Rahul Gandhiનાં એક નિવેદને રાજનીતિ ગરમાવી! PM Modi બાદ મંત્રી Parshottam Rupalaએ જવાબ આપ્યો! જાણો શું છે સમગ્ર મુદ્દો?


  • Published By :
  • Published Date : 2024-03-20 15:26:22

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા અલગ અલગ પ્રચાર શરૂ કરવામાં આવી ગયો હોય તેવું લાગે છે. રાજનેતાઓ દ્વારા એવા નિવેદનો આપવામાં આવતા હોય છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે. ત્યારે રાહુલ ગાંધીએ શક્તિને લઈ આપેલા નિવેદનને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. આ શબ્દને લઈ ઘમાસાણ શરૂ થઈ ગયો છે. રાહુલ ગાંધીના નિવેદન બાદ પીએમ મોદીએ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો અને હવે પૂર્વ સાંસદ પરષોત્તમ રૂપાલાએ આ મામલામાં ઝંપલાવ્યું છે.   

રાહુલ ગાંધીએ શક્તિને લઈ આપ્યું હતું નિવેદન!

રવિવારે મુંબઈ ખાતે ભારત જોડો ન્યાય યાત્રાનું સમાપન યોજાયું હતું અને તે વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં શક્તિ શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. આ શબ્દનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, હિન્દૂ ધર્મમાં એક શબ્દ છે શક્તિ , અમે પણ શક્તિથી લડી રહ્યા છે. સવાલ એ છે કે આ શક્તિ શું છે ? આ પછી રાહુલ ગાંધી બોલ્યા કે રાજાની આત્મા EVMમાં છે , ના ખાલી ઈવીએમમાં પણ દેશની દરેક  સંસ્થામાં રાજાની આત્મા છે,  જેમ કે ED,CBI અને INCOME TAX ડીપાર્ટમેન્ટ. આ સ્ટેટમેન્ટ બાદ પીએમ મોદીએ પણ પ્રહાર કર્યો છે.    


પીએમ મોદી બાદ પરષોત્તમ રૂપાલાએ આપી પ્રતિક્રિયા 

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આ પછી વડાપ્રધાન મોદીએ તરતજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર તેલંગાણા રાજ્યના જગતિઅલ શહેરમાં જાહેરસભા દરમ્યાન શક્તિ શબ્દ બાબતે શાબ્દિક પ્રહારો કર્યા હતા અને કીધું હતું કે , મારા માટે આ દેશની દરેક માતા , બહેન , દીકરી એ શક્તિનું સ્વરૂપ છે. આ મામલો શાંત જલ્દી થાય તેવું નથી લાગી રહ્યું કારણ કે હવે આ મામલે પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીના નિવેદનને જાહેરમાં વખોડી કાઢી. નામ લીધા વગર તેમણે વિરોધ કર્યો છે. 


નિવેદન આપતા કહ્યું કે....  

રાજકોટના એક કાર્યક્રમ દરમિયાન  રૂપાલાએ નિવેદન આપતા કહ્યું કે, આપણે અહીં જગદંબાઓ છે, નવ દિવસ ઉપાસનાનું પર્વ ચાલે, હમણા એને શક્તિ સામે વાંધો પડ્યો છે.બાળ ભગવાન કે મહિલા ભગવાન ક્યાંય નથી. મહત્વનું છે કે આ તો રાજનીતિ છે શબ્દોના, નિવદેનોના અનેક તર્ક વિતર્ક કાઢવામાં આવતા હોય છે. હજી તો બસ આ શરૂઆત છે આગળ આગળ ચૂંટણી પ્રચારમાં આવા અનેક નિવેદનો, ભાષણો આપવામાં આવશે અને તેને લઈ રાજનીતિ પણ ગરમાશે... 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.