સંસ્કૃત ભાષાને બચાવવાનો ભગીરથ પ્રયાસ, રાજ્યસ્તરની શાસ્ત્રીય સ્પર્ધાનું કરાયું આયોજન


  • Published By :
  • Published Date : 2023-01-05 17:23:29

રાજ્યમાં અનેક સંસ્કૃત પાઠશાળાઓ આવેલી છે. સંસ્કૃત પાઠશાળામાં વેદોનું પઠન તેમજ શાસ્ત્રાર્થ કરવામાં આવતું હોય છે. ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં એક અનોખી સ્પર્ધા યોજાઈ હતી જેમાં મંત્રો, વેદોની ચર્ચા, પુરાણો તેમજ ભગવદ્ ગીતાના મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું. ઋષિકુમારોએ મંત્રો કંઠસ્થ કરીને સ્પર્ધામાં ભાગ લીધો હતો. 


ગુરૂકુલ પરંપરાથી ઋષિકુમારોએ મેળવી છે વિદ્યા

આપણી સંસ્કૃતિ વેદોની સંસ્કૃતિ છે. અનેક ભાષાની જનેતા સંસ્કૃત ભાષાને માનવામાં આવે છે. સંસ્કૃત તેમજ સંસ્કૃતિનું રક્ષણ કરવા અનેક સંસ્થાઓ કાર્ય કરી રહી છે. રાજ્યમાં સંસ્કૃતની અનેક શાળાઓ તેમજ ગુરૂકુલો છે જ્યાં પુરાણો, વેદો તેમજ શ્રીમદ ભગવત ગીતાનું અધ્યયન કરાવામાં આવે છે. મંત્રોને કંઠસ્થ કરાવામાં આવે છે. 


600 ઋષિકુમારોએ લીધો સ્પર્ધામાં ભાગ 

ત્યારે સુરતના અડાજણ સ્થિત બદ્રીનારાયણ મંદિર ખાતે 31મી શાસ્ત્રીય સંસ્કૃત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યમાં ચાલતી 46થી વધુ સંસ્કૃત શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 600 જેટલા ઋષિકુમારોએ ભાગ લીધો હતો. ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ કમિશ્નર શાળાઓની કચેરી તેમજ રાજ્ય સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળના ઉપક્રમે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રી-દિવસીય સ્પર્ધામાં કુલ 32 પ્રકારની ચર્ચાઓ કરવામાં આવશે જેમાં વેદ, પુરાણ, ન્યાય, મીમાંસા વગેરેની સ્પર્ધાઓ યોજાશે.                   


પ્રથમ દિવસે આ સ્પર્ધામાં વ્યાકરણ શલાકા. વ્યાકરણ ભાષણ, ન્યાય ભાષણ, સાહિત્ય ભાષણ, અષ્ટાધ્યાય સૂત્ર પાઠ તેમજ શ્રીમદ્ ભગવદ્ ગીતાના મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું. શલાકા એટલેકે સ્પર્ધામાં નિયત કરેલા વિષયોને સ્પર્ધાથીઓએ સંપૂર્ણપણે કંઠસ્થ કરવાનો હોય છે. અને આ સ્પર્ધામાં ત્રણ તબક્કા નિયત કરવામાં આવ્યા હતા. કંઠસ્થીકરણ, સામાન્ય પ્રશ્નોત્તરી તેમજ ત્રણ વિશેષ પ્રશ્નોત્તરી અને શાસ્ત્રાર્થ એમ ત્રણ તબક્કામાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 


આ સ્પર્ધામાં મંત્રોનું કરવું પડે છે કંઠસ્થ ઉચ્ચારણ  

આ સ્પર્ધામાં 600 જેટલા ઋષિકુમારોએ ભાગ લીધો છે. આ સ્પર્ધામાં ઋષિકુમારો સંપૂર્ણ ગ્રંથ પર અધ્યયન કરી નિરિક્ષકો સામે પ્રસ્તુત થતા હોય છે અને નિરીષકો દ્વારા ગ્રંથના કોઈપણ પેજ ખોલવામાં આવે અને તે પાના પરનો શબ્દ બોલે અને ત્યાંથી ઋષિકુમાર મંત્રનો ઉચ્ચારણ કરવાનું શરૂ કરે અને નિરિષક ઓમ્ ના કહે ત્યાં સુધી મંત્રોચ્ચારણ કરતા રહે છે. બીજા તેમજ ત્રીજા તબક્કામાં  આ વિષયો પર ગહન ચર્ચાઓ તેમજ પ્રશ્નોત્તરી કરવામાં આવે છે. 


લુપ્ત થતી સંસ્કૃત ભાષાને બચાવવાનો કરાયો પ્રયાસ  

આજ કાલ આવી સ્પ્રર્ધાઓ થતી રહેવી જોઈએ જેને કારણે લુપ્ત થતી સંસ્કૃત ભાષા તેમજ સંસ્કૃતિ જન-જન સુધી પહોંચે. જે પરંપરાથી ઋષિકુમારોને વિદ્યા આપવામાં આવે છે તેને ગૂરૂકુલ પરંપરા કહેવામાં આવે છે. ગુરૂકુલ પરંપરા પ્રમાણે અભ્યાસ કરતા ઋષિકુમારો એ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. વેદ, પુરાણોની જાણકારી લોકો સુધી પહોંચે અને આપણી ધરોહર લુપ્ત ન થતી જાય તે આશયથી આનું આયોજન રાજ્ય સરકારના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનાર ઋષિકુમારને રાષ્ટ્રીય સ્તરે મોકલવામાં આવશે. સંસ્કૃત ભાષાનો પ્રચાર થાય અને સંસ્કૃત ભાષાનો દરજ્જો વધે તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો હતો.     



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .