Pakistanમાં ચૂંટણી પહેલા થયો આતંકી હુમલો! હુમલામાં આટલા પોલીસકર્મીના ગયા જીવ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-05 16:32:35

પાકિસ્તાનમાં આતંકવાહી હુમલો થયો છે જેમાં 10 જેટલા પોલીસકર્મીના મોત થઈ ગયા છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. 8 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં ચૂંટણી યોજાવાની છે તેની પહેલા પાકિસ્તાનમાં આતંકી હુમલો થયો છે. ચૂંટણી પહેલા આતંકી ગતિવિધીઓ વધી ગઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં આવેલા ડેરા ઈસ્માઈલ ખાનમાં એક પોલીસ સ્ટેશન પર હુમલો થયો છે. આ હુમલામાં 10 જેટલા પોલીસકર્મીના મોત થઈ ગયા છે. આ હુમલો 5 ફેબ્રુઆરીએ વહેલી સવારે થયો હતો. 30થી વધારે આતંકવાદીઓએ પોલીસ સ્ટેશનને ઘેર્યા અને અંદાજીત એકથી દોઢ કલાક સુધી ફાયરિંગ ચાલી.



10 જેટલા પોલીસકર્મીઓ આ હુમલામાં મોતને ભેટ્યા!

8 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી 8 તારીખે યોજાવાની છે તે પહેલા પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો થયો છે જેમાં 10 જેટલા પોલીસકર્મીના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લા પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો છે આતંકવાદી દ્વારા. આ હુમલામાં ઓછામાં ઓછા 10 પોલીસકર્મીઓ માર્યા ગયા છે અને છ અન્ય ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસ અધિકારીઓએ બતાવ્યું કે આતંકવાદીઓએ પહેલા સ્નાઈપર્સનો ઉપયોગ કરીને કોન્સ્ટેબલોને નિશાન બનાવ્યા અને પછી પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા. ત્યાં તેઓએ પોલીસકર્મીઓ પર હેન્ડ ગ્રેનેડથી હુમલો કર્યો.  


બલુચિસ્તાનમાં થયો હતો બોમ્બ ધડાકો

મીડિયા રિપોર્ટ અનુસાર થોડા દિવસ પહેલા બલુચિસ્તાનમાં પણ હુમલો થયો હતો. 24 કલાકની અંદર 10 જેટલા બોમ ધડાકા થયા હતા અને તે હુમલામાં પોલીસ સ્ટેશનને તેમજ પોલીસ કમીશ્નર ઓફિસને નિશાન બનાવવામાં આવ્યું હતું. મહત્વનું છે કે પાકિસ્તાનમાં પણ આતંકી હુમલાના કિસ્સાઓ વધી રહ્યા છે.    




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.