Assamમાં થયો ભીષણ Road Accident, બસ અને ટ્રક વચ્ચે થઈ ટક્કર, ગયા આટલા લોકોના જીવ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-03 13:46:09

અકસ્માતની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક અકસ્માત એવા ભયંકર હોય છે કે એક બે નહીં પરંતુ અનેક લોકોના મોત થઈ જતા હોય છે. અનેક યાત્રા અંતિમ યાત્રા સુધી લઈ જતી સાબિત થાય છે. અકસ્માતમાં અનેક પરિવારના માળા વિખેરાય છે. ત્યારે આસામમાં એટલો ભયંકર રોડ અકસ્માત થયો કે દુર્ઘટનામાં 14 લોકોના મોત થઈ ગયા છે. મૃતકોમાં ત્રણ નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત 3જી જાન્યુઆરીએ સવારે સર્જાયો જેમાં બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. ઘટના સ્થળ પર જ 14 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.   

14 જેટલા લોકોના થયા ઘટનાસ્થળ પર મોત  

કોણ ક્યારે દુનિયામાંથી ચીર વિદાય લઈ લેશે તેની જાણ નથી. મરણ થવાનું નક્કી છે પરંતુ કેવી રીતે થશે તેની ખબર નથી. કોઈ અકસ્માતમાં મોત પામે છે તો કોઈ હાર્ટ એટેકને કારણે મોત પામે છે. કોઈ લાંબી બિમારીને કારણે તો કોઈ ટૂંકી સારવાર બાદ મૃત્યુને ભેટે છે. જો કોઈ પેસેન્જર ભરેલી બસનો અકસ્માત થાય તો મૃત્યુઆંક સામાન્ય રીતે વધી જતો હોય છે. ત્યારે આસામના ગોલાઘાટથી દર્દનાક દુર્ઘટના સામે આવી છે. જે બસને અકસ્માત નડ્યો છે તેમાં 45 લોકો સવાર હતા અને આ અકસ્માતમાં 14 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. સારવાર માટે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 



પોલીસ સ્ટાફ ઘટનાસ્થળ આવી પહોંચ્યો અને તપાસ શરૂ કરી 

આ અકસ્માત એટલો ભયંકર હતો કે વાહનોના ટુકડા થઈ ગયા હતા. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળ પર આવી પહોંચ્યા હતા. જે બસને અકસ્માત નડ્યો છે તે આઠખેલિયાથી પિકનીક મનાવા માટે બોગીબિલ જઈ રહ્યા હતા. મળતી માહિતી અનુસાર તિનસુકિયા મંદિર જવાના હતા. આ ઘટના સવારે 5 વાગે બની હતી. આ ઘટનાને પગલે પોલીસકાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. સ્થાનિક લોકોએ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. મૃતકોના શવને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.   




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે