રાજકોટમાં પાંચમા ધોરણની છોકરીને ટ્યુશનમાં નહોતું જવું એટલે તેણે પોતાના જ અપહરણની ખોટી યોજના બનાવી


  • Published By :
  • Published Date : 2023-09-15 17:55:57

આજે સવારે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોનની રિંગ વાગી, કહેવામાં આવ્યું કે કોઈએ અમારી દીકરીનું અપહરણ કરી લીધું છે. બાળકી ખાલી દસ જ વર્ષની હતી માટે રાજકોટ પોલીસના 80 જેટલા જવાનો અને અધિકારીઓ બાળકીને શોધવા શહેરના રસ્તાઓ પર ઉતરી ગયા, આટલી શોધખોળ અને શહેરની નાકાબંધી બાદ પણ બાળકીનો કંઈ પત્તો ન લાગતા પોલીસે લાગણીશીલ થવાની જગ્યાએ પોલીસ થઈને વિચાર્યું અને તપાસ કરી. તપાસ પછી ખબર પડી કે દસ વર્ષની બાળકીનું અપહરણ નહોતું થયું. બાળકીએ હોમવર્ક નહોતું કર્યું માટે તેને ટ્યૂશનમાં નહોતું જવું. આથી બાળકીએ અપહરણ કર્યાની યોજના ઘડી હતી. 

10 વર્ષની છોકરીએ લેસન નહોતું કર્યું એટલે અપહરણનું બહાનું બનાવ્યું

500 children a year abducted from UK | Children | The Guardian

આજે રાજકોટ શહેરના પોપટપરાના કૃષ્ણનગરમાં રહેતા પરિવારની પાંચમાં ધોરણમાં ભણતી દસ વર્ષની દીકરી સવારે ફોણા નવ વાગ્યે ટ્યુશન જવા માટે ઘરેથી નીકળી હતી. ટ્યુશનનો રસ્તો અલગ હતો પણ છોકરી અલગ વિસ્તારમાં પહોંચીને રડવા લાગી. રડતી નાની છોકરી પર લોકોનું ધ્યાન જતાં તેણે છોકરીને પૂછ્યું હતું કે શું થયું. તો તેણે જણાવ્યું હતું કે મારું કોઈએ અપહરણ કરી લીધું હતું. પછી લોકોએ છોકરીના વાલીને ફોન કર્યો હતો અને પૂરી ઘટનાની જાણ કરી હતી. વાલીઓએ ઘટના સ્થળે પહોંચીને પોલીસને જાણ કરી હતી. માનવ તસ્કરી બહુ ગંભીર ઘટના હોવાના કારણે પ્રદ્યુમન નગર પોલીસ, એ ડિવિઝન પોલીસ, ગાંધીગ્રામ પોલીસ અને સ્પેશિયલ ગ્રુપ, ક્રાઈમ બ્રાન્ચ, અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના જેસીબી, 2 ડિસીપી, 2 એસીપી, 4 પીઆઈ અને અનેક પીએસઆઈ સહીત 80 જેટલા પોલીસ જવાનો રાજકોટના રસ્તા પર અપહરણ કર્તાઓને શોધવા માટે નીકળી ગયા હતા. જ્યારે બાળકીની પૂછપરછ કરી ત્યારે તેણે કહ્યું હતું કે થાર ગાડી હતી અને લોકોએ માસ્ક પહેર્યું હતું. પોલીસે તમામ જગ્યાના સીસીટીવી તપાસ્યા પણ કાળા રંગની થાર એ વિસ્તારમાંથી નીકળી ન હતી. પોલીસે બાળકીના સીસીટીવી ચેક કર્યા તો ખબર પડી કે બાળકી તો ટ્યૂશન તરફ જવાની જગ્યાએ બીજા રસ્તા પર નીકળી હતી તો મહિલા પોલીસે પ્રેમથી બાળકીને પૂછ્યું કે તમે ટ્યુશનની જગ્યાએ ઉંધા રસ્તે કેમ જઈ રહ્યા છો ત્યારે બાળકી ફસાઈ ગઈ હતી અને સાચુ કહી દીધું હતું કે મેં હોમવર્ક નહોતું કર્યું એટલે મારે ટ્યૂશન નહોતું જવું, એટલે તેણે આ યોજના ઘડી હતી અને અપહરણનું નાટક કર્યું હતું જેથી તેને ટ્યૂશન ન જવું પડે. 


આ એક અતિ ગંભીર ઘટના હતી અને પોલીસે કેસ પતાવીને રાહતનો શ્વાસ લીધો હતો. તમે આ વીડિયો જોઈ રહ્યા છો અને તમારા પરિવારમાં નાના બાળકો હોય તો નાના બાળકોને આ ઘટના વીશે સમજાવો કે શું સારુ છે શું ખરાબ છે. આવું ન કરવું જોઈએ. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.