Rajkotમાં સંત કરશે મધ્યસ્થી। સમજો ક્ષત્રિય સમાજની પરસોત્તમ રૂપાલા સાથેના સમાધાનની ફોર્મ્યુલા!


  • Published By :
  • Published Date : 2024-03-29 16:34:58

આજે સાંજે  5 વાગે  ગણેશગઢમાં જયરાજસિંહ જાડેજાની મધ્યસ્થીમાં ક્ષત્રિય સમાજની બેઠક થવાની છે. અમે તમને ક્ષત્રિય સમાજ vs પરષોત્તમ રૂપાલાના વિવાદનું સમાધાન કઈ રીતે આવશે એની સેટ ફોર્મ્યુલા ભાજપની રણનીતિ પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાનું પણ એમાં ઇન્વોલવ થવું બધુજ વિસ્તારથી સમજીએ...   

ઉમેદવાર બદલવાની ઉઠી માગ! 

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતમાં ઘમાસાણ ચાલી રહ્યો છે. વિવિધ જગ્યાઓ પર તેમના નિવેદન બાદ આંદોલનનો શરૂ થયા, તેમના વિરૂદ્ધ નારા લાગ્યા. ક્ષત્રિય સમાજ ખુબ રોષે ભરાયેલો છે. પરષોત્તમ રૂપાલાની સામે કેટલાય સમયથી એ લોકો આંદોલન કરી રહ્યાં છે. સંમેલન મળવાની વાત ચાલી રહી છે. સમાજની માંગણી એ છે કે રાજકોટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને બદલવામાં આવે. જોકે પરષોત્તમ રૂપાલા વારંવાર માફી માંગી ચુક્યા છે અને હવે ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓ અને સી આર પાટીલ અને બધા ભેગા થયા છે મિટિંગ કરી છે અને સમાધાનની ફોર્મ્યુલા શોધાઈ રહી છે.


જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસમાં થવાની છે બેઠક!

એ સમાધાનની ફોર્મ્યુલા વિશે વાત કરીએ તો.. અમારી પાસે જે માહિતી છે એ મુજબ સૂત્ર કહે છે એમ આખી ફોર્મ્યુલા એ રીતે તૈયાર થઇ છે કે ગોંડલના ગણેશગઢમાં સાંજે 5 વાગે જયરાજસિંહ જાડેજાના ફાર્મહોઉસમાં ક્ષત્રિય સમાજના આગેવાનો જેટલી સંસ્થા છે જે વિરોધ કરે છે એ બધા લોકો ત્યાં ભેગા થશે. જયરાજસિંહ આ વિષય પર સમાધાનનું પોતાના માથે લે એવું લાગતું નથી કારણકે  ક્ષત્રિય સમાજ એમના કહ્યા પર બધું સ્વીકારી લે એના અણસાર નથી કેમ કે જે તે સમયે રીબડા સાથે સંઘર્ષ ચાલતો હતો ત્યારે જયરાજસિંહ જાડેજા એ એવું કહ્યું હતું કે આ વાતમાં સમાજે વચ્ચે પડવાનું નથી આવતું. આ અમારો અંગત મામલો છે. તો હવે એ વખતે એમનો અંગત મામલો હતો તો અત્યારે સામાજિક મામલામાં જયરાજસિંહ પોતાના માથા પર લે એવું લાગતું નથી.


જાણો કેવી રીતે ભાજપ લાવશે વિવાદનો અંત?  

એટલે ફોર્મ્યુલા એ છે કે એના પછી જયરાજસિંહ જાડેજા અને બાકીના ક્ષત્રિય નેતાઓ પ્રસ્તાવ મુકશે સમાજના લોકો આગળ કે એક કામ કરીએ આપણે ભેગા થઈને રાજકોટમાં જે ગાયત્રી આશ્રમ છે. ત્યાં લાલબાપુ છે એમની શરણે જઈએ એ જે રીતે કહે એમ કરશું એટલે ત્યારે બાપુ કહેશે કે બધા ક્ષત્રિય સમાજના આગેવાનોને, રાજવી પરિવારને બોલાવો. બીજેપી સાથે સંકડાયેલા રાજવી પરિવાર સિવાય પણ બધાને બોલાવો. પછી બધા ભેગા થાય તો બાપુ એવું કહેશે કે ક્ષત્રિયોએ તો પોતાના દુશમનોને પણ માફ કરેલા છે. રૂપાલાએ વારંવાર માફી પણ માંગી છે. તો એમને માફ કરી દેવા જોઈએ અને જ્યારે સંત આવું કશુંક બોલે ત્યારે મોટાભાગે સમાજ એને સ્વીકારી લેતો હોય છે. તો આખરે આ રીતે માફી આપી દેશે સમાધાન થઈ જશે સમાધાનની આ ફોર્મુલા અત્યારે અમારી સામે છે. અને છેલ્લા કેટલાઈ સમયથી જે ચર્ચાનો વિષય બન્યો છે એ વિવાદનો અંત આવી શકે છે



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?