Banaskanthaમાં સર્જાયો ગંભીર અકસ્માત, દૂધ લેવા નીકળેલા દાદા અને પૌત્રને મળ્યું કમકમાટીભર્યું મોત, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-16 16:26:29

રાજ્યમાં અકસ્માત સર્જાવાની ઘટનામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. બેદરકારીને કારણે અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે. અમદાવાદમાં મહિના પહેલા એક અકસ્માત થયો હતો જેમાં નશાની હાલતમાં નબીરાએ 10 નિર્દોષ લોકોને અટફેટે લઈ લીધા હતા. અમદાવાદના અકસ્માત બાદ છાશવારે અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં ડ્રાઈવર દ્વારા કરવામાં આવેલી ભૂલ બીજા માટે સજારૂપ બને છે. બનાસકાંઠામાં એક અકસ્માત થયો છે જેમાં દાદા અને પૌત્રનું ઘટનાસ્થળ પર મોત નિપજ્યું હતું. 


સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્ટંટ કરતા લોકોના વીડિયો  

મોત ક્યારે, ક્યાં અને કેવી રીતે આવશે તે આપણે જાણી શક્તા નથી. કોઈ હાર્ટ એટેકને કારણે મોતને ભેટે છે તો કોઈ અકસ્માતમાં મૃત્યુ પામે છે. કોઈ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવે છે. અકસ્માતોની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. અનેક પરિવારોએ અકસ્માતમાં પોતાના સ્વજનને ગુમાવ્યા છે. અમદાવાદમાં તથ્યકાંડ બાદ અનેક એવા વીડિયો સામે આવી રહ્યા છે જેમાં લોકો સ્ટંટ કરતા દેખાય છે. 

કારે દાદા અને બે પૌત્રને ઉછાળ્યા.

ઘટનાસ્થળ પર થયા દાદા અને પૌત્રનું મોત

ઝડપની મજા અનેક વખત બીજા માટે મોતની સજા બની સાબિત થતી હોય છે. ત્યારે દિલને કંપાવી દે તેવો અકસ્માત બનાસકાંઠામાં સર્જાયો છે. અમીરગઢના રામજિયાની પાટિયા પાસે આ અકસ્માત સર્જાયો છે જેમાં દૂધ લેવા જતા દાદા અને બે પૌત્રો અકસ્માતનો ભોગ બન્યા છે. દાદા અને પૌત્રનું મોત ઘટના સ્થળ પર થઈ ગયો હતું. જ્યારે એક પૌત્રની હાલત ગંભીર છે તેવી માહિતી સામે આવી રહી છે.  

મૃતક દાદા અને પૌત્રની ફાઇલ તસવીર.

પરિવારના બે સભ્યોની ચીર વિદાયથી પરિવાર શોકમગ્ન 

આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. એક દીકરીનો જીવ જતા જતા બચ્યો હતો. જો થોડા સેકેન્ડ મોડો ન પડી હોત તો એ પણ અકસ્માતનો ભોગ બની શક્તી હતી.અકસ્માતની પોલીસને જાણ થતાં જ પોલીસ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. રાજસ્થાન તરફથી ફૂલ સ્પીડમાં આવી રહેલી ગાડીએ આ અકસ્માત સર્જ્યો છે. પાલનપુર નજીક આવેલા નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. બે સભ્યોના એક સાથે મોત થવાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.   



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે