અમદાવાદની આ હોસ્પિટલમાં સર્જાઈ દુર્ઘટના! ઘટનામાં POPની 5 જેટલી શીટ થઈ ધરાશાયી, સદનસીબે ટળી જાનહાનિ


  • Published By :
  • Published Date : 2023-06-12 14:47:35

જ્યારે કોઈ માણસને ઈજા પહોંચે છે અથવા બિમાર પડે છે ત્યારે સારવાર માટે તે હોસ્પિટલમાં જતો હોય છે. પરંતુ જો કોઈ હોસ્પિટલમાં જ ઘાયલ થઈ જાય તો? આ એટલા માટે કહેવાઈ રહ્યું છે કે અમદાવાદની એસવીપી હોસ્પિટલના ડાયાલિસીસ વોર્ડની છતનું પીઓપી અચાનક પડી ગઈ છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થયા હોવાની માહિતી સામે નથી આવી. પરંતુ હોસ્પિટલની સુરક્ષાને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે.  


ડાયાલિસિસ વોર્ડમાં બની દુર્ઘટના!

અમદાવાદ હમેંશા ચર્ચામાં રહેતું હોય છે. કોઈ વખત બિસ્માર રસ્તાને કારણે તો કોઈ વખત ભૂવાને કારણે સ્માર્ટ સિટી અમદાવાદ હમેશાં ચર્ચાતું રહે છે. ત્યારે અમદાવાદની એસવીપી હોસ્પિટલની છત પડી ગઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ડાયાલિસિસ વોર્ડમાં છતનો એક ભાગ અચાનક ધરાશાયી થયો હતો. બારમા માળે આવેલા વોર્ડની સિલીંગના પીઓપી સહિતનો પોર્શન નીચે પડી ગયું છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.


જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો? 

હાલ દરેક જગ્યાઓ પર વાવાઝોડાના ન્યુઝ જોવા મળી રહ્યા છે. જ્યારે વાવાઝોડું ટકરાશે ત્યારે કેવું નુકસાન થશે તેવી માહિતી આપવામાં આવી રહી છે. અમદાવાદમાંથી નુકસાની ના દ્રશ્યો સામે આવ્યા છે. તમને લાગ્યું હશે કે આ નુકસાની વાવાઝોડાને કારણે સર્જાયા હશે. પરંતુ ન તો વાવાઝોડાની અસર ન તો ભૂકંપની અસર છે. પરંતુ આ અસર છે નિર્માણ દરમિયાન આચરવામાં આવતા ભ્રષ્ટાચારની. અમદાવાદની એસવીપી હોસ્પિટલના 12માં માળમાં પીઓપી અચાનક ધરાશાયી થઈ ગયો છે. ડાયાલિસિસ વોર્ડમાં અચાનક સિલિંગ તૂટી પડી હતી.


થોડા દિવસ પહેલા જ હોસ્પિટલમાં બની હતી ઘટના! 

મહત્વનું છે હોસ્પિટલની આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થયા હોવાના સમાચાર સામે નથી આવ્યા. પરંતુ જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત? મહત્વનું છે કે નિર્માણ દરમિયાન વાપરવામાં આવતા માલસામાનની ગુણવત્તાને લઈ અનેક સવાલો ઉઠતા હોય છે. ત્યારે આ ઘટનામાં પણ હોસ્પિટલના નિર્માણ દરમિયાન વાપરવામાં આવતો માલસામાન હલકી ગુણવત્તાનો હોય તેવું લાગી રહ્યું છે. થોડા સમય પહેલા જ ઈલેક્ટ્રીક સપ્લાઈઝને લગતા એક્ટિવ રૂમમાં ભડકો થયો હતો.     



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.