Ahmedabad-vadodara હાઈવે પર સર્જાયો ભયંકર અકસ્માત, ટેન્કર પાછળ ઘૂસી ગાડી, થઈ ગયા 10 લોકોના કરૂણ મોત..


  • Published By :
  • Published Date : 2024-04-17 18:00:34

અકસ્માતોમાં અનેક જીંદગીઓનો અંત આવ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થયા છે. રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન એવા સમાચારો સામે આવતા હોય છે કે આ જગ્યા પર આજે અકસ્માત સર્જાયો છે અને આ ઘટનામાં આટલા લોકોના મોત થયા છે. ત્યારે વધુ એક અમદાવાદ એક્સપ્રેસ વે પર અકસ્માત સર્જાયો છે જેમાં 10 લોકોના મોત થઈ ગયા છે. 8 લોકોના મોત ઘટના સ્થળ પર થયા છે જ્યારે બે લોકોના મોત સારવાર દરમિયાન થયા હોવાનું સામે આવ્યું છે. 



અકસ્માતને કારણે અનેક જીંદગીનો થયો છે અંત 

આપણે ત્યાં કહેવાય છે કે ઝડપની મજા મોતની સજા. ઝડપની મજા મોતમાં ક્યારે પરિણમે છે તેની ખબર નથી પડતી... અકસ્માતોની સંખ્યામાં એટલો બધો વધારો થયો છે કે જો ઘરનું કોઈ વ્યક્તિ ઘરની બહાર નીકળે છે તો જ્યાં સુધી તે વ્યક્તિ ઘરે નથી પહોંચતો તો ટેન્શન થઈ જાય છે... એક્સિડન્ટ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે પરંતુ સામાન્ય કારણ હોય છે ઓવરસ્પીડિંગ... ઓવરસ્પડિંગને કારણે લોકોના મોત થઈ જતા હોય છે. એક્સપ્રેસ હાઈવે પર તો અક્સમાત રહેવાના ચાન્સીસ વધી જ જાય છે.. 


ગાડી અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત થયા 10 લોકોના મોત 

ત્યારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ પાસે એક ગંભીર અકસ્માત થયો છે કાર અને ડમ્પર વચ્ચે જેમાં ઘટના સ્થળ પર 8 લોકોના મોત થયા છે જ્યારે બે લોકોના મોત સારવાર દરમિયાન થયા છે તેવી માહિતી સામે આવી છે. વડોદરાથી અમદાવાદ તરફ આવેલી રહેલી ગાડીને અકસ્માત નડ્યો છે. અકસ્માત બાદના જે દ્રશ્યો સામે આવ્યા છે તે જોઈ ડરી જવાય તેવા છે.... 

Article Content Image


મોતની ચિચિયારીઓથી ગુંચી ઉઠ્યો હશે હાઈવે 

ગાડીની એવી ગંદી હાલત થઈ ગઈ છે કે એમ થાય તે આ ગાડી કેટલી સ્પીડમાં આવતી હશે.. આ અકસ્માત થતા ઘટના સ્થળ પર પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો, 108ની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને મૃતદેહોને બહાર કાઢવાની કાર્યવાહી કરી હતી. જે દ્રશ્યો સામે આવ્યા છે તે જોતા આપણા મનમાં દ્રશ્યો સામે આવી જાય કે જ્યારે આ અકસ્માત સર્જાયો હશે ત્યારે હાઈવે પર મોતની ચિચિયારીઓ ગુંજી હશે..



કોઈના ભૂલની સજા ભોગવવી પડે છે બીજા કોઈને! 

મહત્વનું છે કે અનેક લોકોના મોત અકસ્માતમાં થયા છે અને અનેક પરિવારે પોતાના સભ્યોને અકસ્માતમાં ગુમાવ્યા છે. ઘણા કેસોમાં કોઈ બીજાના ભૂલની સજા કોઈ બીજાને, કોઈ બીજાના પરિવારને ભોગવવાનો વારો આવતો હોય છે..રોંગ સાઈડમાં આવતા લોકોને કારણે પણ અનેક વખત અકસ્માત સર્જાય છે.    



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે