Surendranagarથી સામે આવ્યો હચમચાવી દે તેવો કિસ્સો! અંધશ્રદ્ધાના નામે ત્રણ મહિનાની બાળકીને અપાયા ડામ,લથડી તબિયત અને પછી..


  • Published By :
  • Published Date : 2024-05-21 13:51:39

આપણા સમાજમાં અનેક એવી કુપ્રથાઓ છે જે આજે પણ ચાલી રહી છે. આપણે એક તરફ 21મી સદીમાં જીવવાની વાત કરીએ પરંતુ અનેક લોકો એવા છે આજના સમયમાં પણ જે કુપ્રથાઓમાં માને છે.. સમય ગમે તેટલો આગળ કેમ ના વધી જાય પરંતુ તે પોતાની માનસિક્તામાંથી બહાર નથી આવતા.. અંધશ્રદ્ધામાં એટલું બધુ માનવા લાગે છે કે તે કોઈ પણ હદ પાર કરી શકે છે.. અંધશ્રદ્ધાનું એક ઉદાહરણ સુરેન્દ્રનગરથી સામે આવ્યું છે. અંધશ્રદ્ધાએ એક 3 માસની બાળકીનો જીવ લીધો.       


3 મહિનાની બાળકીને લગાવાયા ડામ 

જ્યારે કોઈ બહું બીમાર હોઈએ ત્યારે ડૉક્ટર પણ એવું કહે છે ભગવાનને પ્રાર્થના કરો ભગવાન પર શ્રદ્ધા રાખો અને શ્રદ્ધા સુધી બધુ ઠીક છે પણ શ્રદ્ધા જ્યારે અંધશ્રદ્ધામાં ફેરવાય છે ત્યારે તે જોખમી સાબિત થાય છે.. અંધશ્રદ્ધા અને શ્રદ્ધા વચ્ચે એક પાતળી ભેદ રેખા હોય છે જે ઘણીબધી વાર પાર થઈ જાય છે. સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં અંધશ્રદ્ધાએ એક 3 માસની બાળકીનો જીવ લીધો જોરાવરનગર ખાતે રહેતા પરિવારની ભગવતી નામની 3 માસની બાળકી બીમાર રહેતી એને શરદી તાવ આવતો  પરિવારજનો તેને ભૂવા પાસે લઈ ગયા જ્યાં ભૂવા દ્વારા અગરબત્તીથી બાળકીને અલગ-અલગ ભાગોમાં ડામ આપવામાં આવ્યા હતા. 

પરિવારજનોને આશા હતી કે બાળકી ઠીક થઈ જશે પરંતુ... 

આ દરમિયાન માસુમ બાળકીએ ચીસાચીસ કરી મૂકી છતાં કોઈને જરાય દયા આવી નહીં. ભૂવાએ બાળકી સાજી થઈ જશે તેવું પરિવારજનોએ આશ્વાસન આપ્યું પણ આ કર્યા બાદ બાળકીની તબિયત લથડતા પરિવારજનો તેને સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે લઈ ગયા જ્યાં બાળકીની હાલત વધારે ગંભીર થઈ. તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ સારવાર બાદ માસુમ બાળકીનું મોત થયું..


આવી અનેક ઘટનાઓ છે જ્યાં... 

ડોક્ટર દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.જોરાવરનગર પોલીસે ગુનાની ગંભીરતા જોતા તાત્કાલિક તપાસ હાથ ધરી. પણ પરિવારની એક નાનકડી ભૂલ અને જેના કારણે એમણે પોતાની ફૂલ જેવી દીકરી ખોઈ.. જોકે કઈ પહેલી વાર બનેલી ઘટના નથી. આની પહેલા બનેલી ઘટના હચમચાવી દે એવી છે જેમાં રાજકોટ જિલ્લાના વીંછિયામાં એક દંપતીએ ધાર્મિક વિધિ માટે હવન કુંડમાં પોતાનું માથું હોમી દીધું હતું.


અનેક એવા ઉદાહરણો છે આપણી સામે જેમાં.. 

તાલાલાના ધાવા ગીર ગામની 14 વર્ષીય માસૂમ કિશોરી ધૈર્યાની ચકચારી હત્યામાં તો એક પછી એક જે ઘટસ્ફોટ થયા અને તેણે સંબંધોની પરિભાષા જ બદલી નાંખી. દીકરી ધૈર્યાને વળગાડ હોવાની આશંકાએ તેની વાડીમાં સતત સાત દિવસ સુધી સગા બાપે જ તાંત્રિક વિધિ કરી. અને અંતે એના પર એટલો અત્યાચાર ગુજરાયો તો એનું મોત થયું. ગોંડલમાં મજૂરી કામ કરતા શ્રમિકે પોતાની 2 માસની બીમાર બાળકીને દવાને બદલે ડામ દીધા અને બાળકીનું મૃત્યુ થયું આવા તો અનેક અંધશ્રદ્ધાના કિસ્સાઓ છે...   


અંધશ્રદ્ધા જોખમી થઈ શકે છે સાબિત 

આપણે ત્યાં આજે પણ અનેક એવી કુપ્રથાઓ અને અંધશ્રદ્ધા છે જે વર્ષોથી ચાલી આવી રહી છે. આવી અનેક કુપ્રથાઓ અને અંધશ્રદ્ધા જોખમી પણ હોય છે. ગુજરાતમાં મોટાભાગે સૌરાષ્ટ્ર-કચ્છ અને આદિવાસી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઘણાં વર્ષોથી આવી અનેક કુપ્રથા ચાલી આવે છે જો ગામડાઑમાં આ લોકો ને સરખું જ્ઞાન નહીં આપવામાં આવે તો આ આપના માટે ખૂબ ઘાતક સાબિત થઈ શકે છે. તમારું આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં કહો..  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.