સુરતમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત, જાણો કેમ વિદ્યાર્થીએ ઘરની અગાસીમાંથી માર્યો કૂદકો!


  • Published By :
  • Published Date : 2023-03-25 18:29:15

આજકાલ અનેક લોકો હનીટ્રેપનો શિકાર બની રહ્યા છે. વીડિયો ઉતારી લોકોને બ્લેકમેઈલ કરવામાં આવતા હોય છે અને પૈસાની માગણી કરવામાં આવતી હોય છે. સુરતથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ધોરણ 12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી હનીટ્રેપનો શિકાર બન્યો છે. ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો. જે બાદ તેને બ્લેકમેઈલ કરવામાં આવતો હતો. ત્યારે હનીટ્રેપમાં ફસાયેલા વિદ્યાર્થીએ પોતાના ઘરની અગાસીથી કૂદકો મારી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું.   


હનીટ્રેપમાં ફસાયો હતો ધો. 12માં ભણતો વિદ્યાર્થી!

પરિવારે ભારે હૈયે પોતાના બાળકને અંતિમ વિદાય આપી હતી. પોતાના બાળકે આત્મહત્યા જેવું પગલું કેમ ભર્યું તે અંગે પરિવાર વિચારી રહ્યો હતો. બાળકના અંતિમ સંસ્કાર કર્યા બાદ પરિવાર સામે એવી હકીકત આવી જેને લઈ પરિવારજનોના હોંશ ઉડી ગયા હતા. વિદ્યાર્થીનો મોબાઈલ તપાસવામાં આવ્યો જેમાં પરિવારજનોને ખબર પડી કે વિદ્યાર્થી હનીટ્રેપમાં ફસાઈ ગયો હતો અને તેને બ્લેકમેઈલ કરવામાં આવતો હતો. ધો,12ના વિદ્યાર્થીનો વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો અને તેને વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. ઉપરાંત વિદ્યાર્થી પાસે પૈસા પણ માગવામાં આવતા હતા.ટુકડે ટુકડે કરી વિદ્યાર્થી પાસેથી 9600 રુપિયા પડાવી લેવામાં આવ્યા હતા. તે ઉપરાંત વધારે પૈસાની માગણી પણ કરવામાં આવી હતી. ત્યારે આને પગલે વિદ્યાર્થીએ આ પગલું ભર્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે.    


પોલીસે ગુન્હો નોંધી હાથ ધરી તપાસ 

આ સમગ્ર મામલે વિદ્યાર્થીના પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ ઘટના અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. પરિવારજનોના જણાવ્યા બાદ પોલીસ મોબાઈલને લઈ તપાસ કરી રહી છે. જે નંબરથી ફોન અને મેસેજ આવ્યા હતા તેના સીડીઆર કાઢવામાં આવ્યા હતા જે બાદ ખબર પડી કે આ નંબરો બિહાર, ઝારખંડ, કોલકાત્તાથી નંબરો ઝમ્પ થતા હતા. વિદ્યાર્થીએ બ્લેકમેઈલથી કંટાળી આપઘાત કર્યું હોવાનું અનુમાન લડગાડવામાં આવી રહ્યું છે. 


સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે રહો સતર્ક! 

મહત્વનું છે સોશિયલ મીડિયાના જમાનામાં અનેક લોકો હનીટ્રેપનો શિકાર બની રહ્યા છે. સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી વીડિયો કોલ કરવામાં આવે છે. જે બાદ ખરાબ વીડિયો ઉતારવામાં આવે છે અને તે બાદ બ્લેકમેઈલ કરવામાં આવે છે અને પૈસાની માગ કરવામાં આવે છે. ત્યારે બદનામીના ડરથી અનેક લોકો મોતને વ્હાલુ કરી લેતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા દરેક વ્યક્તિએ હનીટ્રેપને લઈ સતર્ક રહેવું પડશે.   




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે