સમાજમાં રહેલી કુપ્રથાને રોકવા ઠાકોર સમાજની અનોખી પહેલ, 11 પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી


  • Published By :
  • Published Date : 2023-02-20 17:42:33

આજકાલ લગ્નમાં લાખો રુપિયાનો ખર્ચો કરવામાં આવે છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાંય લગ્નમાં ખર્ચો કરવામાં આવતો હોય છે. ત્યારે ઠાકોર સમાજ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત વિવિધ રીત રિવાજો અને સમાજ સુધારણાને લઈ કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. 11 મુદ્દાઓ પર પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે. જે અંતર્ગત લગ્ન પ્રસંગોમાં ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે, સગાઈ અને લગ્નમાં 11 લોકોએ જ સામેલ થવું, જાનમાં મર્યાદીત સંખ્યા લઈ જવી, જેમાં 51 લોકોએ જ જવું સહિતની પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી હતી.


11 મુદ્દા પર લેવડાવી પ્રતિજ્ઞા  

ધામધૂમથી અને લાખો રુપિયાનો ખર્ચો કરી લોકો લગ્ન કરી રહ્યા છે. અનેક વખત પરિસ્થિતિ ન હોવા છતાંય પૈસા ખર્ચવા પડતા હોય છે. ત્યારે સમાજ સુધારણા માટે ઠાકોર સમાજના લોકોએ અનોખી પહેલ કરી છે. બનાસકાંઠામાં સદારામ બાપાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઠાકોર સમાજે 11 મુદ્દા પર અમલ મૂકવાનો પ્રસ્તાવ કર્યો છે. ઠાકોર સમાજના મેવાસ ગોળે આ ઠરાવ કરવામાં આવ્યો છે જેમાં ભાભર, વાવ, સુઈગામ તેમજ દિયોદર મેવાસ ગોળનો આ નિર્ણય છે.  


શું છે 11 પ્રતિજ્ઞા?

જેમાં લગ્ન પ્રસંગમાં ડીજેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, સાથે લગ્ન તેમજ સગાઈમાં કેટલા લોકો આવશે તે અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગમાં કાપડ તેમજ ઓઢામણને બદલે રોકડા આપવા, ગામમાં વ્યસન મુક્તિ અભિયાન ચલાવવું, તેમજ દરેક ગામમાં કુળ પ્રમાણે સમૂહ લગ્નનું આયોજન કરવું, તે ઉપરાંત કોઈ વ્યક્તિ બીમાર હોય તેની ખબર અંતર પૂછવા આવતા લોકો ન આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત લગ્ન પ્રસંગમાં દીકરીઓને જીવન જરૂરી અને મર્યાદિત વસ્તુઓ આપવી,સગાઈ અને લગ્નના છૂટાછેડામાં જે દોષિત હોય તેને દંડ થાય તેના રુપિયા સમાજની શૈક્ષણિક સંસ્થાઓમાં આપવા. તે ઉપરાંત કુંવારી દીકરીઓને મોબાઈલથી દુર રાખવી તેમજ ગામડેથી અભ્યાસ અર્થે જતી દીકરીઓને અપડાઉન માટે ગામ લોકોએ ખાસ વ્યવસ્થા કરવી જોઈએ.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.