Banaskanthaમાં સર્જાયો ગંભીર અકસ્માત, દૂધ લેવા નીકળેલા દાદા અને પૌત્રને મળ્યું કમકમાટીભર્યું મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-16 16:26:29

રાજ્યમાં અકસ્માત સર્જાવાની ઘટનામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. બેદરકારીને કારણે અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે. અમદાવાદમાં મહિના પહેલા એક અકસ્માત થયો હતો જેમાં નશાની હાલતમાં નબીરાએ 10 નિર્દોષ લોકોને અટફેટે લઈ લીધા હતા. અમદાવાદના અકસ્માત બાદ છાશવારે અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં ડ્રાઈવર દ્વારા કરવામાં આવેલી ભૂલ બીજા માટે સજારૂપ બને છે. બનાસકાંઠામાં એક અકસ્માત થયો છે જેમાં દાદા અને પૌત્રનું ઘટનાસ્થળ પર મોત નિપજ્યું હતું. 


સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્ટંટ કરતા લોકોના વીડિયો  

મોત ક્યારે, ક્યાં અને કેવી રીતે આવશે તે આપણે જાણી શક્તા નથી. કોઈ હાર્ટ એટેકને કારણે મોતને ભેટે છે તો કોઈ અકસ્માતમાં મૃત્યુ પામે છે. કોઈ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવે છે. અકસ્માતોની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. અનેક પરિવારોએ અકસ્માતમાં પોતાના સ્વજનને ગુમાવ્યા છે. અમદાવાદમાં તથ્યકાંડ બાદ અનેક એવા વીડિયો સામે આવી રહ્યા છે જેમાં લોકો સ્ટંટ કરતા દેખાય છે. 

કારે દાદા અને બે પૌત્રને ઉછાળ્યા.

ઘટનાસ્થળ પર થયા દાદા અને પૌત્રનું મોત

ઝડપની મજા અનેક વખત બીજા માટે મોતની સજા બની સાબિત થતી હોય છે. ત્યારે દિલને કંપાવી દે તેવો અકસ્માત બનાસકાંઠામાં સર્જાયો છે. અમીરગઢના રામજિયાની પાટિયા પાસે આ અકસ્માત સર્જાયો છે જેમાં દૂધ લેવા જતા દાદા અને બે પૌત્રો અકસ્માતનો ભોગ બન્યા છે. દાદા અને પૌત્રનું મોત ઘટના સ્થળ પર થઈ ગયો હતું. જ્યારે એક પૌત્રની હાલત ગંભીર છે તેવી માહિતી સામે આવી રહી છે.  

મૃતક દાદા અને પૌત્રની ફાઇલ તસવીર.

પરિવારના બે સભ્યોની ચીર વિદાયથી પરિવાર શોકમગ્ન 

આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. એક દીકરીનો જીવ જતા જતા બચ્યો હતો. જો થોડા સેકેન્ડ મોડો ન પડી હોત તો એ પણ અકસ્માતનો ભોગ બની શક્તી હતી.અકસ્માતની પોલીસને જાણ થતાં જ પોલીસ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. રાજસ્થાન તરફથી ફૂલ સ્પીડમાં આવી રહેલી ગાડીએ આ અકસ્માત સર્જ્યો છે. પાલનપુર નજીક આવેલા નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. બે સભ્યોના એક સાથે મોત થવાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.