સુરતમાં બની કરૂણ ઘટના, પતંગ ચગાવતી વખતે ધાબા પરથી પડી જતા બાળકનું થયું મોત


  • Published By :
  • Published Date : 2023-01-13 10:43:13

આવતી કાલે ઉત્તરાયણનો પર્વ છે. ઉત્તરાયણ દરમિયાન પતંગ ચગાવવામાં આવે છે. ઉત્તરાયણ પર્વની ઉજવણી લોકો ઘણા સમય પહેલેથી કરી દેતા હોય છે. પતંગ ચગાવતી વખતે અનેક અકસ્માત થતા હોય છે જેમાં લોકોના મોત થતા હોય છે તો કોઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે સુરતમાં કરૂણ ઘટના બની છે જેમાં એક કિશોરનું મોત થયું છે. પલસાણાના વાંકાનેડામાં ધાબા પર પતંગ ચગાવતી વખતે 15 વર્ષનું બાળક પડી જતા તેનું મોત નિપજ્યું છે. 

Surat: 15 year old boy fells from terrace and death while kite flying Surat: પતંગ ચગાવતી વખતે ધાબા પરથી પડી જતાં કિશોરનું મોત, પરિવાર શોકમાં ગરકાવ

પતંગને કારણે અનેક વખત સર્જાય છે અકસ્માત  

ઉત્તરાયણ સમયે અકસ્માતોની સંખ્યામાં વધારો થતો હોય છે. પતંગની દોરીથી અકસ્માત અથવા દુર્ઘટના સર્જાતી હોય છે જેને કારણે લોકોના મોત થઈ જતા હોય છે અથવા તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે ઉત્તરાયણના એક દિવસ પહેલા સુરતમાં એક એવી ઘટના બની જેમાં બાળકનું મોત થઈ ગયું છે જેને કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે.   


ધાબા પરથી પડી જતા થયું 15 વર્ષના બાળકનું મોત 

આ કરૂણ ઘટના પલસાણાના વાંકાનેડામાં બની છે. પતંગ ચગાવવા ધાબા પર લોકો જતા હોય છે. ત્યારે બાળક પર ધાબા પર પતંગ ચગાવવા જતો હતો. પરંતુ ઘરના ધાબા પર તાળું મારેલું હતું. જેથી બાજુના ધાબા પર જઈ પોતાના ઘરના ધાબા પર જવાની કોશિશ કરી. ઓટીએસ ક્રોસ કરવા જતી વખતે બાળક પાંચમાં માળેથી નીચે પટકાયો. જેને કારણે તેનું મોત થઈ ગયું છે. 15 વર્ષના બાળકનું મોત થતા પરિવાર શોકમાં ડુબી ગયો છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.