રાજકોટમાં સર્જાઈ હોત મોરબી જેવી દુર્ઘટના? રૈયાચોકડી ઓવરબ્રિજમાં પડી તિરાડ, તાત્કાલિક કરાયું રિપેરિંગ કામ


  • Published By :
  • Published Date : 2023-03-04 14:00:06

બ્રિજના બાંધકામ દરમિયાન વાપરવામાં આવતા માલ સામાનની ગુણવત્તાને લઈ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ હોય કે રાજુલાનો નિર્માણ પામી રહેલો બ્રિજ હોય બધી જગ્યાએ તિરાડો જોવા મળી રહી છે. ત્યારે રાજકોટ શહેરના રૈયાચોકડી પાસે આવેલા બ્રિજમાં તિરાડ પડેલી દેખાઈ હતી.જે બાદ તંત્ર દોડતું થયું અને બ્રિજનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. કોઈ દુર્ઘટના ન બને તે માટે બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે. 


ઓવરબ્રિજ પર તિરાડ દેખાતા તંત્ર દોડતું થયું

દિવાળી સમયે મોરબીમાં હોનારત સર્જાઈ હતી જેમાં 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ દુર્ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બાંધકામ દરમિયાન માલ સામાનની ગુણવત્તાને લઈ અનેક બ્રિજોની ચર્ચા આજકાલ થઈ રહી છે. અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ હાલ ચર્ચામાં છે. ત્યારે રાજકોટ શહેરમાં આવેલો બ્રિજ પણ તેની ગુણવત્તાને લઈ ચર્ચામાં છે. શહેરના રૈયાચોકડી ઓવરબ્રિજમાં તિરાડ પડી હતી. ઓવરબ્રિજ પર તિરાડ દેખાતા તંત્ર દોડતું થયું હતું. તિરાડને પૂરવાની કામગીરી એન્જિનિયરો અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ આ બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 

 

તાત્કાલિક કરાયું બ્રિજનું રિપેરિંગ 

તિરાડ પડવાને કારણે કોઈ નુકસાન થયાની જાણકારી મળી નથી. જે ભાગમાં તિરાડ પડી હતી તેનું સમારકામ કરવામાં આવ્યું છે. તાત્કાલિક રિપેરિંગ કરવામાં તો આવ્યું છે પણ તે કેટલા સમય સુધી ટકશે તે એક પ્રશ્ન છે. કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે. થોડા સમય પેહલા બનેલા બ્રિજમાં તિરાડ પડતા બ્રિજના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાતો લોકો કરી રહ્યા છે. લોકોના મનમાં એક સવાલ ઉદ્ભવી રહ્યો છે કે શું તંત્ર દ્વારા બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કોઈ પગલાં લેવામાં આવશે?   

  

નિર્માણધીન બ્રિજ થયો હતો ધરાશાયી        

થોડા દિવસ પહેલા રાજુલામાં નિર્માણ પામી રહેલો બ્રિજ ધરાશાયી થઈ ગયો હતો. નિર્માણધીન બ્રિજ ધરાશાયી થતા બ્રિજના નિર્માણમાં વપરાતા માલ સામાનની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે. મહત્વનું છે કે મોરબી હોનારત સર્જાઈ તે બાદ અનેક બ્રિજની સ્થિતિ અંગે રિપોર્ટ મંગાવામાં આવ્યો હતો. માહિતી મુજબ રાજ્યમાં 63 જેટલા એવા બ્રિજ છે જેને સમારકામની જરૂર છે. 63 પૈકી 40 જેટલા બ્રિજને સામાન્ય સમારકામની જરૂર છે જ્યારે 23 બ્રિજને મહત્તમ સમારકામની જરૂર છે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.