સુરતમાં ધો.9માં ભણતી વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા, માતા-પિતાએ આગળ અભ્યાસ કરવાનું કહેતા ટૂંકાવ્યું જીવન!


  • Published By :
  • Published Date : 2023-03-06 14:00:30

નાની નાની વાતો પર શાળામાં ભણતા બાળકો આપઘાત કરી રહ્યા છે. આપઘાત કરવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સુરતમાં વધુ એક વિદ્યાર્થીનીએ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીની દસમાં ધોરણમાં અભ્યાસ કરવા માગતી ન હતી. પરંતુ વિદ્યાર્થીનીના માતા પિતાનું કહેવું હતું કે ધોરણ દસ સુધી અભ્યાસ કરી લે. આગળ ભણવા માટે માતા પિતા દબાણ કરી રહ્યા હતા. માતા-પિતાની વાતનું ખોટું લાગતા આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. 


વધુ એક વિદ્યાર્થીનીએ ટૂંકાવ્યું જીવન   

આપઘાત કરનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. નાની ઉંમરના લોકો આત્મહત્યા વધુ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ આ પ્રકારનું પગલું ભરી રહ્યા છે. થોડા સમય પહેલા સુરતના નાના વરાછામાં ભણતી વિદ્યાર્થીનીએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું જ્યારે આવી ઘટના ફરી એક વખત સુરતમાં બની છે. નવમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે. વિદ્યાર્થીનીને આગળ અભ્યાસ ન કરવો હતો પરંતુ તેના માતા-પિતા દસમું ધોરણ પૂરૂ કરવા દબાણ કરતા હતા. માતા-પિતાની વાતનું ખોટું લાગતા વિદ્યાર્થીનીએ આ પ્રકારનું પગલું ભર્યું હોય તેવું લાગી રહ્યું છે.       


વધતા આત્મહત્યાના કિસ્સાઓ ચિંતાનો વિષય

દિલ પર નાની વાતોને લઈ નાની ઉંમરે બાળકો આપઘાત કરી રહ્યા છે. બાળકો તો આપઘાત કરી લે છે પરંતુ તેમના ગયા પછી પરિવારનું શું થશે તે વિચારતા નથી. બાળકના મોતના સમાચાર સાંભળી માતા-પિતા પર શું આસમાન તૂટી પડતું હોય છે તે બાળકો જાણતા નથી. અવાર-નવાર થતા આત્મહત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે ગંભીર વિષય છે.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.