તેલંગાણાથી એક વીડિયો સામે આવ્યો જે બાદ રસ્તા પરથી આઈસ્ક્રીમ ખાવાનું બંધ કરી દેશો! એવા કારસ્તાન કર્યા કે પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2024-03-20 17:52:08

આઈસ્ક્રીમ બધાને ખાવાનો શોખ અનેક લોકોને હોય છે. રસ્તા પર મળતો આઈસ્ક્રીમ આપણે ઘણી વખત ખાધો હશે. પરંતુ એક વીડિયો સામે આવ્યો છે તેલંગાણાથી જેમાં આઈસ્ક્રીમ વિક્રેતા હસ્તમૈથુન કરી રહ્યો છે અને તે બાદ આઈસ્ક્રીમમાં તેનું વીર્ય મિક્સ કરે છે. આનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તે બાદ પોલીસે આઈસ્ક્રીમ વિક્રેતા વિરૂદ્ધ કાયદાકીય પગલા લીધા છે. આ મામલે તપાસ હાથ ધરી છે. આઈસ્ક્રીમ વિક્રેતાની ઓળખ કાલૂરામ તરીકે થઈ છે અને રાજસ્થાનના વતની છે. પોલીસે વીડિયોને ધ્યાનમાં રાખી તપાસ આરંભી છે. 


આઈસ્ક્રીમ વિક્રેતા વિરૂદ્ધ પોલીસે કરી કાર્યવાહી!

આપણે હજી સુધી એવી વાતો સાંભળી છે કે ખાવાની વસ્તુમાં લોકો ભેળસેળ કરે છે. નકલી વસ્તુઓ આપણને ખાવા માટે આપે છે, આરોગ્ય સાથે ચેડા થાય છે. પરંતુ તેલંગાણાથી એક વીડિયો સામે આવ્યો છે તે જોયા પછી એમ થાય કે આ શું? એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં આઈસ્ક્રીમ વિક્રેતા હસ્તમૈથુન કરી રહ્યો છે અને  તે બાદ આઈસ્ક્રીમમાં તેનું વીર્ય મિક્સ કરે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. તેલંગાણામાં એક શેરી-બાજુના આઇસક્રીમ વેચનારની ધરપકડ કરવામાં આવી છે જ્યારે તે ફાલુદામાં વીર્ય ભેળવતો જોવા મળ્યો હતો. 


આઈસ્ક્રીમ વિક્રેતાની પોલીસે કરી ધરપકડ 

જે વ્યક્તિ આવું કરી રહ્યો હતો તેની ઓળખ કાલુરામ કુરબિયા તરીકે થઈ છે. આ વ્યક્તિ હસ્તમૈથુન કરતો અને આઈસ્ક્રીમની મીઠાઈમાં વીર્ય ભેળવતો. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ અને ત્યારબાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. જે વીડિયો સામે આવ્યો છે તે વીડિયો કથિત રીતે નેકકોંડામાં આંબેડકર સેન્ટરની બહાર ફિલ્માવાયેલો - સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી, ખાદ્ય સુરક્ષા અધિકારીઓ અને પોલીસે કુર્બિયાને શોધી કાઢ્યા અને તેની ધરપકડ કરી. મીડિયા રિપોર્ટ અનુસાર આ વ્યક્તિ, જે રાજસ્થાનનો વતની છે, તેની હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.