Ahmedabadમાં બની ફાયરિંગની ઘટના, મજાક મજાકમાં યુવકે ઉપાડી ગન, દબાવ્યું ટ્રિગર, અને પોતાના પર જ થઈ ગયું ફાયરિંગ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-11 12:29:46

સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે, રિલ્સ માટે અનેક વખત એવા સ્ટંટ યુવાનો દ્વારા કરવામાં આવતા હોય છે જે આત્મઘાતી સાબિત થતા હોય છે. રીલ બનાવવાના ચક્કરમાં કોઈ વાહન ચાલક ખુલ્લા હાથે વાહન ચલાવે છે તો કોઈ ગન સાથેનો વીડિયો બનાવે છે. સોશિયલ મીડિયા પર લાઈક મેળવવાના ચક્કરમાં લોકો એવું પણ નથી વિચારતા કે આ કરવાના ચક્કરમાં કોઈ દુર્ઘટના સર્જાઈ જશે તો શું થશે? આ વાત અમે અમદાવાદમાં બનેલી ઘટનાને લઈ કરી રહ્યા છીએ જેમાં મજાક મજાકમાં સ્ટંટ કરવા માટે યુવકે હાથમાં ગન લીધી અને ટ્રીગર દબાવી દીધું એમ માનીને કે ગન ખાલી હશે પરંતુ તે ગન ભરેલી હતી.  પોતાની જાતે જ રિવોલ્વરથી ફાયરિંગ કરતા તે વ્યક્તિનું મોત નીપજ્યુ છે. પોલીસે આ ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે. 



મજાક મજાકમાં સર્જાઈ મોટી દુર્ઘટના

આપણે અનેક વખત કહેતા હોઈએ છીએ કે મસ્તી મસ્તીમાં ખસવું થઈ જાય. મજાકમાં કરવામાં આવેલું કામ અનેક વખત પ્રાણઘાતક સાબિત થતું હોય છે. ત્યારે અમદાવાદમાં એક ઘટના બની છે જેમાં યુવકે પોતાને ગોળી મારી દીધી અને એ પણ મજાક મજાકમાં...! વાત એમ હતી કે રીલ બનાવવાના ચક્કરમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવી દીધો છે. આ ઘટના અમદાવાદના વેજલપુર વિસ્તારની છે જ્યાં રહેતા દિગ્વિજય સિંહ રાજપૂત રિવોલ્વર ખાલી હોવાનું માનીને સ્ટંટ કરી રહ્યો હતો. રિવોલ્વર ખાલી હોવાનું માની તેણે ફાયરિંગ કર્યું પરંતુ કમનસીબે તે ગોળી તેને જ વાગી. ગોળી વાગતા તેનું મોત થઈ ગયું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે હથિયાર રાખવા માટે પરવાનગી લેવી જરૂરી છે. 


લાઈક મેળવવાના ચક્કર લોકોમાં લાઈફને જોખમમાં મૂકતા હોય છે!

ઉલ્લેખનિય છે કે સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે લોકો એવા એવા ગાંડપણ કરતા હોય છે જેને જોઈ એવું થાય કે સાવ આવું તો ના હોય યાર.. સારી લાઈક મેળવવા માટે પોતાના જીવને તો લોકો જોખમમાં નાખતા હોય છે પરંતુ બીજાના જીવને પણ તે લોકો જોખમમાં મૂકી દેતા હોય છે. જે લોકો ખુલ્લા હાથે વાહન ચલાવે છે તેમને પણ વિચારવું જોઈએ કે જો અકસ્માત થશે તો તેમના જીવને પણ જોખમ રહેલું છે અને બીજાના જીવને પણ જોખમ રહેલું હોય છે. 



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.