વહેલી સવારે વડોદરા નેશનલ હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 6 લોકોના થયા કમકમાટી ભર્યા મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 09:49:45

રાજસ્થાનના ભીલવાડાથી મુંબઈ જતી બસને અકસ્માત નડ્યો છે. વડોદરાના કપુરાઈ બ્રિજ નેશનલ હાઈવ નજીક ઓવરટેક કરવા જતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. 

અકસ્માતમાં 6 લોકોના મોત

રાજ્યમાં પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગંભીર અકસ્માત થવાને કારણે અનેક લોકો માતને ભેટે છે તો અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે. ત્યારે વહેલી સવારે લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બસ રાજસ્થાનના ભીલવાડાથી મુબંઈ તરફ જઈ રહી હતી. અકસ્માત થયા અંદાજીત 6 લોકોના મોત નિપજ્યા છે. મૃત્યુનો આંક વધી શકે છે. 


અકસ્માત સર્જી ટ્રક ડ્રાઈવર થયો ફરાર  

પ્રાપ્ત માહિતી અનુસાર ઓવરકેટ કરતી વખતે બસ ઘઉં ભરેલા ટ્રેલર સાથે ભટકાઈ હતી. એવો જોરદાર અકસ્માત થયો હતો કે બસના પતરા કાપી ઈજાગ્રસ્તોને બહાર કાઠવામાં આવ્યા હતા. અંદાજીત 6 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા ટ્રેલરનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ફાયર બ્રિજેડની ટીમે ઘટના સ્થળે આવી બચાવની કામગીરી હાથ ધરી હતી. પોલીસે આ ઘટના તપાસ હાથ ધરી છે.         



લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી ગયું છે. આજે ફોર્મની ચકાસણી કરાઈ. આ બધા વચ્ચે ગેનીબેન ઠાકોર પર પાલનપુરના પૂર્વ ધારાસભ્યએ ગંભીર આરોપો લગાવ્યા છે. ગેનીબેન ઠાકોર દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે.

ગુજરાત માટે ભાજપ પાંચ લાખની લીડ સાથે દરેક બેઠક પર જીત હાંસલ કરશે તેવો લક્ષ્ય રાખ્યો છે. આ લક્ષ્યને પાર કરવા માટે ભાજપનું સંગઠન કામ કરશે. પેજ પ્રમુખ તેમજ સમિતીને આને લઈ જવાબદારી સોંપવામાં આવી છે.

અનેક ઉદાહરણો આપણે જોયા હશે જેમાં માણસો આપણી સામે કંઈ અલગ હોય છે અને બીજાની સામે કંઈ અલગ હોય છે.. પારકી પંચાતમાં અનેક લોકો પોતાની જીંદગીને વેડફી નાખે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બેફામસાહેબની રચના

એક વીડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાના કાર્યક્રમમાં એક યુવાન સ્ટેજ પર ચઢી જાય છે અને સાંસદને સવાલો કરે છે.. કામ અંગે તેમને સવાલ કરે છે. મનસુખ વસાવાએ પ્રશ્નોના જવાબ તો ના આપ્યા પરંતુ તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા.