જામનગરમાં એક વેપારીએ ટામેટાના વધતા ભાવનો કર્યો અનોખો વિરોધ, સાંભળો પીએમ મોદીને રડતા રડતા શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-07-11 18:47:02

ચોમાસાના આગમન સાથે જ લીલા શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ટામેટા, મરચા, આદુ સહિતના ભાવો સાતમે આસમાને પહોંચી ગયા છે. અનેક રાજ્યોમાં ટામેટાના ભાવ 150 રૂપિયાને પાર મળી રહ્યા છે. એક સમયે ટામેટાના ભાવ જે 20-30 રુપિયા કિલોએ બોલાતો હતો તેનો ભાવ આજે 120-130 રુપિયે કિલો બોલાઈ રહ્યો છે. ભાવ વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. ભાવ વધારાનો વિરોધ પણ અલગ અલગ રીતે લોકો કરી રહ્યા છે. ત્યારે જામનગરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વેપારી રડતા રડતા પીએમ મોદીને પોકારી રહ્યા છે. વિરોધ કરી રહેલા વેપારીએ ટામેટાનો તાજ પહેર્યો છે અને ટામેટાને વિદાય આપી છે.

 

વેપારીએ ટામેટોનો હાર પહેરી કર્યો વિરોધ 

થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં બર્થ-ડેના સેલિબ્રેશનમાં કેક નહીં પરંતુ ટામેટા કાપવામાં આવ્યા હતા. ટામેટાના ભાવ વધારાનો વિરોધ લોકો અલગ અલગ રીતે કરી રહ્યા છે. ભાવ વધારો થતાં જ ટામેટાની ચોરી થવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. ત્યારે જામનગરમાં એક વેપારીએ પોતાના જીવનમાંથી ટામેટાને વિદાય આપી હતી. સોશિયલ મીડિયા પર તેમનો વિરોધ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વેપારીએ રડતા રડતા પીએમ મોદીને યાદ કર્યા અને પોક મૂકી રડી રહ્યા છે. 


પાણી સાથે રોટલી ખાઈ નોંધાવ્યો વિરોધ 

વિરોધ કરવા માટે વેપારીએ ટામેટાનો હાર બનાવ્યો અને ગળામાં પહેર્યો છે. તે ઉપરાંત પાણી સાતે રોટલી ખાતી વખતે પીઓમ મોદીને ફોન કરતા હોય તેવી રીતે તેઓ કહી રહ્યા છે કે કેવી રીતે તેમની થાળીમાંથી ટામેટા ગાયબ થઈ ગયા છે અને તે માટે તે પાણી સાથે રોટલી ખાઈ રહ્યા છે. અને બનેરો પણ તેમણે વિરોધ કરતી વખતે સાથે રાખ્યા હતા જેમાં લખાયેલું છે કે લાલ લાલ ટામેટા લોકોના ગાલને લાલ કરે છે, હવે મને વિદાય આપો. હું હવે ગરીબોને થાળીમાં સાથ આપી શકતો નથી. ઓ મોદી મામા, મારા શાકભાજીમાંથી ટામેટા ગાયબ થઈ ગયા છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.