તેલંગાણાથી એક વીડિયો સામે આવ્યો જે બાદ રસ્તા પરથી આઈસ્ક્રીમ ખાવાનું બંધ કરી દેશો! એવા કારસ્તાન કર્યા કે પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2024-03-20 17:52:08

આઈસ્ક્રીમ બધાને ખાવાનો શોખ અનેક લોકોને હોય છે. રસ્તા પર મળતો આઈસ્ક્રીમ આપણે ઘણી વખત ખાધો હશે. પરંતુ એક વીડિયો સામે આવ્યો છે તેલંગાણાથી જેમાં આઈસ્ક્રીમ વિક્રેતા હસ્તમૈથુન કરી રહ્યો છે અને તે બાદ આઈસ્ક્રીમમાં તેનું વીર્ય મિક્સ કરે છે. આનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તે બાદ પોલીસે આઈસ્ક્રીમ વિક્રેતા વિરૂદ્ધ કાયદાકીય પગલા લીધા છે. આ મામલે તપાસ હાથ ધરી છે. આઈસ્ક્રીમ વિક્રેતાની ઓળખ કાલૂરામ તરીકે થઈ છે અને રાજસ્થાનના વતની છે. પોલીસે વીડિયોને ધ્યાનમાં રાખી તપાસ આરંભી છે. 


આઈસ્ક્રીમ વિક્રેતા વિરૂદ્ધ પોલીસે કરી કાર્યવાહી!

આપણે હજી સુધી એવી વાતો સાંભળી છે કે ખાવાની વસ્તુમાં લોકો ભેળસેળ કરે છે. નકલી વસ્તુઓ આપણને ખાવા માટે આપે છે, આરોગ્ય સાથે ચેડા થાય છે. પરંતુ તેલંગાણાથી એક વીડિયો સામે આવ્યો છે તે જોયા પછી એમ થાય કે આ શું? એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં આઈસ્ક્રીમ વિક્રેતા હસ્તમૈથુન કરી રહ્યો છે અને  તે બાદ આઈસ્ક્રીમમાં તેનું વીર્ય મિક્સ કરે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. તેલંગાણામાં એક શેરી-બાજુના આઇસક્રીમ વેચનારની ધરપકડ કરવામાં આવી છે જ્યારે તે ફાલુદામાં વીર્ય ભેળવતો જોવા મળ્યો હતો. 


આઈસ્ક્રીમ વિક્રેતાની પોલીસે કરી ધરપકડ 

જે વ્યક્તિ આવું કરી રહ્યો હતો તેની ઓળખ કાલુરામ કુરબિયા તરીકે થઈ છે. આ વ્યક્તિ હસ્તમૈથુન કરતો અને આઈસ્ક્રીમની મીઠાઈમાં વીર્ય ભેળવતો. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ અને ત્યારબાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. જે વીડિયો સામે આવ્યો છે તે વીડિયો કથિત રીતે નેકકોંડામાં આંબેડકર સેન્ટરની બહાર ફિલ્માવાયેલો - સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી, ખાદ્ય સુરક્ષા અધિકારીઓ અને પોલીસે કુર્બિયાને શોધી કાઢ્યા અને તેની ધરપકડ કરી. મીડિયા રિપોર્ટ અનુસાર આ વ્યક્તિ, જે રાજસ્થાનનો વતની છે, તેની હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.