Karnatakaથી સામે આવ્યો અજીબ કિસ્સો, ભેંસની ચોરી કરનાર વ્યક્તિની 58 વર્ષ બાદ કરાઈ ધરપકડ! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-09-13 14:05:37

સામાન્ય રીતે જ્યારે આપણે ત્યાં કોઈ ચોરી થાય તો આપણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા હોઈએ છીએ. અમારી આ વસ્તુ ચોરાઈ ગઈ છે તેવી ફરિયાદ પોલીસને કરતા હોઈએ છીએ. ત્યારે જે ઘટના કર્ણાટકથી સામે આવી છે તે અજીબ છે. કર્ણાટક પોલીસે એક ચોરને પકડ્યો છે જેણે ભેંસની ચોરી 1965માં કરી હતી અને સજા 2023માં મળી રહી છે. કર્ણાટક પોલીસે 58 વર્ષ બાદ આરોપીને એટલે કે ચોરને પકડી પાડ્યો છે. ભેંસ ચોરીનો આરોપ બે વ્યક્તિ પર લાગ્યો હતો પરંતુ બેમાંથી એકનું મોત થઈ ગયું છે જેને કારણે એક વ્યક્તિ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. 


ધરપકડ બાદ મળ્યા હતા જામીન પરંતુ આરોપી થઈ ગયા હતા ફરાર 

કર્ણાટકથી એક હેરાન કરી દે તેવી ઘટના સામે આવી છે. 58 વર્ષ પહેલા ગાયની ચોરી બે લોકોએ કરી હતી. 25 એપ્રિલ 1965ના રોજ મુરલીધરરાવ કુલકર્ણી નામના વ્યક્તિએ પોલીસ મથકમાં બે ભેંસ અને એક બછડાના ચોરી થયા હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 1965માં પોલીસે મહારાષ્ટ્રના ઉદયગીર નિવાસી કિશન ચંદર અને ગણપતિ વિઠ્ઠલ વાગોરની ધરપકડ પણ કરી હતી. જે બાદ જામીન પણ આપવામાં આવ્યા હતા. પરંતુ જામીન મળ્યા બાદ આરોપી ગાયબ થઈ ગયા. અને જ્યારે મુદત પડતી હતી ત્યારે તેઓ હાજર રહેતા ન હતા. 



58 વર્ષ બાદ પોલીસે કરી ધરપકડ 

આરોપી હાજર થાય તે માટે સમન્સ અને વોરંટ પણ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. પોલીસે આ મામલાને લઈ એલપીઆર  પણ દાખલ કરી હતી. વિશેષ ટીમની પણ રચના કરવામાં આવી હતી. વિશેષ ટીમે તપાસ કરી હતી, આરોપીને પકડી લેવામાં સફળતા મળી છે. જે વખતે ભેંસની ચોરી કરી હતી તે સમયે આરોપીની ઉંમર 20 વર્ષની હતી અને હવે 58 વર્ષ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.  મહત્વનું છે કે પોલીસની કામગીરીને લઈ અનેક વખત પ્રશ્ન ઉઠતા હોય છે. ત્યારે આ ઘટનામાં પોલીસની કામગીરીને બિરદાવવી જોઈએ.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .