સાબરકાંઠામાં યોજાયા અનોખા લગ્ન! 10 દીકરા અને 50 પૌત્ર-પૌત્રીઓની હાજરીમાં 70 વર્ષની ઉંમરે દાદા દાદીએ કર્યા લગ્ન! લગ્ન દરમિયાનનો વીડિયો વાયરલ! જૂઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-05-04 17:59:23

લગ્નના અનેક અનોખા તેમજ વિચિત્ર વીડિયો સામે આવતા હોય છે પરંતુ આજે સાંબરકાંઠાથી જે વીડિયો સામે આવ્યો છે તે એકદમ રસપ્રદ છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ આવતા હોય છે જેમાં લગ્નના અનેક વર્ષો બાદ દંપત્તિ ફરી લગ્ન કરતા હોય છે. પરંતુ આજે દંપત્તિની વાત કરવી છે તે દંપત્તિ અનેક વર્ષોથી જોડે રહે છે પરંતુ દંપત્તિએ પ્રથમવાર લગ્નના કર્યા છે અને વિધી અનુસાર  ફેરા ફર્યા છે. પૈસાની સગવડ થતા 10 પુત્ર અને 50 પૌત્રની હાજરીમાં 70 વર્ષ વટાવી ચૂકેલા દંપત્તિ લગ્નના બંધનમાં બંધાયા છે. 

70 વર્ષે ઉંમરે દાદા-દાદી લગ્નગ્રંથિથી જોડાયા

દાદીને ખાટલામાં બેસાડી ઉછાળ્યાં

10 પુત્ર અને 50 પૌત્ર-પૌત્રીની હાજરીમાં દાદા-દાદીએ કર્યા લગ્ન!    

આજે એવા લગ્નની વાત કરવી છે જેના વિશે તમે ભાગ્યે જ ક્યાંક સાંભળ્યું હશે અને જો સાંભળ્યું હશે તો પણ તે દંપતીએ ફરીથી લગ્ન કર્યાં હોય તે પ્રકારનું હશે, પરંતુ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના નાડા ગામે આદિવાસી સમાજના રિતીરિવાજો પ્રમાણે 70 વર્ષ વટાવી ચૂકેલા દંપતીએ તો પ્રથમવાર જ લગ્નના ફેરા ફર્યા છે. પહેલી વાર લગ્ન કરતી વખતે જેવી રીતે ધામધૂમ કરવામાં આવતી હોય છે તેવી જ ઉજવણી દાદા દાદીના લગ્નમાં તેમના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. દાદા દાદીની ચોથી પેઢી લગ્નમાં ડીજેના તાલ પર ઝૂમી ઉઠી હતી. 

અનોખ લગ્નમાં આખું ગામ ડીજેના તાલે ઝૂમી ઊઠ્યું

70 વર્ષની ઉંમરે દાદા દાદી બંધાયા લગ્નના બંધનમાં!  

આદિવાસી સમાજમાંથી અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં પૈસાની સગવડ ના હોવાને કારણે લોકો લગ્ન કરી શક્તા નથી. પરંતુ આગેવાનોની હાજરીમાં તેમજ તેમની સંમતિથી બંને એક બીજા સાથે રહે છે અને ગૃહાસ્થ જીવન ગાળે છે. ત્યારે સાબરકાંઠામાં બે દિવસ પહેલા લગ્ન યોજાયા હતા તેણે બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષી લીધું છે. અશક્ત હોવાને કારણે દાદીને ચાલવામાં તકલીફ પડતી હતી જેને લઈ તેમને ખાટલા પર બેસાડીને ફેરવવામાં આવ્યા હતા. પુત્રોએ માતાને તેડીને ફેરા ફરાવ્યા હતા. આ લગ્નમાં આખું ગામ મહેમાન બન્યું હતું. અને લોકો ડીજેના તાલ પર ઝૂમ્યા હતા. આવો જોઈએ એ વીડિયો....         



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.