બગોદરા-લીમડી હાઇવે પર સર્જાયો ભયંકર અકસ્માત, ટ્રક અને બસ વચ્ચે ટક્કર થતા થયા આટલા લોકોના મોત!


  • Published By :
  • Published Date : 2024-02-03 13:53:38

અકસ્માત જાણે સામાન્ય શબ્દ થઈ ગયો છે તેવું લાગે છે. પ્રતિદિન અકસ્માતોના સમાચાર સામે આવી રહ્યા છે અને અકસ્માતમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે. ઘરની બહાર નિકળેલો માણસ ઘરે પરત ફરશે કે નહીં તેની પણ ખબર રહેતી નથી. અકસ્માતમાં અનેક પરિવારો વિખેરાયા છે. ત્યારે એક ભયંકર અકસ્માત બગોદરા લીમડી હાઈવે પર સર્જોયો છે જેમાં બે લોકોના મોત થયા છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. મીઠાપુર પાટીયા પાસે ખાનગી લકઝરી અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી અને આ અકસ્માત સર્જાયો હતો.

Accident News: 2 dead, 22 injured in luxury bus-truck accident on Bagodara-Limdi highway Accident: બગોદરા-લીમડી હાઇવે પર લકઝરી બસ – ટ્રક વચ્ચે અકસ્માત, 2 લોકોનાં મોત, 22 ઘાયલ

અકસ્માતમાં અનેક લોકોએ ગુમાવ્યા છે જીવ! 

રાજ્યમાં અકસ્માત સર્જાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. દરરોજ અકસ્માત સર્જાય છે અને કોઈ વ્યક્તિ મોતને ભેટે છે. કોઈ વખત ટક્કર થવાને કારણે તો કોઈ વખત રખડતા શ્વાનને કારણે અકસ્માત સર્જાતા હોય છે. કોઈ વખત ઓવરસ્પીડિંગને કારણે તો કોઈ વખત રોંગસાઈડને કારણે કોઈને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. અકસ્માતને કારણે અનેક લોકોના મોત થઈ ગયા છે ત્યારે આજે વધુ એક અકસ્માત લિંબડી હાઈવે પર સર્જાયો છે જેમાં બે લોકોના મોત થઈ ગયા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. 



ટ્રક અને બસ વચ્ચે ટક્કર થતા બે લોકોના નિપજ્યાં મોત! 

મળતી માહિતી અનુસાર ટ્રક તેમજ ખાનગી બસ વચ્ચે ટક્કર થઈ. બસમાં સવાર લોકોને ઈજાઓ પહોંચી છે જ્યારે બે લોકોના મોત થઈ ગયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે કોઈ વખત બીજાના ભૂલની સજા કોઈ બીજાને ભોગવવી પડતી હોય છે.      



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.