અને બીજા પાસે છે હરિયાણાના ડોક્યુમેન્ટ..  એક બીજાની સાથે મનભેદ છે.   



બે રાજ્યમાં પડે છે એક ઘર 

 વર્ષ 2000માં રિલીઝ થયેલી ફિલ્મ 'રેફ્યુજી'ના એક ગીતમાં જાવેદ અખ્તરે લખ્યું હતું - "પંછી, નદીયાં, પવન કે ઝોકે.. કોઈ સરહદ ના ઉનકે રોકે.." આ ગીત ખૂબ જ પ્રખ્યાત થયું. સરહદો નથી નડતી જેવી અનેક વાતો કરવામાં આવે છે પરંતુ આ ખ્યાલ ચર્ચા અને ફિલસૂફીના સ્તર સુધી મર્યાદિત છે. વાસ્તવમાં સરહદો છે, સરહદોને લઈને યુદ્ધો અને રમખાણો છે. ત્યારે આજે એક એવા ઘરની વાત કરવી જેનો એક દરવાજો રાજસ્થાનમાં ખુલે છે અને એક દરવાજો હરિયાણામાં ખુલે છે. 



ઘરમાં આવે રાજસ્થાની વીજળી અને... 

મીડિયા રિપોર્ટ પ્રમાણે રાજસ્થાનની બોર્ડર પર પાણીનો નળ લગાવવામાં આવ્યો છે. પાણી ત્યાંથી આવે છે, પરંતુ રાજસ્થાનથી આવતું આ પાણી હરિયાણામાં રાખેલી ટાંકીમાં ભરાય છે. ઘરમાં વીજળીના જોડાણો પણ બંને રાજ્યોના છે. ઘરમાં રાજસ્થાનથી વીજળી આવે છે અને ઘરની બહાર જ નીકળતી દુકાનોમાં હરિયાણાથી વીજળી આવે છે.



મોબાઈલને લગતી પણ સમસ્યા પડે છે પરિવારને 

બે રાજ્યો થયા એટલે મોબાઈલ નેટવર્કને લગતી પણ ઘણી સમસ્યાઓનો સામનો ત્યાં રહેતા પરિવારના લોકોને કરવો પડે છે.ઘરની અંદર 10 ડગલાં ચાલતાં જ ફોનમાં રોમિંગ શરૂ થઈ જાય છે કારણ કે એ બીજા રાજ્યમાં જતા રહ્યા હોય છે. ક્યારેક દિવસ દરમિયાન એવો મેસેજ આવે છે કે રાજસ્થાનના નેટવર્કમાં તમારું સ્વાગત છે તો ક્યારેક હરિયાણાના નેટવર્કમાં. મહત્વનું છે આવી અનેક સમસ્યાઓ હશે તેનો સામનો આ પરિવારને કરવો પડતો હશે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.