UttarPradeshમાં સર્જાયો ભીષણ રોડ અકસ્માત, ટ્રક અને ગાડીની ટક્કર થઈ અને થયા આટલા લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-11-14 13:58:43

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. અનેક અકસ્માતો એટલા ગંભીર હોય છે કે ઘટનાસ્થળ પર જ લોકોના મોત થઈ જતા હોય છે. ત્યારે ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં પણ એક ભયંકર અકસ્માત સર્જાયો છે જેમાં 6 જેટલા લોકોના મોત થઈ ગયા છે. નેશનલ હાઈવે નંબર 58 પર આ અકસ્માત સર્જાયો છે જેમાં કાર અને ટ્રકની ટક્કર થઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહનો ગાડીમાંથી બહાર કાઢવાની કામગીરી થઈ રહી છે.

मुजफ्फरनगर में भीषण सड़क हादसा, कार ट्रक के नीचे घुसी, दिल्ली के 6 लोगों की मौत

ઘટનાસ્થળ પર થયા 6 લોકોના મોત 

ઉત્તરપ્રદેશમાં ભીષણ રોડ અકસ્માત સર્જાયો છે. મુઝફ્ફરનગરમાં નેશનલ હાઈવે 58 પર એક રોડ અકસ્માત થયો છે જેમાં ફૂલ સ્પીડમાં આવેલી ગાડી ટ્રક સાથે અથડાઈ. 6 લોકોના મોત ઘટનાસ્થળ પર જ થયા છે તેવી માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને મૃતદેહોને બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર દિલ્હી દેહરાદૂન હાઈવે પર છાપર પાસે આ અકસ્માતની ઘટના બની છે. આ ઘટનામાં 6 મિત્રોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી છે. 


અકસ્માત સર્જાતા ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી ગાડી!

આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર મંગળવાર વહેલી સવારે લગભગગ ચાર વાગે કાર ટ્રક સાથે અથડાઈ હતી. ટ્રક આગળ જઈ રહી હતી અને પાછળથી ગાડી આવી અને ટ્રક સાથે અથડાઈ અને આ દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.એવી પણ માહિતી સામે આવી છે કે ગાડી ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી. આ અકસ્માત ઓવરસ્પીડિંગને કારણે સર્જાયો હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકો દિલ્હીના રહેવાસી હતા અને એક બીજાના મિત્રો હતા. મહત્વનું છે કે તહેવારનો આનંદ માતમમાં ફેરવાઈ ગયો છે.       



ઇટાલી અને ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ વચ્ચે સ્ટારલિંકનું ઈન્ટરનેટ આપવાને લઇને વાર્તાલાપ પડી ભાંગ્યો છે . આ પાછળ ઇટાલીની સરકાર પર ત્યાંના વિરોધ પક્ષે જોરદાર દબાણ ઉભું કર્યું હતું . આ ઉપરાંત ઈલોન મસ્કની જે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે નિકટતા છે તેના લીધે પણ આ વાર્તાલાપ પડી ભાંગ્યો છે. ઈલોન મસ્ક હાલના સમયમાં સમગ્ર વિશ્વમાં જોરદાર વિરોધનો સામનો કરી રહ્યા છે.

વ્યક્તિ પોતાના ઘરમાં કેટલી રકમ રાખી શકે છે તેના પર કોઈ પ્રતિબંધ નથી. જ્યાં સુધી તમે સાબિત કરી શકો કે તે કાયદેસરના સ્ત્રોત માંથી કમાયા છે અને તમે તેને તમારા આવકવેરા રિટર્નમાં જાહેર કર્યું છે ત્યાં સુધી આ લાગુ રહેશે. જો તમે સાબિત કરી શકતા નથી કે પૈસા કાયદેસર નથી, તો તમને ગંભીર દંડનો સામનો કરવો પડી શકે છે.

6G ઈન્ટરનેટ માટે ચાઈનામાં તડામાર તૈયારીઓ શરુ થઇ ચુકી છે . તો આ બાજુ યુએસમાં નેક્સટજી નામનું અલાયન્સ બનાવવામાં આવ્યું છે . યુરોપમાં નોકિયા , ક્વાલકોમ , એટીએનટી આ 6G ઈન્ટરનેટ માટે કામ કરી રહ્યા છે . ભારત પણ આ રેસમાંથી બહાર નથી . ભારત ૨૦૩૦ના વર્ષ સુધી 6Gમાં ગ્લોબલ લીડર બનવા માંગે છે . આ માટે ભારતે "ભારત 6G પ્રોજેક્ટ" અમલમાં મુક્યો છે .

દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્મા જેમના ઘરે નોટોનો ઢગલો મળી આવ્યો છે . હવે દિલ્હી હાઈકૉર્ટે તેમને ફરજમાંથી મુક્ત કરી દીધા છે . આ બાજુ સુપ્રીમ કોર્ટે આ સંપૂર્ણ ઘટનાની તપાસ માટે ન્યાયિક કમિશન બેસાડ્યું છે . તો હવે જોઈએ કોલેજિયમ યશવંત વર્માને શું સજા ફટકારે છે.