UttarPradeshમાં સર્જાયો ભીષણ રોડ અકસ્માત, ટ્રક અને ગાડીની ટક્કર થઈ અને થયા આટલા લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-11-14 13:58:43

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. અનેક અકસ્માતો એટલા ગંભીર હોય છે કે ઘટનાસ્થળ પર જ લોકોના મોત થઈ જતા હોય છે. ત્યારે ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં પણ એક ભયંકર અકસ્માત સર્જાયો છે જેમાં 6 જેટલા લોકોના મોત થઈ ગયા છે. નેશનલ હાઈવે નંબર 58 પર આ અકસ્માત સર્જાયો છે જેમાં કાર અને ટ્રકની ટક્કર થઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહનો ગાડીમાંથી બહાર કાઢવાની કામગીરી થઈ રહી છે.

मुजफ्फरनगर में भीषण सड़क हादसा, कार ट्रक के नीचे घुसी, दिल्ली के 6 लोगों की मौत

ઘટનાસ્થળ પર થયા 6 લોકોના મોત 

ઉત્તરપ્રદેશમાં ભીષણ રોડ અકસ્માત સર્જાયો છે. મુઝફ્ફરનગરમાં નેશનલ હાઈવે 58 પર એક રોડ અકસ્માત થયો છે જેમાં ફૂલ સ્પીડમાં આવેલી ગાડી ટ્રક સાથે અથડાઈ. 6 લોકોના મોત ઘટનાસ્થળ પર જ થયા છે તેવી માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને મૃતદેહોને બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર દિલ્હી દેહરાદૂન હાઈવે પર છાપર પાસે આ અકસ્માતની ઘટના બની છે. આ ઘટનામાં 6 મિત્રોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી છે. 


અકસ્માત સર્જાતા ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી ગાડી!

આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર મંગળવાર વહેલી સવારે લગભગગ ચાર વાગે કાર ટ્રક સાથે અથડાઈ હતી. ટ્રક આગળ જઈ રહી હતી અને પાછળથી ગાડી આવી અને ટ્રક સાથે અથડાઈ અને આ દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.એવી પણ માહિતી સામે આવી છે કે ગાડી ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી. આ અકસ્માત ઓવરસ્પીડિંગને કારણે સર્જાયો હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકો દિલ્હીના રહેવાસી હતા અને એક બીજાના મિત્રો હતા. મહત્વનું છે કે તહેવારનો આનંદ માતમમાં ફેરવાઈ ગયો છે.       



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.