ભાઈ!!! પીળું એટલે સોનું નહીં... સાચવજો બાકી ગયા સમજો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 13:17:13

સુરતમાં ખોટા સોનાના સિક્કાને મુઘલ કાળના સિક્કા કહી વેપારી સાથે છેતરપિંડી કરનાર ગેંગની રાંદેર પોલીસે ધરપકડ કરી. પોલીસે એક મહિલા સહિત ત્રણ ઠગોની ધરપકડ કરી. 


શું હતો સમગ્ર મામલો? 

આ ગેંગ ખોટા સોનાના સિક્કાને મુઘલ કાળના સિક્કા કહી વેપારીને ઠગ્યો હતો. ઠગ ગેંગે એક દુકાનદારને સાચો સિક્કો આપી વિશ્વાસમાં લઈ 30 લાખના 426 નંગ ખોટા સિક્કા 9 લાખમાં પધરાવી દીધા હતા. દુકાનદારોને ઉલ્લુ બની જવાની ભાન થતાં પોલીસનો સંપર્ક કર્યો હતો. રાંદેર પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી એક મહિલા સહિત ત્રણ ઠગની ધરપકડ કરી લીધી હતી. ઠગ ગેંગે અગાઉ વેપારીને સાચો સોનાનો સિક્કો ઓછા પૈસે આપી લલચાવ્યો હતો. વેપારી લલચાયા બાદ મોટી રકમની માગણી કરી વેપારીને ખોટા સિક્કા ધરબાવી દીધા હતા. ઠગ ગેંગે વેપારીને જણાવ્યું હતું કે આ સિક્કા મુઘલ સમયના સિક્કા છે અને બહું કિંમતી છે. વેપારી લલચાઈ જતા ઠગ ગેંગે વેપારી પાસેથી 9 લાખ પડાવી લીધા હતા. 


अपि मेरुसमं प्राज्ञमपि शुरमपि स्थिरम्। तृणीकरोति तृष्णैका निमेषेण नरोत्तमम्।। અર્થાત જો કોઈ વ્યક્તિ મેરુ પર્વત જેવો સ્થિર, ચતુર, બહાદુર મનનો ભલે હોય, પણ લોભ તેને ક્ષણભરમાં ઘાસની જેમ નષ્ટ કરી શકે છે. લોભ લાલચના કારણે ક્યારેક નાની બાબતમાં પણ આપણે છેતરાઈ જતા હોઈએ છીએ. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.