અમદાવાદના મણિનગરમાં સર્જાઈ દુર્ઘટના, બિલ્ડિંગની બાલ્કની ધરાશાયી થતાં ફસાયા લોકો, ફાયર વિભાગે કર્યું લોકોનું રેસ્ક્યુ


  • Published By :
  • Published Date : 2023-06-29 11:09:45

અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં પણ છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે. વરસાદને કારણે અનેક બિલ્ડીંગો તેમજ દિવાલો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જર્જરિત ઈમારતો વરસાદ આવવાને કારણે તૂટી પડતી હોય છે. ત્યારે અમદાવાદના મણિનરમાં દુર્ઘટના સર્જાઈ છે જેમાં બે મકાનોની બાલ્કનીનો ભાગ તૂટી પડ્યો છે. ઉત્તમ નગર વિસ્તારમાં આવેલા જૂના સ્લમ ક્વાર્ટરના બે મકાનની બાલ્કનીનો ભાગ વહેલા સવારે પડી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટરની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને ઘરમાં હાજર લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 

A balcony of a building collapsed in Maninagar , Ahmedabad અમદાવાદના મણિનગરમાં ઇમારતની બાલ્કની ધરાશાયી, 30 લોકોનું રેસ્ક્યુ કરાયુ


ગેલેરીનો ભાગ તૂટી પડતાં ઘરની અંદર ફસાયા લોકો

વરસાદની શરૂઆત થતાં જ અનેક જગ્યાઓ પરથી વીજ પોલ તેમજ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. તો કોઈ જગ્યાએથી બિલ્ડિંગનો સ્લેબ તૂટી જવાની ઘટના બનતી હોય છે. ત્યારે અમદાવાદના મણિનગરમાં પણ દુર્ઘટના સર્જાઈ છે. ઉત્તમનગર પાસે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના જુના સ્લમ ક્વાર્ટર્સની બ્લોકની ગેલેરીનો ભાગ પહેલા થોડો પડ્યો જેની પર લોકોએ ધ્યાન  આપ્યું ન હતું,  તે બાદ આખી ગેલેરીનો પોર્શન તૂટી પડ્યો હતો. જેને લઈ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બીજા અને ત્રીજા માળે રહેતા લોકોને ઘરની બહાર કાઢવામાં આવ્યા હતા. પાછળના ભાગેથી બારીમાંથી લોકોનું રેસ્ક્યુ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં હજી સુધી જાનહાની થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. આ ઘટના વહેલી સવારે બની હતી.   

    



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.