મેક્સિકોમાં થયો ભયંકર રોડ અકસ્માત, મુસાફરોને લઈ જતી બસ ખાઈમાં પડતા સર્જાઈ દુર્ઘટના, અનેક લોકો મોતને ભેટ્યા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-06 10:34:23

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના જીવ અકસ્માતને કારણે જતા રહ્યા છે. ઘરેથી નિકળેલો માણસ પોતાના ડેસ્ટિનેશન પોઈન્ટ પર પહોંચશે કે નહીં તે પણ ખબર નથી હોતી. ઘણી વખત અકસ્માત એટલો ભીષણ હોય છે કે જે ઘટના સ્થળ પર જ લોકોના મોત થઈ જતા હોય છે. ત્યારે મેક્સિકોમાં પણ એક ભીષણ રોડ અકસ્માત થયો છે જેમાં અંદાજીત 27 જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ ઘટનામાં 21 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના ખીણમાં બસ પડી જવાને કારણે સર્જાઈ છે. 


બસ ખીણમાં પડી જતાં સર્જાયો અકસ્માત 

કઈ સફર આપણી અંતિમ સફર હશે તે અંગે જાણી શકાતું નથી. કારણ કે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે બુધવારે મેક્સિકોમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી જતા અનેક લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.  અકસ્માતમાં લગભગ 27 લોકોના મોત થયા હતા. જ્યારે 17 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત મેક્સિકોના દક્ષિણ પ્રાંત ઓક્સાકામાં થયો હતો. ઓક્સાકાના ગવર્નરે ટ્વીટ કરીને દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર મુસાફરોને લઈ બસ  મેક્સિકો સિટીથી યોસુન્દુઆ જઈ રહી હતી. આ દરમિયાન વહેલી સવારે લગભગ 6 વાગ્યાની આસપાસ મેગડાલેના પેનાસ્કો શહેરમાં બસ ખાઈમાં પડી ગઈ હતી.      


ઘટનાને લઈ રાજ્યપાલે શોક કર્યો વ્યક્ત 

ઘટનાની જાણ થતાં રેસ્ક્યુ ટીમ ત્યાં આવી પહોંચી હતી. સ્થાનિક લોકો તેમજ તંત્રના અધિકારીઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને રેસ્ક્યુની કામગારી હાથ ધરી હતી. ભયંકર અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઈ રાજ્યપાલ દ્વારા પણ શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમણે ટ્વિટ કરી દુખ પ્રગટ કર્યું છે. મહત્વનું છે કે અનેક લોકો અકસ્માતમાં મોતને ભેટતા હોય છે. કોઈ વખત ઓવર સ્પીડને કારણે તો કોઈ વખત ઓવરટેક કરતી વખતે ભૂલને કારણે અકસ્માત સર્જાતા હોય છે.  



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.