સમાજમાં રહેલી કુપ્રથાને રોકવા ઠાકોર સમાજની અનોખી પહેલ, 11 પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી


  • Published By :
  • Published Date : 2023-02-20 17:42:33

આજકાલ લગ્નમાં લાખો રુપિયાનો ખર્ચો કરવામાં આવે છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાંય લગ્નમાં ખર્ચો કરવામાં આવતો હોય છે. ત્યારે ઠાકોર સમાજ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત વિવિધ રીત રિવાજો અને સમાજ સુધારણાને લઈ કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. 11 મુદ્દાઓ પર પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે. જે અંતર્ગત લગ્ન પ્રસંગોમાં ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે, સગાઈ અને લગ્નમાં 11 લોકોએ જ સામેલ થવું, જાનમાં મર્યાદીત સંખ્યા લઈ જવી, જેમાં 51 લોકોએ જ જવું સહિતની પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી હતી.


11 મુદ્દા પર લેવડાવી પ્રતિજ્ઞા  

ધામધૂમથી અને લાખો રુપિયાનો ખર્ચો કરી લોકો લગ્ન કરી રહ્યા છે. અનેક વખત પરિસ્થિતિ ન હોવા છતાંય પૈસા ખર્ચવા પડતા હોય છે. ત્યારે સમાજ સુધારણા માટે ઠાકોર સમાજના લોકોએ અનોખી પહેલ કરી છે. બનાસકાંઠામાં સદારામ બાપાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઠાકોર સમાજે 11 મુદ્દા પર અમલ મૂકવાનો પ્રસ્તાવ કર્યો છે. ઠાકોર સમાજના મેવાસ ગોળે આ ઠરાવ કરવામાં આવ્યો છે જેમાં ભાભર, વાવ, સુઈગામ તેમજ દિયોદર મેવાસ ગોળનો આ નિર્ણય છે.  


શું છે 11 પ્રતિજ્ઞા?

જેમાં લગ્ન પ્રસંગમાં ડીજેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, સાથે લગ્ન તેમજ સગાઈમાં કેટલા લોકો આવશે તે અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગમાં કાપડ તેમજ ઓઢામણને બદલે રોકડા આપવા, ગામમાં વ્યસન મુક્તિ અભિયાન ચલાવવું, તેમજ દરેક ગામમાં કુળ પ્રમાણે સમૂહ લગ્નનું આયોજન કરવું, તે ઉપરાંત કોઈ વ્યક્તિ બીમાર હોય તેની ખબર અંતર પૂછવા આવતા લોકો ન આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત લગ્ન પ્રસંગમાં દીકરીઓને જીવન જરૂરી અને મર્યાદિત વસ્તુઓ આપવી,સગાઈ અને લગ્નના છૂટાછેડામાં જે દોષિત હોય તેને દંડ થાય તેના રુપિયા સમાજની શૈક્ષણિક સંસ્થાઓમાં આપવા. તે ઉપરાંત કુંવારી દીકરીઓને મોબાઈલથી દુર રાખવી તેમજ ગામડેથી અભ્યાસ અર્થે જતી દીકરીઓને અપડાઉન માટે ગામ લોકોએ ખાસ વ્યવસ્થા કરવી જોઈએ.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.