Ahmedabadમાં બની ફાયરિંગની ઘટના, મજાક મજાકમાં યુવકે ઉપાડી ગન, દબાવ્યું ટ્રિગર, અને પોતાના પર જ થઈ ગયું ફાયરિંગ!


  • Published By :
  • Published Date : 2024-03-11 12:29:46

સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે, રિલ્સ માટે અનેક વખત એવા સ્ટંટ યુવાનો દ્વારા કરવામાં આવતા હોય છે જે આત્મઘાતી સાબિત થતા હોય છે. રીલ બનાવવાના ચક્કરમાં કોઈ વાહન ચાલક ખુલ્લા હાથે વાહન ચલાવે છે તો કોઈ ગન સાથેનો વીડિયો બનાવે છે. સોશિયલ મીડિયા પર લાઈક મેળવવાના ચક્કરમાં લોકો એવું પણ નથી વિચારતા કે આ કરવાના ચક્કરમાં કોઈ દુર્ઘટના સર્જાઈ જશે તો શું થશે? આ વાત અમે અમદાવાદમાં બનેલી ઘટનાને લઈ કરી રહ્યા છીએ જેમાં મજાક મજાકમાં સ્ટંટ કરવા માટે યુવકે હાથમાં ગન લીધી અને ટ્રીગર દબાવી દીધું એમ માનીને કે ગન ખાલી હશે પરંતુ તે ગન ભરેલી હતી.  પોતાની જાતે જ રિવોલ્વરથી ફાયરિંગ કરતા તે વ્યક્તિનું મોત નીપજ્યુ છે. પોલીસે આ ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે. 



મજાક મજાકમાં સર્જાઈ મોટી દુર્ઘટના

આપણે અનેક વખત કહેતા હોઈએ છીએ કે મસ્તી મસ્તીમાં ખસવું થઈ જાય. મજાકમાં કરવામાં આવેલું કામ અનેક વખત પ્રાણઘાતક સાબિત થતું હોય છે. ત્યારે અમદાવાદમાં એક ઘટના બની છે જેમાં યુવકે પોતાને ગોળી મારી દીધી અને એ પણ મજાક મજાકમાં...! વાત એમ હતી કે રીલ બનાવવાના ચક્કરમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવી દીધો છે. આ ઘટના અમદાવાદના વેજલપુર વિસ્તારની છે જ્યાં રહેતા દિગ્વિજય સિંહ રાજપૂત રિવોલ્વર ખાલી હોવાનું માનીને સ્ટંટ કરી રહ્યો હતો. રિવોલ્વર ખાલી હોવાનું માની તેણે ફાયરિંગ કર્યું પરંતુ કમનસીબે તે ગોળી તેને જ વાગી. ગોળી વાગતા તેનું મોત થઈ ગયું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે હથિયાર રાખવા માટે પરવાનગી લેવી જરૂરી છે. 


લાઈક મેળવવાના ચક્કર લોકોમાં લાઈફને જોખમમાં મૂકતા હોય છે!

ઉલ્લેખનિય છે કે સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે લોકો એવા એવા ગાંડપણ કરતા હોય છે જેને જોઈ એવું થાય કે સાવ આવું તો ના હોય યાર.. સારી લાઈક મેળવવા માટે પોતાના જીવને તો લોકો જોખમમાં નાખતા હોય છે પરંતુ બીજાના જીવને પણ તે લોકો જોખમમાં મૂકી દેતા હોય છે. જે લોકો ખુલ્લા હાથે વાહન ચલાવે છે તેમને પણ વિચારવું જોઈએ કે જો અકસ્માત થશે તો તેમના જીવને પણ જોખમ રહેલું છે અને બીજાના જીવને પણ જોખમ રહેલું હોય છે. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે