Gandhinagarમાં ગમખ્વાર અકસ્માત, ઝાડ સાથે ગાડી અથડાતા થયા પાંચ લોકોના મોત! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-17 11:59:41

રસ્તા પર વાહન ચલાવતી વખતે અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે. બીજાના ભૂલની સજા અનેક લોકોને ભોગવવી પડતી હોય છે. તહેવાર દરમિયાન અનેક કિસ્સાઓ અકસ્માતના બન્યા છે જેમાં લોકો મોતને ભેટ્યા છે. ખુશીના સમયે જો કોઈનું મોત થાય છે આનંદનો માહોલ શોકમાં પરિવર્તિત થાય છે. ત્યારે ગાંધીનગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં પાંચ લોકોના મોત થયા છે. આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર બધા મૃતકો પિતરાઈ ભાઈઓ હતા. આ અકસ્માત ગાંધીનગરના પેથાપુર ચાર રસ્તાથી રાંધેજા ચોકડી પાસે બન્યો હતો. કારના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ગાડી ઝાડ સાથે અથડાઈ. આ અકસ્માત એટલો બધો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો ઉપરાંત પાંચ લોકોના મોત થઈ ગયા. 

 કારમાં સવાર તમામ મુસાફરો માણસાના વતની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 ગાંધીનગર: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો થયાવત જોવા મળી રહ્યો છે. ફરી એક વખત ગમખ્વાર કાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ગઇકાલે રાત્રે ગાંધીનગરમાં કારને અકસ્માત નડ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ગઇકાલે રાત્રે ફિલ્મ જોઇને પરત ફરતી વખતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. રાંધેજા નજીક કાર વૃક્ષ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

ગાંધીનગરમાં અકસ્માત જેમાં થયા પાંચ લોકોના મોત  

અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતમાં થયા છે. અનેક વખત ઝડપની મજા મોતની સજામાં પરિવર્તિત થઈ જતી હોય છે. ઓવર સ્પીડિંગને કારણે અનેક અકસ્માત સર્જાય છે અને તે જીવલેણ સાબિત થાય છે અનેક લોકો માટે. રસ્તાઓને અનેક નબીરાઓ પોતાના બાપનો બગીચો સમજતા હોય છે અને એવી રીતે રસ્તા પર ડ્રાઈવિંગ કરતા હોય છે જે બીજાના પ્રાણ માટે ઘાતક સાબિત થાય છે. ત્યારે ગાંધીનગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં પાંચ લોકોના મોત થયા છે. ઝાડ સાથે ગાડી અથડાઈ અને લોકો મોતને ભેટ્યા છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. 

 પ્રથામિક માહિતી અનુસાર, કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમવતા અકસ્માત સર્જાયો હતો. જે બાદ કાર ઝાડ સાથે અથડાઈ હતી. કારમાં છ લોકો સવાર હતા. જેમાંથી પાંચ લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ઝાડ સાથે ગાડી અથડાતા સર્જાઈ દુર્ઘટના  

જે અકસ્માતની વાત અહીં થઈ રહી છે તે ગાંધીનગરનાં પેથાપુર ચાર રસ્તાથી રાંધેજા ચોકડી પાસે થઈ હતી. પેથાપુર ચાર રસ્તાથી રાંધેજા ચોકડી તરફ જતાં હાઇવે રોડ પર અકસ્માત બન્યો છે. સ્વીફટ ગાડીના ચાલકે પોતાની કારના સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દીધો અને ગાડી નીચે ઉતરી ગઈ અને ઝાડ સાથે અથડાઈ ગઈ. વૃક્ષ સાથે ગાડી અથડાતા ગાડીની દુર્દશા થઈ ગઈ હતી. આ અકસ્માતમાં પાંચ જણાના મોત થયા છે તેવી માહિતી સામે આવી છે. 

 મૃતકોના નામ: સલમાન ચૌહાણ, સાહિલ ચૌહાણ, અસ્ફાક ચૌહાણ, મોહંમદ બેલીમ, મોહંમદ અલ્ફાઝ. જ્યારે શાહનવાબ ચૌહાણ ઇજાગ્રસ્ત છે.

જે લોકોના મોત થયા તે પિતરાઈ ભાઈઓ હતા!

આ અકસ્માતમાં જે લોકો મૃત્યુ પામ્યા છે તે પિતરાઈ ભાઈઓ હતા. એક સાથે પાંચ લોકોના મોત થતા પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. શોકનું મોજુ ફરી વળ્યું છે. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. એવી માહિતી સામે આવી છે કે પિતરાઈ ભાઈઓ ફિલ્મ જોઈને પાછા આવી રહ્યા હતા અને તે વખતે અકસ્માત સર્જાયો હતો. ઘટનાસ્થળ પર પહોંચી પોલીસે તપાસ હાથ ધરી છે. 

 રોડની સાઈડમાં ઝાડ સાથે કાર અથડાતા અકસ્માત, 5 લોકોના મોત નિપજ્યા


ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .