Mahisagarમાં સર્જાયો ગંભીર અકસ્માત, ટ્રાવેલર્સ અને બાઈક વચ્ચે ટક્કર થતા એક મહિલાઓ ગુમાવ્યો જીવ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-21 17:03:40

અકસ્માતોના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અકસ્માતમાં અનેક આશાવાદી લોકોના મોત થયા છે. અનેક વખત અકસ્માતમાં બાળકોના મોત થયા છે જેમણે હજી દુનિયાને પણ નથી જોઈ. ત્યારે વધુ એક અકસ્માત મહીસાગરમાં થયો છે જેમાં એક યુવતીનું મોત ઘટનાસ્થળ પર થયું છે. આ અકસ્માત ગોધરા લુણાવાડા હાઇવે પર  બાઈક અને ટ્રાવેલ્સ  વચ્ચે સર્જાયો છે. આ ગોજારા અકસ્માતમાં એક યુવતીનું મોત થયું છે. એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે. 


અકસ્માત સર્જી ડ્રાઈવર થયો ફરાર

હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે. લોકો તહેવારમાં ઉત્સાહિત હોય છે, આનંદ સાથે તહેવારની ઉજવણી કરવામાં આવે છે પરંતુ અનેક પરિવારો માટે તહેવાર માતમમાં પરિવર્તિત થઈ જતો હોય છે. અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ અકસ્માતમાં ગુમાવ્યો છે. સામે વાળાના ભૂલની સજા બીજા લોકોએ ચૂકવવી પડતી હોય છે. ત્યારે વધુ એક ગંભીર અકસ્માત મહીસાગરમાં સર્જાયો છે. ગોધરા હાઇવે ઉપર ચોપડા ગામ પાસે બાઈક અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત થતાં એક મહિલાનું મોત ઘટનાસ્થળ પર થયું છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. સારવાર માટે નજીકની હોસ્પિટલમાં યુવકને લઈ જવાયો છે. અકસ્માત બાદ ટ્રાવેલર્સનો ડ્રાઈવર ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. 

અનેક પરિવારે ગુમાવ્યા છે પોતાના સ્વજન   

હિટ એન્ડ રનની ઘટનાઓ બની રહી છે. અકસ્માત સર્જી વાહનચાલકો ફરાર થઈ જતા હોય છે. કોઈ વખત વાહનચાલક  ગાડી પરથી કાબુ ગુમાવી દેતા હોય છે તો કોઈ નશાની હાલતમાં વાહન ચલાવતા હોય છે. આ ઘટનામાં પોલીસે કેસ દાખલ કર્યો છે. અકસ્માત બાદ ફરાર થઈ ગયેલા ડ્રાઈવરને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું છે કે અનેક નિર્દોષ લોકોએ અનેક પરિવારોએ પોતાના સ્વજનો અકસ્માતમાં ગુમાવ્યા છે. 

અંબાજી જતા ભક્તોને નડ્યો અકસ્માત!

બીજો એક અકસ્માત આજે સર્જાયો છે. અંબાજી દર્શનાર્થે ગયેલા ભક્તોને અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. સુરતના રામપુરા ગામના 8 યાત્રિકોને અકસ્માત નડ્યો છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પંરતુ યાત્રિકોને સામાન્ય ઈજા પહોંચી છે. ખાનપુરના બાબલિયા પાસે ગાડી પલ્ટી હતી અને અકસ્માતનો શિકાર લોકો બન્યા છે. 

 




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.