મેક્સિકોમાં થયો ભયંકર રોડ અકસ્માત, મુસાફરોને લઈ જતી બસ ખાઈમાં પડતા સર્જાઈ દુર્ઘટના, અનેક લોકો મોતને ભેટ્યા


  • Published By :
  • Published Date : 2023-07-06 10:34:23

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના જીવ અકસ્માતને કારણે જતા રહ્યા છે. ઘરેથી નિકળેલો માણસ પોતાના ડેસ્ટિનેશન પોઈન્ટ પર પહોંચશે કે નહીં તે પણ ખબર નથી હોતી. ઘણી વખત અકસ્માત એટલો ભીષણ હોય છે કે જે ઘટના સ્થળ પર જ લોકોના મોત થઈ જતા હોય છે. ત્યારે મેક્સિકોમાં પણ એક ભીષણ રોડ અકસ્માત થયો છે જેમાં અંદાજીત 27 જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ ઘટનામાં 21 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના ખીણમાં બસ પડી જવાને કારણે સર્જાઈ છે. 


બસ ખીણમાં પડી જતાં સર્જાયો અકસ્માત 

કઈ સફર આપણી અંતિમ સફર હશે તે અંગે જાણી શકાતું નથી. કારણ કે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે બુધવારે મેક્સિકોમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી જતા અનેક લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.  અકસ્માતમાં લગભગ 27 લોકોના મોત થયા હતા. જ્યારે 17 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત મેક્સિકોના દક્ષિણ પ્રાંત ઓક્સાકામાં થયો હતો. ઓક્સાકાના ગવર્નરે ટ્વીટ કરીને દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર મુસાફરોને લઈ બસ  મેક્સિકો સિટીથી યોસુન્દુઆ જઈ રહી હતી. આ દરમિયાન વહેલી સવારે લગભગ 6 વાગ્યાની આસપાસ મેગડાલેના પેનાસ્કો શહેરમાં બસ ખાઈમાં પડી ગઈ હતી.      


ઘટનાને લઈ રાજ્યપાલે શોક કર્યો વ્યક્ત 

ઘટનાની જાણ થતાં રેસ્ક્યુ ટીમ ત્યાં આવી પહોંચી હતી. સ્થાનિક લોકો તેમજ તંત્રના અધિકારીઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને રેસ્ક્યુની કામગારી હાથ ધરી હતી. ભયંકર અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઈ રાજ્યપાલ દ્વારા પણ શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમણે ટ્વિટ કરી દુખ પ્રગટ કર્યું છે. મહત્વનું છે કે અનેક લોકો અકસ્માતમાં મોતને ભેટતા હોય છે. કોઈ વખત ઓવર સ્પીડને કારણે તો કોઈ વખત ઓવરટેક કરતી વખતે ભૂલને કારણે અકસ્માત સર્જાતા હોય છે.  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.