Rajasthanમાં તથ્યવાળી! બસ બગડતા રસ્તા પર ઉભેલા લોકોને ટ્રકે મારી ટક્કર, ઘટનામાં થયા આટલા લોકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-13 09:15:07

દેશભરમાં અકસ્માતોની સંખ્યા સતત વધતી જઈ રહી છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થયા છે. ત્યારે રાજસ્થાનમાં એક ભીષણ રોડ અકસ્માત થયો છે જેમાં 11 લોકોના મોત થયા છે જ્યારે અનેક ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર  બસ અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ છે. 


ઘટનામાં થયા 11 લોકોના મોત 

જે બસને અકસ્માત નડ્યો છે તે ભાવનગરથી મથુરા જઈ રહેલી હતી. રસ્તાની સાઈડ પર બસ ઉભી હતી. બસ બગડવાને કારણે બસ સાઈડમાં ઉભી રહી હતી. બસ રિપેર થઈ રહી હતી જેને કારણે પેસેન્જરો સાઈડમાં ઉભા હતા. ત્યારે પાછળથી આવી રહેલી ટ્રકે લોકોને અડફેટે લઈ લીધા હતા. આ ઘટનામાં 11 જેટલા લોકોના મોત થયા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો છે.   


ગુજરાતના ભાવનગરથી મથુરા જઈ રહ્યા હતા યાત્રિકો 

રાજસ્થાનના ભરતપુરમાં આ ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા છે. આ અકસ્માત આગ્રા જયપુર નેશનલ હાઈવે-21 પર સર્જાયો છે. હંતારા પાસે આ અકસ્માત સવારે 5.30 વાગ્યે સર્જાયો છે. ઘટનામાં 6 મહિલાઓ અને પાંચ પુરૂષોના મોત થયા છે. 



રસ્તાના સાઈડ પર ઉભેલા લોકોને ટ્રકે મારી ટક્કર 

આ દુર્ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તે તમામ ગુજરાતીઓ છે અને ભાવનગરના રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર ગુજરાતના ભાવનગરથી મુસાફરો મથુરા જઈ રહ્યા હતા. બસ બગડી ગઈ હતી જેને કારણે બસનું રિપેરિંગ ચાલી રહ્યું હતું. લોકો સાઈડમાં ઉભા હતા. આ દરમિયાન ટ્રકે લોકોને ટક્કર મારી અને રસ્તાની સાઈડમાં ઉભેલા લોકોને કચડતી જતી રહી. 


આ મામલે પોલીસે તપાસ શરૂ કરી 

અકસ્માત એટલો ગંભીર હતો કે રસ્તા પર લાશોના ઢગલા પડ્યા હતા. ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે કયા વાહને ટક્કર મારી તે જાણી શકાયું નથી. ઘટના સ્થળ પર આવી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .