બગોદરા-લીમડી હાઇવે પર સર્જાયો ભયંકર અકસ્માત, ટ્રક અને બસ વચ્ચે ટક્કર થતા થયા આટલા લોકોના મોત!


  • Published By :
  • Published Date : 2024-02-03 13:53:38

અકસ્માત જાણે સામાન્ય શબ્દ થઈ ગયો છે તેવું લાગે છે. પ્રતિદિન અકસ્માતોના સમાચાર સામે આવી રહ્યા છે અને અકસ્માતમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે. ઘરની બહાર નિકળેલો માણસ ઘરે પરત ફરશે કે નહીં તેની પણ ખબર રહેતી નથી. અકસ્માતમાં અનેક પરિવારો વિખેરાયા છે. ત્યારે એક ભયંકર અકસ્માત બગોદરા લીમડી હાઈવે પર સર્જોયો છે જેમાં બે લોકોના મોત થયા છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. મીઠાપુર પાટીયા પાસે ખાનગી લકઝરી અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી અને આ અકસ્માત સર્જાયો હતો.

Accident News: 2 dead, 22 injured in luxury bus-truck accident on Bagodara-Limdi highway Accident: બગોદરા-લીમડી હાઇવે પર લકઝરી બસ – ટ્રક વચ્ચે અકસ્માત, 2 લોકોનાં મોત, 22 ઘાયલ

અકસ્માતમાં અનેક લોકોએ ગુમાવ્યા છે જીવ! 

રાજ્યમાં અકસ્માત સર્જાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. દરરોજ અકસ્માત સર્જાય છે અને કોઈ વ્યક્તિ મોતને ભેટે છે. કોઈ વખત ટક્કર થવાને કારણે તો કોઈ વખત રખડતા શ્વાનને કારણે અકસ્માત સર્જાતા હોય છે. કોઈ વખત ઓવરસ્પીડિંગને કારણે તો કોઈ વખત રોંગસાઈડને કારણે કોઈને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. અકસ્માતને કારણે અનેક લોકોના મોત થઈ ગયા છે ત્યારે આજે વધુ એક અકસ્માત લિંબડી હાઈવે પર સર્જાયો છે જેમાં બે લોકોના મોત થઈ ગયા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. 



ટ્રક અને બસ વચ્ચે ટક્કર થતા બે લોકોના નિપજ્યાં મોત! 

મળતી માહિતી અનુસાર ટ્રક તેમજ ખાનગી બસ વચ્ચે ટક્કર થઈ. બસમાં સવાર લોકોને ઈજાઓ પહોંચી છે જ્યારે બે લોકોના મોત થઈ ગયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે કોઈ વખત બીજાના ભૂલની સજા કોઈ બીજાને ભોગવવી પડતી હોય છે.      



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.