Uttar Pradeshમાં સર્જાઈ દુર્ઘટના, તળાવમાં પડ્યું શ્રદ્ધાળુઓને લઈ જતું ટ્રેક્ટર, અનેક શ્રદ્ધાળુઓના થયા મોત


  • Published By :
  • Published Date : 2024-02-24 14:13:36

અકસ્માત અથવા તો દુર્ઘટનાને કારણે અનેક લોકોના મોત થઈ જતા હોય છે. કોઈ વખત રોડ અકસ્માત થાય છે તો કોઈ વખત બસ ખીણમાં અથવા તો તળાવમાં ડૂબી જાય છે. ત્યારે એક મોટી દુર્ઘટના ઉત્તરપ્રદેશમાં સર્જાઈ છે. દુર્ઘટના કાસગંજ જિલ્લામાં શ્રદ્ધાળુઓથી ભરેલા ટ્રેક્ટરની ટ્રોલી બેકાબૂ બની અને તળાવમાં જઈને પલ્ટી ગઈ હતી. ઘટનાને લઈ મળતી માહિતી અનુસાર ટ્રેક્ટર ફુલ સ્પિડે આવી રહ્યું હતું. ફૂલ સ્પીડમાં આવતા ટ્રેક્ટર બેકાબુ બન્યું અને તળાવમાં પડી ગયું. આ દુર્ઘટનામાં અંદાજીત 19 જેટલા લોકોના મોત થયા હોવાની જાણકારી સામે આવી છે. ઉપરાંત 30 જેટલા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે.

Kasganj Accident: कासगंज में गंगा स्नान जा रहे श्रद्धालुओं की ट्रैक्टर ट्रॉली तालाब में पलटी, 19 की मौत

તળાવમાં પલટી ગયું ટ્રેક્ટર અને સર્જાઈ દુર્ઘટના

ઓવરસ્પીડને કારણે અનેક વખત દુર્ઘટના સર્જાતી હોય છે. સ્પીડમાં હોવાને કારણે ગાડી બેકાબુ બને છે અને સ્ટેયરિંગ પરનો કાબુ જતો રહે છે અને દુર્ઘટના સર્જાય છે. નાનું વાહન હોય તો મૃત્યુઆંક ઓછો હોય છે પરંતુ જ્યારે મોટા વાહનનો અકસ્માત થાય છે તો મૃત્યુઆંક વધી જતો હોય છે. ત્યારે એક મોટી દુર્ઘટના ઉત્તર પ્રદેશમાં સર્જાઈ છે. શનિવાર સવારે ગંગા સ્નાન માટે શ્રદ્ધાળુઓ જઈ રહ્યા હતા અને તે વખતે ટ્રેક્ટરની ટ્રોલી તળાવમાં પડી ગઈ અને શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા. મૃત્યુઆંક 19ની આસપાસ પહોંચી ગયો છે તેવી માહિતી સામે આવી છે. આ મૃત્યુઆંક આગળ પણ વધી શકે છે તેવું લાગી રહ્યું છે. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


આ ઘટનામાં થયા 19 લોકોના થયા મોત!

જે લોકોના આ ઘટનામાં મોત થયા છે તેમાંથી મહિલાઓનો તેમજ બાળકોનો સમાવેશ થાય છે. ઘટના સવારે બની હતી અને મળતી માહિતી અનુસાર બપોર સુધી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. હજી સુધી 19 જેટલા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. તળાવમાં ટ્રેક્ટર ડૂબી જવાને કારણે લોકો એકબીજા સાથે ભટકાયા. એકબીજા પર દબાઈ ગયા. લોકોને પોતાનો જીવ બચાવવાનો મોકો પણ ના મળ્યો. આ ઘટનાને પગલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક પ્રગટ કર્યો છે.  




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.