Pakistanમાં ચૂંટણી પહેલા થયો આતંકી હુમલો! હુમલામાં આટલા પોલીસકર્મીના ગયા જીવ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-05 16:32:35

પાકિસ્તાનમાં આતંકવાહી હુમલો થયો છે જેમાં 10 જેટલા પોલીસકર્મીના મોત થઈ ગયા છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. 8 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં ચૂંટણી યોજાવાની છે તેની પહેલા પાકિસ્તાનમાં આતંકી હુમલો થયો છે. ચૂંટણી પહેલા આતંકી ગતિવિધીઓ વધી ગઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં આવેલા ડેરા ઈસ્માઈલ ખાનમાં એક પોલીસ સ્ટેશન પર હુમલો થયો છે. આ હુમલામાં 10 જેટલા પોલીસકર્મીના મોત થઈ ગયા છે. આ હુમલો 5 ફેબ્રુઆરીએ વહેલી સવારે થયો હતો. 30થી વધારે આતંકવાદીઓએ પોલીસ સ્ટેશનને ઘેર્યા અને અંદાજીત એકથી દોઢ કલાક સુધી ફાયરિંગ ચાલી.



10 જેટલા પોલીસકર્મીઓ આ હુમલામાં મોતને ભેટ્યા!

8 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી 8 તારીખે યોજાવાની છે તે પહેલા પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો થયો છે જેમાં 10 જેટલા પોલીસકર્મીના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લા પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો છે આતંકવાદી દ્વારા. આ હુમલામાં ઓછામાં ઓછા 10 પોલીસકર્મીઓ માર્યા ગયા છે અને છ અન્ય ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસ અધિકારીઓએ બતાવ્યું કે આતંકવાદીઓએ પહેલા સ્નાઈપર્સનો ઉપયોગ કરીને કોન્સ્ટેબલોને નિશાન બનાવ્યા અને પછી પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા. ત્યાં તેઓએ પોલીસકર્મીઓ પર હેન્ડ ગ્રેનેડથી હુમલો કર્યો.  


બલુચિસ્તાનમાં થયો હતો બોમ્બ ધડાકો

મીડિયા રિપોર્ટ અનુસાર થોડા દિવસ પહેલા બલુચિસ્તાનમાં પણ હુમલો થયો હતો. 24 કલાકની અંદર 10 જેટલા બોમ ધડાકા થયા હતા અને તે હુમલામાં પોલીસ સ્ટેશનને તેમજ પોલીસ કમીશ્નર ઓફિસને નિશાન બનાવવામાં આવ્યું હતું. મહત્વનું છે કે પાકિસ્તાનમાં પણ આતંકી હુમલાના કિસ્સાઓ વધી રહ્યા છે.    




જમાવટની ઈલેક્શન યાત્રા ગુજરાતના અનેક લોકસભા વિસ્તારોમાં ફરી રહી છે અને મતદાતાના મિજાજને જાણવાનો પ્રયત્ન કરી રહી છે. જમાવટ પોરબંદર પહોંચી હતી જ્યાં હાજર લોકોએ ચૂંટણીનું ગણિત સમજાવી દીધું...

રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકારણ ગરમાયું હતું. ક્ષત્રિય સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો. ત્યારે જામનગરના જામસાહેબે રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે..

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે... અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ત્યારે મોરબીથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

ગુજરાતમાં આજે પીએમ મોદી આવ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદી પ્રચાર કરવાના છે.. જે બેઠકો પર વિખવાદ ચાલી રહ્યો છે તે બેઠકો પર પીએમ મોદી સભાને સંબોધવાના છે...