બગોદરા-લીમડી હાઇવે પર સર્જાયો ભયંકર અકસ્માત, ટ્રક અને બસ વચ્ચે ટક્કર થતા થયા આટલા લોકોના મોત!


  • Published By :
  • Published Date : 2024-02-03 13:53:38

અકસ્માત જાણે સામાન્ય શબ્દ થઈ ગયો છે તેવું લાગે છે. પ્રતિદિન અકસ્માતોના સમાચાર સામે આવી રહ્યા છે અને અકસ્માતમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે. ઘરની બહાર નિકળેલો માણસ ઘરે પરત ફરશે કે નહીં તેની પણ ખબર રહેતી નથી. અકસ્માતમાં અનેક પરિવારો વિખેરાયા છે. ત્યારે એક ભયંકર અકસ્માત બગોદરા લીમડી હાઈવે પર સર્જોયો છે જેમાં બે લોકોના મોત થયા છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. મીઠાપુર પાટીયા પાસે ખાનગી લકઝરી અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી અને આ અકસ્માત સર્જાયો હતો.

Accident News: 2 dead, 22 injured in luxury bus-truck accident on Bagodara-Limdi highway Accident: બગોદરા-લીમડી હાઇવે પર લકઝરી બસ – ટ્રક વચ્ચે અકસ્માત, 2 લોકોનાં મોત, 22 ઘાયલ

અકસ્માતમાં અનેક લોકોએ ગુમાવ્યા છે જીવ! 

રાજ્યમાં અકસ્માત સર્જાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. દરરોજ અકસ્માત સર્જાય છે અને કોઈ વ્યક્તિ મોતને ભેટે છે. કોઈ વખત ટક્કર થવાને કારણે તો કોઈ વખત રખડતા શ્વાનને કારણે અકસ્માત સર્જાતા હોય છે. કોઈ વખત ઓવરસ્પીડિંગને કારણે તો કોઈ વખત રોંગસાઈડને કારણે કોઈને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. અકસ્માતને કારણે અનેક લોકોના મોત થઈ ગયા છે ત્યારે આજે વધુ એક અકસ્માત લિંબડી હાઈવે પર સર્જાયો છે જેમાં બે લોકોના મોત થઈ ગયા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. 



ટ્રક અને બસ વચ્ચે ટક્કર થતા બે લોકોના નિપજ્યાં મોત! 

મળતી માહિતી અનુસાર ટ્રક તેમજ ખાનગી બસ વચ્ચે ટક્કર થઈ. બસમાં સવાર લોકોને ઈજાઓ પહોંચી છે જ્યારે બે લોકોના મોત થઈ ગયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે કોઈ વખત બીજાના ભૂલની સજા કોઈ બીજાને ભોગવવી પડતી હોય છે.      



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.