Surendranagarથી સામે આવ્યો હચમચાવી દે તેવો કિસ્સો! અંધશ્રદ્ધાના નામે ત્રણ મહિનાની બાળકીને અપાયા ડામ,લથડી તબિયત અને પછી..


  • Published By :
  • Published Date : 2024-05-21 13:51:39

આપણા સમાજમાં અનેક એવી કુપ્રથાઓ છે જે આજે પણ ચાલી રહી છે. આપણે એક તરફ 21મી સદીમાં જીવવાની વાત કરીએ પરંતુ અનેક લોકો એવા છે આજના સમયમાં પણ જે કુપ્રથાઓમાં માને છે.. સમય ગમે તેટલો આગળ કેમ ના વધી જાય પરંતુ તે પોતાની માનસિક્તામાંથી બહાર નથી આવતા.. અંધશ્રદ્ધામાં એટલું બધુ માનવા લાગે છે કે તે કોઈ પણ હદ પાર કરી શકે છે.. અંધશ્રદ્ધાનું એક ઉદાહરણ સુરેન્દ્રનગરથી સામે આવ્યું છે. અંધશ્રદ્ધાએ એક 3 માસની બાળકીનો જીવ લીધો.       


3 મહિનાની બાળકીને લગાવાયા ડામ 

જ્યારે કોઈ બહું બીમાર હોઈએ ત્યારે ડૉક્ટર પણ એવું કહે છે ભગવાનને પ્રાર્થના કરો ભગવાન પર શ્રદ્ધા રાખો અને શ્રદ્ધા સુધી બધુ ઠીક છે પણ શ્રદ્ધા જ્યારે અંધશ્રદ્ધામાં ફેરવાય છે ત્યારે તે જોખમી સાબિત થાય છે.. અંધશ્રદ્ધા અને શ્રદ્ધા વચ્ચે એક પાતળી ભેદ રેખા હોય છે જે ઘણીબધી વાર પાર થઈ જાય છે. સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં અંધશ્રદ્ધાએ એક 3 માસની બાળકીનો જીવ લીધો જોરાવરનગર ખાતે રહેતા પરિવારની ભગવતી નામની 3 માસની બાળકી બીમાર રહેતી એને શરદી તાવ આવતો  પરિવારજનો તેને ભૂવા પાસે લઈ ગયા જ્યાં ભૂવા દ્વારા અગરબત્તીથી બાળકીને અલગ-અલગ ભાગોમાં ડામ આપવામાં આવ્યા હતા. 

પરિવારજનોને આશા હતી કે બાળકી ઠીક થઈ જશે પરંતુ... 

આ દરમિયાન માસુમ બાળકીએ ચીસાચીસ કરી મૂકી છતાં કોઈને જરાય દયા આવી નહીં. ભૂવાએ બાળકી સાજી થઈ જશે તેવું પરિવારજનોએ આશ્વાસન આપ્યું પણ આ કર્યા બાદ બાળકીની તબિયત લથડતા પરિવારજનો તેને સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે લઈ ગયા જ્યાં બાળકીની હાલત વધારે ગંભીર થઈ. તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ સારવાર બાદ માસુમ બાળકીનું મોત થયું..


આવી અનેક ઘટનાઓ છે જ્યાં... 

ડોક્ટર દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.જોરાવરનગર પોલીસે ગુનાની ગંભીરતા જોતા તાત્કાલિક તપાસ હાથ ધરી. પણ પરિવારની એક નાનકડી ભૂલ અને જેના કારણે એમણે પોતાની ફૂલ જેવી દીકરી ખોઈ.. જોકે કઈ પહેલી વાર બનેલી ઘટના નથી. આની પહેલા બનેલી ઘટના હચમચાવી દે એવી છે જેમાં રાજકોટ જિલ્લાના વીંછિયામાં એક દંપતીએ ધાર્મિક વિધિ માટે હવન કુંડમાં પોતાનું માથું હોમી દીધું હતું.


અનેક એવા ઉદાહરણો છે આપણી સામે જેમાં.. 

તાલાલાના ધાવા ગીર ગામની 14 વર્ષીય માસૂમ કિશોરી ધૈર્યાની ચકચારી હત્યામાં તો એક પછી એક જે ઘટસ્ફોટ થયા અને તેણે સંબંધોની પરિભાષા જ બદલી નાંખી. દીકરી ધૈર્યાને વળગાડ હોવાની આશંકાએ તેની વાડીમાં સતત સાત દિવસ સુધી સગા બાપે જ તાંત્રિક વિધિ કરી. અને અંતે એના પર એટલો અત્યાચાર ગુજરાયો તો એનું મોત થયું. ગોંડલમાં મજૂરી કામ કરતા શ્રમિકે પોતાની 2 માસની બીમાર બાળકીને દવાને બદલે ડામ દીધા અને બાળકીનું મૃત્યુ થયું આવા તો અનેક અંધશ્રદ્ધાના કિસ્સાઓ છે...   


અંધશ્રદ્ધા જોખમી થઈ શકે છે સાબિત 

આપણે ત્યાં આજે પણ અનેક એવી કુપ્રથાઓ અને અંધશ્રદ્ધા છે જે વર્ષોથી ચાલી આવી રહી છે. આવી અનેક કુપ્રથાઓ અને અંધશ્રદ્ધા જોખમી પણ હોય છે. ગુજરાતમાં મોટાભાગે સૌરાષ્ટ્ર-કચ્છ અને આદિવાસી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઘણાં વર્ષોથી આવી અનેક કુપ્રથા ચાલી આવે છે જો ગામડાઑમાં આ લોકો ને સરખું જ્ઞાન નહીં આપવામાં આવે તો આ આપના માટે ખૂબ ઘાતક સાબિત થઈ શકે છે. તમારું આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં કહો..  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .