સાબરકાંઠામાં યોજાયા અનોખા લગ્ન! 10 દીકરા અને 50 પૌત્ર-પૌત્રીઓની હાજરીમાં 70 વર્ષની ઉંમરે દાદા દાદીએ કર્યા લગ્ન! લગ્ન દરમિયાનનો વીડિયો વાયરલ! જૂઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-05-04 17:59:23

લગ્નના અનેક અનોખા તેમજ વિચિત્ર વીડિયો સામે આવતા હોય છે પરંતુ આજે સાંબરકાંઠાથી જે વીડિયો સામે આવ્યો છે તે એકદમ રસપ્રદ છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ આવતા હોય છે જેમાં લગ્નના અનેક વર્ષો બાદ દંપત્તિ ફરી લગ્ન કરતા હોય છે. પરંતુ આજે દંપત્તિની વાત કરવી છે તે દંપત્તિ અનેક વર્ષોથી જોડે રહે છે પરંતુ દંપત્તિએ પ્રથમવાર લગ્નના કર્યા છે અને વિધી અનુસાર  ફેરા ફર્યા છે. પૈસાની સગવડ થતા 10 પુત્ર અને 50 પૌત્રની હાજરીમાં 70 વર્ષ વટાવી ચૂકેલા દંપત્તિ લગ્નના બંધનમાં બંધાયા છે. 

70 વર્ષે ઉંમરે દાદા-દાદી લગ્નગ્રંથિથી જોડાયા

દાદીને ખાટલામાં બેસાડી ઉછાળ્યાં

10 પુત્ર અને 50 પૌત્ર-પૌત્રીની હાજરીમાં દાદા-દાદીએ કર્યા લગ્ન!    

આજે એવા લગ્નની વાત કરવી છે જેના વિશે તમે ભાગ્યે જ ક્યાંક સાંભળ્યું હશે અને જો સાંભળ્યું હશે તો પણ તે દંપતીએ ફરીથી લગ્ન કર્યાં હોય તે પ્રકારનું હશે, પરંતુ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના નાડા ગામે આદિવાસી સમાજના રિતીરિવાજો પ્રમાણે 70 વર્ષ વટાવી ચૂકેલા દંપતીએ તો પ્રથમવાર જ લગ્નના ફેરા ફર્યા છે. પહેલી વાર લગ્ન કરતી વખતે જેવી રીતે ધામધૂમ કરવામાં આવતી હોય છે તેવી જ ઉજવણી દાદા દાદીના લગ્નમાં તેમના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. દાદા દાદીની ચોથી પેઢી લગ્નમાં ડીજેના તાલ પર ઝૂમી ઉઠી હતી. 

અનોખ લગ્નમાં આખું ગામ ડીજેના તાલે ઝૂમી ઊઠ્યું

70 વર્ષની ઉંમરે દાદા દાદી બંધાયા લગ્નના બંધનમાં!  

આદિવાસી સમાજમાંથી અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં પૈસાની સગવડ ના હોવાને કારણે લોકો લગ્ન કરી શક્તા નથી. પરંતુ આગેવાનોની હાજરીમાં તેમજ તેમની સંમતિથી બંને એક બીજા સાથે રહે છે અને ગૃહાસ્થ જીવન ગાળે છે. ત્યારે સાબરકાંઠામાં બે દિવસ પહેલા લગ્ન યોજાયા હતા તેણે બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષી લીધું છે. અશક્ત હોવાને કારણે દાદીને ચાલવામાં તકલીફ પડતી હતી જેને લઈ તેમને ખાટલા પર બેસાડીને ફેરવવામાં આવ્યા હતા. પુત્રોએ માતાને તેડીને ફેરા ફરાવ્યા હતા. આ લગ્નમાં આખું ગામ મહેમાન બન્યું હતું. અને લોકો ડીજેના તાલ પર ઝૂમ્યા હતા. આવો જોઈએ એ વીડિયો....         



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.