વહેલી સવારે વડોદરા નેશનલ હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 6 લોકોના થયા કમકમાટી ભર્યા મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 09:49:45

રાજસ્થાનના ભીલવાડાથી મુંબઈ જતી બસને અકસ્માત નડ્યો છે. વડોદરાના કપુરાઈ બ્રિજ નેશનલ હાઈવ નજીક ઓવરટેક કરવા જતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. 

અકસ્માતમાં 6 લોકોના મોત

રાજ્યમાં પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગંભીર અકસ્માત થવાને કારણે અનેક લોકો માતને ભેટે છે તો અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે. ત્યારે વહેલી સવારે લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બસ રાજસ્થાનના ભીલવાડાથી મુબંઈ તરફ જઈ રહી હતી. અકસ્માત થયા અંદાજીત 6 લોકોના મોત નિપજ્યા છે. મૃત્યુનો આંક વધી શકે છે. 


અકસ્માત સર્જી ટ્રક ડ્રાઈવર થયો ફરાર  

પ્રાપ્ત માહિતી અનુસાર ઓવરકેટ કરતી વખતે બસ ઘઉં ભરેલા ટ્રેલર સાથે ભટકાઈ હતી. એવો જોરદાર અકસ્માત થયો હતો કે બસના પતરા કાપી ઈજાગ્રસ્તોને બહાર કાઠવામાં આવ્યા હતા. અંદાજીત 6 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા ટ્રેલરનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ફાયર બ્રિજેડની ટીમે ઘટના સ્થળે આવી બચાવની કામગીરી હાથ ધરી હતી. પોલીસે આ ઘટના તપાસ હાથ ધરી છે.         



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .