તેલંગાણાથી એક વીડિયો સામે આવ્યો જે બાદ રસ્તા પરથી આઈસ્ક્રીમ ખાવાનું બંધ કરી દેશો! એવા કારસ્તાન કર્યા કે પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2024-03-20 17:52:08

આઈસ્ક્રીમ બધાને ખાવાનો શોખ અનેક લોકોને હોય છે. રસ્તા પર મળતો આઈસ્ક્રીમ આપણે ઘણી વખત ખાધો હશે. પરંતુ એક વીડિયો સામે આવ્યો છે તેલંગાણાથી જેમાં આઈસ્ક્રીમ વિક્રેતા હસ્તમૈથુન કરી રહ્યો છે અને તે બાદ આઈસ્ક્રીમમાં તેનું વીર્ય મિક્સ કરે છે. આનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તે બાદ પોલીસે આઈસ્ક્રીમ વિક્રેતા વિરૂદ્ધ કાયદાકીય પગલા લીધા છે. આ મામલે તપાસ હાથ ધરી છે. આઈસ્ક્રીમ વિક્રેતાની ઓળખ કાલૂરામ તરીકે થઈ છે અને રાજસ્થાનના વતની છે. પોલીસે વીડિયોને ધ્યાનમાં રાખી તપાસ આરંભી છે. 


આઈસ્ક્રીમ વિક્રેતા વિરૂદ્ધ પોલીસે કરી કાર્યવાહી!

આપણે હજી સુધી એવી વાતો સાંભળી છે કે ખાવાની વસ્તુમાં લોકો ભેળસેળ કરે છે. નકલી વસ્તુઓ આપણને ખાવા માટે આપે છે, આરોગ્ય સાથે ચેડા થાય છે. પરંતુ તેલંગાણાથી એક વીડિયો સામે આવ્યો છે તે જોયા પછી એમ થાય કે આ શું? એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં આઈસ્ક્રીમ વિક્રેતા હસ્તમૈથુન કરી રહ્યો છે અને  તે બાદ આઈસ્ક્રીમમાં તેનું વીર્ય મિક્સ કરે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. તેલંગાણામાં એક શેરી-બાજુના આઇસક્રીમ વેચનારની ધરપકડ કરવામાં આવી છે જ્યારે તે ફાલુદામાં વીર્ય ભેળવતો જોવા મળ્યો હતો. 


આઈસ્ક્રીમ વિક્રેતાની પોલીસે કરી ધરપકડ 

જે વ્યક્તિ આવું કરી રહ્યો હતો તેની ઓળખ કાલુરામ કુરબિયા તરીકે થઈ છે. આ વ્યક્તિ હસ્તમૈથુન કરતો અને આઈસ્ક્રીમની મીઠાઈમાં વીર્ય ભેળવતો. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ અને ત્યારબાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. જે વીડિયો સામે આવ્યો છે તે વીડિયો કથિત રીતે નેકકોંડામાં આંબેડકર સેન્ટરની બહાર ફિલ્માવાયેલો - સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી, ખાદ્ય સુરક્ષા અધિકારીઓ અને પોલીસે કુર્બિયાને શોધી કાઢ્યા અને તેની ધરપકડ કરી. મીડિયા રિપોર્ટ અનુસાર આ વ્યક્તિ, જે રાજસ્થાનનો વતની છે, તેની હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.   



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .