Ahmedabadમાં બની ફાયરિંગની ઘટના, મજાક મજાકમાં યુવકે ઉપાડી ગન, દબાવ્યું ટ્રિગર, અને પોતાના પર જ થઈ ગયું ફાયરિંગ!


  • Published By :
  • Published Date : 2024-03-11 12:29:46

સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે, રિલ્સ માટે અનેક વખત એવા સ્ટંટ યુવાનો દ્વારા કરવામાં આવતા હોય છે જે આત્મઘાતી સાબિત થતા હોય છે. રીલ બનાવવાના ચક્કરમાં કોઈ વાહન ચાલક ખુલ્લા હાથે વાહન ચલાવે છે તો કોઈ ગન સાથેનો વીડિયો બનાવે છે. સોશિયલ મીડિયા પર લાઈક મેળવવાના ચક્કરમાં લોકો એવું પણ નથી વિચારતા કે આ કરવાના ચક્કરમાં કોઈ દુર્ઘટના સર્જાઈ જશે તો શું થશે? આ વાત અમે અમદાવાદમાં બનેલી ઘટનાને લઈ કરી રહ્યા છીએ જેમાં મજાક મજાકમાં સ્ટંટ કરવા માટે યુવકે હાથમાં ગન લીધી અને ટ્રીગર દબાવી દીધું એમ માનીને કે ગન ખાલી હશે પરંતુ તે ગન ભરેલી હતી.  પોતાની જાતે જ રિવોલ્વરથી ફાયરિંગ કરતા તે વ્યક્તિનું મોત નીપજ્યુ છે. પોલીસે આ ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે. 



મજાક મજાકમાં સર્જાઈ મોટી દુર્ઘટના

આપણે અનેક વખત કહેતા હોઈએ છીએ કે મસ્તી મસ્તીમાં ખસવું થઈ જાય. મજાકમાં કરવામાં આવેલું કામ અનેક વખત પ્રાણઘાતક સાબિત થતું હોય છે. ત્યારે અમદાવાદમાં એક ઘટના બની છે જેમાં યુવકે પોતાને ગોળી મારી દીધી અને એ પણ મજાક મજાકમાં...! વાત એમ હતી કે રીલ બનાવવાના ચક્કરમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવી દીધો છે. આ ઘટના અમદાવાદના વેજલપુર વિસ્તારની છે જ્યાં રહેતા દિગ્વિજય સિંહ રાજપૂત રિવોલ્વર ખાલી હોવાનું માનીને સ્ટંટ કરી રહ્યો હતો. રિવોલ્વર ખાલી હોવાનું માની તેણે ફાયરિંગ કર્યું પરંતુ કમનસીબે તે ગોળી તેને જ વાગી. ગોળી વાગતા તેનું મોત થઈ ગયું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે હથિયાર રાખવા માટે પરવાનગી લેવી જરૂરી છે. 


લાઈક મેળવવાના ચક્કર લોકોમાં લાઈફને જોખમમાં મૂકતા હોય છે!

ઉલ્લેખનિય છે કે સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે લોકો એવા એવા ગાંડપણ કરતા હોય છે જેને જોઈ એવું થાય કે સાવ આવું તો ના હોય યાર.. સારી લાઈક મેળવવા માટે પોતાના જીવને તો લોકો જોખમમાં નાખતા હોય છે પરંતુ બીજાના જીવને પણ તે લોકો જોખમમાં મૂકી દેતા હોય છે. જે લોકો ખુલ્લા હાથે વાહન ચલાવે છે તેમને પણ વિચારવું જોઈએ કે જો અકસ્માત થશે તો તેમના જીવને પણ જોખમ રહેલું છે અને બીજાના જીવને પણ જોખમ રહેલું હોય છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.