હરિયાણાના ગુરૂગ્રામમાં બની દુ:ખદ ઘટના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 10:57:31

બિલ્ડિંગ પડી જવાની ઘટના બનવાથી અનેક લોકોના મોત નિપજતા હોય છે. ત્યારે ફરી એક વખત હરિયાણાના ગુરગ્રામમાં જૂની બિલ્ડિંગ પડી જવાની ઘટના બની છે. આ દુ:ખદ ઘટના ગુરૂગ્રામના ઉદ્યોગ વિહાર ફેઝ વનમાં બની છે. મળતી માહિતી મુજબ આ બિલ્ડિંગને પાડવાની કામગીરી ચાલી રહી હતી. બિલ્ડિંગ તોડવાની કામગીરી દરમિયાન આ ઘટના બની છે.


બિલ્ડિંગ તોડતી વખતે સર્જાઈ દુર્ઘટના 

અનેક વખત દુર્ઘટનાને સર્જાવાને કારણે નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો છે. બિલ્ડિંગ તોડતી વખતે અથવા તો નિર્માણ પામતી બિલ્ડિંગ ધરાશાઈ થતા અનેક મજૂરોના મોતને ભેટતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના હરિયાણાના ગુરૂગ્રામમાં બની છે. જૂની ઈમારતને પાડતી વખતે બિલ્ડિંગ તૂટી પડતા બિલ્ડિંગ નીચે 3થી 4 જેટલા મજૂરો ફસાયા હતા. ઘટનાની જાણ થતાં ડજ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ મળતી વિગતો અનુસાર બિલ્ડિંગ નીચે ફસાયેલા મજૂરોમાંથી એક શ્રમજીવીનું મોત થયું છે.

 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .