Karnatakaથી સામે આવ્યો અજીબ કિસ્સો, ભેંસની ચોરી કરનાર વ્યક્તિની 58 વર્ષ બાદ કરાઈ ધરપકડ! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-09-13 14:05:37

સામાન્ય રીતે જ્યારે આપણે ત્યાં કોઈ ચોરી થાય તો આપણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા હોઈએ છીએ. અમારી આ વસ્તુ ચોરાઈ ગઈ છે તેવી ફરિયાદ પોલીસને કરતા હોઈએ છીએ. ત્યારે જે ઘટના કર્ણાટકથી સામે આવી છે તે અજીબ છે. કર્ણાટક પોલીસે એક ચોરને પકડ્યો છે જેણે ભેંસની ચોરી 1965માં કરી હતી અને સજા 2023માં મળી રહી છે. કર્ણાટક પોલીસે 58 વર્ષ બાદ આરોપીને એટલે કે ચોરને પકડી પાડ્યો છે. ભેંસ ચોરીનો આરોપ બે વ્યક્તિ પર લાગ્યો હતો પરંતુ બેમાંથી એકનું મોત થઈ ગયું છે જેને કારણે એક વ્યક્તિ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. 


ધરપકડ બાદ મળ્યા હતા જામીન પરંતુ આરોપી થઈ ગયા હતા ફરાર 

કર્ણાટકથી એક હેરાન કરી દે તેવી ઘટના સામે આવી છે. 58 વર્ષ પહેલા ગાયની ચોરી બે લોકોએ કરી હતી. 25 એપ્રિલ 1965ના રોજ મુરલીધરરાવ કુલકર્ણી નામના વ્યક્તિએ પોલીસ મથકમાં બે ભેંસ અને એક બછડાના ચોરી થયા હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 1965માં પોલીસે મહારાષ્ટ્રના ઉદયગીર નિવાસી કિશન ચંદર અને ગણપતિ વિઠ્ઠલ વાગોરની ધરપકડ પણ કરી હતી. જે બાદ જામીન પણ આપવામાં આવ્યા હતા. પરંતુ જામીન મળ્યા બાદ આરોપી ગાયબ થઈ ગયા. અને જ્યારે મુદત પડતી હતી ત્યારે તેઓ હાજર રહેતા ન હતા. 



58 વર્ષ બાદ પોલીસે કરી ધરપકડ 

આરોપી હાજર થાય તે માટે સમન્સ અને વોરંટ પણ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. પોલીસે આ મામલાને લઈ એલપીઆર  પણ દાખલ કરી હતી. વિશેષ ટીમની પણ રચના કરવામાં આવી હતી. વિશેષ ટીમે તપાસ કરી હતી, આરોપીને પકડી લેવામાં સફળતા મળી છે. જે વખતે ભેંસની ચોરી કરી હતી તે સમયે આરોપીની ઉંમર 20 વર્ષની હતી અને હવે 58 વર્ષ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.  મહત્વનું છે કે પોલીસની કામગીરીને લઈ અનેક વખત પ્રશ્ન ઉઠતા હોય છે. ત્યારે આ ઘટનામાં પોલીસની કામગીરીને બિરદાવવી જોઈએ.  



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.