Rajasthanમાં તથ્યવાળી! બસ બગડતા રસ્તા પર ઉભેલા લોકોને ટ્રકે મારી ટક્કર, ઘટનામાં થયા આટલા લોકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-13 09:15:07

દેશભરમાં અકસ્માતોની સંખ્યા સતત વધતી જઈ રહી છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થયા છે. ત્યારે રાજસ્થાનમાં એક ભીષણ રોડ અકસ્માત થયો છે જેમાં 11 લોકોના મોત થયા છે જ્યારે અનેક ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર  બસ અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ છે. 


ઘટનામાં થયા 11 લોકોના મોત 

જે બસને અકસ્માત નડ્યો છે તે ભાવનગરથી મથુરા જઈ રહેલી હતી. રસ્તાની સાઈડ પર બસ ઉભી હતી. બસ બગડવાને કારણે બસ સાઈડમાં ઉભી રહી હતી. બસ રિપેર થઈ રહી હતી જેને કારણે પેસેન્જરો સાઈડમાં ઉભા હતા. ત્યારે પાછળથી આવી રહેલી ટ્રકે લોકોને અડફેટે લઈ લીધા હતા. આ ઘટનામાં 11 જેટલા લોકોના મોત થયા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો છે.   


ગુજરાતના ભાવનગરથી મથુરા જઈ રહ્યા હતા યાત્રિકો 

રાજસ્થાનના ભરતપુરમાં આ ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા છે. આ અકસ્માત આગ્રા જયપુર નેશનલ હાઈવે-21 પર સર્જાયો છે. હંતારા પાસે આ અકસ્માત સવારે 5.30 વાગ્યે સર્જાયો છે. ઘટનામાં 6 મહિલાઓ અને પાંચ પુરૂષોના મોત થયા છે. 



રસ્તાના સાઈડ પર ઉભેલા લોકોને ટ્રકે મારી ટક્કર 

આ દુર્ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તે તમામ ગુજરાતીઓ છે અને ભાવનગરના રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર ગુજરાતના ભાવનગરથી મુસાફરો મથુરા જઈ રહ્યા હતા. બસ બગડી ગઈ હતી જેને કારણે બસનું રિપેરિંગ ચાલી રહ્યું હતું. લોકો સાઈડમાં ઉભા હતા. આ દરમિયાન ટ્રકે લોકોને ટક્કર મારી અને રસ્તાની સાઈડમાં ઉભેલા લોકોને કચડતી જતી રહી. 


આ મામલે પોલીસે તપાસ શરૂ કરી 

અકસ્માત એટલો ગંભીર હતો કે રસ્તા પર લાશોના ઢગલા પડ્યા હતા. ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે કયા વાહને ટક્કર મારી તે જાણી શકાયું નથી. ઘટના સ્થળ પર આવી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.  



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .