Uttar Pradeshમાં સર્જાઈ દુર્ઘટના, તળાવમાં પડ્યું શ્રદ્ધાળુઓને લઈ જતું ટ્રેક્ટર, અનેક શ્રદ્ધાળુઓના થયા મોત


  • Published By :
  • Published Date : 2024-02-24 14:13:36

અકસ્માત અથવા તો દુર્ઘટનાને કારણે અનેક લોકોના મોત થઈ જતા હોય છે. કોઈ વખત રોડ અકસ્માત થાય છે તો કોઈ વખત બસ ખીણમાં અથવા તો તળાવમાં ડૂબી જાય છે. ત્યારે એક મોટી દુર્ઘટના ઉત્તરપ્રદેશમાં સર્જાઈ છે. દુર્ઘટના કાસગંજ જિલ્લામાં શ્રદ્ધાળુઓથી ભરેલા ટ્રેક્ટરની ટ્રોલી બેકાબૂ બની અને તળાવમાં જઈને પલ્ટી ગઈ હતી. ઘટનાને લઈ મળતી માહિતી અનુસાર ટ્રેક્ટર ફુલ સ્પિડે આવી રહ્યું હતું. ફૂલ સ્પીડમાં આવતા ટ્રેક્ટર બેકાબુ બન્યું અને તળાવમાં પડી ગયું. આ દુર્ઘટનામાં અંદાજીત 19 જેટલા લોકોના મોત થયા હોવાની જાણકારી સામે આવી છે. ઉપરાંત 30 જેટલા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે.

Kasganj Accident: कासगंज में गंगा स्नान जा रहे श्रद्धालुओं की ट्रैक्टर ट्रॉली तालाब में पलटी, 19 की मौत

તળાવમાં પલટી ગયું ટ્રેક્ટર અને સર્જાઈ દુર્ઘટના

ઓવરસ્પીડને કારણે અનેક વખત દુર્ઘટના સર્જાતી હોય છે. સ્પીડમાં હોવાને કારણે ગાડી બેકાબુ બને છે અને સ્ટેયરિંગ પરનો કાબુ જતો રહે છે અને દુર્ઘટના સર્જાય છે. નાનું વાહન હોય તો મૃત્યુઆંક ઓછો હોય છે પરંતુ જ્યારે મોટા વાહનનો અકસ્માત થાય છે તો મૃત્યુઆંક વધી જતો હોય છે. ત્યારે એક મોટી દુર્ઘટના ઉત્તર પ્રદેશમાં સર્જાઈ છે. શનિવાર સવારે ગંગા સ્નાન માટે શ્રદ્ધાળુઓ જઈ રહ્યા હતા અને તે વખતે ટ્રેક્ટરની ટ્રોલી તળાવમાં પડી ગઈ અને શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા. મૃત્યુઆંક 19ની આસપાસ પહોંચી ગયો છે તેવી માહિતી સામે આવી છે. આ મૃત્યુઆંક આગળ પણ વધી શકે છે તેવું લાગી રહ્યું છે. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


આ ઘટનામાં થયા 19 લોકોના થયા મોત!

જે લોકોના આ ઘટનામાં મોત થયા છે તેમાંથી મહિલાઓનો તેમજ બાળકોનો સમાવેશ થાય છે. ઘટના સવારે બની હતી અને મળતી માહિતી અનુસાર બપોર સુધી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. હજી સુધી 19 જેટલા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. તળાવમાં ટ્રેક્ટર ડૂબી જવાને કારણે લોકો એકબીજા સાથે ભટકાયા. એકબીજા પર દબાઈ ગયા. લોકોને પોતાનો જીવ બચાવવાનો મોકો પણ ના મળ્યો. આ ઘટનાને પગલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક પ્રગટ કર્યો છે.  




રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .