બનાસકાંઠામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, દુકાનો સાથે અથડાયા બાદ પલટી ગાડી, ટક્કરથી ગયો આટલા લોકોનો જીવ!


  • Published By :
  • Published Date : 2023-07-03 15:53:14

આપણે ઘણી વખત ફિલ્મોમાં પોલીસને ચોર પાછળ ભાગતી જોઈ હશે એ ફિલ્મ છે માટે એમાં પોલીસ ચોરને પકડી લે છે પણ હકીકતમાં આવું થાય છે તેની ગેરંટીથી ન કહી શકાય. ચોર પોલીસની પકડમાં આવે પણ ખરો અને ન પણ આવે. પણ આવા જ દ્રશ્યો બનાસકાંઠાના ધાનેરાના હાઈવે પર બન્યા હતા. જ્યા પોલીસના ખાનગી માણસો દારૂની હેરાફેરા કરનાર માણસોને પકડવા જતા હતા પણ તેમની સ્કોર્પિયો ગાડીની ઝડપ એટલી વધારે હતી કે પોલીસના બાતમીદાર લોકોનો જ ભયાનક અકસ્માત થઈ ગયો.. અકસ્માતમાં ત્રણ લોકોના મોત થઈ ગયા છે. 


સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા સર્જાયો અકસ્માત 

બનાસકાંઠામાં એક ગામ આવેલું છે જેનું નામ છે ચોરા પરબડી, આ ગામમાં દારૂની ખેપ લાગી હતી તેની માહિતી મળી તો પોલીસના ખાનગી લોકો ત્યાં પહોંચી ગયા હતા. પોલીસના લોકોને જોઈ દારુની ખેપ મારતા લોકો ગાડી લઈને ભાગ્યા હતા. ભાગેલા લોકોનો પોલીસના લોકોએ સ્કોર્પિયો ગાડીમાં પીછો કર્યો હતો. પણ તે દરમિયાન થરાદ ધાનેરાનો હાઈવે આજ પરોઢના સમયે રક્તરંજિત થયો..  કારણ કે પોલીસના બાતમીદાર લોકોની સ્કોર્પિયો ગાડી એટલી ઝડપથી પીછો કરી રહી હતી કે ડ્રાઈવર હેન્ડલ પરથી કાબૂ ગુમાવતા સ્કોર્પિયો 3 દુકાનોના શેડ અને એક દુકાનનું શટર તોડીને ડીવાઈડર સાથે ધડામ દઈને અથડાઈ. 


અકસ્માતમાં થયા અનેક લોકોના મોત જ્યારે અનેક લોકો થયા ઘાયલ

સ્કોર્પિયો ગાડી અથડાતા તેમાં સવાર ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત છે. ત્રણેય ઈજાગ્રસ્ત લોકોની બનાસકાંઠાની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. વિગતવાર વાત કરીએ તો આ અકસ્માત એટલો ભયાનક હતો કે સ્કોર્પિયો ગાડીના પૂરજે પૂરજા અલગ થઈ ગયા હતા. કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે પોલીસના બાતમીદારો સાથે પોલીસ જવાનો પણ સ્કોર્પિયો ગાડીમાં હતા પણ બનાસકાંઠા પોલીસે હજું આ મામલે કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું. અત્યાર સુધી એ જ સામે આવ્યું છે કે પોલીસના મિત્રો અથવા પોલીસના બાતમીદારો અથવા પોલીસના ખાનગી માણસો દારુની ખેપ લગાવતી ગાડીનો પીછો કરતા હતી અને તે દરમિયાન ઝડપના કારણે ગાડીનો અકસ્માત થઈ ગયો હતો અને આ દુર્ઘટના ઘટી છે.


શું છે સમગ્ર ઘટના?

સમાચારની વિગત મેળવવામાં આવી તો ખબર પડી કે સ્કોર્પિયો ગાડીનો દારૂ વેચતી અથવા દારૂની ખેપ લગાવતી ગાડીનો પીછો કરી રહ્યા હતા. સ્કોર્પિયો ગાડી દારુની હેરાફેરી કરતા લોકોને પકડવા માગતા હતા પણ એવું થઈ શક્યું ન હતું. જો કે દુર્ઘટના ઘટ્યા બાદ બનાસકાંઠાના ધાનેરાના પોલીસના જવાનો ત્યાં પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. પોલીસે ઓળખ કરી તો ખબર પડી છે કે મૃતક લોકો પમરુ ગામના હતા. મૃતકોને હાલ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. વધુ વિગતો જેમ જેમ સામે આવશે તેમ અમે જણાવતા રહીશું. મહત્વનું છે કે બે દિવસ પહેલા પણ બનાસકાંઠાના અમીરગઢમાં આવો જ ભયાનક અકસ્માત થયો હતો જેમાં ચાર લોકોના મોત થઈ ગયા હતા.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.