Mahisagarમાં સર્જાયો ગંભીર અકસ્માત, ટ્રાવેલર્સ અને બાઈક વચ્ચે ટક્કર થતા એક મહિલાઓ ગુમાવ્યો જીવ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-21 17:03:40

અકસ્માતોના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અકસ્માતમાં અનેક આશાવાદી લોકોના મોત થયા છે. અનેક વખત અકસ્માતમાં બાળકોના મોત થયા છે જેમણે હજી દુનિયાને પણ નથી જોઈ. ત્યારે વધુ એક અકસ્માત મહીસાગરમાં થયો છે જેમાં એક યુવતીનું મોત ઘટનાસ્થળ પર થયું છે. આ અકસ્માત ગોધરા લુણાવાડા હાઇવે પર  બાઈક અને ટ્રાવેલ્સ  વચ્ચે સર્જાયો છે. આ ગોજારા અકસ્માતમાં એક યુવતીનું મોત થયું છે. એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે. 


અકસ્માત સર્જી ડ્રાઈવર થયો ફરાર

હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે. લોકો તહેવારમાં ઉત્સાહિત હોય છે, આનંદ સાથે તહેવારની ઉજવણી કરવામાં આવે છે પરંતુ અનેક પરિવારો માટે તહેવાર માતમમાં પરિવર્તિત થઈ જતો હોય છે. અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ અકસ્માતમાં ગુમાવ્યો છે. સામે વાળાના ભૂલની સજા બીજા લોકોએ ચૂકવવી પડતી હોય છે. ત્યારે વધુ એક ગંભીર અકસ્માત મહીસાગરમાં સર્જાયો છે. ગોધરા હાઇવે ઉપર ચોપડા ગામ પાસે બાઈક અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત થતાં એક મહિલાનું મોત ઘટનાસ્થળ પર થયું છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. સારવાર માટે નજીકની હોસ્પિટલમાં યુવકને લઈ જવાયો છે. અકસ્માત બાદ ટ્રાવેલર્સનો ડ્રાઈવર ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. 

અનેક પરિવારે ગુમાવ્યા છે પોતાના સ્વજન   

હિટ એન્ડ રનની ઘટનાઓ બની રહી છે. અકસ્માત સર્જી વાહનચાલકો ફરાર થઈ જતા હોય છે. કોઈ વખત વાહનચાલક  ગાડી પરથી કાબુ ગુમાવી દેતા હોય છે તો કોઈ નશાની હાલતમાં વાહન ચલાવતા હોય છે. આ ઘટનામાં પોલીસે કેસ દાખલ કર્યો છે. અકસ્માત બાદ ફરાર થઈ ગયેલા ડ્રાઈવરને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું છે કે અનેક નિર્દોષ લોકોએ અનેક પરિવારોએ પોતાના સ્વજનો અકસ્માતમાં ગુમાવ્યા છે. 

અંબાજી જતા ભક્તોને નડ્યો અકસ્માત!

બીજો એક અકસ્માત આજે સર્જાયો છે. અંબાજી દર્શનાર્થે ગયેલા ભક્તોને અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. સુરતના રામપુરા ગામના 8 યાત્રિકોને અકસ્માત નડ્યો છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પંરતુ યાત્રિકોને સામાન્ય ઈજા પહોંચી છે. ખાનપુરના બાબલિયા પાસે ગાડી પલ્ટી હતી અને અકસ્માતનો શિકાર લોકો બન્યા છે. 

 




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.