આણંદ - અમદાવાદ વડોદરા હાઈવે પર સર્જાયો ગંભીર અકસ્માત, ટ્રક અને બસ વચ્ચે અકસ્માત, 6 લોકોના મોત


  • Published By :
  • Published Date : 2024-07-15 11:41:51

આણંદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં 6 લોકોના મોત થઈ ગયા છે જ્યારે 8 જેટલા લોકો ઘાયલ થયા છે.. ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. માહિતી અનુસાર ત્રણ લોકોના મોત ઘટના સ્થળ પર થઈ ગયા જ્યારે ત્રણ લોકોના મોત સારવાર દરમિયાન થયા છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધી શકે તેવી સંભાવના છે. મહારાષ્ટ્રથી રાજસ્થાન તરફ જઈ રહેલી બસને અકસ્માત નડ્યો છે. માહિતી અનુસાર ટ્રકનું ટાયર ફાટ્યું જેને કારણે ટ્રકે બસને ટક્કર મારી જેને કારણે બસ ડિવાઈડર પર બેઠેલા લોકો પર ફરી વળી.. 

ઘટના સ્થળ પર થયા 3 લોકોના મોત.. 

અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.. પ્રતિદિન અકસ્માતમાં અનેક લોકો મૃત્યુ પામી રહ્યા છે.. અનેક અકસ્માતો એટલા ગંભીર હોય છે જેમાં અનેક લોકોના મોત થતા હોય છે.. થોડા સમય પહેલા ઉન્નાવમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં 18 જેટલા લોકોના મોત થઈ ગયા હતા જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.. ત્યારે એક ગંભીર અકસ્માત આણંદ નજીક સર્જાયો છે. ખાનગી બસ અને ટ્રકની ટક્કર થતા 6 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સારવાર માટે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.



આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની સંભાવના.. 

અકસ્માત અંગે મળેલી માહિતી અનુસાર ત્રણ લોકોના મોત ઘટના સ્થળ પર થઈ ગયા જ્યારે ત્રણ લોકોના મોત સારવાર દરમિયાન થયા છે. મહારાષ્ટ્રથી રાજસ્થાન તરફ જઈ રહેલી બસને અકસ્માત નડ્યો છે. માહિતી અનુસાર ટ્રકનું ટાયર ફાટ્યું જેને કારણે ટ્રકે બસને ટક્કર મારી જેને કારણે બસ ડિવાઈડર પર બેઠેલા લોકો પર ફરી વળી.. ઘટનાની જાણ થતા પોલીસ તેમજ 108ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. આ ઘટનામાં મૃત્યુઆંક વધી શકે તેવી સંભાવના છે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.