Vadodara દુર્ઘટનાને લઈ Gujarat HighCourtમાં સુઓમોટો દાખલ કરાઈ, જાણો આ મામલે પોલીસ તપાસ દરમિયાન શું આવી નવી અપડેટ?


  • Published By :
  • Published Date : 2024-01-22 10:20:10

વડોદરા હરણી તળાવમાં થોડા દિવસ પેહલા દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 12 જેટલા નિર્દોષ બાળકોના મોત થઈ ગયા હતા. ઓવરલોડેડ બોટ પલટી જવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી ઉપરાંત બાળકોને સુરક્ષા માટે લાઈફ જેકેટ પણ આપવામાં ન આવ્યા હતા. આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પિકનીક માટે ગયેલા બાળકોના મૃતદેહ ઘરે આવ્યા હતા. આ મામલામાં એવી માહિતી સામે આવી છે કે હાઈકોર્ટે સુઓમોટો પિટિશનને સ્વીકારી લીધી છે. આ ઘટનાની નોંધ કોર્ટ દ્વારા લેવામાં આવી છે. એક્શન ટેક્ન રિપોર્ટ 29 જાન્યુઆરી સુધીમાં રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. 

હરણી લેકમાં સર્જાઈ હતી દુર્ઘટના 

થોડા સમય પહેલા મોરબીમાં એક કરૂણાંતિકા સર્જાઈ હતી જેમાં 150 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ હતો. સરકાર પણ આ દુર્ઘટના બાદ એક્ટિવ થઈ ગઈ હતી અને અનેક જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આવા કિસ્સાઓ સર્જાય તે બાદ થોડા દિવસ સુધી કડક કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ પછી જેમ જેમ સમય વિતી જાય છે તે બાદ આવી કડક કાર્યવાહી કરવામાં નથી આવતી. થોડા દિવસો પહેલા વડોદરાના હરણી લેકમાં એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બાળકોના જીવ ગયા છે. 

ગુજરાત હાઈકોર્ટનો રૂપાણી સરકારને આદેશ, ત્રીજી લહેર સામે લડવાની તૈયારી કરો |  Gujarat News in Gujarati

ગુજરાત હાઈકોર્ટે આ ઘટનાની લીધી નોંધ! 

12 જેટલા બાળકો અને 2 શિક્ષકો દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે. આ દુર્ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. એવી પણ માહિતી સામે આવી છે કે આ કેસ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે અને કોર્ટે સુઓમોટો પિટિશન સ્વીકારી છે. આ ઘટના અંગે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન તરફથી રજૂઆત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં આ મામલે જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે એવી માહિતી પણ સામે આવી છે કે હરણી તળાવ બોટ ટ્રેજેડી મામલે ચોંકાવનારા ઘટસ્ફોટ થવા લાગ્યાં છે. વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મોટી માહિતી જાહેર કરી છે. 



આ મામલે શું કહ્યું વડોદરા પોલીસ કમિશનરે?   

પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે જેમાં તેમણે કહ્યું કે આ કેસમાં 18 આરોપીઓ સામે એફઆઇઆર નોંધવામાં આવી છે, જેમાંથી એક આરોપીનું મોત થયું છે છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બોટ ઓપરેટરને ફક્ત તરતા જ આવડતું હતું. તેની પાસે હોડી ચલાવવાની ક્ષમતા નહોતી. તેને ત્યાં નિલેશ જૈને મૂક્યો હતો. કમિશનરે જણાવ્યું હતું કે, બોટ પરના સહાયકને તરતા પણ આવડતું નથી. આ બધી બાબતો બેદરકારી દર્શાવે છે. આથી આરોપીઓ માટે એલઓસી જાહેર કરાઈ છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.