Vadodaraમાં બની ગંભીર ઘટના, પીકઅપ વાનનું ટાયર ફાટતા કેનાલમાં ખાબકી ગાડી, અનેક લોકોના મોત થયા જ્યારે અનેક લોકો થયા ઈજાગ્રસ્ત


  • Published By :
  • Published Date : 2024-05-29 17:39:34

રાજ્યમાં અકસ્મતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.. અકસ્માતને કારણે અનેક લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થતા હોય છે.. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પાણીમાં ડૂબી જવાને કારણે પણ લોકો મોતને ભેટી રહ્યા છે.. ત્યારે વડોદરાથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 4 જેટલા લોકોના મોત થઈ ગયા છે. કોટંબી પાસે પીક અપ વાહનનું ટાયર ફાટ્યું અને આખે આખી વેન નાળામાં પડી ગઈ તેવી માહિતી સામે આવી છે.. ઈજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર ચાલી રહી છે.. 

News18 Gujarati

પાણીમાં ડૂબી જવાથી થયા અનેક લોકોના મોત 

ગુજરાતને જાણે પાણીની ઘાત બેઠી હોય તેવું લાગે છે.. થોડા દિવસોથી અનેક કિસ્સાઓ આવ્યા છે જેમાં પાણીમાં ડૂબી જવાને કારણે લોકોના મોત થયા છે. નર્મદા પાસે જે ઘટના બની તે આપણે જાણીએ છીએ.. તે બાદ પણ અનેક આવી દુર્ઘટના આપણી સામે આવી.. અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.. હાલોલ વડોદરા રોડ પર અકસ્માતની ઘટના બની છે જેમાં બાળકો સહિત ચાર જેટલા લોકોના મોત થઈ ગયા છે.. મળતી માહિતી અનુસાર હાલોલ-વડોદરા રોડ પર આ અકસ્માત સર્જાયો છે.. પીક અપ વાનમાં 10 જેટલા લોકો મમુસાફરી કરી રહ્યા હતા. 


4 લોકોના થયા ઘટનામાં મોત 

મળતી માહિતી અનુસાર પીક અપ વાનનું ટાયર ફાટ્યું અને પીક અપ વાન પાણીમાં ખાબકી ગઈ.. ટાયર ફાટતા ડ્રાઈવરનો ગાડી પરથી કાબુ જતો રહ્યો અને પીક પન વાન પાણીમાં જતી રહી.. 4 લોકોના મોત થયા છે જ્યારે બીજા લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી તેમજ સ્થાનિક લોકોએ રેસ્ક્યુની કામગીરી કરી હતી. આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે..    

   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે