Banaskanthaમાં સર્જાયો ગંભીર અકસ્માત, દૂધ લેવા નીકળેલા દાદા અને પૌત્રને મળ્યું કમકમાટીભર્યું મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-16 16:26:29

રાજ્યમાં અકસ્માત સર્જાવાની ઘટનામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. બેદરકારીને કારણે અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે. અમદાવાદમાં મહિના પહેલા એક અકસ્માત થયો હતો જેમાં નશાની હાલતમાં નબીરાએ 10 નિર્દોષ લોકોને અટફેટે લઈ લીધા હતા. અમદાવાદના અકસ્માત બાદ છાશવારે અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં ડ્રાઈવર દ્વારા કરવામાં આવેલી ભૂલ બીજા માટે સજારૂપ બને છે. બનાસકાંઠામાં એક અકસ્માત થયો છે જેમાં દાદા અને પૌત્રનું ઘટનાસ્થળ પર મોત નિપજ્યું હતું. 


સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્ટંટ કરતા લોકોના વીડિયો  

મોત ક્યારે, ક્યાં અને કેવી રીતે આવશે તે આપણે જાણી શક્તા નથી. કોઈ હાર્ટ એટેકને કારણે મોતને ભેટે છે તો કોઈ અકસ્માતમાં મૃત્યુ પામે છે. કોઈ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવે છે. અકસ્માતોની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. અનેક પરિવારોએ અકસ્માતમાં પોતાના સ્વજનને ગુમાવ્યા છે. અમદાવાદમાં તથ્યકાંડ બાદ અનેક એવા વીડિયો સામે આવી રહ્યા છે જેમાં લોકો સ્ટંટ કરતા દેખાય છે. 

કારે દાદા અને બે પૌત્રને ઉછાળ્યા.

ઘટનાસ્થળ પર થયા દાદા અને પૌત્રનું મોત

ઝડપની મજા અનેક વખત બીજા માટે મોતની સજા બની સાબિત થતી હોય છે. ત્યારે દિલને કંપાવી દે તેવો અકસ્માત બનાસકાંઠામાં સર્જાયો છે. અમીરગઢના રામજિયાની પાટિયા પાસે આ અકસ્માત સર્જાયો છે જેમાં દૂધ લેવા જતા દાદા અને બે પૌત્રો અકસ્માતનો ભોગ બન્યા છે. દાદા અને પૌત્રનું મોત ઘટના સ્થળ પર થઈ ગયો હતું. જ્યારે એક પૌત્રની હાલત ગંભીર છે તેવી માહિતી સામે આવી રહી છે.  

મૃતક દાદા અને પૌત્રની ફાઇલ તસવીર.

પરિવારના બે સભ્યોની ચીર વિદાયથી પરિવાર શોકમગ્ન 

આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. એક દીકરીનો જીવ જતા જતા બચ્યો હતો. જો થોડા સેકેન્ડ મોડો ન પડી હોત તો એ પણ અકસ્માતનો ભોગ બની શક્તી હતી.અકસ્માતની પોલીસને જાણ થતાં જ પોલીસ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. રાજસ્થાન તરફથી ફૂલ સ્પીડમાં આવી રહેલી ગાડીએ આ અકસ્માત સર્જ્યો છે. પાલનપુર નજીક આવેલા નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. બે સભ્યોના એક સાથે મોત થવાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.   



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.