તેલંગાણાથી એક વીડિયો સામે આવ્યો જે બાદ રસ્તા પરથી આઈસ્ક્રીમ ખાવાનું બંધ કરી દેશો! એવા કારસ્તાન કર્યા કે પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2024-03-20 17:52:08

આઈસ્ક્રીમ બધાને ખાવાનો શોખ અનેક લોકોને હોય છે. રસ્તા પર મળતો આઈસ્ક્રીમ આપણે ઘણી વખત ખાધો હશે. પરંતુ એક વીડિયો સામે આવ્યો છે તેલંગાણાથી જેમાં આઈસ્ક્રીમ વિક્રેતા હસ્તમૈથુન કરી રહ્યો છે અને તે બાદ આઈસ્ક્રીમમાં તેનું વીર્ય મિક્સ કરે છે. આનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તે બાદ પોલીસે આઈસ્ક્રીમ વિક્રેતા વિરૂદ્ધ કાયદાકીય પગલા લીધા છે. આ મામલે તપાસ હાથ ધરી છે. આઈસ્ક્રીમ વિક્રેતાની ઓળખ કાલૂરામ તરીકે થઈ છે અને રાજસ્થાનના વતની છે. પોલીસે વીડિયોને ધ્યાનમાં રાખી તપાસ આરંભી છે. 


આઈસ્ક્રીમ વિક્રેતા વિરૂદ્ધ પોલીસે કરી કાર્યવાહી!

આપણે હજી સુધી એવી વાતો સાંભળી છે કે ખાવાની વસ્તુમાં લોકો ભેળસેળ કરે છે. નકલી વસ્તુઓ આપણને ખાવા માટે આપે છે, આરોગ્ય સાથે ચેડા થાય છે. પરંતુ તેલંગાણાથી એક વીડિયો સામે આવ્યો છે તે જોયા પછી એમ થાય કે આ શું? એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં આઈસ્ક્રીમ વિક્રેતા હસ્તમૈથુન કરી રહ્યો છે અને  તે બાદ આઈસ્ક્રીમમાં તેનું વીર્ય મિક્સ કરે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. તેલંગાણામાં એક શેરી-બાજુના આઇસક્રીમ વેચનારની ધરપકડ કરવામાં આવી છે જ્યારે તે ફાલુદામાં વીર્ય ભેળવતો જોવા મળ્યો હતો. 


આઈસ્ક્રીમ વિક્રેતાની પોલીસે કરી ધરપકડ 

જે વ્યક્તિ આવું કરી રહ્યો હતો તેની ઓળખ કાલુરામ કુરબિયા તરીકે થઈ છે. આ વ્યક્તિ હસ્તમૈથુન કરતો અને આઈસ્ક્રીમની મીઠાઈમાં વીર્ય ભેળવતો. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ અને ત્યારબાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. જે વીડિયો સામે આવ્યો છે તે વીડિયો કથિત રીતે નેકકોંડામાં આંબેડકર સેન્ટરની બહાર ફિલ્માવાયેલો - સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી, ખાદ્ય સુરક્ષા અધિકારીઓ અને પોલીસે કુર્બિયાને શોધી કાઢ્યા અને તેની ધરપકડ કરી. મીડિયા રિપોર્ટ અનુસાર આ વ્યક્તિ, જે રાજસ્થાનનો વતની છે, તેની હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.