Rahul Gandhiનાં એક નિવેદને રાજનીતિ ગરમાવી! PM Modi બાદ મંત્રી Parshottam Rupalaએ જવાબ આપ્યો! જાણો શું છે સમગ્ર મુદ્દો?


  • Published By :
  • Published Date : 2024-03-20 15:26:22

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા અલગ અલગ પ્રચાર શરૂ કરવામાં આવી ગયો હોય તેવું લાગે છે. રાજનેતાઓ દ્વારા એવા નિવેદનો આપવામાં આવતા હોય છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે. ત્યારે રાહુલ ગાંધીએ શક્તિને લઈ આપેલા નિવેદનને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. આ શબ્દને લઈ ઘમાસાણ શરૂ થઈ ગયો છે. રાહુલ ગાંધીના નિવેદન બાદ પીએમ મોદીએ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો અને હવે પૂર્વ સાંસદ પરષોત્તમ રૂપાલાએ આ મામલામાં ઝંપલાવ્યું છે.   

રાહુલ ગાંધીએ શક્તિને લઈ આપ્યું હતું નિવેદન!

રવિવારે મુંબઈ ખાતે ભારત જોડો ન્યાય યાત્રાનું સમાપન યોજાયું હતું અને તે વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં શક્તિ શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. આ શબ્દનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, હિન્દૂ ધર્મમાં એક શબ્દ છે શક્તિ , અમે પણ શક્તિથી લડી રહ્યા છે. સવાલ એ છે કે આ શક્તિ શું છે ? આ પછી રાહુલ ગાંધી બોલ્યા કે રાજાની આત્મા EVMમાં છે , ના ખાલી ઈવીએમમાં પણ દેશની દરેક  સંસ્થામાં રાજાની આત્મા છે,  જેમ કે ED,CBI અને INCOME TAX ડીપાર્ટમેન્ટ. આ સ્ટેટમેન્ટ બાદ પીએમ મોદીએ પણ પ્રહાર કર્યો છે.    


પીએમ મોદી બાદ પરષોત્તમ રૂપાલાએ આપી પ્રતિક્રિયા 

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આ પછી વડાપ્રધાન મોદીએ તરતજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર તેલંગાણા રાજ્યના જગતિઅલ શહેરમાં જાહેરસભા દરમ્યાન શક્તિ શબ્દ બાબતે શાબ્દિક પ્રહારો કર્યા હતા અને કીધું હતું કે , મારા માટે આ દેશની દરેક માતા , બહેન , દીકરી એ શક્તિનું સ્વરૂપ છે. આ મામલો શાંત જલ્દી થાય તેવું નથી લાગી રહ્યું કારણ કે હવે આ મામલે પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીના નિવેદનને જાહેરમાં વખોડી કાઢી. નામ લીધા વગર તેમણે વિરોધ કર્યો છે. 


નિવેદન આપતા કહ્યું કે....  

રાજકોટના એક કાર્યક્રમ દરમિયાન  રૂપાલાએ નિવેદન આપતા કહ્યું કે, આપણે અહીં જગદંબાઓ છે, નવ દિવસ ઉપાસનાનું પર્વ ચાલે, હમણા એને શક્તિ સામે વાંધો પડ્યો છે.બાળ ભગવાન કે મહિલા ભગવાન ક્યાંય નથી. મહત્વનું છે કે આ તો રાજનીતિ છે શબ્દોના, નિવદેનોના અનેક તર્ક વિતર્ક કાઢવામાં આવતા હોય છે. હજી તો બસ આ શરૂઆત છે આગળ આગળ ચૂંટણી પ્રચારમાં આવા અનેક નિવેદનો, ભાષણો આપવામાં આવશે અને તેને લઈ રાજનીતિ પણ ગરમાશે... 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે