પાટણમાં કીર્તિદાન ગઢવીના ડાયરામાં જોવા મળ્યો અનોખો નજારો, ડાયરામાં રૂપિયાની સાથે લોકો લઈને આવ્યા રોટલી!!


  • Published By :
  • Published Date : 2023-04-17 12:46:42

લોક ડાયરામાં કલાકારો ઉપર અનેક વખત નોટોનો વરસાદ થતો હોય છે તો કોઈ વખત ડોલરોનો વરસાદ થતો હોય છે. પરંતુ પાટણમાં કીર્તિદાન ગઢવી પર રોટલીનો વરસાદ કરવામાં આવ્યો છે. પાટણ શહેરમાં પ્રખ્યાત રોટલીયા હનુમાન દાદાનું મંદિર આવ્યું છે. એ મંદિરમાં માત્ર રોટલીનો પ્રસાદ જ ચઢે છે. ત્યારે થોડા સમય પહેલા હનુમાન દાદાનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું. ત્યારે મંદિરના પ્રથમ પાટોત્સવ પ્રસંગે કીર્તિદાન ગઢવીનો ડાયરો રાખવામાં આવ્યો હતો જેમાં પૈસા ઉપરાંત લોકો રોટલી લઈને આવ્યા હતા. આ ડાયરામાં 50 હજારથી વધુ રોટલા રોટલી ભેગી થઈ હતી. અને આ રોટલીથી અબોલા પશુઓનું પેટ ભરવામાં આવશે.  




હનુમાન દાદાને પ્રસાદી તરીકે ચઢે છે રોટલી! 

સમગ્ર રાજ્યમાં હનુમાનજીના અનેક મંદિરો આવેલા છે. પરંતુ પાટણમાં આવેલું રોટલિયા હનુમાન મંદિર સૌથી અલગ છે. દાદાને રોટલીનો પ્રસાદ અપર્ણ કરવામાં આવે છે. ત્યારે થોડા સમય પહેલા દાદાનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું. પ્રથમ પાટોત્સવ નિમીત્તે લોકગાયક કીર્તીદાન ગઢવીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ ડાયરામાં ભાગ લેવા માટે લોકો ઘરેથી રોટલો અથવા રોટલી લઈને આવવાનું હતું. આમ લોકો રોટલી સાથે ડાયરો સાંભળવા આવ્યા હતા. કીર્તિદાન ગઢવી પાસે રોટલીઓના ઢગલા લોકોએ કરી દીધા હતા. 


'આ ડાયરામાં રુપિયાની સાથે રોટલીના ઢગલા લોકોએ કરી દીધા'  

ડાયરામાં ભેગા થયેલા રોટલા અબોલ પશુઓને ખવડાવવામાં આવશે. કીર્તિદાન ગઢવીએ કહ્યું હતું કે પાટણ ખાતે આવેલા રોટલીયા હનુમાન મંદિરમાં ફૂલ કે આભૂષણની જગ્યાએ રોટલા કે રોટલી ચઢાવવામાં આવે છે. જેનો ઉપયોગ જીવદયામાં કરવામાં આવે છે. મેં અનેક લોક ડાયરા કર્યા જેમાં રૂપિયાનો વરસાદ થાય છે પણ આ લોક ડાયરામાં રુપિયાના વરસાદ સાથે રોટલા અને રોટલીના લોકોએ ઢગલા કરી દીધા હતા.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે