Vadodaraમાં બની ગંભીર ઘટના, પીકઅપ વાનનું ટાયર ફાટતા કેનાલમાં ખાબકી ગાડી, અનેક લોકોના મોત થયા જ્યારે અનેક લોકો થયા ઈજાગ્રસ્ત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-29 17:39:34

રાજ્યમાં અકસ્મતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.. અકસ્માતને કારણે અનેક લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થતા હોય છે.. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પાણીમાં ડૂબી જવાને કારણે પણ લોકો મોતને ભેટી રહ્યા છે.. ત્યારે વડોદરાથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 4 જેટલા લોકોના મોત થઈ ગયા છે. કોટંબી પાસે પીક અપ વાહનનું ટાયર ફાટ્યું અને આખે આખી વેન નાળામાં પડી ગઈ તેવી માહિતી સામે આવી છે.. ઈજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર ચાલી રહી છે.. 

News18 Gujarati

પાણીમાં ડૂબી જવાથી થયા અનેક લોકોના મોત 

ગુજરાતને જાણે પાણીની ઘાત બેઠી હોય તેવું લાગે છે.. થોડા દિવસોથી અનેક કિસ્સાઓ આવ્યા છે જેમાં પાણીમાં ડૂબી જવાને કારણે લોકોના મોત થયા છે. નર્મદા પાસે જે ઘટના બની તે આપણે જાણીએ છીએ.. તે બાદ પણ અનેક આવી દુર્ઘટના આપણી સામે આવી.. અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.. હાલોલ વડોદરા રોડ પર અકસ્માતની ઘટના બની છે જેમાં બાળકો સહિત ચાર જેટલા લોકોના મોત થઈ ગયા છે.. મળતી માહિતી અનુસાર હાલોલ-વડોદરા રોડ પર આ અકસ્માત સર્જાયો છે.. પીક અપ વાનમાં 10 જેટલા લોકો મમુસાફરી કરી રહ્યા હતા. 


4 લોકોના થયા ઘટનામાં મોત 

મળતી માહિતી અનુસાર પીક અપ વાનનું ટાયર ફાટ્યું અને પીક અપ વાન પાણીમાં ખાબકી ગઈ.. ટાયર ફાટતા ડ્રાઈવરનો ગાડી પરથી કાબુ જતો રહ્યો અને પીક પન વાન પાણીમાં જતી રહી.. 4 લોકોના મોત થયા છે જ્યારે બીજા લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી તેમજ સ્થાનિક લોકોએ રેસ્ક્યુની કામગીરી કરી હતી. આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે..    

   



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.