Karnatakaથી સામે આવ્યો અજીબ કિસ્સો, ભેંસની ચોરી કરનાર વ્યક્તિની 58 વર્ષ બાદ કરાઈ ધરપકડ! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-09-13 14:05:37

સામાન્ય રીતે જ્યારે આપણે ત્યાં કોઈ ચોરી થાય તો આપણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા હોઈએ છીએ. અમારી આ વસ્તુ ચોરાઈ ગઈ છે તેવી ફરિયાદ પોલીસને કરતા હોઈએ છીએ. ત્યારે જે ઘટના કર્ણાટકથી સામે આવી છે તે અજીબ છે. કર્ણાટક પોલીસે એક ચોરને પકડ્યો છે જેણે ભેંસની ચોરી 1965માં કરી હતી અને સજા 2023માં મળી રહી છે. કર્ણાટક પોલીસે 58 વર્ષ બાદ આરોપીને એટલે કે ચોરને પકડી પાડ્યો છે. ભેંસ ચોરીનો આરોપ બે વ્યક્તિ પર લાગ્યો હતો પરંતુ બેમાંથી એકનું મોત થઈ ગયું છે જેને કારણે એક વ્યક્તિ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. 


ધરપકડ બાદ મળ્યા હતા જામીન પરંતુ આરોપી થઈ ગયા હતા ફરાર 

કર્ણાટકથી એક હેરાન કરી દે તેવી ઘટના સામે આવી છે. 58 વર્ષ પહેલા ગાયની ચોરી બે લોકોએ કરી હતી. 25 એપ્રિલ 1965ના રોજ મુરલીધરરાવ કુલકર્ણી નામના વ્યક્તિએ પોલીસ મથકમાં બે ભેંસ અને એક બછડાના ચોરી થયા હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 1965માં પોલીસે મહારાષ્ટ્રના ઉદયગીર નિવાસી કિશન ચંદર અને ગણપતિ વિઠ્ઠલ વાગોરની ધરપકડ પણ કરી હતી. જે બાદ જામીન પણ આપવામાં આવ્યા હતા. પરંતુ જામીન મળ્યા બાદ આરોપી ગાયબ થઈ ગયા. અને જ્યારે મુદત પડતી હતી ત્યારે તેઓ હાજર રહેતા ન હતા. 



58 વર્ષ બાદ પોલીસે કરી ધરપકડ 

આરોપી હાજર થાય તે માટે સમન્સ અને વોરંટ પણ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. પોલીસે આ મામલાને લઈ એલપીઆર  પણ દાખલ કરી હતી. વિશેષ ટીમની પણ રચના કરવામાં આવી હતી. વિશેષ ટીમે તપાસ કરી હતી, આરોપીને પકડી લેવામાં સફળતા મળી છે. જે વખતે ભેંસની ચોરી કરી હતી તે સમયે આરોપીની ઉંમર 20 વર્ષની હતી અને હવે 58 વર્ષ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.  મહત્વનું છે કે પોલીસની કામગીરીને લઈ અનેક વખત પ્રશ્ન ઉઠતા હોય છે. ત્યારે આ ઘટનામાં પોલીસની કામગીરીને બિરદાવવી જોઈએ.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.