સુરતમાં બની કરૂણ ઘટના, પતંગ ચગાવતી વખતે ધાબા પરથી પડી જતા બાળકનું થયું મોત


  • Published By :
  • Published Date : 2023-01-13 10:43:13

આવતી કાલે ઉત્તરાયણનો પર્વ છે. ઉત્તરાયણ દરમિયાન પતંગ ચગાવવામાં આવે છે. ઉત્તરાયણ પર્વની ઉજવણી લોકો ઘણા સમય પહેલેથી કરી દેતા હોય છે. પતંગ ચગાવતી વખતે અનેક અકસ્માત થતા હોય છે જેમાં લોકોના મોત થતા હોય છે તો કોઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે સુરતમાં કરૂણ ઘટના બની છે જેમાં એક કિશોરનું મોત થયું છે. પલસાણાના વાંકાનેડામાં ધાબા પર પતંગ ચગાવતી વખતે 15 વર્ષનું બાળક પડી જતા તેનું મોત નિપજ્યું છે. 

Surat: 15 year old boy fells from terrace and death while kite flying Surat: પતંગ ચગાવતી વખતે ધાબા પરથી પડી જતાં કિશોરનું મોત, પરિવાર શોકમાં ગરકાવ

પતંગને કારણે અનેક વખત સર્જાય છે અકસ્માત  

ઉત્તરાયણ સમયે અકસ્માતોની સંખ્યામાં વધારો થતો હોય છે. પતંગની દોરીથી અકસ્માત અથવા દુર્ઘટના સર્જાતી હોય છે જેને કારણે લોકોના મોત થઈ જતા હોય છે અથવા તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે ઉત્તરાયણના એક દિવસ પહેલા સુરતમાં એક એવી ઘટના બની જેમાં બાળકનું મોત થઈ ગયું છે જેને કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે.   


ધાબા પરથી પડી જતા થયું 15 વર્ષના બાળકનું મોત 

આ કરૂણ ઘટના પલસાણાના વાંકાનેડામાં બની છે. પતંગ ચગાવવા ધાબા પર લોકો જતા હોય છે. ત્યારે બાળક પર ધાબા પર પતંગ ચગાવવા જતો હતો. પરંતુ ઘરના ધાબા પર તાળું મારેલું હતું. જેથી બાજુના ધાબા પર જઈ પોતાના ઘરના ધાબા પર જવાની કોશિશ કરી. ઓટીએસ ક્રોસ કરવા જતી વખતે બાળક પાંચમાં માળેથી નીચે પટકાયો. જેને કારણે તેનું મોત થઈ ગયું છે. 15 વર્ષના બાળકનું મોત થતા પરિવાર શોકમાં ડુબી ગયો છે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.