ભાઈ!!! પીળું એટલે સોનું નહીં... સાચવજો બાકી ગયા સમજો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 13:17:13

સુરતમાં ખોટા સોનાના સિક્કાને મુઘલ કાળના સિક્કા કહી વેપારી સાથે છેતરપિંડી કરનાર ગેંગની રાંદેર પોલીસે ધરપકડ કરી. પોલીસે એક મહિલા સહિત ત્રણ ઠગોની ધરપકડ કરી. 


શું હતો સમગ્ર મામલો? 

આ ગેંગ ખોટા સોનાના સિક્કાને મુઘલ કાળના સિક્કા કહી વેપારીને ઠગ્યો હતો. ઠગ ગેંગે એક દુકાનદારને સાચો સિક્કો આપી વિશ્વાસમાં લઈ 30 લાખના 426 નંગ ખોટા સિક્કા 9 લાખમાં પધરાવી દીધા હતા. દુકાનદારોને ઉલ્લુ બની જવાની ભાન થતાં પોલીસનો સંપર્ક કર્યો હતો. રાંદેર પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી એક મહિલા સહિત ત્રણ ઠગની ધરપકડ કરી લીધી હતી. ઠગ ગેંગે અગાઉ વેપારીને સાચો સોનાનો સિક્કો ઓછા પૈસે આપી લલચાવ્યો હતો. વેપારી લલચાયા બાદ મોટી રકમની માગણી કરી વેપારીને ખોટા સિક્કા ધરબાવી દીધા હતા. ઠગ ગેંગે વેપારીને જણાવ્યું હતું કે આ સિક્કા મુઘલ સમયના સિક્કા છે અને બહું કિંમતી છે. વેપારી લલચાઈ જતા ઠગ ગેંગે વેપારી પાસેથી 9 લાખ પડાવી લીધા હતા. 


अपि मेरुसमं प्राज्ञमपि शुरमपि स्थिरम्। तृणीकरोति तृष्णैका निमेषेण नरोत्तमम्।। અર્થાત જો કોઈ વ્યક્તિ મેરુ પર્વત જેવો સ્થિર, ચતુર, બહાદુર મનનો ભલે હોય, પણ લોભ તેને ક્ષણભરમાં ઘાસની જેમ નષ્ટ કરી શકે છે. લોભ લાલચના કારણે ક્યારેક નાની બાબતમાં પણ આપણે છેતરાઈ જતા હોઈએ છીએ. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.