Amreliમાં વિદ્યાર્થિનીને આવ્યો Heart Attack, પરીક્ષા આપતી વખતે ઢળી પડી અને લીધા અંતિમ શ્વાસ


  • Published By :
  • Published Date : 2023-11-03 15:51:23

યુવાનોમાં હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. કોરોના બાદ તો પ્રતિદિન હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ન માત્ર યુવાનો પરંતુ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. આજે જ આવો કિસ્સો અમરેલીથી સામે આવ્યો છે જેમાં શાળામાં ભણતી વિદ્યાર્થિનીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. 9માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ક્લાસમાં ઢળી પડી અને મોતને ભેટી. મળતી માહિતી અનુસાર જે વિદ્યાર્થિનીનું મોત થયું છે તેમનું નામ સાક્ષી રોજાસરા છે. પરીક્ષા દરમિયાન હાર્ટ એટેક આવ્યો અને વિદ્યાર્થિનીનું મોત થઈ ગયું.

A student died of a heart attack while writing a paper in a school in Amreli Heart Attack Death : અમરેલીમાં શાળામાં વિદ્યાર્થિનીનું મોત,પેપર લખતાં અચાનક ઢળી પડી

10 વર્ષની બાળકીનું હાર્ટ એટેકને કારણે થયું મોત 

ગુજરાત તેમજ દેશના યુવાનો પર હાર્ટ એટેકનો ખતરો સતત વધી રહ્યો છે. યુવાનોનો ભોગ હાર્ટ એટેક લઈ રહ્યો છે. કોરોના બાદ તો હૃદય હુમલાનો રાફળો ફાટ્યો છે, પ્રતિદિન અંદાજીત ચારથી પાંચ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. ગઈકાલે 10 વર્ષની દીકરીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. સુરતથી પણ હાર્ટ એટેકનો બનાવ બન્યો છે જેમાં એક યુવાન હાર્ટ એટેકનો શિકાર બની ગયો. યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. કોરોનાની સાઈડઈફેક્ટને કારણે યુવાનો હૃદય હુમલાનો શિકાર બની રહ્યા છે તેવી વાત લોકો દ્વારા કરવામાં આવી. ત્યારે આજે શાળામાં ભણતી વિદ્યાર્થિનીને ચાલુ પરીક્ષામાં હાર્ટ એટેક આવ્યો અને તે મૃત્યુ પામી.

પરીક્ષા દરમિયાન વિદ્યાર્થિની ઢળી પડી અને મોતને ભેટી 

હાર્ટ એટેક આવે તે પહેલા અનેક લોકોને છાતીમાં દુખાવો થતો હોય છે. અચાનક ઢળી પડે છે અને મોતને ભેટે છે. સારવાર માટે પણ અનેક લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવે છે પરંતુ તેમને સારવાર મળે તેની પહેલા જ તેમનું મોત થઈ જાય છે. ડોક્ટર તેમને મૃત જાહેર કરી દે છે. ત્યારે આજના કિસ્સામાં પણ આવું થયું. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થિની અચાનક ઢળી પડી. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ તેની પહેલા જ તેણે પોતાનો જીવ ખોઈ દીધો. ગઈકાલે હાર્ટ એટેકના કિસ્સા સામે આવ્યા હતા જેમાંથી ત્રણ વ્યક્તિના મોત થઈ ગયા છે જ્યારે એક વ્યક્તિની સારવાર ચાલી રહી છે.  

ચાલુ બસે ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક 

ગઈકાલે ચાલુ બસે ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો. ડ્રાઈવરની સમય સૂકતાને કારણે જાનહાની ટળી હતી પરંતુ બસ ખાઈમાં પડી ગઈ હતી .આ ઘટનામાં કોઈના મોત નથી થયા. સારવાર અર્થે ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આની પહેલા પણ અનેક લોકોના મોત હાર્ટ એેટેકને કારણે થયા છે. નવરાત્રી દરમિયાન પણ હાર્ટ એટેકને કારણે 36 જેટલા લોકોના મોત થયા. નવરાત્રી બાદ પણ આ સિલસિલો જોવા મળી રહ્યો છે.   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી