Vadodaraમાં બની ગંભીર ઘટના, પીકઅપ વાનનું ટાયર ફાટતા કેનાલમાં ખાબકી ગાડી, અનેક લોકોના મોત થયા જ્યારે અનેક લોકો થયા ઈજાગ્રસ્ત


  • Published By :
  • Published Date : 2024-05-29 17:39:34

રાજ્યમાં અકસ્મતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.. અકસ્માતને કારણે અનેક લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થતા હોય છે.. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પાણીમાં ડૂબી જવાને કારણે પણ લોકો મોતને ભેટી રહ્યા છે.. ત્યારે વડોદરાથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 4 જેટલા લોકોના મોત થઈ ગયા છે. કોટંબી પાસે પીક અપ વાહનનું ટાયર ફાટ્યું અને આખે આખી વેન નાળામાં પડી ગઈ તેવી માહિતી સામે આવી છે.. ઈજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર ચાલી રહી છે.. 

News18 Gujarati

પાણીમાં ડૂબી જવાથી થયા અનેક લોકોના મોત 

ગુજરાતને જાણે પાણીની ઘાત બેઠી હોય તેવું લાગે છે.. થોડા દિવસોથી અનેક કિસ્સાઓ આવ્યા છે જેમાં પાણીમાં ડૂબી જવાને કારણે લોકોના મોત થયા છે. નર્મદા પાસે જે ઘટના બની તે આપણે જાણીએ છીએ.. તે બાદ પણ અનેક આવી દુર્ઘટના આપણી સામે આવી.. અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.. હાલોલ વડોદરા રોડ પર અકસ્માતની ઘટના બની છે જેમાં બાળકો સહિત ચાર જેટલા લોકોના મોત થઈ ગયા છે.. મળતી માહિતી અનુસાર હાલોલ-વડોદરા રોડ પર આ અકસ્માત સર્જાયો છે.. પીક અપ વાનમાં 10 જેટલા લોકો મમુસાફરી કરી રહ્યા હતા. 


4 લોકોના થયા ઘટનામાં મોત 

મળતી માહિતી અનુસાર પીક અપ વાનનું ટાયર ફાટ્યું અને પીક અપ વાન પાણીમાં ખાબકી ગઈ.. ટાયર ફાટતા ડ્રાઈવરનો ગાડી પરથી કાબુ જતો રહ્યો અને પીક પન વાન પાણીમાં જતી રહી.. 4 લોકોના મોત થયા છે જ્યારે બીજા લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી તેમજ સ્થાનિક લોકોએ રેસ્ક્યુની કામગીરી કરી હતી. આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે..    

   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.