સુરતમાં ધો.9માં ભણતી વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા, માતા-પિતાએ આગળ અભ્યાસ કરવાનું કહેતા ટૂંકાવ્યું જીવન!


  • Published By :
  • Published Date : 2023-03-06 14:00:30

નાની નાની વાતો પર શાળામાં ભણતા બાળકો આપઘાત કરી રહ્યા છે. આપઘાત કરવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સુરતમાં વધુ એક વિદ્યાર્થીનીએ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીની દસમાં ધોરણમાં અભ્યાસ કરવા માગતી ન હતી. પરંતુ વિદ્યાર્થીનીના માતા પિતાનું કહેવું હતું કે ધોરણ દસ સુધી અભ્યાસ કરી લે. આગળ ભણવા માટે માતા પિતા દબાણ કરી રહ્યા હતા. માતા-પિતાની વાતનું ખોટું લાગતા આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. 


વધુ એક વિદ્યાર્થીનીએ ટૂંકાવ્યું જીવન   

આપઘાત કરનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. નાની ઉંમરના લોકો આત્મહત્યા વધુ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ આ પ્રકારનું પગલું ભરી રહ્યા છે. થોડા સમય પહેલા સુરતના નાના વરાછામાં ભણતી વિદ્યાર્થીનીએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું જ્યારે આવી ઘટના ફરી એક વખત સુરતમાં બની છે. નવમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે. વિદ્યાર્થીનીને આગળ અભ્યાસ ન કરવો હતો પરંતુ તેના માતા-પિતા દસમું ધોરણ પૂરૂ કરવા દબાણ કરતા હતા. માતા-પિતાની વાતનું ખોટું લાગતા વિદ્યાર્થીનીએ આ પ્રકારનું પગલું ભર્યું હોય તેવું લાગી રહ્યું છે.       


વધતા આત્મહત્યાના કિસ્સાઓ ચિંતાનો વિષય

દિલ પર નાની વાતોને લઈ નાની ઉંમરે બાળકો આપઘાત કરી રહ્યા છે. બાળકો તો આપઘાત કરી લે છે પરંતુ તેમના ગયા પછી પરિવારનું શું થશે તે વિચારતા નથી. બાળકના મોતના સમાચાર સાંભળી માતા-પિતા પર શું આસમાન તૂટી પડતું હોય છે તે બાળકો જાણતા નથી. અવાર-નવાર થતા આત્મહત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે ગંભીર વિષય છે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.