Amreliમાં વિદ્યાર્થિનીને આવ્યો Heart Attack, પરીક્ષા આપતી વખતે ઢળી પડી અને લીધા અંતિમ શ્વાસ


  • Published By :
  • Published Date : 2023-11-03 15:51:23

યુવાનોમાં હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. કોરોના બાદ તો પ્રતિદિન હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ન માત્ર યુવાનો પરંતુ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. આજે જ આવો કિસ્સો અમરેલીથી સામે આવ્યો છે જેમાં શાળામાં ભણતી વિદ્યાર્થિનીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. 9માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ક્લાસમાં ઢળી પડી અને મોતને ભેટી. મળતી માહિતી અનુસાર જે વિદ્યાર્થિનીનું મોત થયું છે તેમનું નામ સાક્ષી રોજાસરા છે. પરીક્ષા દરમિયાન હાર્ટ એટેક આવ્યો અને વિદ્યાર્થિનીનું મોત થઈ ગયું.

A student died of a heart attack while writing a paper in a school in Amreli Heart Attack Death : અમરેલીમાં શાળામાં વિદ્યાર્થિનીનું મોત,પેપર લખતાં અચાનક ઢળી પડી

10 વર્ષની બાળકીનું હાર્ટ એટેકને કારણે થયું મોત 

ગુજરાત તેમજ દેશના યુવાનો પર હાર્ટ એટેકનો ખતરો સતત વધી રહ્યો છે. યુવાનોનો ભોગ હાર્ટ એટેક લઈ રહ્યો છે. કોરોના બાદ તો હૃદય હુમલાનો રાફળો ફાટ્યો છે, પ્રતિદિન અંદાજીત ચારથી પાંચ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. ગઈકાલે 10 વર્ષની દીકરીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. સુરતથી પણ હાર્ટ એટેકનો બનાવ બન્યો છે જેમાં એક યુવાન હાર્ટ એટેકનો શિકાર બની ગયો. યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. કોરોનાની સાઈડઈફેક્ટને કારણે યુવાનો હૃદય હુમલાનો શિકાર બની રહ્યા છે તેવી વાત લોકો દ્વારા કરવામાં આવી. ત્યારે આજે શાળામાં ભણતી વિદ્યાર્થિનીને ચાલુ પરીક્ષામાં હાર્ટ એટેક આવ્યો અને તે મૃત્યુ પામી.

પરીક્ષા દરમિયાન વિદ્યાર્થિની ઢળી પડી અને મોતને ભેટી 

હાર્ટ એટેક આવે તે પહેલા અનેક લોકોને છાતીમાં દુખાવો થતો હોય છે. અચાનક ઢળી પડે છે અને મોતને ભેટે છે. સારવાર માટે પણ અનેક લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવે છે પરંતુ તેમને સારવાર મળે તેની પહેલા જ તેમનું મોત થઈ જાય છે. ડોક્ટર તેમને મૃત જાહેર કરી દે છે. ત્યારે આજના કિસ્સામાં પણ આવું થયું. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થિની અચાનક ઢળી પડી. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ તેની પહેલા જ તેણે પોતાનો જીવ ખોઈ દીધો. ગઈકાલે હાર્ટ એટેકના કિસ્સા સામે આવ્યા હતા જેમાંથી ત્રણ વ્યક્તિના મોત થઈ ગયા છે જ્યારે એક વ્યક્તિની સારવાર ચાલી રહી છે.  

ચાલુ બસે ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક 

ગઈકાલે ચાલુ બસે ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો. ડ્રાઈવરની સમય સૂકતાને કારણે જાનહાની ટળી હતી પરંતુ બસ ખાઈમાં પડી ગઈ હતી .આ ઘટનામાં કોઈના મોત નથી થયા. સારવાર અર્થે ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આની પહેલા પણ અનેક લોકોના મોત હાર્ટ એેટેકને કારણે થયા છે. નવરાત્રી દરમિયાન પણ હાર્ટ એટેકને કારણે 36 જેટલા લોકોના મોત થયા. નવરાત્રી બાદ પણ આ સિલસિલો જોવા મળી રહ્યો છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.