જામનગરમાં એક વેપારીએ ટામેટાના વધતા ભાવનો કર્યો અનોખો વિરોધ, સાંભળો પીએમ મોદીને રડતા રડતા શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-07-11 18:47:02

ચોમાસાના આગમન સાથે જ લીલા શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ટામેટા, મરચા, આદુ સહિતના ભાવો સાતમે આસમાને પહોંચી ગયા છે. અનેક રાજ્યોમાં ટામેટાના ભાવ 150 રૂપિયાને પાર મળી રહ્યા છે. એક સમયે ટામેટાના ભાવ જે 20-30 રુપિયા કિલોએ બોલાતો હતો તેનો ભાવ આજે 120-130 રુપિયે કિલો બોલાઈ રહ્યો છે. ભાવ વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. ભાવ વધારાનો વિરોધ પણ અલગ અલગ રીતે લોકો કરી રહ્યા છે. ત્યારે જામનગરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વેપારી રડતા રડતા પીએમ મોદીને પોકારી રહ્યા છે. વિરોધ કરી રહેલા વેપારીએ ટામેટાનો તાજ પહેર્યો છે અને ટામેટાને વિદાય આપી છે.

 

વેપારીએ ટામેટોનો હાર પહેરી કર્યો વિરોધ 

થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં બર્થ-ડેના સેલિબ્રેશનમાં કેક નહીં પરંતુ ટામેટા કાપવામાં આવ્યા હતા. ટામેટાના ભાવ વધારાનો વિરોધ લોકો અલગ અલગ રીતે કરી રહ્યા છે. ભાવ વધારો થતાં જ ટામેટાની ચોરી થવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. ત્યારે જામનગરમાં એક વેપારીએ પોતાના જીવનમાંથી ટામેટાને વિદાય આપી હતી. સોશિયલ મીડિયા પર તેમનો વિરોધ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વેપારીએ રડતા રડતા પીએમ મોદીને યાદ કર્યા અને પોક મૂકી રડી રહ્યા છે. 


પાણી સાથે રોટલી ખાઈ નોંધાવ્યો વિરોધ 

વિરોધ કરવા માટે વેપારીએ ટામેટાનો હાર બનાવ્યો અને ગળામાં પહેર્યો છે. તે ઉપરાંત પાણી સાતે રોટલી ખાતી વખતે પીઓમ મોદીને ફોન કરતા હોય તેવી રીતે તેઓ કહી રહ્યા છે કે કેવી રીતે તેમની થાળીમાંથી ટામેટા ગાયબ થઈ ગયા છે અને તે માટે તે પાણી સાથે રોટલી ખાઈ રહ્યા છે. અને બનેરો પણ તેમણે વિરોધ કરતી વખતે સાથે રાખ્યા હતા જેમાં લખાયેલું છે કે લાલ લાલ ટામેટા લોકોના ગાલને લાલ કરે છે, હવે મને વિદાય આપો. હું હવે ગરીબોને થાળીમાં સાથ આપી શકતો નથી. ઓ મોદી મામા, મારા શાકભાજીમાંથી ટામેટા ગાયબ થઈ ગયા છે.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.