આણંદ - અમદાવાદ વડોદરા હાઈવે પર સર્જાયો ગંભીર અકસ્માત, ટ્રક અને બસ વચ્ચે અકસ્માત, 6 લોકોના મોત


  • Published By :
  • Published Date : 2024-07-15 11:41:51

આણંદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં 6 લોકોના મોત થઈ ગયા છે જ્યારે 8 જેટલા લોકો ઘાયલ થયા છે.. ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. માહિતી અનુસાર ત્રણ લોકોના મોત ઘટના સ્થળ પર થઈ ગયા જ્યારે ત્રણ લોકોના મોત સારવાર દરમિયાન થયા છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધી શકે તેવી સંભાવના છે. મહારાષ્ટ્રથી રાજસ્થાન તરફ જઈ રહેલી બસને અકસ્માત નડ્યો છે. માહિતી અનુસાર ટ્રકનું ટાયર ફાટ્યું જેને કારણે ટ્રકે બસને ટક્કર મારી જેને કારણે બસ ડિવાઈડર પર બેઠેલા લોકો પર ફરી વળી.. 

ઘટના સ્થળ પર થયા 3 લોકોના મોત.. 

અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.. પ્રતિદિન અકસ્માતમાં અનેક લોકો મૃત્યુ પામી રહ્યા છે.. અનેક અકસ્માતો એટલા ગંભીર હોય છે જેમાં અનેક લોકોના મોત થતા હોય છે.. થોડા સમય પહેલા ઉન્નાવમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં 18 જેટલા લોકોના મોત થઈ ગયા હતા જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.. ત્યારે એક ગંભીર અકસ્માત આણંદ નજીક સર્જાયો છે. ખાનગી બસ અને ટ્રકની ટક્કર થતા 6 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સારવાર માટે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.



આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની સંભાવના.. 

અકસ્માત અંગે મળેલી માહિતી અનુસાર ત્રણ લોકોના મોત ઘટના સ્થળ પર થઈ ગયા જ્યારે ત્રણ લોકોના મોત સારવાર દરમિયાન થયા છે. મહારાષ્ટ્રથી રાજસ્થાન તરફ જઈ રહેલી બસને અકસ્માત નડ્યો છે. માહિતી અનુસાર ટ્રકનું ટાયર ફાટ્યું જેને કારણે ટ્રકે બસને ટક્કર મારી જેને કારણે બસ ડિવાઈડર પર બેઠેલા લોકો પર ફરી વળી.. ઘટનાની જાણ થતા પોલીસ તેમજ 108ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. આ ઘટનામાં મૃત્યુઆંક વધી શકે તેવી સંભાવના છે. 



૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.