રાજકોટમાં બની એવી વિચિત્ર ઘટના જે તમે ક્યારેય નહીં સાંભળી હોય! પાયલોટની આ જીદને કારણે સાંસદો સહિત મુસાફરો અટવાયા!


  • Published By :
  • Published Date : 2023-07-24 16:45:37

ઓફિસ અવર્સ પૂર્ણ થયા બાદ જો ઓફિસવાળા આપણને કામ આપે તો અનેક વખત આપણે કહેતા હોઈએ છીએ કે મારો ટાઈમ પૂર્ણ થઈ ગયો છે. હું કામ નહીં કરું. આ વાક્યનો ઉપયોગ કરવો જોબ કરતા લોકો માટે સામાન્ય બની ગયો છે. પરંતુ જો કોઈ પાયલોટ કહે કે મારી શિફ્ટ પૂરી થઈ ગઈ છે અને હું વિમાન નહીં ઉડાડું, તો આપણને કેવું થાય? આપણા મનમાં વિચાર આવે આવું કોઈ પાયલટ કેવી રીતે કહી શકે? તમને એવું પણ લાગતું હશે કે હવામાં વાતો કરાઈ રહી છે, વગેરે વગેરે... પરંતુ ના વાત સાચી છે. આ વાક્ય રાજકોટથી દિલ્હી જતી ફ્લાઈટના પાયલોટે કહ્યું છે. સાંભળીને આશ્ચર્ય થયુંને પરંતુ વાત સાચી છે. પોતાના ડ્યુટી કલાક પૂરા થઈ ગયો હોવાથી પાયલોટે ફ્લાઈટને દિલ્હી લઈ જવાનો ઈન્કાર કર્યો હતો.   



ફ્લાઈટમાં ત્રણ સાંસદો કરી રહ્યા હતા મુસાફરી  

એરપોર્ટ પર બનતી ઘટનાઓ ચર્ચાનો વિષય બનતી હોય છે. કોઈ વખત પેસેન્જર પોતાના પડોશી પેસેન્જર પર પેસાબ કરી લે છે, તો કોઈ વખત ટોઈલેટમાં મુસાફર સિગરેટ પીતો ઝડપાય છે. પરંતુ આજે જે કિસ્સાની વાત કરવી છે તે અજીબોગરીબ કિસ્સો છે. આપણામાંથી અનેક એવા લોકો હશે જે નોકરી કરતા હશે. આપણી શિફ્ટ પૂરી થઈ જાય એટલે આપણે ઓફિસ છોડી ઘરે જતા રહીએ છીએ. આપણે સામાન્ય માણસો કહેવાઈએ. નોકરીના કલાકો પૂર્ણ થતા, જો આપણે ઘરે જતા રહીએ તો કોઈ ફરક ન પડે, પરંતુ જો આપણા પર ભરોસો રાખી અનેક લોકો બેઠા હોય ત્યારે? અને તે અનેક લોકોમાં ત્રણ જેટલા સાંસદો બેઠા હોય ત્યારે?       


શિફ્ટ પૂરી થઈ જતા પ્લેન ઉડાવવાનો પાયલોટે કર્યો ઈન્કાર

આ અજીબોગરબ ઘટના વાંચીને તમને હસવું આવ્યું હશે. આ ઘટના અંગે વિગતવાર વાત કરીએ તો રાજકોટથી રવિવાર રાત્રે 8 વાગ્યે એર ઈન્ડિયાની ફ્લાઈટ દિલ્હી જવા માટે ઉડાન ભરવાની હતી. આ ફ્લાઈટમાં સાંસદ મોહન કુંડારિયા,પૂનમ માડમ, કેસરીદેવસિંહ સહિત 100થી વધુ મુસાફરો ટ્રાવેલ કરી રહ્યા હતા. પ્લેનમાં મુસાફરી કરનાર મુસાફરોને લાગતું હતું કે થોડા કલાકોની અંદર તેઓ પોતાના ડેસ્ટિનેશન પર પહોંચી જશે. પરંતુ ના પોતાના ડેસ્ટિનેશન પર પહોંચવા માટે અનેક કલાકો સુધી મુસાફરોને રાહ જોવી પડી. કારણ કે ફ્લાઈટના મુખ્ય પાયલોટે ફ્લાઈટને ઉડાવવાની ના પાડી દીધી. તેમની શિફ્ટ પૂરી થઈ ગઈ હતી એટલે તેમણે પ્લેન લઈ જવાનો ઈન્કાર કર્યો. અનેક કલાકો સુધી પાયલોટને મનાવવાની કોશિશ કરી, પરંતુ પાયલોટ ટસનો મસ ન થયો. પાયલોટ ન માનતા અંતે ફ્લાઈટને રદ્દ કરવામાં આવી હતી અને જે ફ્લાઈટ રવિવારે ટેકઓફ થવાની હતી તે ફ્લાઈટ સોમવાર સવારે ટેકઓફ થઈ. 


રવિવારે ઉડવાની જગ્યાએ પાયલોટની જીદને કારણે ફ્લાઈટ સોમવારે ઉડી

રવિવારે પોતાના નિયત સમયે રાજકોટ-દિલ્હીની ફ્લાઈટ રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થઇ, પેસેન્જરો નીચે પણ ઉતરી ગયા અને રાજકોટથી દિલ્હી જતા પેસેન્જરો ફ્લાઈટમાં ગોઠવાઈ ગયા. પરંતુ દિલ્હી ફ્લાઈટ પહોંચે તે પહેલા જ મુખ્ય પાયલોટના ડ્યુટી અવર્સ પૂર્ણ થઈ ગયા અને પાયલોટે પ્લેનને ટેકઓફ કરવાનો ઈન્કાર કરી દીધો. અચાનક ફ્લાઈટ રદ્દ થતા પેસેન્જરોને ભારે હાલાકી વેઠવી પડી હતી. જ્યાં સુધી ફ્લાઈટ માટે નવા પાયલોટની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી પેસેન્જરો અટવાઈ ગયા હતા. પેસેન્જરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.