જામનગરમાં એક વેપારીએ ટામેટાના વધતા ભાવનો કર્યો અનોખો વિરોધ, સાંભળો પીએમ મોદીને રડતા રડતા શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-07-11 18:47:02

ચોમાસાના આગમન સાથે જ લીલા શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ટામેટા, મરચા, આદુ સહિતના ભાવો સાતમે આસમાને પહોંચી ગયા છે. અનેક રાજ્યોમાં ટામેટાના ભાવ 150 રૂપિયાને પાર મળી રહ્યા છે. એક સમયે ટામેટાના ભાવ જે 20-30 રુપિયા કિલોએ બોલાતો હતો તેનો ભાવ આજે 120-130 રુપિયે કિલો બોલાઈ રહ્યો છે. ભાવ વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. ભાવ વધારાનો વિરોધ પણ અલગ અલગ રીતે લોકો કરી રહ્યા છે. ત્યારે જામનગરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વેપારી રડતા રડતા પીએમ મોદીને પોકારી રહ્યા છે. વિરોધ કરી રહેલા વેપારીએ ટામેટાનો તાજ પહેર્યો છે અને ટામેટાને વિદાય આપી છે.

 

વેપારીએ ટામેટોનો હાર પહેરી કર્યો વિરોધ 

થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં બર્થ-ડેના સેલિબ્રેશનમાં કેક નહીં પરંતુ ટામેટા કાપવામાં આવ્યા હતા. ટામેટાના ભાવ વધારાનો વિરોધ લોકો અલગ અલગ રીતે કરી રહ્યા છે. ભાવ વધારો થતાં જ ટામેટાની ચોરી થવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. ત્યારે જામનગરમાં એક વેપારીએ પોતાના જીવનમાંથી ટામેટાને વિદાય આપી હતી. સોશિયલ મીડિયા પર તેમનો વિરોધ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વેપારીએ રડતા રડતા પીએમ મોદીને યાદ કર્યા અને પોક મૂકી રડી રહ્યા છે. 


પાણી સાથે રોટલી ખાઈ નોંધાવ્યો વિરોધ 

વિરોધ કરવા માટે વેપારીએ ટામેટાનો હાર બનાવ્યો અને ગળામાં પહેર્યો છે. તે ઉપરાંત પાણી સાતે રોટલી ખાતી વખતે પીઓમ મોદીને ફોન કરતા હોય તેવી રીતે તેઓ કહી રહ્યા છે કે કેવી રીતે તેમની થાળીમાંથી ટામેટા ગાયબ થઈ ગયા છે અને તે માટે તે પાણી સાથે રોટલી ખાઈ રહ્યા છે. અને બનેરો પણ તેમણે વિરોધ કરતી વખતે સાથે રાખ્યા હતા જેમાં લખાયેલું છે કે લાલ લાલ ટામેટા લોકોના ગાલને લાલ કરે છે, હવે મને વિદાય આપો. હું હવે ગરીબોને થાળીમાં સાથ આપી શકતો નથી. ઓ મોદી મામા, મારા શાકભાજીમાંથી ટામેટા ગાયબ થઈ ગયા છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.