Assamમાં થયો ભીષણ Road Accident, બસ અને ટ્રક વચ્ચે થઈ ટક્કર, ગયા આટલા લોકોના જીવ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-03 13:46:09

અકસ્માતની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક અકસ્માત એવા ભયંકર હોય છે કે એક બે નહીં પરંતુ અનેક લોકોના મોત થઈ જતા હોય છે. અનેક યાત્રા અંતિમ યાત્રા સુધી લઈ જતી સાબિત થાય છે. અકસ્માતમાં અનેક પરિવારના માળા વિખેરાય છે. ત્યારે આસામમાં એટલો ભયંકર રોડ અકસ્માત થયો કે દુર્ઘટનામાં 14 લોકોના મોત થઈ ગયા છે. મૃતકોમાં ત્રણ નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત 3જી જાન્યુઆરીએ સવારે સર્જાયો જેમાં બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. ઘટના સ્થળ પર જ 14 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.   

14 જેટલા લોકોના થયા ઘટનાસ્થળ પર મોત  

કોણ ક્યારે દુનિયામાંથી ચીર વિદાય લઈ લેશે તેની જાણ નથી. મરણ થવાનું નક્કી છે પરંતુ કેવી રીતે થશે તેની ખબર નથી. કોઈ અકસ્માતમાં મોત પામે છે તો કોઈ હાર્ટ એટેકને કારણે મોત પામે છે. કોઈ લાંબી બિમારીને કારણે તો કોઈ ટૂંકી સારવાર બાદ મૃત્યુને ભેટે છે. જો કોઈ પેસેન્જર ભરેલી બસનો અકસ્માત થાય તો મૃત્યુઆંક સામાન્ય રીતે વધી જતો હોય છે. ત્યારે આસામના ગોલાઘાટથી દર્દનાક દુર્ઘટના સામે આવી છે. જે બસને અકસ્માત નડ્યો છે તેમાં 45 લોકો સવાર હતા અને આ અકસ્માતમાં 14 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. સારવાર માટે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 



પોલીસ સ્ટાફ ઘટનાસ્થળ આવી પહોંચ્યો અને તપાસ શરૂ કરી 

આ અકસ્માત એટલો ભયંકર હતો કે વાહનોના ટુકડા થઈ ગયા હતા. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળ પર આવી પહોંચ્યા હતા. જે બસને અકસ્માત નડ્યો છે તે આઠખેલિયાથી પિકનીક મનાવા માટે બોગીબિલ જઈ રહ્યા હતા. મળતી માહિતી અનુસાર તિનસુકિયા મંદિર જવાના હતા. આ ઘટના સવારે 5 વાગે બની હતી. આ ઘટનાને પગલે પોલીસકાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. સ્થાનિક લોકોએ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. મૃતકોના શવને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.   




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.