Uttar Pradeshમાં સર્જાઈ દુર્ઘટના, તળાવમાં પડ્યું શ્રદ્ધાળુઓને લઈ જતું ટ્રેક્ટર, અનેક શ્રદ્ધાળુઓના થયા મોત


  • Published By :
  • Published Date : 2024-02-24 14:13:36

અકસ્માત અથવા તો દુર્ઘટનાને કારણે અનેક લોકોના મોત થઈ જતા હોય છે. કોઈ વખત રોડ અકસ્માત થાય છે તો કોઈ વખત બસ ખીણમાં અથવા તો તળાવમાં ડૂબી જાય છે. ત્યારે એક મોટી દુર્ઘટના ઉત્તરપ્રદેશમાં સર્જાઈ છે. દુર્ઘટના કાસગંજ જિલ્લામાં શ્રદ્ધાળુઓથી ભરેલા ટ્રેક્ટરની ટ્રોલી બેકાબૂ બની અને તળાવમાં જઈને પલ્ટી ગઈ હતી. ઘટનાને લઈ મળતી માહિતી અનુસાર ટ્રેક્ટર ફુલ સ્પિડે આવી રહ્યું હતું. ફૂલ સ્પીડમાં આવતા ટ્રેક્ટર બેકાબુ બન્યું અને તળાવમાં પડી ગયું. આ દુર્ઘટનામાં અંદાજીત 19 જેટલા લોકોના મોત થયા હોવાની જાણકારી સામે આવી છે. ઉપરાંત 30 જેટલા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે.

Kasganj Accident: कासगंज में गंगा स्नान जा रहे श्रद्धालुओं की ट्रैक्टर ट्रॉली तालाब में पलटी, 19 की मौत

તળાવમાં પલટી ગયું ટ્રેક્ટર અને સર્જાઈ દુર્ઘટના

ઓવરસ્પીડને કારણે અનેક વખત દુર્ઘટના સર્જાતી હોય છે. સ્પીડમાં હોવાને કારણે ગાડી બેકાબુ બને છે અને સ્ટેયરિંગ પરનો કાબુ જતો રહે છે અને દુર્ઘટના સર્જાય છે. નાનું વાહન હોય તો મૃત્યુઆંક ઓછો હોય છે પરંતુ જ્યારે મોટા વાહનનો અકસ્માત થાય છે તો મૃત્યુઆંક વધી જતો હોય છે. ત્યારે એક મોટી દુર્ઘટના ઉત્તર પ્રદેશમાં સર્જાઈ છે. શનિવાર સવારે ગંગા સ્નાન માટે શ્રદ્ધાળુઓ જઈ રહ્યા હતા અને તે વખતે ટ્રેક્ટરની ટ્રોલી તળાવમાં પડી ગઈ અને શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા. મૃત્યુઆંક 19ની આસપાસ પહોંચી ગયો છે તેવી માહિતી સામે આવી છે. આ મૃત્યુઆંક આગળ પણ વધી શકે છે તેવું લાગી રહ્યું છે. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


આ ઘટનામાં થયા 19 લોકોના થયા મોત!

જે લોકોના આ ઘટનામાં મોત થયા છે તેમાંથી મહિલાઓનો તેમજ બાળકોનો સમાવેશ થાય છે. ઘટના સવારે બની હતી અને મળતી માહિતી અનુસાર બપોર સુધી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. હજી સુધી 19 જેટલા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. તળાવમાં ટ્રેક્ટર ડૂબી જવાને કારણે લોકો એકબીજા સાથે ભટકાયા. એકબીજા પર દબાઈ ગયા. લોકોને પોતાનો જીવ બચાવવાનો મોકો પણ ના મળ્યો. આ ઘટનાને પગલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક પ્રગટ કર્યો છે.  




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .