મેક્સિકોમાં થયો ભયંકર રોડ અકસ્માત, મુસાફરોને લઈ જતી બસ ખાઈમાં પડતા સર્જાઈ દુર્ઘટના, અનેક લોકો મોતને ભેટ્યા


  • Published By :
  • Published Date : 2023-07-06 10:34:23

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના જીવ અકસ્માતને કારણે જતા રહ્યા છે. ઘરેથી નિકળેલો માણસ પોતાના ડેસ્ટિનેશન પોઈન્ટ પર પહોંચશે કે નહીં તે પણ ખબર નથી હોતી. ઘણી વખત અકસ્માત એટલો ભીષણ હોય છે કે જે ઘટના સ્થળ પર જ લોકોના મોત થઈ જતા હોય છે. ત્યારે મેક્સિકોમાં પણ એક ભીષણ રોડ અકસ્માત થયો છે જેમાં અંદાજીત 27 જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ ઘટનામાં 21 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના ખીણમાં બસ પડી જવાને કારણે સર્જાઈ છે. 


બસ ખીણમાં પડી જતાં સર્જાયો અકસ્માત 

કઈ સફર આપણી અંતિમ સફર હશે તે અંગે જાણી શકાતું નથી. કારણ કે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે બુધવારે મેક્સિકોમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી જતા અનેક લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.  અકસ્માતમાં લગભગ 27 લોકોના મોત થયા હતા. જ્યારે 17 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત મેક્સિકોના દક્ષિણ પ્રાંત ઓક્સાકામાં થયો હતો. ઓક્સાકાના ગવર્નરે ટ્વીટ કરીને દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર મુસાફરોને લઈ બસ  મેક્સિકો સિટીથી યોસુન્દુઆ જઈ રહી હતી. આ દરમિયાન વહેલી સવારે લગભગ 6 વાગ્યાની આસપાસ મેગડાલેના પેનાસ્કો શહેરમાં બસ ખાઈમાં પડી ગઈ હતી.      


ઘટનાને લઈ રાજ્યપાલે શોક કર્યો વ્યક્ત 

ઘટનાની જાણ થતાં રેસ્ક્યુ ટીમ ત્યાં આવી પહોંચી હતી. સ્થાનિક લોકો તેમજ તંત્રના અધિકારીઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને રેસ્ક્યુની કામગારી હાથ ધરી હતી. ભયંકર અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઈ રાજ્યપાલ દ્વારા પણ શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમણે ટ્વિટ કરી દુખ પ્રગટ કર્યું છે. મહત્વનું છે કે અનેક લોકો અકસ્માતમાં મોતને ભેટતા હોય છે. કોઈ વખત ઓવર સ્પીડને કારણે તો કોઈ વખત ઓવરટેક કરતી વખતે ભૂલને કારણે અકસ્માત સર્જાતા હોય છે.  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.