સુરતમાં બની કરૂણ ઘટના, પતંગ ચગાવતી વખતે ધાબા પરથી પડી જતા બાળકનું થયું મોત


  • Published By :
  • Published Date : 2023-01-13 10:43:13

આવતી કાલે ઉત્તરાયણનો પર્વ છે. ઉત્તરાયણ દરમિયાન પતંગ ચગાવવામાં આવે છે. ઉત્તરાયણ પર્વની ઉજવણી લોકો ઘણા સમય પહેલેથી કરી દેતા હોય છે. પતંગ ચગાવતી વખતે અનેક અકસ્માત થતા હોય છે જેમાં લોકોના મોત થતા હોય છે તો કોઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે સુરતમાં કરૂણ ઘટના બની છે જેમાં એક કિશોરનું મોત થયું છે. પલસાણાના વાંકાનેડામાં ધાબા પર પતંગ ચગાવતી વખતે 15 વર્ષનું બાળક પડી જતા તેનું મોત નિપજ્યું છે. 

Surat: 15 year old boy fells from terrace and death while kite flying Surat: પતંગ ચગાવતી વખતે ધાબા પરથી પડી જતાં કિશોરનું મોત, પરિવાર શોકમાં ગરકાવ

પતંગને કારણે અનેક વખત સર્જાય છે અકસ્માત  

ઉત્તરાયણ સમયે અકસ્માતોની સંખ્યામાં વધારો થતો હોય છે. પતંગની દોરીથી અકસ્માત અથવા દુર્ઘટના સર્જાતી હોય છે જેને કારણે લોકોના મોત થઈ જતા હોય છે અથવા તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે ઉત્તરાયણના એક દિવસ પહેલા સુરતમાં એક એવી ઘટના બની જેમાં બાળકનું મોત થઈ ગયું છે જેને કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે.   


ધાબા પરથી પડી જતા થયું 15 વર્ષના બાળકનું મોત 

આ કરૂણ ઘટના પલસાણાના વાંકાનેડામાં બની છે. પતંગ ચગાવવા ધાબા પર લોકો જતા હોય છે. ત્યારે બાળક પર ધાબા પર પતંગ ચગાવવા જતો હતો. પરંતુ ઘરના ધાબા પર તાળું મારેલું હતું. જેથી બાજુના ધાબા પર જઈ પોતાના ઘરના ધાબા પર જવાની કોશિશ કરી. ઓટીએસ ક્રોસ કરવા જતી વખતે બાળક પાંચમાં માળેથી નીચે પટકાયો. જેને કારણે તેનું મોત થઈ ગયું છે. 15 વર્ષના બાળકનું મોત થતા પરિવાર શોકમાં ડુબી ગયો છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.