બનાસકાંઠામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, દુકાનો સાથે અથડાયા બાદ પલટી ગાડી, ટક્કરથી ગયો આટલા લોકોનો જીવ!


  • Published By :
  • Published Date : 2023-07-03 15:53:14

આપણે ઘણી વખત ફિલ્મોમાં પોલીસને ચોર પાછળ ભાગતી જોઈ હશે એ ફિલ્મ છે માટે એમાં પોલીસ ચોરને પકડી લે છે પણ હકીકતમાં આવું થાય છે તેની ગેરંટીથી ન કહી શકાય. ચોર પોલીસની પકડમાં આવે પણ ખરો અને ન પણ આવે. પણ આવા જ દ્રશ્યો બનાસકાંઠાના ધાનેરાના હાઈવે પર બન્યા હતા. જ્યા પોલીસના ખાનગી માણસો દારૂની હેરાફેરા કરનાર માણસોને પકડવા જતા હતા પણ તેમની સ્કોર્પિયો ગાડીની ઝડપ એટલી વધારે હતી કે પોલીસના બાતમીદાર લોકોનો જ ભયાનક અકસ્માત થઈ ગયો.. અકસ્માતમાં ત્રણ લોકોના મોત થઈ ગયા છે. 


સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા સર્જાયો અકસ્માત 

બનાસકાંઠામાં એક ગામ આવેલું છે જેનું નામ છે ચોરા પરબડી, આ ગામમાં દારૂની ખેપ લાગી હતી તેની માહિતી મળી તો પોલીસના ખાનગી લોકો ત્યાં પહોંચી ગયા હતા. પોલીસના લોકોને જોઈ દારુની ખેપ મારતા લોકો ગાડી લઈને ભાગ્યા હતા. ભાગેલા લોકોનો પોલીસના લોકોએ સ્કોર્પિયો ગાડીમાં પીછો કર્યો હતો. પણ તે દરમિયાન થરાદ ધાનેરાનો હાઈવે આજ પરોઢના સમયે રક્તરંજિત થયો..  કારણ કે પોલીસના બાતમીદાર લોકોની સ્કોર્પિયો ગાડી એટલી ઝડપથી પીછો કરી રહી હતી કે ડ્રાઈવર હેન્ડલ પરથી કાબૂ ગુમાવતા સ્કોર્પિયો 3 દુકાનોના શેડ અને એક દુકાનનું શટર તોડીને ડીવાઈડર સાથે ધડામ દઈને અથડાઈ. 


અકસ્માતમાં થયા અનેક લોકોના મોત જ્યારે અનેક લોકો થયા ઘાયલ

સ્કોર્પિયો ગાડી અથડાતા તેમાં સવાર ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત છે. ત્રણેય ઈજાગ્રસ્ત લોકોની બનાસકાંઠાની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. વિગતવાર વાત કરીએ તો આ અકસ્માત એટલો ભયાનક હતો કે સ્કોર્પિયો ગાડીના પૂરજે પૂરજા અલગ થઈ ગયા હતા. કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે પોલીસના બાતમીદારો સાથે પોલીસ જવાનો પણ સ્કોર્પિયો ગાડીમાં હતા પણ બનાસકાંઠા પોલીસે હજું આ મામલે કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું. અત્યાર સુધી એ જ સામે આવ્યું છે કે પોલીસના મિત્રો અથવા પોલીસના બાતમીદારો અથવા પોલીસના ખાનગી માણસો દારુની ખેપ લગાવતી ગાડીનો પીછો કરતા હતી અને તે દરમિયાન ઝડપના કારણે ગાડીનો અકસ્માત થઈ ગયો હતો અને આ દુર્ઘટના ઘટી છે.


શું છે સમગ્ર ઘટના?

સમાચારની વિગત મેળવવામાં આવી તો ખબર પડી કે સ્કોર્પિયો ગાડીનો દારૂ વેચતી અથવા દારૂની ખેપ લગાવતી ગાડીનો પીછો કરી રહ્યા હતા. સ્કોર્પિયો ગાડી દારુની હેરાફેરી કરતા લોકોને પકડવા માગતા હતા પણ એવું થઈ શક્યું ન હતું. જો કે દુર્ઘટના ઘટ્યા બાદ બનાસકાંઠાના ધાનેરાના પોલીસના જવાનો ત્યાં પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. પોલીસે ઓળખ કરી તો ખબર પડી છે કે મૃતક લોકો પમરુ ગામના હતા. મૃતકોને હાલ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. વધુ વિગતો જેમ જેમ સામે આવશે તેમ અમે જણાવતા રહીશું. મહત્વનું છે કે બે દિવસ પહેલા પણ બનાસકાંઠાના અમીરગઢમાં આવો જ ભયાનક અકસ્માત થયો હતો જેમાં ચાર લોકોના મોત થઈ ગયા હતા.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.