રાજકોટમાં સર્જાઈ હોત મોરબી જેવી દુર્ઘટના? રૈયાચોકડી ઓવરબ્રિજમાં પડી તિરાડ, તાત્કાલિક કરાયું રિપેરિંગ કામ


  • Published By :
  • Published Date : 2023-03-04 14:00:06

બ્રિજના બાંધકામ દરમિયાન વાપરવામાં આવતા માલ સામાનની ગુણવત્તાને લઈ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ હોય કે રાજુલાનો નિર્માણ પામી રહેલો બ્રિજ હોય બધી જગ્યાએ તિરાડો જોવા મળી રહી છે. ત્યારે રાજકોટ શહેરના રૈયાચોકડી પાસે આવેલા બ્રિજમાં તિરાડ પડેલી દેખાઈ હતી.જે બાદ તંત્ર દોડતું થયું અને બ્રિજનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. કોઈ દુર્ઘટના ન બને તે માટે બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે. 


ઓવરબ્રિજ પર તિરાડ દેખાતા તંત્ર દોડતું થયું

દિવાળી સમયે મોરબીમાં હોનારત સર્જાઈ હતી જેમાં 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ દુર્ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બાંધકામ દરમિયાન માલ સામાનની ગુણવત્તાને લઈ અનેક બ્રિજોની ચર્ચા આજકાલ થઈ રહી છે. અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ હાલ ચર્ચામાં છે. ત્યારે રાજકોટ શહેરમાં આવેલો બ્રિજ પણ તેની ગુણવત્તાને લઈ ચર્ચામાં છે. શહેરના રૈયાચોકડી ઓવરબ્રિજમાં તિરાડ પડી હતી. ઓવરબ્રિજ પર તિરાડ દેખાતા તંત્ર દોડતું થયું હતું. તિરાડને પૂરવાની કામગીરી એન્જિનિયરો અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ આ બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 

 

તાત્કાલિક કરાયું બ્રિજનું રિપેરિંગ 

તિરાડ પડવાને કારણે કોઈ નુકસાન થયાની જાણકારી મળી નથી. જે ભાગમાં તિરાડ પડી હતી તેનું સમારકામ કરવામાં આવ્યું છે. તાત્કાલિક રિપેરિંગ કરવામાં તો આવ્યું છે પણ તે કેટલા સમય સુધી ટકશે તે એક પ્રશ્ન છે. કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે. થોડા સમય પેહલા બનેલા બ્રિજમાં તિરાડ પડતા બ્રિજના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાતો લોકો કરી રહ્યા છે. લોકોના મનમાં એક સવાલ ઉદ્ભવી રહ્યો છે કે શું તંત્ર દ્વારા બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કોઈ પગલાં લેવામાં આવશે?   

  

નિર્માણધીન બ્રિજ થયો હતો ધરાશાયી        

થોડા દિવસ પહેલા રાજુલામાં નિર્માણ પામી રહેલો બ્રિજ ધરાશાયી થઈ ગયો હતો. નિર્માણધીન બ્રિજ ધરાશાયી થતા બ્રિજના નિર્માણમાં વપરાતા માલ સામાનની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે. મહત્વનું છે કે મોરબી હોનારત સર્જાઈ તે બાદ અનેક બ્રિજની સ્થિતિ અંગે રિપોર્ટ મંગાવામાં આવ્યો હતો. માહિતી મુજબ રાજ્યમાં 63 જેટલા એવા બ્રિજ છે જેને સમારકામની જરૂર છે. 63 પૈકી 40 જેટલા બ્રિજને સામાન્ય સમારકામની જરૂર છે જ્યારે 23 બ્રિજને મહત્તમ સમારકામની જરૂર છે.  




ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .