Uttar Pradeshમાં સર્જાઈ દુર્ઘટના, તળાવમાં પડ્યું શ્રદ્ધાળુઓને લઈ જતું ટ્રેક્ટર, અનેક શ્રદ્ધાળુઓના થયા મોત


  • Published By :
  • Published Date : 2024-02-24 14:13:36

અકસ્માત અથવા તો દુર્ઘટનાને કારણે અનેક લોકોના મોત થઈ જતા હોય છે. કોઈ વખત રોડ અકસ્માત થાય છે તો કોઈ વખત બસ ખીણમાં અથવા તો તળાવમાં ડૂબી જાય છે. ત્યારે એક મોટી દુર્ઘટના ઉત્તરપ્રદેશમાં સર્જાઈ છે. દુર્ઘટના કાસગંજ જિલ્લામાં શ્રદ્ધાળુઓથી ભરેલા ટ્રેક્ટરની ટ્રોલી બેકાબૂ બની અને તળાવમાં જઈને પલ્ટી ગઈ હતી. ઘટનાને લઈ મળતી માહિતી અનુસાર ટ્રેક્ટર ફુલ સ્પિડે આવી રહ્યું હતું. ફૂલ સ્પીડમાં આવતા ટ્રેક્ટર બેકાબુ બન્યું અને તળાવમાં પડી ગયું. આ દુર્ઘટનામાં અંદાજીત 19 જેટલા લોકોના મોત થયા હોવાની જાણકારી સામે આવી છે. ઉપરાંત 30 જેટલા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે.

Kasganj Accident: कासगंज में गंगा स्नान जा रहे श्रद्धालुओं की ट्रैक्टर ट्रॉली तालाब में पलटी, 19 की मौत

તળાવમાં પલટી ગયું ટ્રેક્ટર અને સર્જાઈ દુર્ઘટના

ઓવરસ્પીડને કારણે અનેક વખત દુર્ઘટના સર્જાતી હોય છે. સ્પીડમાં હોવાને કારણે ગાડી બેકાબુ બને છે અને સ્ટેયરિંગ પરનો કાબુ જતો રહે છે અને દુર્ઘટના સર્જાય છે. નાનું વાહન હોય તો મૃત્યુઆંક ઓછો હોય છે પરંતુ જ્યારે મોટા વાહનનો અકસ્માત થાય છે તો મૃત્યુઆંક વધી જતો હોય છે. ત્યારે એક મોટી દુર્ઘટના ઉત્તર પ્રદેશમાં સર્જાઈ છે. શનિવાર સવારે ગંગા સ્નાન માટે શ્રદ્ધાળુઓ જઈ રહ્યા હતા અને તે વખતે ટ્રેક્ટરની ટ્રોલી તળાવમાં પડી ગઈ અને શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા. મૃત્યુઆંક 19ની આસપાસ પહોંચી ગયો છે તેવી માહિતી સામે આવી છે. આ મૃત્યુઆંક આગળ પણ વધી શકે છે તેવું લાગી રહ્યું છે. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


આ ઘટનામાં થયા 19 લોકોના થયા મોત!

જે લોકોના આ ઘટનામાં મોત થયા છે તેમાંથી મહિલાઓનો તેમજ બાળકોનો સમાવેશ થાય છે. ઘટના સવારે બની હતી અને મળતી માહિતી અનુસાર બપોર સુધી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. હજી સુધી 19 જેટલા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. તળાવમાં ટ્રેક્ટર ડૂબી જવાને કારણે લોકો એકબીજા સાથે ભટકાયા. એકબીજા પર દબાઈ ગયા. લોકોને પોતાનો જીવ બચાવવાનો મોકો પણ ના મળ્યો. આ ઘટનાને પગલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક પ્રગટ કર્યો છે.  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.