બગોદરા-લીમડી હાઇવે પર સર્જાયો ભયંકર અકસ્માત, ટ્રક અને બસ વચ્ચે ટક્કર થતા થયા આટલા લોકોના મોત!


  • Published By :
  • Published Date : 2024-02-03 13:53:38

અકસ્માત જાણે સામાન્ય શબ્દ થઈ ગયો છે તેવું લાગે છે. પ્રતિદિન અકસ્માતોના સમાચાર સામે આવી રહ્યા છે અને અકસ્માતમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે. ઘરની બહાર નિકળેલો માણસ ઘરે પરત ફરશે કે નહીં તેની પણ ખબર રહેતી નથી. અકસ્માતમાં અનેક પરિવારો વિખેરાયા છે. ત્યારે એક ભયંકર અકસ્માત બગોદરા લીમડી હાઈવે પર સર્જોયો છે જેમાં બે લોકોના મોત થયા છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. મીઠાપુર પાટીયા પાસે ખાનગી લકઝરી અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી અને આ અકસ્માત સર્જાયો હતો.

Accident News: 2 dead, 22 injured in luxury bus-truck accident on Bagodara-Limdi highway Accident: બગોદરા-લીમડી હાઇવે પર લકઝરી બસ – ટ્રક વચ્ચે અકસ્માત, 2 લોકોનાં મોત, 22 ઘાયલ

અકસ્માતમાં અનેક લોકોએ ગુમાવ્યા છે જીવ! 

રાજ્યમાં અકસ્માત સર્જાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. દરરોજ અકસ્માત સર્જાય છે અને કોઈ વ્યક્તિ મોતને ભેટે છે. કોઈ વખત ટક્કર થવાને કારણે તો કોઈ વખત રખડતા શ્વાનને કારણે અકસ્માત સર્જાતા હોય છે. કોઈ વખત ઓવરસ્પીડિંગને કારણે તો કોઈ વખત રોંગસાઈડને કારણે કોઈને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. અકસ્માતને કારણે અનેક લોકોના મોત થઈ ગયા છે ત્યારે આજે વધુ એક અકસ્માત લિંબડી હાઈવે પર સર્જાયો છે જેમાં બે લોકોના મોત થઈ ગયા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. 



ટ્રક અને બસ વચ્ચે ટક્કર થતા બે લોકોના નિપજ્યાં મોત! 

મળતી માહિતી અનુસાર ટ્રક તેમજ ખાનગી બસ વચ્ચે ટક્કર થઈ. બસમાં સવાર લોકોને ઈજાઓ પહોંચી છે જ્યારે બે લોકોના મોત થઈ ગયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે કોઈ વખત બીજાના ભૂલની સજા કોઈ બીજાને ભોગવવી પડતી હોય છે.      



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.