અમદાવાદની આ હોસ્પિટલમાં સર્જાઈ દુર્ઘટના! ઘટનામાં POPની 5 જેટલી શીટ થઈ ધરાશાયી, સદનસીબે ટળી જાનહાનિ


  • Published By :
  • Published Date : 2023-06-12 14:47:35

જ્યારે કોઈ માણસને ઈજા પહોંચે છે અથવા બિમાર પડે છે ત્યારે સારવાર માટે તે હોસ્પિટલમાં જતો હોય છે. પરંતુ જો કોઈ હોસ્પિટલમાં જ ઘાયલ થઈ જાય તો? આ એટલા માટે કહેવાઈ રહ્યું છે કે અમદાવાદની એસવીપી હોસ્પિટલના ડાયાલિસીસ વોર્ડની છતનું પીઓપી અચાનક પડી ગઈ છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થયા હોવાની માહિતી સામે નથી આવી. પરંતુ હોસ્પિટલની સુરક્ષાને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે.  


ડાયાલિસિસ વોર્ડમાં બની દુર્ઘટના!

અમદાવાદ હમેંશા ચર્ચામાં રહેતું હોય છે. કોઈ વખત બિસ્માર રસ્તાને કારણે તો કોઈ વખત ભૂવાને કારણે સ્માર્ટ સિટી અમદાવાદ હમેશાં ચર્ચાતું રહે છે. ત્યારે અમદાવાદની એસવીપી હોસ્પિટલની છત પડી ગઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ડાયાલિસિસ વોર્ડમાં છતનો એક ભાગ અચાનક ધરાશાયી થયો હતો. બારમા માળે આવેલા વોર્ડની સિલીંગના પીઓપી સહિતનો પોર્શન નીચે પડી ગયું છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.


જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો? 

હાલ દરેક જગ્યાઓ પર વાવાઝોડાના ન્યુઝ જોવા મળી રહ્યા છે. જ્યારે વાવાઝોડું ટકરાશે ત્યારે કેવું નુકસાન થશે તેવી માહિતી આપવામાં આવી રહી છે. અમદાવાદમાંથી નુકસાની ના દ્રશ્યો સામે આવ્યા છે. તમને લાગ્યું હશે કે આ નુકસાની વાવાઝોડાને કારણે સર્જાયા હશે. પરંતુ ન તો વાવાઝોડાની અસર ન તો ભૂકંપની અસર છે. પરંતુ આ અસર છે નિર્માણ દરમિયાન આચરવામાં આવતા ભ્રષ્ટાચારની. અમદાવાદની એસવીપી હોસ્પિટલના 12માં માળમાં પીઓપી અચાનક ધરાશાયી થઈ ગયો છે. ડાયાલિસિસ વોર્ડમાં અચાનક સિલિંગ તૂટી પડી હતી.


થોડા દિવસ પહેલા જ હોસ્પિટલમાં બની હતી ઘટના! 

મહત્વનું છે હોસ્પિટલની આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થયા હોવાના સમાચાર સામે નથી આવ્યા. પરંતુ જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત? મહત્વનું છે કે નિર્માણ દરમિયાન વાપરવામાં આવતા માલસામાનની ગુણવત્તાને લઈ અનેક સવાલો ઉઠતા હોય છે. ત્યારે આ ઘટનામાં પણ હોસ્પિટલના નિર્માણ દરમિયાન વાપરવામાં આવતો માલસામાન હલકી ગુણવત્તાનો હોય તેવું લાગી રહ્યું છે. થોડા સમય પહેલા જ ઈલેક્ટ્રીક સપ્લાઈઝને લગતા એક્ટિવ રૂમમાં ભડકો થયો હતો.     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.