Uttar Pradeshથી સામે આવ્યો અજબ કિસ્સો, છૂટાછેડાના વર્ષો પછી પતિને હાર્ટ એટેક આવ્યો, પત્ની પાછી આવી અને.....


  • Published By :
  • Published Date : 2023-11-30 12:37:52

છુટાછેડા તેમજ હાર્ટ એટેકના કિસ્સાઓ આપણે અનેક વખત સાંભળ્યા હશે. હાર્ટ એટેકને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. આજે પણ હાર્ટ એટેકને લઈ વાત કરવી છે. આ હાર્ટ એટેક એક પતિ માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે! આ વાક્ય વાંચીને નવાઈ લાગી હશે પરંતુ આવો કિસ્સો ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદથી સામે આવ્યો છે જેમાં પહેલા પતિ-પત્નીના છુટાછેડા થયા, પતિને હાર્ટ એટેક આવ્યો હતો, સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, ઓપન હાર્ટ સર્જરી થઈ. ઓપન હાર્ટ સર્જરી વખતે પત્ની ધ્યાન રાખવા પાછી આવી પરંતુ તે પાછી ગઈ નહી. થોડા વર્ષો બાદ બંને જણાએ લગ્ન કરી લીધા. 



પતિની ઓપન હાર્ટ સર્જરી બાદ પત્ની પાછી આવી અને... 

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી લગ્ન, છૂટાછેડા અને પુનર્લગ્નની હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. અહીં એક કપલે છૂટાછેડા પછી ફરીથી લગ્ન કર્યા છે. 2018માં તેમના છૂટાછેડા થયા, પરંતુ જ્યારે પતિની ઓપન હાર્ટ સર્જરી થઈ ત્યારે પત્ની તેની સંભાળ લેવા પાછી આવી. સંભાળ લેવા માટે આવેલી પત્ની પાછી જઈ શકી ન હતી. આ કપલની સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ગાઝિયાબાદના રહેવાસી વિનય જયસ્વાલે પોતાની અને પૂજા ચૌધરીની સ્ટોરી ફેસબુક ટાઈમલાઈન પર શેર કરી. ટાઈમલાઈન પ્રમાણે બંનેના પ્રથમ લગ્ન વર્ષ 2012માં થયા. લગ્નના એક વર્ષમાં બંને વચ્ચે મતભેદો થવા લાગ્યા. ઝઘડા થવા લાગ્યા અને ધીરે ધીરે મનભેદ પતિ પત્ની વચ્ચે થવા લાગ્યા. ઝઘડો એટલી હદે વધી ગયો કે તલાક સુધી વાત પહોંચી ગઈ. 5 વર્ષ સુધી કેસ ચાલ્યો અને 2018માં બંનેના છુટાછેડા થઈ ગયા. 



છુટાછેડાના આટલા વર્ષો બાદ કપલે કર્યા લગ્ન! 

છુટાછેડાના પાંચ વર્ષ બાદ એટલે કે વર્ષ 2023માં આ કહાણીમાં નવો વળાંક આવ્યો. હાર્ટ એટેકને કારણે બંને જોડે આયા. વિનય જયસ્વાલને હાર્ટ એટેક આવ્યો અને તેમની ઓપન હાર્ટ સર્જરી કરવી પડી. જ્યારે પૂજાને વિનયની બીમારી અંગે ખબર પડી ત્યારે તે પોતાની જાતને રોકી ન શકી અને પોતાના પૂર્વ પતિને મળવા ગાઝિયાબાદ પહોંચી ગઈ. આ પછી, તેમની વચ્ચે થયેલા મતભેદ ધીમે ધીમે ઘટવા લાગ્યા, નિકટતા વધી અને એકબીજા માટેનો પ્રેમ ફરી જાગ્યો. બંનેએ ફરી એકવાર સાથે રહેવાનું નક્કી કર્યું. વિનય અને પૂજાએ 23 નવેમ્બરે ફરી લગ્ન કર્યા. ફરી વખત લગ્ન કર્યા બાદ વિનયે પોતાના ફેસબુક પર આની સ્ટોરી મુકી જેમાં પોતાની પ્રેમ કહાની વર્ણવી.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે