સુરતમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત, જાણો કેમ વિદ્યાર્થીએ ઘરની અગાસીમાંથી માર્યો કૂદકો!


  • Published By :
  • Published Date : 2023-03-25 18:29:15

આજકાલ અનેક લોકો હનીટ્રેપનો શિકાર બની રહ્યા છે. વીડિયો ઉતારી લોકોને બ્લેકમેઈલ કરવામાં આવતા હોય છે અને પૈસાની માગણી કરવામાં આવતી હોય છે. સુરતથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ધોરણ 12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી હનીટ્રેપનો શિકાર બન્યો છે. ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો. જે બાદ તેને બ્લેકમેઈલ કરવામાં આવતો હતો. ત્યારે હનીટ્રેપમાં ફસાયેલા વિદ્યાર્થીએ પોતાના ઘરની અગાસીથી કૂદકો મારી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું.   


હનીટ્રેપમાં ફસાયો હતો ધો. 12માં ભણતો વિદ્યાર્થી!

પરિવારે ભારે હૈયે પોતાના બાળકને અંતિમ વિદાય આપી હતી. પોતાના બાળકે આત્મહત્યા જેવું પગલું કેમ ભર્યું તે અંગે પરિવાર વિચારી રહ્યો હતો. બાળકના અંતિમ સંસ્કાર કર્યા બાદ પરિવાર સામે એવી હકીકત આવી જેને લઈ પરિવારજનોના હોંશ ઉડી ગયા હતા. વિદ્યાર્થીનો મોબાઈલ તપાસવામાં આવ્યો જેમાં પરિવારજનોને ખબર પડી કે વિદ્યાર્થી હનીટ્રેપમાં ફસાઈ ગયો હતો અને તેને બ્લેકમેઈલ કરવામાં આવતો હતો. ધો,12ના વિદ્યાર્થીનો વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો અને તેને વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. ઉપરાંત વિદ્યાર્થી પાસે પૈસા પણ માગવામાં આવતા હતા.ટુકડે ટુકડે કરી વિદ્યાર્થી પાસેથી 9600 રુપિયા પડાવી લેવામાં આવ્યા હતા. તે ઉપરાંત વધારે પૈસાની માગણી પણ કરવામાં આવી હતી. ત્યારે આને પગલે વિદ્યાર્થીએ આ પગલું ભર્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે.    


પોલીસે ગુન્હો નોંધી હાથ ધરી તપાસ 

આ સમગ્ર મામલે વિદ્યાર્થીના પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ ઘટના અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. પરિવારજનોના જણાવ્યા બાદ પોલીસ મોબાઈલને લઈ તપાસ કરી રહી છે. જે નંબરથી ફોન અને મેસેજ આવ્યા હતા તેના સીડીઆર કાઢવામાં આવ્યા હતા જે બાદ ખબર પડી કે આ નંબરો બિહાર, ઝારખંડ, કોલકાત્તાથી નંબરો ઝમ્પ થતા હતા. વિદ્યાર્થીએ બ્લેકમેઈલથી કંટાળી આપઘાત કર્યું હોવાનું અનુમાન લડગાડવામાં આવી રહ્યું છે. 


સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે રહો સતર્ક! 

મહત્વનું છે સોશિયલ મીડિયાના જમાનામાં અનેક લોકો હનીટ્રેપનો શિકાર બની રહ્યા છે. સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી વીડિયો કોલ કરવામાં આવે છે. જે બાદ ખરાબ વીડિયો ઉતારવામાં આવે છે અને તે બાદ બ્લેકમેઈલ કરવામાં આવે છે અને પૈસાની માગ કરવામાં આવે છે. ત્યારે બદનામીના ડરથી અનેક લોકો મોતને વ્હાલુ કરી લેતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા દરેક વ્યક્તિએ હનીટ્રેપને લઈ સતર્ક રહેવું પડશે.   




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.