Ahmedabadમાં બની ફાયરિંગની ઘટના, મજાક મજાકમાં યુવકે ઉપાડી ગન, દબાવ્યું ટ્રિગર, અને પોતાના પર જ થઈ ગયું ફાયરિંગ!


  • Published By :
  • Published Date : 2024-03-11 12:29:46

સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે, રિલ્સ માટે અનેક વખત એવા સ્ટંટ યુવાનો દ્વારા કરવામાં આવતા હોય છે જે આત્મઘાતી સાબિત થતા હોય છે. રીલ બનાવવાના ચક્કરમાં કોઈ વાહન ચાલક ખુલ્લા હાથે વાહન ચલાવે છે તો કોઈ ગન સાથેનો વીડિયો બનાવે છે. સોશિયલ મીડિયા પર લાઈક મેળવવાના ચક્કરમાં લોકો એવું પણ નથી વિચારતા કે આ કરવાના ચક્કરમાં કોઈ દુર્ઘટના સર્જાઈ જશે તો શું થશે? આ વાત અમે અમદાવાદમાં બનેલી ઘટનાને લઈ કરી રહ્યા છીએ જેમાં મજાક મજાકમાં સ્ટંટ કરવા માટે યુવકે હાથમાં ગન લીધી અને ટ્રીગર દબાવી દીધું એમ માનીને કે ગન ખાલી હશે પરંતુ તે ગન ભરેલી હતી.  પોતાની જાતે જ રિવોલ્વરથી ફાયરિંગ કરતા તે વ્યક્તિનું મોત નીપજ્યુ છે. પોલીસે આ ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે. 



મજાક મજાકમાં સર્જાઈ મોટી દુર્ઘટના

આપણે અનેક વખત કહેતા હોઈએ છીએ કે મસ્તી મસ્તીમાં ખસવું થઈ જાય. મજાકમાં કરવામાં આવેલું કામ અનેક વખત પ્રાણઘાતક સાબિત થતું હોય છે. ત્યારે અમદાવાદમાં એક ઘટના બની છે જેમાં યુવકે પોતાને ગોળી મારી દીધી અને એ પણ મજાક મજાકમાં...! વાત એમ હતી કે રીલ બનાવવાના ચક્કરમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવી દીધો છે. આ ઘટના અમદાવાદના વેજલપુર વિસ્તારની છે જ્યાં રહેતા દિગ્વિજય સિંહ રાજપૂત રિવોલ્વર ખાલી હોવાનું માનીને સ્ટંટ કરી રહ્યો હતો. રિવોલ્વર ખાલી હોવાનું માની તેણે ફાયરિંગ કર્યું પરંતુ કમનસીબે તે ગોળી તેને જ વાગી. ગોળી વાગતા તેનું મોત થઈ ગયું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે હથિયાર રાખવા માટે પરવાનગી લેવી જરૂરી છે. 


લાઈક મેળવવાના ચક્કર લોકોમાં લાઈફને જોખમમાં મૂકતા હોય છે!

ઉલ્લેખનિય છે કે સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે લોકો એવા એવા ગાંડપણ કરતા હોય છે જેને જોઈ એવું થાય કે સાવ આવું તો ના હોય યાર.. સારી લાઈક મેળવવા માટે પોતાના જીવને તો લોકો જોખમમાં નાખતા હોય છે પરંતુ બીજાના જીવને પણ તે લોકો જોખમમાં મૂકી દેતા હોય છે. જે લોકો ખુલ્લા હાથે વાહન ચલાવે છે તેમને પણ વિચારવું જોઈએ કે જો અકસ્માત થશે તો તેમના જીવને પણ જોખમ રહેલું છે અને બીજાના જીવને પણ જોખમ રહેલું હોય છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.