સુરતમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત, જાણો કેમ વિદ્યાર્થીએ ઘરની અગાસીમાંથી માર્યો કૂદકો!


  • Published By :
  • Published Date : 2023-03-25 18:29:15

આજકાલ અનેક લોકો હનીટ્રેપનો શિકાર બની રહ્યા છે. વીડિયો ઉતારી લોકોને બ્લેકમેઈલ કરવામાં આવતા હોય છે અને પૈસાની માગણી કરવામાં આવતી હોય છે. સુરતથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ધોરણ 12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી હનીટ્રેપનો શિકાર બન્યો છે. ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો. જે બાદ તેને બ્લેકમેઈલ કરવામાં આવતો હતો. ત્યારે હનીટ્રેપમાં ફસાયેલા વિદ્યાર્થીએ પોતાના ઘરની અગાસીથી કૂદકો મારી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું.   


હનીટ્રેપમાં ફસાયો હતો ધો. 12માં ભણતો વિદ્યાર્થી!

પરિવારે ભારે હૈયે પોતાના બાળકને અંતિમ વિદાય આપી હતી. પોતાના બાળકે આત્મહત્યા જેવું પગલું કેમ ભર્યું તે અંગે પરિવાર વિચારી રહ્યો હતો. બાળકના અંતિમ સંસ્કાર કર્યા બાદ પરિવાર સામે એવી હકીકત આવી જેને લઈ પરિવારજનોના હોંશ ઉડી ગયા હતા. વિદ્યાર્થીનો મોબાઈલ તપાસવામાં આવ્યો જેમાં પરિવારજનોને ખબર પડી કે વિદ્યાર્થી હનીટ્રેપમાં ફસાઈ ગયો હતો અને તેને બ્લેકમેઈલ કરવામાં આવતો હતો. ધો,12ના વિદ્યાર્થીનો વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો અને તેને વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. ઉપરાંત વિદ્યાર્થી પાસે પૈસા પણ માગવામાં આવતા હતા.ટુકડે ટુકડે કરી વિદ્યાર્થી પાસેથી 9600 રુપિયા પડાવી લેવામાં આવ્યા હતા. તે ઉપરાંત વધારે પૈસાની માગણી પણ કરવામાં આવી હતી. ત્યારે આને પગલે વિદ્યાર્થીએ આ પગલું ભર્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે.    


પોલીસે ગુન્હો નોંધી હાથ ધરી તપાસ 

આ સમગ્ર મામલે વિદ્યાર્થીના પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ ઘટના અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. પરિવારજનોના જણાવ્યા બાદ પોલીસ મોબાઈલને લઈ તપાસ કરી રહી છે. જે નંબરથી ફોન અને મેસેજ આવ્યા હતા તેના સીડીઆર કાઢવામાં આવ્યા હતા જે બાદ ખબર પડી કે આ નંબરો બિહાર, ઝારખંડ, કોલકાત્તાથી નંબરો ઝમ્પ થતા હતા. વિદ્યાર્થીએ બ્લેકમેઈલથી કંટાળી આપઘાત કર્યું હોવાનું અનુમાન લડગાડવામાં આવી રહ્યું છે. 


સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે રહો સતર્ક! 

મહત્વનું છે સોશિયલ મીડિયાના જમાનામાં અનેક લોકો હનીટ્રેપનો શિકાર બની રહ્યા છે. સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી વીડિયો કોલ કરવામાં આવે છે. જે બાદ ખરાબ વીડિયો ઉતારવામાં આવે છે અને તે બાદ બ્લેકમેઈલ કરવામાં આવે છે અને પૈસાની માગ કરવામાં આવે છે. ત્યારે બદનામીના ડરથી અનેક લોકો મોતને વ્હાલુ કરી લેતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા દરેક વ્યક્તિએ હનીટ્રેપને લઈ સતર્ક રહેવું પડશે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.