Uttar Pradeshથી સામે આવ્યો અજબ કિસ્સો, છૂટાછેડાના વર્ષો પછી પતિને હાર્ટ એટેક આવ્યો, પત્ની પાછી આવી અને.....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-30 12:37:52

છુટાછેડા તેમજ હાર્ટ એટેકના કિસ્સાઓ આપણે અનેક વખત સાંભળ્યા હશે. હાર્ટ એટેકને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. આજે પણ હાર્ટ એટેકને લઈ વાત કરવી છે. આ હાર્ટ એટેક એક પતિ માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે! આ વાક્ય વાંચીને નવાઈ લાગી હશે પરંતુ આવો કિસ્સો ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદથી સામે આવ્યો છે જેમાં પહેલા પતિ-પત્નીના છુટાછેડા થયા, પતિને હાર્ટ એટેક આવ્યો હતો, સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, ઓપન હાર્ટ સર્જરી થઈ. ઓપન હાર્ટ સર્જરી વખતે પત્ની ધ્યાન રાખવા પાછી આવી પરંતુ તે પાછી ગઈ નહી. થોડા વર્ષો બાદ બંને જણાએ લગ્ન કરી લીધા. 



પતિની ઓપન હાર્ટ સર્જરી બાદ પત્ની પાછી આવી અને... 

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી લગ્ન, છૂટાછેડા અને પુનર્લગ્નની હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. અહીં એક કપલે છૂટાછેડા પછી ફરીથી લગ્ન કર્યા છે. 2018માં તેમના છૂટાછેડા થયા, પરંતુ જ્યારે પતિની ઓપન હાર્ટ સર્જરી થઈ ત્યારે પત્ની તેની સંભાળ લેવા પાછી આવી. સંભાળ લેવા માટે આવેલી પત્ની પાછી જઈ શકી ન હતી. આ કપલની સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ગાઝિયાબાદના રહેવાસી વિનય જયસ્વાલે પોતાની અને પૂજા ચૌધરીની સ્ટોરી ફેસબુક ટાઈમલાઈન પર શેર કરી. ટાઈમલાઈન પ્રમાણે બંનેના પ્રથમ લગ્ન વર્ષ 2012માં થયા. લગ્નના એક વર્ષમાં બંને વચ્ચે મતભેદો થવા લાગ્યા. ઝઘડા થવા લાગ્યા અને ધીરે ધીરે મનભેદ પતિ પત્ની વચ્ચે થવા લાગ્યા. ઝઘડો એટલી હદે વધી ગયો કે તલાક સુધી વાત પહોંચી ગઈ. 5 વર્ષ સુધી કેસ ચાલ્યો અને 2018માં બંનેના છુટાછેડા થઈ ગયા. 



છુટાછેડાના આટલા વર્ષો બાદ કપલે કર્યા લગ્ન! 

છુટાછેડાના પાંચ વર્ષ બાદ એટલે કે વર્ષ 2023માં આ કહાણીમાં નવો વળાંક આવ્યો. હાર્ટ એટેકને કારણે બંને જોડે આયા. વિનય જયસ્વાલને હાર્ટ એટેક આવ્યો અને તેમની ઓપન હાર્ટ સર્જરી કરવી પડી. જ્યારે પૂજાને વિનયની બીમારી અંગે ખબર પડી ત્યારે તે પોતાની જાતને રોકી ન શકી અને પોતાના પૂર્વ પતિને મળવા ગાઝિયાબાદ પહોંચી ગઈ. આ પછી, તેમની વચ્ચે થયેલા મતભેદ ધીમે ધીમે ઘટવા લાગ્યા, નિકટતા વધી અને એકબીજા માટેનો પ્રેમ ફરી જાગ્યો. બંનેએ ફરી એકવાર સાથે રહેવાનું નક્કી કર્યું. વિનય અને પૂજાએ 23 નવેમ્બરે ફરી લગ્ન કર્યા. ફરી વખત લગ્ન કર્યા બાદ વિનયે પોતાના ફેસબુક પર આની સ્ટોરી મુકી જેમાં પોતાની પ્રેમ કહાની વર્ણવી.  



પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.