પાટણમાં કીર્તિદાન ગઢવીના ડાયરામાં જોવા મળ્યો અનોખો નજારો, ડાયરામાં રૂપિયાની સાથે લોકો લઈને આવ્યા રોટલી!!


  • Published By :
  • Published Date : 2023-04-17 12:46:42

લોક ડાયરામાં કલાકારો ઉપર અનેક વખત નોટોનો વરસાદ થતો હોય છે તો કોઈ વખત ડોલરોનો વરસાદ થતો હોય છે. પરંતુ પાટણમાં કીર્તિદાન ગઢવી પર રોટલીનો વરસાદ કરવામાં આવ્યો છે. પાટણ શહેરમાં પ્રખ્યાત રોટલીયા હનુમાન દાદાનું મંદિર આવ્યું છે. એ મંદિરમાં માત્ર રોટલીનો પ્રસાદ જ ચઢે છે. ત્યારે થોડા સમય પહેલા હનુમાન દાદાનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું. ત્યારે મંદિરના પ્રથમ પાટોત્સવ પ્રસંગે કીર્તિદાન ગઢવીનો ડાયરો રાખવામાં આવ્યો હતો જેમાં પૈસા ઉપરાંત લોકો રોટલી લઈને આવ્યા હતા. આ ડાયરામાં 50 હજારથી વધુ રોટલા રોટલી ભેગી થઈ હતી. અને આ રોટલીથી અબોલા પશુઓનું પેટ ભરવામાં આવશે.  




હનુમાન દાદાને પ્રસાદી તરીકે ચઢે છે રોટલી! 

સમગ્ર રાજ્યમાં હનુમાનજીના અનેક મંદિરો આવેલા છે. પરંતુ પાટણમાં આવેલું રોટલિયા હનુમાન મંદિર સૌથી અલગ છે. દાદાને રોટલીનો પ્રસાદ અપર્ણ કરવામાં આવે છે. ત્યારે થોડા સમય પહેલા દાદાનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું. પ્રથમ પાટોત્સવ નિમીત્તે લોકગાયક કીર્તીદાન ગઢવીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ ડાયરામાં ભાગ લેવા માટે લોકો ઘરેથી રોટલો અથવા રોટલી લઈને આવવાનું હતું. આમ લોકો રોટલી સાથે ડાયરો સાંભળવા આવ્યા હતા. કીર્તિદાન ગઢવી પાસે રોટલીઓના ઢગલા લોકોએ કરી દીધા હતા. 


'આ ડાયરામાં રુપિયાની સાથે રોટલીના ઢગલા લોકોએ કરી દીધા'  

ડાયરામાં ભેગા થયેલા રોટલા અબોલ પશુઓને ખવડાવવામાં આવશે. કીર્તિદાન ગઢવીએ કહ્યું હતું કે પાટણ ખાતે આવેલા રોટલીયા હનુમાન મંદિરમાં ફૂલ કે આભૂષણની જગ્યાએ રોટલા કે રોટલી ચઢાવવામાં આવે છે. જેનો ઉપયોગ જીવદયામાં કરવામાં આવે છે. મેં અનેક લોક ડાયરા કર્યા જેમાં રૂપિયાનો વરસાદ થાય છે પણ આ લોક ડાયરામાં રુપિયાના વરસાદ સાથે રોટલા અને રોટલીના લોકોએ ઢગલા કરી દીધા હતા.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.