પાટણમાં કીર્તિદાન ગઢવીના ડાયરામાં જોવા મળ્યો અનોખો નજારો, ડાયરામાં રૂપિયાની સાથે લોકો લઈને આવ્યા રોટલી!!


  • Published By :
  • Published Date : 2023-04-17 12:46:42

લોક ડાયરામાં કલાકારો ઉપર અનેક વખત નોટોનો વરસાદ થતો હોય છે તો કોઈ વખત ડોલરોનો વરસાદ થતો હોય છે. પરંતુ પાટણમાં કીર્તિદાન ગઢવી પર રોટલીનો વરસાદ કરવામાં આવ્યો છે. પાટણ શહેરમાં પ્રખ્યાત રોટલીયા હનુમાન દાદાનું મંદિર આવ્યું છે. એ મંદિરમાં માત્ર રોટલીનો પ્રસાદ જ ચઢે છે. ત્યારે થોડા સમય પહેલા હનુમાન દાદાનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું. ત્યારે મંદિરના પ્રથમ પાટોત્સવ પ્રસંગે કીર્તિદાન ગઢવીનો ડાયરો રાખવામાં આવ્યો હતો જેમાં પૈસા ઉપરાંત લોકો રોટલી લઈને આવ્યા હતા. આ ડાયરામાં 50 હજારથી વધુ રોટલા રોટલી ભેગી થઈ હતી. અને આ રોટલીથી અબોલા પશુઓનું પેટ ભરવામાં આવશે.  




હનુમાન દાદાને પ્રસાદી તરીકે ચઢે છે રોટલી! 

સમગ્ર રાજ્યમાં હનુમાનજીના અનેક મંદિરો આવેલા છે. પરંતુ પાટણમાં આવેલું રોટલિયા હનુમાન મંદિર સૌથી અલગ છે. દાદાને રોટલીનો પ્રસાદ અપર્ણ કરવામાં આવે છે. ત્યારે થોડા સમય પહેલા દાદાનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું. પ્રથમ પાટોત્સવ નિમીત્તે લોકગાયક કીર્તીદાન ગઢવીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ ડાયરામાં ભાગ લેવા માટે લોકો ઘરેથી રોટલો અથવા રોટલી લઈને આવવાનું હતું. આમ લોકો રોટલી સાથે ડાયરો સાંભળવા આવ્યા હતા. કીર્તિદાન ગઢવી પાસે રોટલીઓના ઢગલા લોકોએ કરી દીધા હતા. 


'આ ડાયરામાં રુપિયાની સાથે રોટલીના ઢગલા લોકોએ કરી દીધા'  

ડાયરામાં ભેગા થયેલા રોટલા અબોલ પશુઓને ખવડાવવામાં આવશે. કીર્તિદાન ગઢવીએ કહ્યું હતું કે પાટણ ખાતે આવેલા રોટલીયા હનુમાન મંદિરમાં ફૂલ કે આભૂષણની જગ્યાએ રોટલા કે રોટલી ચઢાવવામાં આવે છે. જેનો ઉપયોગ જીવદયામાં કરવામાં આવે છે. મેં અનેક લોક ડાયરા કર્યા જેમાં રૂપિયાનો વરસાદ થાય છે પણ આ લોક ડાયરામાં રુપિયાના વરસાદ સાથે રોટલા અને રોટલીના લોકોએ ઢગલા કરી દીધા હતા.  




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે