Vadodaraમાં બની ગંભીર ઘટના, પીકઅપ વાનનું ટાયર ફાટતા કેનાલમાં ખાબકી ગાડી, અનેક લોકોના મોત થયા જ્યારે અનેક લોકો થયા ઈજાગ્રસ્ત


  • Published By :
  • Published Date : 2024-05-29 17:39:34

રાજ્યમાં અકસ્મતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.. અકસ્માતને કારણે અનેક લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થતા હોય છે.. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પાણીમાં ડૂબી જવાને કારણે પણ લોકો મોતને ભેટી રહ્યા છે.. ત્યારે વડોદરાથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 4 જેટલા લોકોના મોત થઈ ગયા છે. કોટંબી પાસે પીક અપ વાહનનું ટાયર ફાટ્યું અને આખે આખી વેન નાળામાં પડી ગઈ તેવી માહિતી સામે આવી છે.. ઈજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર ચાલી રહી છે.. 

News18 Gujarati

પાણીમાં ડૂબી જવાથી થયા અનેક લોકોના મોત 

ગુજરાતને જાણે પાણીની ઘાત બેઠી હોય તેવું લાગે છે.. થોડા દિવસોથી અનેક કિસ્સાઓ આવ્યા છે જેમાં પાણીમાં ડૂબી જવાને કારણે લોકોના મોત થયા છે. નર્મદા પાસે જે ઘટના બની તે આપણે જાણીએ છીએ.. તે બાદ પણ અનેક આવી દુર્ઘટના આપણી સામે આવી.. અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.. હાલોલ વડોદરા રોડ પર અકસ્માતની ઘટના બની છે જેમાં બાળકો સહિત ચાર જેટલા લોકોના મોત થઈ ગયા છે.. મળતી માહિતી અનુસાર હાલોલ-વડોદરા રોડ પર આ અકસ્માત સર્જાયો છે.. પીક અપ વાનમાં 10 જેટલા લોકો મમુસાફરી કરી રહ્યા હતા. 


4 લોકોના થયા ઘટનામાં મોત 

મળતી માહિતી અનુસાર પીક અપ વાનનું ટાયર ફાટ્યું અને પીક અપ વાન પાણીમાં ખાબકી ગઈ.. ટાયર ફાટતા ડ્રાઈવરનો ગાડી પરથી કાબુ જતો રહ્યો અને પીક પન વાન પાણીમાં જતી રહી.. 4 લોકોના મોત થયા છે જ્યારે બીજા લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી તેમજ સ્થાનિક લોકોએ રેસ્ક્યુની કામગીરી કરી હતી. આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે..    

   



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.