અમદાવાદના મણિનગરમાં સર્જાઈ દુર્ઘટના, બિલ્ડિંગની બાલ્કની ધરાશાયી થતાં ફસાયા લોકો, ફાયર વિભાગે કર્યું લોકોનું રેસ્ક્યુ


  • Published By :
  • Published Date : 2023-06-29 11:09:45

અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં પણ છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે. વરસાદને કારણે અનેક બિલ્ડીંગો તેમજ દિવાલો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જર્જરિત ઈમારતો વરસાદ આવવાને કારણે તૂટી પડતી હોય છે. ત્યારે અમદાવાદના મણિનરમાં દુર્ઘટના સર્જાઈ છે જેમાં બે મકાનોની બાલ્કનીનો ભાગ તૂટી પડ્યો છે. ઉત્તમ નગર વિસ્તારમાં આવેલા જૂના સ્લમ ક્વાર્ટરના બે મકાનની બાલ્કનીનો ભાગ વહેલા સવારે પડી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટરની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને ઘરમાં હાજર લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 

A balcony of a building collapsed in Maninagar , Ahmedabad અમદાવાદના મણિનગરમાં ઇમારતની બાલ્કની ધરાશાયી, 30 લોકોનું રેસ્ક્યુ કરાયુ


ગેલેરીનો ભાગ તૂટી પડતાં ઘરની અંદર ફસાયા લોકો

વરસાદની શરૂઆત થતાં જ અનેક જગ્યાઓ પરથી વીજ પોલ તેમજ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. તો કોઈ જગ્યાએથી બિલ્ડિંગનો સ્લેબ તૂટી જવાની ઘટના બનતી હોય છે. ત્યારે અમદાવાદના મણિનગરમાં પણ દુર્ઘટના સર્જાઈ છે. ઉત્તમનગર પાસે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના જુના સ્લમ ક્વાર્ટર્સની બ્લોકની ગેલેરીનો ભાગ પહેલા થોડો પડ્યો જેની પર લોકોએ ધ્યાન  આપ્યું ન હતું,  તે બાદ આખી ગેલેરીનો પોર્શન તૂટી પડ્યો હતો. જેને લઈ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બીજા અને ત્રીજા માળે રહેતા લોકોને ઘરની બહાર કાઢવામાં આવ્યા હતા. પાછળના ભાગેથી બારીમાંથી લોકોનું રેસ્ક્યુ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં હજી સુધી જાનહાની થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. આ ઘટના વહેલી સવારે બની હતી.   

    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.