વહેલી સવારે વડોદરા નેશનલ હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 6 લોકોના થયા કમકમાટી ભર્યા મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 09:49:45

રાજસ્થાનના ભીલવાડાથી મુંબઈ જતી બસને અકસ્માત નડ્યો છે. વડોદરાના કપુરાઈ બ્રિજ નેશનલ હાઈવ નજીક ઓવરટેક કરવા જતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. 

અકસ્માતમાં 6 લોકોના મોત

રાજ્યમાં પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગંભીર અકસ્માત થવાને કારણે અનેક લોકો માતને ભેટે છે તો અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે. ત્યારે વહેલી સવારે લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બસ રાજસ્થાનના ભીલવાડાથી મુબંઈ તરફ જઈ રહી હતી. અકસ્માત થયા અંદાજીત 6 લોકોના મોત નિપજ્યા છે. મૃત્યુનો આંક વધી શકે છે. 


અકસ્માત સર્જી ટ્રક ડ્રાઈવર થયો ફરાર  

પ્રાપ્ત માહિતી અનુસાર ઓવરકેટ કરતી વખતે બસ ઘઉં ભરેલા ટ્રેલર સાથે ભટકાઈ હતી. એવો જોરદાર અકસ્માત થયો હતો કે બસના પતરા કાપી ઈજાગ્રસ્તોને બહાર કાઠવામાં આવ્યા હતા. અંદાજીત 6 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા ટ્રેલરનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ફાયર બ્રિજેડની ટીમે ઘટના સ્થળે આવી બચાવની કામગીરી હાથ ધરી હતી. પોલીસે આ ઘટના તપાસ હાથ ધરી છે.         



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.