Uttar Pradeshથી સામે આવ્યો અજબ કિસ્સો, છૂટાછેડાના વર્ષો પછી પતિને હાર્ટ એટેક આવ્યો, પત્ની પાછી આવી અને.....


  • Published By :
  • Published Date : 2023-11-30 12:37:52

છુટાછેડા તેમજ હાર્ટ એટેકના કિસ્સાઓ આપણે અનેક વખત સાંભળ્યા હશે. હાર્ટ એટેકને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. આજે પણ હાર્ટ એટેકને લઈ વાત કરવી છે. આ હાર્ટ એટેક એક પતિ માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે! આ વાક્ય વાંચીને નવાઈ લાગી હશે પરંતુ આવો કિસ્સો ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદથી સામે આવ્યો છે જેમાં પહેલા પતિ-પત્નીના છુટાછેડા થયા, પતિને હાર્ટ એટેક આવ્યો હતો, સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, ઓપન હાર્ટ સર્જરી થઈ. ઓપન હાર્ટ સર્જરી વખતે પત્ની ધ્યાન રાખવા પાછી આવી પરંતુ તે પાછી ગઈ નહી. થોડા વર્ષો બાદ બંને જણાએ લગ્ન કરી લીધા. 



પતિની ઓપન હાર્ટ સર્જરી બાદ પત્ની પાછી આવી અને... 

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી લગ્ન, છૂટાછેડા અને પુનર્લગ્નની હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. અહીં એક કપલે છૂટાછેડા પછી ફરીથી લગ્ન કર્યા છે. 2018માં તેમના છૂટાછેડા થયા, પરંતુ જ્યારે પતિની ઓપન હાર્ટ સર્જરી થઈ ત્યારે પત્ની તેની સંભાળ લેવા પાછી આવી. સંભાળ લેવા માટે આવેલી પત્ની પાછી જઈ શકી ન હતી. આ કપલની સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ગાઝિયાબાદના રહેવાસી વિનય જયસ્વાલે પોતાની અને પૂજા ચૌધરીની સ્ટોરી ફેસબુક ટાઈમલાઈન પર શેર કરી. ટાઈમલાઈન પ્રમાણે બંનેના પ્રથમ લગ્ન વર્ષ 2012માં થયા. લગ્નના એક વર્ષમાં બંને વચ્ચે મતભેદો થવા લાગ્યા. ઝઘડા થવા લાગ્યા અને ધીરે ધીરે મનભેદ પતિ પત્ની વચ્ચે થવા લાગ્યા. ઝઘડો એટલી હદે વધી ગયો કે તલાક સુધી વાત પહોંચી ગઈ. 5 વર્ષ સુધી કેસ ચાલ્યો અને 2018માં બંનેના છુટાછેડા થઈ ગયા. 



છુટાછેડાના આટલા વર્ષો બાદ કપલે કર્યા લગ્ન! 

છુટાછેડાના પાંચ વર્ષ બાદ એટલે કે વર્ષ 2023માં આ કહાણીમાં નવો વળાંક આવ્યો. હાર્ટ એટેકને કારણે બંને જોડે આયા. વિનય જયસ્વાલને હાર્ટ એટેક આવ્યો અને તેમની ઓપન હાર્ટ સર્જરી કરવી પડી. જ્યારે પૂજાને વિનયની બીમારી અંગે ખબર પડી ત્યારે તે પોતાની જાતને રોકી ન શકી અને પોતાના પૂર્વ પતિને મળવા ગાઝિયાબાદ પહોંચી ગઈ. આ પછી, તેમની વચ્ચે થયેલા મતભેદ ધીમે ધીમે ઘટવા લાગ્યા, નિકટતા વધી અને એકબીજા માટેનો પ્રેમ ફરી જાગ્યો. બંનેએ ફરી એકવાર સાથે રહેવાનું નક્કી કર્યું. વિનય અને પૂજાએ 23 નવેમ્બરે ફરી લગ્ન કર્યા. ફરી વખત લગ્ન કર્યા બાદ વિનયે પોતાના ફેસબુક પર આની સ્ટોરી મુકી જેમાં પોતાની પ્રેમ કહાની વર્ણવી.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.