સંસ્કૃત ભાષાને બચાવવાનો ભગીરથ પ્રયાસ, રાજ્યસ્તરની શાસ્ત્રીય સ્પર્ધાનું કરાયું આયોજન


  • Published By :
  • Published Date : 2023-01-05 17:23:29

રાજ્યમાં અનેક સંસ્કૃત પાઠશાળાઓ આવેલી છે. સંસ્કૃત પાઠશાળામાં વેદોનું પઠન તેમજ શાસ્ત્રાર્થ કરવામાં આવતું હોય છે. ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં એક અનોખી સ્પર્ધા યોજાઈ હતી જેમાં મંત્રો, વેદોની ચર્ચા, પુરાણો તેમજ ભગવદ્ ગીતાના મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું. ઋષિકુમારોએ મંત્રો કંઠસ્થ કરીને સ્પર્ધામાં ભાગ લીધો હતો. 


ગુરૂકુલ પરંપરાથી ઋષિકુમારોએ મેળવી છે વિદ્યા

આપણી સંસ્કૃતિ વેદોની સંસ્કૃતિ છે. અનેક ભાષાની જનેતા સંસ્કૃત ભાષાને માનવામાં આવે છે. સંસ્કૃત તેમજ સંસ્કૃતિનું રક્ષણ કરવા અનેક સંસ્થાઓ કાર્ય કરી રહી છે. રાજ્યમાં સંસ્કૃતની અનેક શાળાઓ તેમજ ગુરૂકુલો છે જ્યાં પુરાણો, વેદો તેમજ શ્રીમદ ભગવત ગીતાનું અધ્યયન કરાવામાં આવે છે. મંત્રોને કંઠસ્થ કરાવામાં આવે છે. 


600 ઋષિકુમારોએ લીધો સ્પર્ધામાં ભાગ 

ત્યારે સુરતના અડાજણ સ્થિત બદ્રીનારાયણ મંદિર ખાતે 31મી શાસ્ત્રીય સંસ્કૃત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યમાં ચાલતી 46થી વધુ સંસ્કૃત શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 600 જેટલા ઋષિકુમારોએ ભાગ લીધો હતો. ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ કમિશ્નર શાળાઓની કચેરી તેમજ રાજ્ય સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળના ઉપક્રમે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રી-દિવસીય સ્પર્ધામાં કુલ 32 પ્રકારની ચર્ચાઓ કરવામાં આવશે જેમાં વેદ, પુરાણ, ન્યાય, મીમાંસા વગેરેની સ્પર્ધાઓ યોજાશે.                   


પ્રથમ દિવસે આ સ્પર્ધામાં વ્યાકરણ શલાકા. વ્યાકરણ ભાષણ, ન્યાય ભાષણ, સાહિત્ય ભાષણ, અષ્ટાધ્યાય સૂત્ર પાઠ તેમજ શ્રીમદ્ ભગવદ્ ગીતાના મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું. શલાકા એટલેકે સ્પર્ધામાં નિયત કરેલા વિષયોને સ્પર્ધાથીઓએ સંપૂર્ણપણે કંઠસ્થ કરવાનો હોય છે. અને આ સ્પર્ધામાં ત્રણ તબક્કા નિયત કરવામાં આવ્યા હતા. કંઠસ્થીકરણ, સામાન્ય પ્રશ્નોત્તરી તેમજ ત્રણ વિશેષ પ્રશ્નોત્તરી અને શાસ્ત્રાર્થ એમ ત્રણ તબક્કામાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 


આ સ્પર્ધામાં મંત્રોનું કરવું પડે છે કંઠસ્થ ઉચ્ચારણ  

આ સ્પર્ધામાં 600 જેટલા ઋષિકુમારોએ ભાગ લીધો છે. આ સ્પર્ધામાં ઋષિકુમારો સંપૂર્ણ ગ્રંથ પર અધ્યયન કરી નિરિક્ષકો સામે પ્રસ્તુત થતા હોય છે અને નિરીષકો દ્વારા ગ્રંથના કોઈપણ પેજ ખોલવામાં આવે અને તે પાના પરનો શબ્દ બોલે અને ત્યાંથી ઋષિકુમાર મંત્રનો ઉચ્ચારણ કરવાનું શરૂ કરે અને નિરિષક ઓમ્ ના કહે ત્યાં સુધી મંત્રોચ્ચારણ કરતા રહે છે. બીજા તેમજ ત્રીજા તબક્કામાં  આ વિષયો પર ગહન ચર્ચાઓ તેમજ પ્રશ્નોત્તરી કરવામાં આવે છે. 


લુપ્ત થતી સંસ્કૃત ભાષાને બચાવવાનો કરાયો પ્રયાસ  

આજ કાલ આવી સ્પ્રર્ધાઓ થતી રહેવી જોઈએ જેને કારણે લુપ્ત થતી સંસ્કૃત ભાષા તેમજ સંસ્કૃતિ જન-જન સુધી પહોંચે. જે પરંપરાથી ઋષિકુમારોને વિદ્યા આપવામાં આવે છે તેને ગૂરૂકુલ પરંપરા કહેવામાં આવે છે. ગુરૂકુલ પરંપરા પ્રમાણે અભ્યાસ કરતા ઋષિકુમારો એ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. વેદ, પુરાણોની જાણકારી લોકો સુધી પહોંચે અને આપણી ધરોહર લુપ્ત ન થતી જાય તે આશયથી આનું આયોજન રાજ્ય સરકારના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનાર ઋષિકુમારને રાષ્ટ્રીય સ્તરે મોકલવામાં આવશે. સંસ્કૃત ભાષાનો પ્રચાર થાય અને સંસ્કૃત ભાષાનો દરજ્જો વધે તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો હતો.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.