અયોધ્યામાં 20 હજાર શ્રદ્ધાળુઓ માટે બનાવવામાં આવશે ટેન્ટ સિટી, ડૉક્ટરો અને એમ્બ્યુલન્સ રહેશે તૈનાત


  • Published By :
  • Published Date : 2024-01-10 22:37:27

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ચાલી રહેલી તૈયારીઓ તેના અંતિમ તબક્કામાં છે. રામ મંદિરના કારણે અયોધ્યા દેશમાં આસ્થા અને પર્યટનનું કેન્દ્ર બનશે. અયોધ્યામાં લોકો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ જ ક્રમમાં પર્યટન મંત્રી જયવીર સિંહે કહ્યું કે યુપી સરકાર અયોધ્યામાં 20 હજાર લોકોને સમાવવા માટે ટેન્ટ સિટી બનાવશે. નવ્ય અયોધ્યામાં હાઉસિંગ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા અધિગ્રહિત કરવામાં આવેલી જમીન પર ટેન્ટ સિટી બનાવવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે કહ્યું કે આગામી કાર્યક્રમને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં વધારાના ડૉક્ટરો અને એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવશે.


20 હજાર શ્રદ્ધાળુઓ માટે રહેવાની વ્યવસ્થા


ભગવાન રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓની બેઠક માટે પ્રવાસન મંત્રી જયવીર સિંહ અયોધ્યા પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે બેઠક પહેલા કેન્દ્રીય નેતૃત્વએ સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. જ્યાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, શું વ્યવસ્થા કરવાની જરૂર છે, આ બધી ચર્ચા કરવામાં આવી છે. 22 જાન્યુઆરી અને ત્યારબાદ લાખો શ્રદ્ધાળુઓ અયોધ્યા આવે તેવી શક્યતા છે. ભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓ માટે રહેવા, ભોજન, દર્શન અને પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અયોધ્યામાં વધારાના 20 હજાર શ્રદ્ધાળુઓને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અહીં હાઉસિંગ ડેવલપમેન્ટ દ્વારા સંપાદિત કરવામાં આવેલી જમીન પર ટેન્ટ સિટી બનાવવામાં આવશે.


બ્રિજેશ પાઠકે આરોગ્ય તંત્રની અપડેટ આપી  


નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે જણાવ્યું હતું કે, ઠંડીથી બચવા માટે દવાઓ અને સાધનોની ઉપલબ્ધતા અંગે બેઠક યોજવામાં આવી છે. આરોગ્ય સુવિધાઓ માટે વધારાના ડોકટરો અને એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. પાથ લેબની વ્યવસ્થા કરવામાં આવી છે. મેડિકલ કોલેજો અને ખાનગી તબીબો પાસેથી સહકાર લેવામાં આવ્યો છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે