જામનગરમાં એક વેપારીએ ટામેટાના વધતા ભાવનો કર્યો અનોખો વિરોધ, સાંભળો પીએમ મોદીને રડતા રડતા શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-07-11 18:47:02

ચોમાસાના આગમન સાથે જ લીલા શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ટામેટા, મરચા, આદુ સહિતના ભાવો સાતમે આસમાને પહોંચી ગયા છે. અનેક રાજ્યોમાં ટામેટાના ભાવ 150 રૂપિયાને પાર મળી રહ્યા છે. એક સમયે ટામેટાના ભાવ જે 20-30 રુપિયા કિલોએ બોલાતો હતો તેનો ભાવ આજે 120-130 રુપિયે કિલો બોલાઈ રહ્યો છે. ભાવ વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. ભાવ વધારાનો વિરોધ પણ અલગ અલગ રીતે લોકો કરી રહ્યા છે. ત્યારે જામનગરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વેપારી રડતા રડતા પીએમ મોદીને પોકારી રહ્યા છે. વિરોધ કરી રહેલા વેપારીએ ટામેટાનો તાજ પહેર્યો છે અને ટામેટાને વિદાય આપી છે.

 

વેપારીએ ટામેટોનો હાર પહેરી કર્યો વિરોધ 

થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં બર્થ-ડેના સેલિબ્રેશનમાં કેક નહીં પરંતુ ટામેટા કાપવામાં આવ્યા હતા. ટામેટાના ભાવ વધારાનો વિરોધ લોકો અલગ અલગ રીતે કરી રહ્યા છે. ભાવ વધારો થતાં જ ટામેટાની ચોરી થવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. ત્યારે જામનગરમાં એક વેપારીએ પોતાના જીવનમાંથી ટામેટાને વિદાય આપી હતી. સોશિયલ મીડિયા પર તેમનો વિરોધ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વેપારીએ રડતા રડતા પીએમ મોદીને યાદ કર્યા અને પોક મૂકી રડી રહ્યા છે. 


પાણી સાથે રોટલી ખાઈ નોંધાવ્યો વિરોધ 

વિરોધ કરવા માટે વેપારીએ ટામેટાનો હાર બનાવ્યો અને ગળામાં પહેર્યો છે. તે ઉપરાંત પાણી સાતે રોટલી ખાતી વખતે પીઓમ મોદીને ફોન કરતા હોય તેવી રીતે તેઓ કહી રહ્યા છે કે કેવી રીતે તેમની થાળીમાંથી ટામેટા ગાયબ થઈ ગયા છે અને તે માટે તે પાણી સાથે રોટલી ખાઈ રહ્યા છે. અને બનેરો પણ તેમણે વિરોધ કરતી વખતે સાથે રાખ્યા હતા જેમાં લખાયેલું છે કે લાલ લાલ ટામેટા લોકોના ગાલને લાલ કરે છે, હવે મને વિદાય આપો. હું હવે ગરીબોને થાળીમાં સાથ આપી શકતો નથી. ઓ મોદી મામા, મારા શાકભાજીમાંથી ટામેટા ગાયબ થઈ ગયા છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.