સુરતમાં બની કરૂણ ઘટના, પતંગ ચગાવતી વખતે ધાબા પરથી પડી જતા બાળકનું થયું મોત


  • Published By :
  • Published Date : 2023-01-13 10:43:13

આવતી કાલે ઉત્તરાયણનો પર્વ છે. ઉત્તરાયણ દરમિયાન પતંગ ચગાવવામાં આવે છે. ઉત્તરાયણ પર્વની ઉજવણી લોકો ઘણા સમય પહેલેથી કરી દેતા હોય છે. પતંગ ચગાવતી વખતે અનેક અકસ્માત થતા હોય છે જેમાં લોકોના મોત થતા હોય છે તો કોઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે સુરતમાં કરૂણ ઘટના બની છે જેમાં એક કિશોરનું મોત થયું છે. પલસાણાના વાંકાનેડામાં ધાબા પર પતંગ ચગાવતી વખતે 15 વર્ષનું બાળક પડી જતા તેનું મોત નિપજ્યું છે. 

Surat: 15 year old boy fells from terrace and death while kite flying Surat: પતંગ ચગાવતી વખતે ધાબા પરથી પડી જતાં કિશોરનું મોત, પરિવાર શોકમાં ગરકાવ

પતંગને કારણે અનેક વખત સર્જાય છે અકસ્માત  

ઉત્તરાયણ સમયે અકસ્માતોની સંખ્યામાં વધારો થતો હોય છે. પતંગની દોરીથી અકસ્માત અથવા દુર્ઘટના સર્જાતી હોય છે જેને કારણે લોકોના મોત થઈ જતા હોય છે અથવા તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે ઉત્તરાયણના એક દિવસ પહેલા સુરતમાં એક એવી ઘટના બની જેમાં બાળકનું મોત થઈ ગયું છે જેને કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે.   


ધાબા પરથી પડી જતા થયું 15 વર્ષના બાળકનું મોત 

આ કરૂણ ઘટના પલસાણાના વાંકાનેડામાં બની છે. પતંગ ચગાવવા ધાબા પર લોકો જતા હોય છે. ત્યારે બાળક પર ધાબા પર પતંગ ચગાવવા જતો હતો. પરંતુ ઘરના ધાબા પર તાળું મારેલું હતું. જેથી બાજુના ધાબા પર જઈ પોતાના ઘરના ધાબા પર જવાની કોશિશ કરી. ઓટીએસ ક્રોસ કરવા જતી વખતે બાળક પાંચમાં માળેથી નીચે પટકાયો. જેને કારણે તેનું મોત થઈ ગયું છે. 15 વર્ષના બાળકનું મોત થતા પરિવાર શોકમાં ડુબી ગયો છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.