Pakistanમાં ચૂંટણી પહેલા થયો આતંકી હુમલો! હુમલામાં આટલા પોલીસકર્મીના ગયા જીવ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-05 16:32:35

પાકિસ્તાનમાં આતંકવાહી હુમલો થયો છે જેમાં 10 જેટલા પોલીસકર્મીના મોત થઈ ગયા છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. 8 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં ચૂંટણી યોજાવાની છે તેની પહેલા પાકિસ્તાનમાં આતંકી હુમલો થયો છે. ચૂંટણી પહેલા આતંકી ગતિવિધીઓ વધી ગઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં આવેલા ડેરા ઈસ્માઈલ ખાનમાં એક પોલીસ સ્ટેશન પર હુમલો થયો છે. આ હુમલામાં 10 જેટલા પોલીસકર્મીના મોત થઈ ગયા છે. આ હુમલો 5 ફેબ્રુઆરીએ વહેલી સવારે થયો હતો. 30થી વધારે આતંકવાદીઓએ પોલીસ સ્ટેશનને ઘેર્યા અને અંદાજીત એકથી દોઢ કલાક સુધી ફાયરિંગ ચાલી.



10 જેટલા પોલીસકર્મીઓ આ હુમલામાં મોતને ભેટ્યા!

8 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી 8 તારીખે યોજાવાની છે તે પહેલા પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો થયો છે જેમાં 10 જેટલા પોલીસકર્મીના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લા પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો છે આતંકવાદી દ્વારા. આ હુમલામાં ઓછામાં ઓછા 10 પોલીસકર્મીઓ માર્યા ગયા છે અને છ અન્ય ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસ અધિકારીઓએ બતાવ્યું કે આતંકવાદીઓએ પહેલા સ્નાઈપર્સનો ઉપયોગ કરીને કોન્સ્ટેબલોને નિશાન બનાવ્યા અને પછી પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા. ત્યાં તેઓએ પોલીસકર્મીઓ પર હેન્ડ ગ્રેનેડથી હુમલો કર્યો.  


બલુચિસ્તાનમાં થયો હતો બોમ્બ ધડાકો

મીડિયા રિપોર્ટ અનુસાર થોડા દિવસ પહેલા બલુચિસ્તાનમાં પણ હુમલો થયો હતો. 24 કલાકની અંદર 10 જેટલા બોમ ધડાકા થયા હતા અને તે હુમલામાં પોલીસ સ્ટેશનને તેમજ પોલીસ કમીશ્નર ઓફિસને નિશાન બનાવવામાં આવ્યું હતું. મહત્વનું છે કે પાકિસ્તાનમાં પણ આતંકી હુમલાના કિસ્સાઓ વધી રહ્યા છે.    




દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.