આણંદ - અમદાવાદ વડોદરા હાઈવે પર સર્જાયો ગંભીર અકસ્માત, ટ્રક અને બસ વચ્ચે અકસ્માત, 6 લોકોના મોત


  • Published By :
  • Published Date : 2024-07-15 11:41:51

આણંદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં 6 લોકોના મોત થઈ ગયા છે જ્યારે 8 જેટલા લોકો ઘાયલ થયા છે.. ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. માહિતી અનુસાર ત્રણ લોકોના મોત ઘટના સ્થળ પર થઈ ગયા જ્યારે ત્રણ લોકોના મોત સારવાર દરમિયાન થયા છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધી શકે તેવી સંભાવના છે. મહારાષ્ટ્રથી રાજસ્થાન તરફ જઈ રહેલી બસને અકસ્માત નડ્યો છે. માહિતી અનુસાર ટ્રકનું ટાયર ફાટ્યું જેને કારણે ટ્રકે બસને ટક્કર મારી જેને કારણે બસ ડિવાઈડર પર બેઠેલા લોકો પર ફરી વળી.. 

ઘટના સ્થળ પર થયા 3 લોકોના મોત.. 

અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.. પ્રતિદિન અકસ્માતમાં અનેક લોકો મૃત્યુ પામી રહ્યા છે.. અનેક અકસ્માતો એટલા ગંભીર હોય છે જેમાં અનેક લોકોના મોત થતા હોય છે.. થોડા સમય પહેલા ઉન્નાવમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં 18 જેટલા લોકોના મોત થઈ ગયા હતા જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.. ત્યારે એક ગંભીર અકસ્માત આણંદ નજીક સર્જાયો છે. ખાનગી બસ અને ટ્રકની ટક્કર થતા 6 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સારવાર માટે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.



આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની સંભાવના.. 

અકસ્માત અંગે મળેલી માહિતી અનુસાર ત્રણ લોકોના મોત ઘટના સ્થળ પર થઈ ગયા જ્યારે ત્રણ લોકોના મોત સારવાર દરમિયાન થયા છે. મહારાષ્ટ્રથી રાજસ્થાન તરફ જઈ રહેલી બસને અકસ્માત નડ્યો છે. માહિતી અનુસાર ટ્રકનું ટાયર ફાટ્યું જેને કારણે ટ્રકે બસને ટક્કર મારી જેને કારણે બસ ડિવાઈડર પર બેઠેલા લોકો પર ફરી વળી.. ઘટનાની જાણ થતા પોલીસ તેમજ 108ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. આ ઘટનામાં મૃત્યુઆંક વધી શકે તેવી સંભાવના છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .