સાબરકાંઠામાં યોજાયા અનોખા લગ્ન! 10 દીકરા અને 50 પૌત્ર-પૌત્રીઓની હાજરીમાં 70 વર્ષની ઉંમરે દાદા દાદીએ કર્યા લગ્ન! લગ્ન દરમિયાનનો વીડિયો વાયરલ! જૂઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-05-04 17:59:23

લગ્નના અનેક અનોખા તેમજ વિચિત્ર વીડિયો સામે આવતા હોય છે પરંતુ આજે સાંબરકાંઠાથી જે વીડિયો સામે આવ્યો છે તે એકદમ રસપ્રદ છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ આવતા હોય છે જેમાં લગ્નના અનેક વર્ષો બાદ દંપત્તિ ફરી લગ્ન કરતા હોય છે. પરંતુ આજે દંપત્તિની વાત કરવી છે તે દંપત્તિ અનેક વર્ષોથી જોડે રહે છે પરંતુ દંપત્તિએ પ્રથમવાર લગ્નના કર્યા છે અને વિધી અનુસાર  ફેરા ફર્યા છે. પૈસાની સગવડ થતા 10 પુત્ર અને 50 પૌત્રની હાજરીમાં 70 વર્ષ વટાવી ચૂકેલા દંપત્તિ લગ્નના બંધનમાં બંધાયા છે. 

70 વર્ષે ઉંમરે દાદા-દાદી લગ્નગ્રંથિથી જોડાયા

દાદીને ખાટલામાં બેસાડી ઉછાળ્યાં

10 પુત્ર અને 50 પૌત્ર-પૌત્રીની હાજરીમાં દાદા-દાદીએ કર્યા લગ્ન!    

આજે એવા લગ્નની વાત કરવી છે જેના વિશે તમે ભાગ્યે જ ક્યાંક સાંભળ્યું હશે અને જો સાંભળ્યું હશે તો પણ તે દંપતીએ ફરીથી લગ્ન કર્યાં હોય તે પ્રકારનું હશે, પરંતુ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના નાડા ગામે આદિવાસી સમાજના રિતીરિવાજો પ્રમાણે 70 વર્ષ વટાવી ચૂકેલા દંપતીએ તો પ્રથમવાર જ લગ્નના ફેરા ફર્યા છે. પહેલી વાર લગ્ન કરતી વખતે જેવી રીતે ધામધૂમ કરવામાં આવતી હોય છે તેવી જ ઉજવણી દાદા દાદીના લગ્નમાં તેમના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. દાદા દાદીની ચોથી પેઢી લગ્નમાં ડીજેના તાલ પર ઝૂમી ઉઠી હતી. 

અનોખ લગ્નમાં આખું ગામ ડીજેના તાલે ઝૂમી ઊઠ્યું

70 વર્ષની ઉંમરે દાદા દાદી બંધાયા લગ્નના બંધનમાં!  

આદિવાસી સમાજમાંથી અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં પૈસાની સગવડ ના હોવાને કારણે લોકો લગ્ન કરી શક્તા નથી. પરંતુ આગેવાનોની હાજરીમાં તેમજ તેમની સંમતિથી બંને એક બીજા સાથે રહે છે અને ગૃહાસ્થ જીવન ગાળે છે. ત્યારે સાબરકાંઠામાં બે દિવસ પહેલા લગ્ન યોજાયા હતા તેણે બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષી લીધું છે. અશક્ત હોવાને કારણે દાદીને ચાલવામાં તકલીફ પડતી હતી જેને લઈ તેમને ખાટલા પર બેસાડીને ફેરવવામાં આવ્યા હતા. પુત્રોએ માતાને તેડીને ફેરા ફરાવ્યા હતા. આ લગ્નમાં આખું ગામ મહેમાન બન્યું હતું. અને લોકો ડીજેના તાલ પર ઝૂમ્યા હતા. આવો જોઈએ એ વીડિયો....         



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.