મેક્સિકોમાં થયો ભયંકર રોડ અકસ્માત, મુસાફરોને લઈ જતી બસ ખાઈમાં પડતા સર્જાઈ દુર્ઘટના, અનેક લોકો મોતને ભેટ્યા


  • Published By :
  • Published Date : 2023-07-06 10:34:23

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના જીવ અકસ્માતને કારણે જતા રહ્યા છે. ઘરેથી નિકળેલો માણસ પોતાના ડેસ્ટિનેશન પોઈન્ટ પર પહોંચશે કે નહીં તે પણ ખબર નથી હોતી. ઘણી વખત અકસ્માત એટલો ભીષણ હોય છે કે જે ઘટના સ્થળ પર જ લોકોના મોત થઈ જતા હોય છે. ત્યારે મેક્સિકોમાં પણ એક ભીષણ રોડ અકસ્માત થયો છે જેમાં અંદાજીત 27 જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ ઘટનામાં 21 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના ખીણમાં બસ પડી જવાને કારણે સર્જાઈ છે. 


બસ ખીણમાં પડી જતાં સર્જાયો અકસ્માત 

કઈ સફર આપણી અંતિમ સફર હશે તે અંગે જાણી શકાતું નથી. કારણ કે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે બુધવારે મેક્સિકોમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી જતા અનેક લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.  અકસ્માતમાં લગભગ 27 લોકોના મોત થયા હતા. જ્યારે 17 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત મેક્સિકોના દક્ષિણ પ્રાંત ઓક્સાકામાં થયો હતો. ઓક્સાકાના ગવર્નરે ટ્વીટ કરીને દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર મુસાફરોને લઈ બસ  મેક્સિકો સિટીથી યોસુન્દુઆ જઈ રહી હતી. આ દરમિયાન વહેલી સવારે લગભગ 6 વાગ્યાની આસપાસ મેગડાલેના પેનાસ્કો શહેરમાં બસ ખાઈમાં પડી ગઈ હતી.      


ઘટનાને લઈ રાજ્યપાલે શોક કર્યો વ્યક્ત 

ઘટનાની જાણ થતાં રેસ્ક્યુ ટીમ ત્યાં આવી પહોંચી હતી. સ્થાનિક લોકો તેમજ તંત્રના અધિકારીઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને રેસ્ક્યુની કામગારી હાથ ધરી હતી. ભયંકર અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઈ રાજ્યપાલ દ્વારા પણ શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમણે ટ્વિટ કરી દુખ પ્રગટ કર્યું છે. મહત્વનું છે કે અનેક લોકો અકસ્માતમાં મોતને ભેટતા હોય છે. કોઈ વખત ઓવર સ્પીડને કારણે તો કોઈ વખત ઓવરટેક કરતી વખતે ભૂલને કારણે અકસ્માત સર્જાતા હોય છે.  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .