હરિયાણાના ગુરૂગ્રામમાં બની દુ:ખદ ઘટના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 10:57:31

બિલ્ડિંગ પડી જવાની ઘટના બનવાથી અનેક લોકોના મોત નિપજતા હોય છે. ત્યારે ફરી એક વખત હરિયાણાના ગુરગ્રામમાં જૂની બિલ્ડિંગ પડી જવાની ઘટના બની છે. આ દુ:ખદ ઘટના ગુરૂગ્રામના ઉદ્યોગ વિહાર ફેઝ વનમાં બની છે. મળતી માહિતી મુજબ આ બિલ્ડિંગને પાડવાની કામગીરી ચાલી રહી હતી. બિલ્ડિંગ તોડવાની કામગીરી દરમિયાન આ ઘટના બની છે.


બિલ્ડિંગ તોડતી વખતે સર્જાઈ દુર્ઘટના 

અનેક વખત દુર્ઘટનાને સર્જાવાને કારણે નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો છે. બિલ્ડિંગ તોડતી વખતે અથવા તો નિર્માણ પામતી બિલ્ડિંગ ધરાશાઈ થતા અનેક મજૂરોના મોતને ભેટતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના હરિયાણાના ગુરૂગ્રામમાં બની છે. જૂની ઈમારતને પાડતી વખતે બિલ્ડિંગ તૂટી પડતા બિલ્ડિંગ નીચે 3થી 4 જેટલા મજૂરો ફસાયા હતા. ઘટનાની જાણ થતાં ડજ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ મળતી વિગતો અનુસાર બિલ્ડિંગ નીચે ફસાયેલા મજૂરોમાંથી એક શ્રમજીવીનું મોત થયું છે.

 



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.