સમાજમાં રહેલી કુપ્રથાને રોકવા ઠાકોર સમાજની અનોખી પહેલ, 11 પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી


  • Published By :
  • Published Date : 2023-02-20 17:42:33

આજકાલ લગ્નમાં લાખો રુપિયાનો ખર્ચો કરવામાં આવે છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાંય લગ્નમાં ખર્ચો કરવામાં આવતો હોય છે. ત્યારે ઠાકોર સમાજ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત વિવિધ રીત રિવાજો અને સમાજ સુધારણાને લઈ કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. 11 મુદ્દાઓ પર પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે. જે અંતર્ગત લગ્ન પ્રસંગોમાં ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે, સગાઈ અને લગ્નમાં 11 લોકોએ જ સામેલ થવું, જાનમાં મર્યાદીત સંખ્યા લઈ જવી, જેમાં 51 લોકોએ જ જવું સહિતની પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી હતી.


11 મુદ્દા પર લેવડાવી પ્રતિજ્ઞા  

ધામધૂમથી અને લાખો રુપિયાનો ખર્ચો કરી લોકો લગ્ન કરી રહ્યા છે. અનેક વખત પરિસ્થિતિ ન હોવા છતાંય પૈસા ખર્ચવા પડતા હોય છે. ત્યારે સમાજ સુધારણા માટે ઠાકોર સમાજના લોકોએ અનોખી પહેલ કરી છે. બનાસકાંઠામાં સદારામ બાપાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઠાકોર સમાજે 11 મુદ્દા પર અમલ મૂકવાનો પ્રસ્તાવ કર્યો છે. ઠાકોર સમાજના મેવાસ ગોળે આ ઠરાવ કરવામાં આવ્યો છે જેમાં ભાભર, વાવ, સુઈગામ તેમજ દિયોદર મેવાસ ગોળનો આ નિર્ણય છે.  


શું છે 11 પ્રતિજ્ઞા?

જેમાં લગ્ન પ્રસંગમાં ડીજેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, સાથે લગ્ન તેમજ સગાઈમાં કેટલા લોકો આવશે તે અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગમાં કાપડ તેમજ ઓઢામણને બદલે રોકડા આપવા, ગામમાં વ્યસન મુક્તિ અભિયાન ચલાવવું, તેમજ દરેક ગામમાં કુળ પ્રમાણે સમૂહ લગ્નનું આયોજન કરવું, તે ઉપરાંત કોઈ વ્યક્તિ બીમાર હોય તેની ખબર અંતર પૂછવા આવતા લોકો ન આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત લગ્ન પ્રસંગમાં દીકરીઓને જીવન જરૂરી અને મર્યાદિત વસ્તુઓ આપવી,સગાઈ અને લગ્નના છૂટાછેડામાં જે દોષિત હોય તેને દંડ થાય તેના રુપિયા સમાજની શૈક્ષણિક સંસ્થાઓમાં આપવા. તે ઉપરાંત કુંવારી દીકરીઓને મોબાઈલથી દુર રાખવી તેમજ ગામડેથી અભ્યાસ અર્થે જતી દીકરીઓને અપડાઉન માટે ગામ લોકોએ ખાસ વ્યવસ્થા કરવી જોઈએ.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.