Rajkotમાં સંત કરશે મધ્યસ્થી। સમજો ક્ષત્રિય સમાજની પરસોત્તમ રૂપાલા સાથેના સમાધાનની ફોર્મ્યુલા!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-29 16:34:58

આજે સાંજે  5 વાગે  ગણેશગઢમાં જયરાજસિંહ જાડેજાની મધ્યસ્થીમાં ક્ષત્રિય સમાજની બેઠક થવાની છે. અમે તમને ક્ષત્રિય સમાજ vs પરષોત્તમ રૂપાલાના વિવાદનું સમાધાન કઈ રીતે આવશે એની સેટ ફોર્મ્યુલા ભાજપની રણનીતિ પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાનું પણ એમાં ઇન્વોલવ થવું બધુજ વિસ્તારથી સમજીએ...   

ઉમેદવાર બદલવાની ઉઠી માગ! 

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતમાં ઘમાસાણ ચાલી રહ્યો છે. વિવિધ જગ્યાઓ પર તેમના નિવેદન બાદ આંદોલનનો શરૂ થયા, તેમના વિરૂદ્ધ નારા લાગ્યા. ક્ષત્રિય સમાજ ખુબ રોષે ભરાયેલો છે. પરષોત્તમ રૂપાલાની સામે કેટલાય સમયથી એ લોકો આંદોલન કરી રહ્યાં છે. સંમેલન મળવાની વાત ચાલી રહી છે. સમાજની માંગણી એ છે કે રાજકોટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને બદલવામાં આવે. જોકે પરષોત્તમ રૂપાલા વારંવાર માફી માંગી ચુક્યા છે અને હવે ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓ અને સી આર પાટીલ અને બધા ભેગા થયા છે મિટિંગ કરી છે અને સમાધાનની ફોર્મ્યુલા શોધાઈ રહી છે.


જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસમાં થવાની છે બેઠક!

એ સમાધાનની ફોર્મ્યુલા વિશે વાત કરીએ તો.. અમારી પાસે જે માહિતી છે એ મુજબ સૂત્ર કહે છે એમ આખી ફોર્મ્યુલા એ રીતે તૈયાર થઇ છે કે ગોંડલના ગણેશગઢમાં સાંજે 5 વાગે જયરાજસિંહ જાડેજાના ફાર્મહોઉસમાં ક્ષત્રિય સમાજના આગેવાનો જેટલી સંસ્થા છે જે વિરોધ કરે છે એ બધા લોકો ત્યાં ભેગા થશે. જયરાજસિંહ આ વિષય પર સમાધાનનું પોતાના માથે લે એવું લાગતું નથી કારણકે  ક્ષત્રિય સમાજ એમના કહ્યા પર બધું સ્વીકારી લે એના અણસાર નથી કેમ કે જે તે સમયે રીબડા સાથે સંઘર્ષ ચાલતો હતો ત્યારે જયરાજસિંહ જાડેજા એ એવું કહ્યું હતું કે આ વાતમાં સમાજે વચ્ચે પડવાનું નથી આવતું. આ અમારો અંગત મામલો છે. તો હવે એ વખતે એમનો અંગત મામલો હતો તો અત્યારે સામાજિક મામલામાં જયરાજસિંહ પોતાના માથા પર લે એવું લાગતું નથી.


જાણો કેવી રીતે ભાજપ લાવશે વિવાદનો અંત?  

એટલે ફોર્મ્યુલા એ છે કે એના પછી જયરાજસિંહ જાડેજા અને બાકીના ક્ષત્રિય નેતાઓ પ્રસ્તાવ મુકશે સમાજના લોકો આગળ કે એક કામ કરીએ આપણે ભેગા થઈને રાજકોટમાં જે ગાયત્રી આશ્રમ છે. ત્યાં લાલબાપુ છે એમની શરણે જઈએ એ જે રીતે કહે એમ કરશું એટલે ત્યારે બાપુ કહેશે કે બધા ક્ષત્રિય સમાજના આગેવાનોને, રાજવી પરિવારને બોલાવો. બીજેપી સાથે સંકડાયેલા રાજવી પરિવાર સિવાય પણ બધાને બોલાવો. પછી બધા ભેગા થાય તો બાપુ એવું કહેશે કે ક્ષત્રિયોએ તો પોતાના દુશમનોને પણ માફ કરેલા છે. રૂપાલાએ વારંવાર માફી પણ માંગી છે. તો એમને માફ કરી દેવા જોઈએ અને જ્યારે સંત આવું કશુંક બોલે ત્યારે મોટાભાગે સમાજ એને સ્વીકારી લેતો હોય છે. તો આખરે આ રીતે માફી આપી દેશે સમાધાન થઈ જશે સમાધાનની આ ફોર્મુલા અત્યારે અમારી સામે છે. અને છેલ્લા કેટલાઈ સમયથી જે ચર્ચાનો વિષય બન્યો છે એ વિવાદનો અંત આવી શકે છે



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.