વહેલી સવારે વડોદરા નેશનલ હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 6 લોકોના થયા કમકમાટી ભર્યા મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 09:49:45

રાજસ્થાનના ભીલવાડાથી મુંબઈ જતી બસને અકસ્માત નડ્યો છે. વડોદરાના કપુરાઈ બ્રિજ નેશનલ હાઈવ નજીક ઓવરટેક કરવા જતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. 

અકસ્માતમાં 6 લોકોના મોત

રાજ્યમાં પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગંભીર અકસ્માત થવાને કારણે અનેક લોકો માતને ભેટે છે તો અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે. ત્યારે વહેલી સવારે લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બસ રાજસ્થાનના ભીલવાડાથી મુબંઈ તરફ જઈ રહી હતી. અકસ્માત થયા અંદાજીત 6 લોકોના મોત નિપજ્યા છે. મૃત્યુનો આંક વધી શકે છે. 


અકસ્માત સર્જી ટ્રક ડ્રાઈવર થયો ફરાર  

પ્રાપ્ત માહિતી અનુસાર ઓવરકેટ કરતી વખતે બસ ઘઉં ભરેલા ટ્રેલર સાથે ભટકાઈ હતી. એવો જોરદાર અકસ્માત થયો હતો કે બસના પતરા કાપી ઈજાગ્રસ્તોને બહાર કાઠવામાં આવ્યા હતા. અંદાજીત 6 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા ટ્રેલરનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ફાયર બ્રિજેડની ટીમે ઘટના સ્થળે આવી બચાવની કામગીરી હાથ ધરી હતી. પોલીસે આ ઘટના તપાસ હાથ ધરી છે.         



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે