સુરતમાં ધો.9માં ભણતી વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા, માતા-પિતાએ આગળ અભ્યાસ કરવાનું કહેતા ટૂંકાવ્યું જીવન!


  • Published By :
  • Published Date : 2023-03-06 14:00:30

નાની નાની વાતો પર શાળામાં ભણતા બાળકો આપઘાત કરી રહ્યા છે. આપઘાત કરવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સુરતમાં વધુ એક વિદ્યાર્થીનીએ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીની દસમાં ધોરણમાં અભ્યાસ કરવા માગતી ન હતી. પરંતુ વિદ્યાર્થીનીના માતા પિતાનું કહેવું હતું કે ધોરણ દસ સુધી અભ્યાસ કરી લે. આગળ ભણવા માટે માતા પિતા દબાણ કરી રહ્યા હતા. માતા-પિતાની વાતનું ખોટું લાગતા આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. 


વધુ એક વિદ્યાર્થીનીએ ટૂંકાવ્યું જીવન   

આપઘાત કરનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. નાની ઉંમરના લોકો આત્મહત્યા વધુ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ આ પ્રકારનું પગલું ભરી રહ્યા છે. થોડા સમય પહેલા સુરતના નાના વરાછામાં ભણતી વિદ્યાર્થીનીએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું જ્યારે આવી ઘટના ફરી એક વખત સુરતમાં બની છે. નવમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે. વિદ્યાર્થીનીને આગળ અભ્યાસ ન કરવો હતો પરંતુ તેના માતા-પિતા દસમું ધોરણ પૂરૂ કરવા દબાણ કરતા હતા. માતા-પિતાની વાતનું ખોટું લાગતા વિદ્યાર્થીનીએ આ પ્રકારનું પગલું ભર્યું હોય તેવું લાગી રહ્યું છે.       


વધતા આત્મહત્યાના કિસ્સાઓ ચિંતાનો વિષય

દિલ પર નાની વાતોને લઈ નાની ઉંમરે બાળકો આપઘાત કરી રહ્યા છે. બાળકો તો આપઘાત કરી લે છે પરંતુ તેમના ગયા પછી પરિવારનું શું થશે તે વિચારતા નથી. બાળકના મોતના સમાચાર સાંભળી માતા-પિતા પર શું આસમાન તૂટી પડતું હોય છે તે બાળકો જાણતા નથી. અવાર-નવાર થતા આત્મહત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે ગંભીર વિષય છે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.