Vadodara દુર્ઘટનાને લઈ Gujarat HighCourtમાં સુઓમોટો દાખલ કરાઈ, જાણો આ મામલે પોલીસ તપાસ દરમિયાન શું આવી નવી અપડેટ?


  • Published By :
  • Published Date : 2024-01-22 10:20:10

વડોદરા હરણી તળાવમાં થોડા દિવસ પેહલા દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 12 જેટલા નિર્દોષ બાળકોના મોત થઈ ગયા હતા. ઓવરલોડેડ બોટ પલટી જવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી ઉપરાંત બાળકોને સુરક્ષા માટે લાઈફ જેકેટ પણ આપવામાં ન આવ્યા હતા. આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પિકનીક માટે ગયેલા બાળકોના મૃતદેહ ઘરે આવ્યા હતા. આ મામલામાં એવી માહિતી સામે આવી છે કે હાઈકોર્ટે સુઓમોટો પિટિશનને સ્વીકારી લીધી છે. આ ઘટનાની નોંધ કોર્ટ દ્વારા લેવામાં આવી છે. એક્શન ટેક્ન રિપોર્ટ 29 જાન્યુઆરી સુધીમાં રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. 

હરણી લેકમાં સર્જાઈ હતી દુર્ઘટના 

થોડા સમય પહેલા મોરબીમાં એક કરૂણાંતિકા સર્જાઈ હતી જેમાં 150 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ હતો. સરકાર પણ આ દુર્ઘટના બાદ એક્ટિવ થઈ ગઈ હતી અને અનેક જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આવા કિસ્સાઓ સર્જાય તે બાદ થોડા દિવસ સુધી કડક કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ પછી જેમ જેમ સમય વિતી જાય છે તે બાદ આવી કડક કાર્યવાહી કરવામાં નથી આવતી. થોડા દિવસો પહેલા વડોદરાના હરણી લેકમાં એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બાળકોના જીવ ગયા છે. 

ગુજરાત હાઈકોર્ટનો રૂપાણી સરકારને આદેશ, ત્રીજી લહેર સામે લડવાની તૈયારી કરો |  Gujarat News in Gujarati

ગુજરાત હાઈકોર્ટે આ ઘટનાની લીધી નોંધ! 

12 જેટલા બાળકો અને 2 શિક્ષકો દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે. આ દુર્ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. એવી પણ માહિતી સામે આવી છે કે આ કેસ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે અને કોર્ટે સુઓમોટો પિટિશન સ્વીકારી છે. આ ઘટના અંગે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન તરફથી રજૂઆત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં આ મામલે જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે એવી માહિતી પણ સામે આવી છે કે હરણી તળાવ બોટ ટ્રેજેડી મામલે ચોંકાવનારા ઘટસ્ફોટ થવા લાગ્યાં છે. વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મોટી માહિતી જાહેર કરી છે. 



આ મામલે શું કહ્યું વડોદરા પોલીસ કમિશનરે?   

પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે જેમાં તેમણે કહ્યું કે આ કેસમાં 18 આરોપીઓ સામે એફઆઇઆર નોંધવામાં આવી છે, જેમાંથી એક આરોપીનું મોત થયું છે છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બોટ ઓપરેટરને ફક્ત તરતા જ આવડતું હતું. તેની પાસે હોડી ચલાવવાની ક્ષમતા નહોતી. તેને ત્યાં નિલેશ જૈને મૂક્યો હતો. કમિશનરે જણાવ્યું હતું કે, બોટ પરના સહાયકને તરતા પણ આવડતું નથી. આ બધી બાબતો બેદરકારી દર્શાવે છે. આથી આરોપીઓ માટે એલઓસી જાહેર કરાઈ છે.    



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.