અમદાવાદની આ હોસ્પિટલમાં સર્જાઈ દુર્ઘટના! ઘટનામાં POPની 5 જેટલી શીટ થઈ ધરાશાયી, સદનસીબે ટળી જાનહાનિ


  • Published By :
  • Published Date : 2023-06-12 14:47:35

જ્યારે કોઈ માણસને ઈજા પહોંચે છે અથવા બિમાર પડે છે ત્યારે સારવાર માટે તે હોસ્પિટલમાં જતો હોય છે. પરંતુ જો કોઈ હોસ્પિટલમાં જ ઘાયલ થઈ જાય તો? આ એટલા માટે કહેવાઈ રહ્યું છે કે અમદાવાદની એસવીપી હોસ્પિટલના ડાયાલિસીસ વોર્ડની છતનું પીઓપી અચાનક પડી ગઈ છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થયા હોવાની માહિતી સામે નથી આવી. પરંતુ હોસ્પિટલની સુરક્ષાને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે.  


ડાયાલિસિસ વોર્ડમાં બની દુર્ઘટના!

અમદાવાદ હમેંશા ચર્ચામાં રહેતું હોય છે. કોઈ વખત બિસ્માર રસ્તાને કારણે તો કોઈ વખત ભૂવાને કારણે સ્માર્ટ સિટી અમદાવાદ હમેશાં ચર્ચાતું રહે છે. ત્યારે અમદાવાદની એસવીપી હોસ્પિટલની છત પડી ગઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ડાયાલિસિસ વોર્ડમાં છતનો એક ભાગ અચાનક ધરાશાયી થયો હતો. બારમા માળે આવેલા વોર્ડની સિલીંગના પીઓપી સહિતનો પોર્શન નીચે પડી ગયું છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.


જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો? 

હાલ દરેક જગ્યાઓ પર વાવાઝોડાના ન્યુઝ જોવા મળી રહ્યા છે. જ્યારે વાવાઝોડું ટકરાશે ત્યારે કેવું નુકસાન થશે તેવી માહિતી આપવામાં આવી રહી છે. અમદાવાદમાંથી નુકસાની ના દ્રશ્યો સામે આવ્યા છે. તમને લાગ્યું હશે કે આ નુકસાની વાવાઝોડાને કારણે સર્જાયા હશે. પરંતુ ન તો વાવાઝોડાની અસર ન તો ભૂકંપની અસર છે. પરંતુ આ અસર છે નિર્માણ દરમિયાન આચરવામાં આવતા ભ્રષ્ટાચારની. અમદાવાદની એસવીપી હોસ્પિટલના 12માં માળમાં પીઓપી અચાનક ધરાશાયી થઈ ગયો છે. ડાયાલિસિસ વોર્ડમાં અચાનક સિલિંગ તૂટી પડી હતી.


થોડા દિવસ પહેલા જ હોસ્પિટલમાં બની હતી ઘટના! 

મહત્વનું છે હોસ્પિટલની આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થયા હોવાના સમાચાર સામે નથી આવ્યા. પરંતુ જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત? મહત્વનું છે કે નિર્માણ દરમિયાન વાપરવામાં આવતા માલસામાનની ગુણવત્તાને લઈ અનેક સવાલો ઉઠતા હોય છે. ત્યારે આ ઘટનામાં પણ હોસ્પિટલના નિર્માણ દરમિયાન વાપરવામાં આવતો માલસામાન હલકી ગુણવત્તાનો હોય તેવું લાગી રહ્યું છે. થોડા સમય પહેલા જ ઈલેક્ટ્રીક સપ્લાઈઝને લગતા એક્ટિવ રૂમમાં ભડકો થયો હતો.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.