Ahmedabad-vadodara હાઈવે પર સર્જાયો ભયંકર અકસ્માત, ટેન્કર પાછળ ઘૂસી ગાડી, થઈ ગયા 10 લોકોના કરૂણ મોત..


  • Published By :
  • Published Date : 2024-04-17 18:00:34

અકસ્માતોમાં અનેક જીંદગીઓનો અંત આવ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થયા છે. રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન એવા સમાચારો સામે આવતા હોય છે કે આ જગ્યા પર આજે અકસ્માત સર્જાયો છે અને આ ઘટનામાં આટલા લોકોના મોત થયા છે. ત્યારે વધુ એક અમદાવાદ એક્સપ્રેસ વે પર અકસ્માત સર્જાયો છે જેમાં 10 લોકોના મોત થઈ ગયા છે. 8 લોકોના મોત ઘટના સ્થળ પર થયા છે જ્યારે બે લોકોના મોત સારવાર દરમિયાન થયા હોવાનું સામે આવ્યું છે. 



અકસ્માતને કારણે અનેક જીંદગીનો થયો છે અંત 

આપણે ત્યાં કહેવાય છે કે ઝડપની મજા મોતની સજા. ઝડપની મજા મોતમાં ક્યારે પરિણમે છે તેની ખબર નથી પડતી... અકસ્માતોની સંખ્યામાં એટલો બધો વધારો થયો છે કે જો ઘરનું કોઈ વ્યક્તિ ઘરની બહાર નીકળે છે તો જ્યાં સુધી તે વ્યક્તિ ઘરે નથી પહોંચતો તો ટેન્શન થઈ જાય છે... એક્સિડન્ટ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે પરંતુ સામાન્ય કારણ હોય છે ઓવરસ્પીડિંગ... ઓવરસ્પડિંગને કારણે લોકોના મોત થઈ જતા હોય છે. એક્સપ્રેસ હાઈવે પર તો અક્સમાત રહેવાના ચાન્સીસ વધી જ જાય છે.. 


ગાડી અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત થયા 10 લોકોના મોત 

ત્યારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ પાસે એક ગંભીર અકસ્માત થયો છે કાર અને ડમ્પર વચ્ચે જેમાં ઘટના સ્થળ પર 8 લોકોના મોત થયા છે જ્યારે બે લોકોના મોત સારવાર દરમિયાન થયા છે તેવી માહિતી સામે આવી છે. વડોદરાથી અમદાવાદ તરફ આવેલી રહેલી ગાડીને અકસ્માત નડ્યો છે. અકસ્માત બાદના જે દ્રશ્યો સામે આવ્યા છે તે જોઈ ડરી જવાય તેવા છે.... 

Article Content Image


મોતની ચિચિયારીઓથી ગુંચી ઉઠ્યો હશે હાઈવે 

ગાડીની એવી ગંદી હાલત થઈ ગઈ છે કે એમ થાય તે આ ગાડી કેટલી સ્પીડમાં આવતી હશે.. આ અકસ્માત થતા ઘટના સ્થળ પર પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો, 108ની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને મૃતદેહોને બહાર કાઢવાની કાર્યવાહી કરી હતી. જે દ્રશ્યો સામે આવ્યા છે તે જોતા આપણા મનમાં દ્રશ્યો સામે આવી જાય કે જ્યારે આ અકસ્માત સર્જાયો હશે ત્યારે હાઈવે પર મોતની ચિચિયારીઓ ગુંજી હશે..



કોઈના ભૂલની સજા ભોગવવી પડે છે બીજા કોઈને! 

મહત્વનું છે કે અનેક લોકોના મોત અકસ્માતમાં થયા છે અને અનેક પરિવારે પોતાના સભ્યોને અકસ્માતમાં ગુમાવ્યા છે. ઘણા કેસોમાં કોઈ બીજાના ભૂલની સજા કોઈ બીજાને, કોઈ બીજાના પરિવારને ભોગવવાનો વારો આવતો હોય છે..રોંગ સાઈડમાં આવતા લોકોને કારણે પણ અનેક વખત અકસ્માત સર્જાય છે.    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.